Book Title: Agam Jyot 1970 Varsh 05
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 195
________________ આગમ જ્યોત એમ પણ જો ન બને તે હિંસાદિ સર્વ પાપની આવશ્ય વજનીયતાનું ધ્યેય નિશ્ચિત કરે, એ સમ્યકત્વ રૂપ ત્રીજું ફલ. આ પૂર્વે જણાવ્યા પ્રમાણે ત્રણ ફલવાળે કદાચ શ્રોતાવર્ગ કે શ્રોતા વ્યક્તિ ન થાય તે તેવા સર્વ પાપના ત્યાગના દયેય સુધી નહિ પહેચનારે અત્યંત દુર્ગતિથી બચે એટલા માટે દ્રવ્ય થકી પણ માંસઆદિથી વિરતિવાળે કરે. આ સર્વ દેશનાક્રમનું ધ્યાન રાખતાં સ્પષ્ટ માલમ પડશે કે આવા વથ એ વસ્તુ પ્રથમ હતી. આચાર માટે જ ઉભી થયેલ આજ્ઞાની જરૂર - ભગવાન શ્રી શય્યભવસૂરિજીએ શ્રી દશવૈકાલિકની રચનામાં પ્રથમ અધ્યયનથી ગોચરીના આચારની શુદ્ધિ જણાવી. બીજા અધ્યયનથી સંકલ્પ વિકલ્પ દશા છેડી વસ્ત્રાદિકની ઈચ્છા છોડી સુકુમાલત છેડવાને આચાર દઢપણે પાળવા જણાવ્યું. ત્રીજા અધ્યયનમાં સાધુઓના આચારમાં બાધ કરનાર બાવન અનાચીણે જણાવ્યા. ચોથા અધ્યયનમાં છ જવનિકાયની હિંસાને ત્યાગ જણાવી જયણાથી પ્રવક્તવું અને અજયપણ ન થવા દેવી, એમ જણાવ્યું. એટલે સાચા શબ્દોમાં કહીએ તે સંસારમાં રખડાવનાર કટુક ફલવાળા પાપનું બંધન અજયપણાથી એમ જણાવ્યું, અને છઠ્ઠા રાત્રિભેજનના વિરમણ સાથે પાંચ મહાવ્રત એજ આત્મહિતને માટે અંગીકાર કરવાનું છે એમ ચેકનું જણાવી દીધું છે. આટલું માત્ર આચારનું તત્વ છે એમ સમજીને જ શિષ્ય જયણ અને અજયણાના ઉપાદાન અને ગ્રહણને જ માત્ર તત્વ માની જ્ઞાનને અતત્વ માનવા કે તેની જરૂરીઆત ગણવા ના પાડી તેથી ભગવાન શર્યાભવસૂરિજીને ઘa for તો જા એમ નિરૂપણ કરવું પડયું.

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280