________________ બુદ્ધિ, કિંમતી છે તો સાથે જોખમી પણ છે. કંપનીના માલિક મેનેજરને પુછે છે, કંપની કેમ ચાલે છે. માણસો બરાબર કામ કરે છે ? મેનેજર H બધા બરાબર કામ કરે છે, પણ એક વર્કર આળસુ છે, જ્યારે જુઓ ત્યારે ખુરશીમાં બેઠો હોય, ટેબલ પર પગ લંબાવ્યા હોય. માથે પંખો ફરતો હોય, આખો દિવસ રેસ્ટ કરતો હોય છે. એક સળી પણ આઘી પાછી કરે નહીં. તેનો પગાર માથે પડે છે. કોણ જાણે કેમ તેને અહીં એન્ટ્રી મળી ગઈ ? ખાઈ પીને તાગડધીન્ના કરવા સિવાય બીજું કોઈ કામ નથી. માલિક : દશ વર્ષ પહેલા પણ મે એને આજ હાલતમાં જોયો હતો. જે હાલત આજે છે. મેનેજર : હે ! છતાં તમે રાખ્યો છે ? ફોગટ પગાર આપો છો? માલિક : હા, તેનું કારણ છે, પહેલા કંપની ખોટમાં ચાલતી હતી, ઘણી મથામણ છતાં ગાડી પાટે ચઢતી ન હતી. આ માણસને એક ટેકનીકલ વિચાર સ્ફરાયમાન થયો. તે વિચારને અમે અમલમાં મૂક્યો. તે દિવસથી કંપની સમૃદ્ધિના અને સફળતાના શિખરો સર કરવા લાગી. હવે તમે જ કહો તે નવરો બેઠો હોવા છતાં રાખવો કે કાઢી મૂકવો? બનવા જોગ છે કાલે એના મગજમાંથી બીજો કોઈ વિચાર સ્ફરે અને કંપની હજી વધુ આબાદ થઈ જાય. મેનેજર તો સાંભળીને દિગૂ થઈ ગયો. આવા બુદ્ધિનિધાન માણસોને કાઢવાની વાત હોય ? આવા રત્નોને તો જીવની જેમ સાચવવા જોઈએ. નવરા બેઠેલા બધા બેકાર અને આળસુ જ હોય, દોડાદોડ કરનારા બધા ઉદ્યમી હોય એવો નિયમ નથી. હાથપગની દોડ કરતા બુદ્ધિની દોડ વધુ કિંમતી હોય છે. માત્ર હાથપગ દોડાવે તે મજુર, જે આખી જીંદગી મજુર જ રહે. અને બુદ્ધિ દોડાવે જે વજીર, વગર મહેનતે બાદશાહનો બાદશાહ બની શકે. અણુબોમ્બની શોધ કરનાર બુદ્ધિ જ છે. કોમ્યુટર અને કેક્યુલેટરથી માંડી અજાયબ ચીજોને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડનાર બુદ્ધિ જ છે. ...144..