________________
२२
• સર્વનિનપ્રવચનસાહસ્ય દુત્વનું છે
तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्यशिरसा गिरिं बिभित्से-दुच्चिक्षिप्सेच्च स क्षितिं दोर्भ्याम् । प्रतीतीर्षेच्च समुद्र, मित्सेच्च पुनः कुशाग्रेण ।। २४ ।। व्योम्नीन्दुं “चिक्रमिषेन् मेरुगिरिं पाणिना चिकम्पयिषेत् । गत्यानिलं जिगीषे-च्चरमसमुद्रं पिपासेच्च ।। २५ ।। खद्योतकप्रभाभिः, सोऽभिबुभूषेच्च भास्करं मोहात् । योऽतिमहाग्रन्थार्थं, जिनवचनं संजिघृक्षेच्च ।। २६ ।। हि नैवाशक्यमारभ्यते इत्यशक्यताप्रतिपादनार्थमाह- “शिरसा” इत्यादि स्याद्बुद्धिर्जिनवचनैकदेशसङ्ग्रहत्वात् शिष्यहितप्रतिज्ञा वितथा स्यात्, सर्वजगत्स्वभावनिर्णयात् हिताहितप्राप्ति - परिहारार्थिनामनुग्रहः स्यात्, सकलजगत्तत्त्वं च समस्त श्रुतौघप्रतिपाद्यमिति । उच्यते, नायं नियमः श्रुतार्णवस्य पारंगतवत एव श्रेयः प्राप्तिरिति, किन्त्वेतदपि दृष्टं प्रवचने धर्मस्यैकस्यापि पदस्योपयोगः संसारनिर्वाहकः किमङ्गपुनरेवंविधार्थविस्तारविषयस्येति, तस्मात् सङ्क्षेपाद् विस्तराच्च जिनवचनं श्रेयस्करહેમગિરા
કારિકાર્થ :- જે વ્યક્તિ મસ્તક વડે પર્વતને ભેદવા, બે હાથ વડે પૃથ્વીને ઉછાળવા, બે હાથથી સમુદ્રને તરવા તેમ જ સમુદ્રને દાભની અણીથી માપવા ઈચ્છે તથા આકાશમાં રહેલ ચંદ્રને ઓળંગવા, મેરૂપર્વતને એક હાથ વડે કંપાવવા, પોતાની ગતિ વડે પવનને જીતવા અને અંતિમ (સ્વયંભૂરમણ) સમુદ્રને પીવા ઈચ્છે તેમજ સૂર્યના તેજનો આગીયા (જીવડા)ના ઝાંખા તેજ વડે પરાભવ કરવા ઈચ્છે તે આ મોહથી અભિભૂત જીવ અતિ મહા સૂત્ર અને અર્થ રૂપ જિનવચનનો સંગ્રહ કરવા ઈચ્છે. (ભાવાર્થ એ છે કે સમગ્ર જિન પ્રવચનનો સંગ્રહ અશક્ય પ્રાયઃ છે) ॥ ૨૪૨૫-૨૬ |
જવાબ :- સમસ્ત શ્રુતનો સંગ્રહ કરવો તે અશક્ય છે. તેથી ઈષ્ટ હોવા છતાં અશક્ય એવા અર્થ સંગ્રહરૂપ ગ્રંથને કોઈ આરંભે નહીં. આવી અશક્યતાને દર્શાવતા ૨૩થી ૨૬મી કારિકામાં ઉપમા પૂર્વક ખુલાસો આપેલ છે.
* પ્રવચન સંગ્રહની અશક્યતા
પ્રશ્ન :- વાત સાચી કે સમગ્ર પ્રવચન સંગ્રહ અશક્ય છે પણ જિનેશ્વરના પ્રવચનનો એક દેશ સંગ્રહ જ જો થાય તો શિષ્ય માટે ગ્રંથકારે કરેલી હિતની પ્રતિજ્ઞા વિતથ (મિથ્યા) થશે. કારણકે જગતના સર્વ ભાવોના નિર્ણય થયા બાદ જ અહિતના પરિહાર અને હિતની પ્રાપ્તિના અર્થી જીવોનો અનુગ્રહ થઈ શકે, એ સિવાય નહીં, અને જગતના સર્વ તત્ત્વોનો નિર્ણય સમસ્ત શ્રુતની વ્યાખ્યાના માધ્યમથી જ થઈ શકે, તેથી સમસ્ત શ્રુતનો બોધ જરૂરી છે.
જવાબ :- એવો કોઈ નિયમ નથી કે સમસ્ત શ્રુત-દરિયાને પાર પામનાર જ શ્રેયની પ્રાપ્તિ કરે, પરંતુ શાસ્ત્રોમાં, શાસનમાં એવું પણ દેખાય (સંભળાય) છે કે ધર્મતત્ત્વના એક પદમાં વર્તતો શુદ્ધ ઉપયોગ પણ સંસારથી પાર પમાડનાર છે. સકળ ધર્મતત્ત્વની તો શું વાત કરવી ? તેથી સંક્ષેપ અને વિસ્તાર બન્ને રીતથી જિનવચન કલ્યાણનું અંગ બને છે. આ વાત ૨૭-૨૮ કારિકામાં કહી છે.
. પારંગત વ રા. ૨. વિસ્તારા માં * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.-૯.