Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
ભગીનાર ધારણ કરે છે. પછી તેનું મિથ્યાત્વીપણું ક્ષીણ થતું જાય છે, સમ્યકત્વીપણું વધતું જાય છે, અને અંતે તે પૂરેપૂરે સમ્યવી બની જાય છે. પછી તેનું વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાન કહેવાય છે. તેને તેજલેશ્યા, પાલેશ્યા અને શુદ્ધસ્થા એવી ત્રણ વિશુદ્ધ લેસ્યાઓ જ હોય; પણ કૃષ્ણ વગેરે અશુદ્ધ લેસ્યાઓ ન હોય; તેના શરીરને બાંધે પણ ઉત્કૃષ્ટ પ્રકારનો એટલે કે ધ્યાનને યોગ્ય વજાભ-નારાચ-સંહન જ હોય. તેની ઊંચાઈ ઓછામાં ઓછી સાત હાથ હોય; તેની ઉંમર આઠ વર્ષ ઉપરાંતની હોય; તે પુરુષશરીરી જ હાયઃ સ્ત્રી કે નપુંસકને તે વસ્તુ સંભવિત નથી; તેને ઈદ્રિયજન્ય મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન હોય; તેનાં ક્રોધ, માન, માયા અને લોભ પણ “સંજવલન''
૧. મિથ્યા માન્યતાવાળા – હોવાપણું, તેથી ઊલટું તે સમ્યકત્વીપણું.
૨. જ્યાં સુધી ધર્મતવમાં સાચી શ્રદ્ધા પ્રાપ્ત નથી થઈ, ત્યાં સુધીનાં ઇદ્રિયજન્ય વગેરે જ્ઞાને પણ અજ્ઞાન જ કહેવાય છે; કારણ કે તે બધાં જ્ઞાનનો ઉપયોગ સાંસારિક વાસનાઓની પુષ્ટિમાં જ થાય છે. પરંતુ મોક્ષાભિમુખ આત્માનાં તે બધાં જ્ઞાનેને ઉપયોગ સમભાવની પુષ્ટિમાં જ થતું હોવાથી તે બધાં જ્ઞાનરૂપ છે. વિર્ભાગજ્ઞાન એટલે અવધિઅજ્ઞાન. તેથી ઊલટું તે અવધિજ્ઞાન,
૩. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૪.
૪. છ પ્રક્વરના શારીરિક બાંધાના વર્ણન માટે જુઓ આ માળાનું “અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૧૨૯. ટિ, નં. ૧.
૫. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. પ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org