________________
વર્ષ પુ-૧, પુરુષના કથનથી તે અપકૃત્ય કરતે રેકાઈ જાય છે, તેવી રીતે તે મધ્ય કુલકરના વખતમાં કેટલાક ગુન્હાઓ હાકારના કથનમાત્રથી
કાતા હતા, છતાં હાકારના કથનથી નહિ શેકાતા ગુન્હાઓને રેકવાને માટે માકારના કથનની શરૂઆત કરવી પડી હતી. ધિક્કારની નીતિની જરૂર કેમ પડી?
સામાન્ય રીતે નીતિમાન પુરુષે લોકો અનુચિત ગણાશે એટલા માત્રથીજ અનીતિના માર્ગથી દૂર રહે છે, જ્યારે કેટલાક સામાન્ય મનુષ્ય કુટુંબના શાણ અને વૃદ્ધ પુરુષોની રકટેકથી અનીતિના માર્ગથી દૂર રહે છે, પણ સત્તાને સેટે ચલાવનાર પુરુષે સત્તાના મદમાં છાકેલા હેવાથી પિતાની સત્તાને આધીન થયેલા મનુષ્યો પાસેથી પિતે અનીતિ કરવા છતાં માન-સન્માનને મેળવી શકે, એક અંશે પણ વિરૂદ્ધ વાત કરનારાને પિતાની સત્તાના જોરે શિક્ષિત કરી દે, તેવા સત્તાધીશોને ખેટું કહેવાવાને ભય હેતે નથી, અને તેને અનીતિમાં વર્તતાં કઈ રોકનારૂં પણ સત્તાની શહેને લીધે હેતું નથી, છતાં પણ તેવાઓને ઈતિહાસના પાને રહેતી અપકીતિઓ તે ભયંકર રીતે અસર કરનારી થાય છે.
તેમ નાભિમહારાજાની પહેલાંના કુલકરના વખતમાં યુગલિયા લેકે હાકાર અને માકારથી થતી શિક્ષાને તેટલી બધી અસર કરનારી ન ગણવા લાગ્યા, તેથી તે વખતના કુલકરેને ધિક્કાર શબ્દ કહેવાની નીતિ દાખલ કરવી પડી, અને સામાન્ય અપરાધમાં હાકાર, મધ્યમ અપરાધમાં સાકાર અને ઉત્કૃષ્ટ અપરાધમાં ધિક્કાર કહેવાને રિવાજ શરૂ થયે. નાભિમહારાજા સુધી માત્ર શિક્ષા કરનાર કલકરાના શબ્દોથી જ અન્યાય કરનારનું શિક્ષણ પ્રચલિત રહ્યું અને તે શબ્દો દ્વારા અન્યાયને માગ રકાતે રહ્યો, છતાં કાલની વિચિત્રતાએ શી અસર કરી અને ભગવાન ઋષભદેવજીને રાજા કરવાની યુગલીઆઓને શી જરૂર પડી? તે ઉપર હવે વિચાર કરીએ –