________________ કરે ?... ક્યાં જાય ?.. કોણ તેને સમજાવે અશાંતિનો સ્ત્રોત અંદર જ છે... બહારની દુનિયામાંથી મુક્ત થઈશ પણ જાતથી છૂટીને ક્યાં જઈશ?.. બહારનો ઘોઘાટ નહીં તારુ અંતરતત્ત્વ જ તને અકળાવે છે, જે તારા શરીરની જેમ સદા સાથે રહે છે, માટે જ શાંતિ જોઈએ તો સતત ભાગદોડ કરતાં તારા મનને સ્થિર કરવાની જરૂર છે. Science અને Spirituality માં આ જ અંતર છે... આખા વિશ્વને અવાચક બનાવી આશ્ચર્ય પમાડે તેવી High technology-computersmachinery-electonic-entitles 247 vid velall 24 (42ilos fall રોબોટ શોધનારું વિજ્ઞાન લાખ પ્રયત્ન કરવા છતાં મનને શોધી શક્યું નથી, માટે જ માનવને શાંતિ પ્રદાન કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. ઉપરથી વધુ કુર ઘાતકી અને ઉગ્ર માનસ બનાવી વિજ્ઞાને માનવને દિશાવિહીન કરી મુક્યો છે. જ્યારે અધ્યાત્મ કહે છે કે “તારા મનને સ્થિર કર, તેના વેગ પર બ્રેક લગાવ, તો શાંતિ તારી પરિચારિકા બનીને રહેશે.” આ એક જ Master key માનવને પરમશાંતિનો અનુભવ કરાવે છે... શાંતમન જ માનવને મહામાનવ બનાવે છે. મનને દોડાવી સાઈનાઈડની શોધ કરી આફ્રેડ નોબેલને અંતે તો પોતાની શૈતાનીયત પર પારાવાર પસ્તાવો જ થયો હતો. શાંતિ-અશાંતિના કારણ રૂપ મનને નહીં શોધનાર વિજ્ઞાન અપૂર્ણ છે અને અપૂર્ણ જ રહેશે... અધ્યાત્મની પૂર્ણતા સ્વીકારી તેનો આશરો લીધા વિના વિજ્ઞાનનો આરોવારો નથી. માટે જ “યુની” (વિશ્વશાંતિ માટે સ્થપાયેલ અનેક દેશોની સંયુક્ત સંસ્થા) ની સ્થાપના વખતે તેના ચાર્ટરમાં પ્રથમ સુવર્ણાક્ષરીય વાક્ય આલેખાએલુ છે. War begins first in the mind of man and it should be ereadicated there from first. યુદ્ધની શરૂઆત માનવ મનથી થાય છે.. ખૂંખાર યુદ્ધ ટાળવા પ્રથમ મનમાં ઉઠતાં યુદ્ધને શાંત કરવું પડશે. આ જ વાત હજારો લાખો વર્ષ પૂર્વે આપણા મહર્ષિઓ ભાખી ગયા છે. ...134...