________________ આત્મા છે ત્યાં સુધી જ અનુકૂળતા-પ્રતિકૂળતાની માથાફોડ છે. જાત બાજુમાં ખસી જતા જ બધું અનુકૂળ બની જાય છે. એજ રીતે મન જ્યાં સુધી Involve છે ત્યાં સુધી જ સુખ-દુઃખ, અનુકૂળ-પ્રતિકુળ, ફાવે ન ફાવે. વિ. કંકોની માથાફોડ છે. મન side માં લો, તેને Involve ના કરો. એટલે ક્યાંય ખચવાટ, મનદુઃખ, પ્રતિકૂળતા નહી લાગે, કોઈ ઉકળાટ કે આર્તધ્યાન નહીં થાય. બધુ જ અનુકૂળ થઈ જશે. દુઃખદ સંયોગો નહી પણ મનનું તેમા Involvement જ રંજ અને દ્વિધાઓ ઉભી કરે છે. મન ગયું તો દુઃખ ગયું જ સમજો. એક સંતે પ્રશ્ન કર્યો કે, સ્વર્ગમાં કોને જવું છે ? આખી સભામાંથી એક વ્યક્તિએ જ હાથ ઉંચો કર્યો. - સંતને આશ્ચર્ય થયું. પર્ષદાને પુછ્યું, તમારામાંથી બીજા કોઈને સ્વર્ગમાં જવું નથી ? પર્ષદામાંથી એક ડાહ્યો માણસ બોલ્યો, સંતજી ! આંગળી ઉંચી કરનાર ભાઈ જો સ્વર્ગમાં જતો રહેશે પછી અમારા બધા માટે અહીં જ સ્વર્ગ છે. (તેના સહવાસમાં અમારા માટે સ્વર્ગ પણ નર્ક સમાન બની જશે.) સંતજી સમજી ગયા. સમજી શકાય એવી વાત છે, જે દુષ્ટ હોય, અહંકારી હોય, બીજાને ત્રાસ જ આપતો હોય, પૂર્ણ સ્વાર્થી હોય, એવા એક જ માણસની ગેરહાજરી બધી દ્વિધાઓનો અંત લાવી દે છે, તેની ગેરહાજરી બધા માટે સ્વર્ગીય આનંદ સર્જનારી બને છે. મન પણ દુષ્ટ છે. અહંકારી છે. Cunning છે, સર્વ દ્વિધા અને કંદોનું મૂળ છે. તેની એકની જ ગેરહાજરી તમામ સુખ, શાંતિ અને આનંદનું અસાધારણ કારણ છે. સંસારમાં રહેવાનું છે, પ્રસંગો અને પરિસ્થિતિ ઉભા થવાના છે. સંયોગો હરપળ બદલાતા જ રહેવાના છે. આ બધામાં મને કે કમને, ઈચ્છાએ કે અનિચ્છાએ Involve થવું જ પડે છે, આવા પ્રસંગે મનને બાજુમાં મુકી ...53...