________________ સવારમાં ઉઠતાની સાથે આપણા મનમાં પણ આવા અનેક યુદ્ધો શરૂ થઈ જાય છે, જેના કારણે જીવન અશાંતિ-સંઘર્ષ અને ઘર્ષણપૂર્ણ બને છે.. તંદુલીયો મત્સ્ય ઘડીના છઠ્ઠા ભાગમાં સાતમી નરકે પહોંચે છે. પ્રસન્નચંદ્રએ ઘડીકમાં નરયોગ્ય દલીકો ભેગા કર્યા, આ બધી મનની જ લીલા છે, માટે જ જીવનને પ્રસન્ન કરવા મનને શાંત કરવું રહ્યું, તેના સ્ત્રોતની દિશા બદલવી જ રહી, ધારીએ ત્યારે મનને ઉઠબેસ કરાવી શકીએ એવી કળા હસ્તગત કરવી જ રહી, દરેક ધર્મના અનેક યોગોનું અંતિમ લક્ષ્ય પણ આજ છે... પરમાત્માએ “સમય ગોયમ મા પમાયએ” નો મંત્ર પણ આ જ હેતુથી આપેલો છે. મનની સ્થિરતા સ્થપાયા પછી ઘોઘાટીયા વાતાવરણમાં પણ પરમશાંતિનો અનુભવ નિશ્ચિત થવાનો. * * * * * ..135...