________________ ક્યાંય દેખાતું નથી. વિનય-ભક્તિ કે બહુમાન તો અદશ્ય જ થઈ ગયા છે. છોકરા ભણે છે ડિગ્રી માટે અને શિક્ષક ભણાવે રૂપિયા માટે. જેનું પરિણામ આજે જગજાહેર છે. ડિગ્રીઓ લઈને બહાર આવ્યા પછી પણ બેકારી, વ્યભિચાર, ભ્રષ્ટાચાર, વ્યસનમાં ચકચૂરતા, કૌભાંડો, અનૈતિક સંબંધો વ્યાપકપણે જોવા મળે છે. કોલેજો કે યુનિવર્સીટિઓ જીવન ઘડતર કરવાના બદલે જીવનને પડતર બનાવે છે. શિક્ષણ જીવન સુધારનાર નહીં જીવન સડાવનાર તત્વ બન્યું છે. અસ્તુ ! જ્યાં સુધી ગુરૂ-શિષ્ય વચ્ચે પવિત્ર સંબંધોની પુનઃસ્થાપના નહીં થાય ત્યાં સુધી શિક્ષણ દ્વારા ઉત્થાનની આશા અસ્થાને છે. અંતે... મુંગા વાચા પામતા પંગુ ગિરિ ચઢ જાય, ગુરૂકૃપા બલ ઔર હૈ અંધ દેખન લગ જાય. ...47..