Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
શ્રીભગવતીસાર પ્ર –હે ગૌતમ! જે જીવે ચારિત્રમાં અંતરાયભૂત ચારિત્રાવરણીય કર્મોનો ક્ષયોપશમ કર્યો છે, તે જીવ કેવલી વગેરે પાસેથી ધર્મ સાંભળ્યા વિના પણ મુંડ થઈને, ગૃહવાસ તજી, પ્રવજ્યા સ્વીકારે; પરંતુ જે જીવે તેમ નથી કર્યું, તે કેવલી વગેરે પાસેથી સાંભળ્યા વિના તેમ ન કરે.
" તે જ પ્રમાણે શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ કરવાની બાબતમાં પણ જાણવું.
- પ્રવેહે ભગવન! કેવલી વગેરે પાસેથી ધર્મ સાંભળ્યા વિના કોઈ જીવ શુદ્ધ સંયમ આચરી શકે?
ઉન્હે ગૌતમ! જે જીવે ચારિત્ર વિષે વીર્ય અથવા પરાક્રમ કરવામાં અંતરાય કરનાર વિર્યાન્તરાય કર્મને ફર્યોપશમ કર્યો હોય, તે કેવલી વગેરે પાસેથી સાંભળ્યા વિના પણ શુદ્ધ સંયમ આચરી શકે; પરંતુ જે જીવે તેમ નથી કર્યું, તે તેમ ન કરી શકે. ”
તે જ પ્રમાણે અધ્યવસાનાવરણીય (બાવચારિત્રાવરણય ) કર્મોને પશમ કરે તો કેવલી વગેરે પાસેથી ધર્મ સાંભળ્યા વિના પણ છવ શુદ્ધ સંવરર વડે આસવનિરોધ કરે; તથા મતિ, બુત, અવધિ અને મન:પર્યવ જ્ઞાનને આવરણ કરનારાં કોને ક્ષપશમ કરીને, તે તે જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે.
પ્રવેહે ભગવન! કેવલી વગેરે પાસેથી સાંભળ્યા વિના કોઈ જીવ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે ?
૧. જુઓ પ્રકરણને અંતે ટિ. ન. ૧. ૨. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૨. ૩. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૩.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org