________________ મળે તેવા-વસ્ત્ર-પાત્ર વસતી-સ્થાન વિ.માં ચલાવવાનું, ભુખ-તાપ-તડકા વેઠવાના, રોગ, પરિષહ - ઉપસર્ગો સહેવાના, કડવા કહેણ અને અપમાનો ગળી જવાના, આમાં કેવું મહારાણીપણું ? આ સાંભળી કૃષ્ણ મહારાજા રાણી/દાસીપણાની તાત્વિક વાસ્તવિકતાનું ભાન કરાવતા. બેટા ! પુન્યજનિત સામગ્રી, સમૃદ્ધિ અને અનુકૂળતાનો ભોગવટો કરવો એ રાણીપણું અને જ્યાં તેનો અભાવ હોય તે દાસીપણું આ માન્યતા જ ભૂલ ભરેલી અને ભ્રામક છે. જ્યાં ગુલામી છે, પરાધીનતા છે, અપેક્ષા છે. ત્યાં દાસીપણુ છે, જ્યાં સ્વામીત્વ છે, સ્વતંત્રતા છે, નિરપેક્ષતા છે, અનાસક્તિ છે, ત્યાં મહારાણીપણું રાજાને ત્યાં રાણી સમૃદ્ધ હોવા છતા વિષયોની ગુલામ છે, કષાયને પરાધીન છે. મળેલી સામગ્રીથી અસંતુષ્ટ છે. ભોગમાં આસક્ત છે. માટે વાસ્તવમાં તે દાસી જ છે. “જે છે તે ગુલામીનું પ્રતિક છે. “જે જોઈએ છે' તે અપેક્ષાનું પ્રતિક છે. “જે ગમે છે” તે આસક્તિનું પ્રતિક છે, “જે નથી તેનું દુઃખ છે.” તે પરાધીનતાનું પ્રતિક છે. પ્રભુના ઘરની સાધ્વી સમૃદ્ધિથી Nill હોવા છતા આવેશની જવાળાથી મુક્ત છે. અપેક્ષાઓના જાળાઓથી મુક્ત છે. આસક્તિઓની ચીકાશથી રહિત છે. માટે વાસ્તવિક મહારાણી છે. મહારાણી બનવામાં વાતવાતમાં ગરમ થશે, સત્તાનો અહં નડશે, ખાવાપીવામાં પહેરવા ઓઢવામાં પોણા સોળાની નહીં ચાલે, ભોગસુખમાં કચાશ નહીં ચાલે, કટુ વેણ અસહ્ય બનશે, ધર્મ ભુલાશે, પુચક્ષય થશે, આત્મસાધનાનું નામોનિશાન નહી રહે, પુન્યની થોડા કાળની મહેરબાની ઉપર તાગડધીન્ના કરી અનંતકાળ ચાલે એવા કર્મો ઉપાર્જન કરવાના રહેશે. આ બધું છે?.. દાસીપણું જ કે બીજુ કાંઈ ? જ્યારે સાધ્વી બનવામાં જે મળે, જેવું મળે, .71...