Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

View full book text
Previous | Next

Page 397
________________ ३१२ • विशुद्धभेदात् उपलब्धिभेदः • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ तैर्मत्यादिभिस्तेषामस्तिकायानां पृथक् पृथगुपलब्धिर्भवति, तद्यथा- मतिज्ञानी 'मनुष्यजीवस्य' मनुष्यपर्याय वर्तमानं चक्षुरादिनेन्द्रियेण साक्षात् परिच्छिनत्ति, तमेव च श्रुतज्ञानी आगमानुमानस्वभावेन, तमेवावधिज्ञानी अतीन्द्रियेण ज्ञानेन, तमेव मनःपर्यायज्ञानी तस्य मनुष्यपर्यायस्य यः प्रश्ने प्रवर्तते तद्गतानि मनोद्रव्याणि दृष्ट्वा अनुमानेनैव तं मनुष्यपर्यायमवच्छिनत्ति, केवलज्ञानी पुनरत्यन्तविशुद्धेन केवलेनावबुध्यते । न चैता मत्यादिका विप्रतिपत्तयः विरूद्धाः प्रतिपत्तयः, स्वसामर्थ्येन विषयपरिच्छेदात्, तद्वन्नयवादा इति किं नाश्रीयते ?। अथवा पर्यायविशुद्धिविशेषादुत्कर्षेणेत्यन्यथा वर्ण्यते, पर्यायाणां क्रमभुवां मनुष्यादीनां जीवास्तिकायादिसम्बन्धिनां मत्यादिभिर्ज्ञानः पृथक् पृथगुपलब्धिर्भवति, कथं ? प्रकर्षण, कस्मादिति चेत् ? उच्यते- विशुद्धिविशेषात् ज्ञानानां मत्यादीनां, यतो मतिज्ञानी मनुष्यादेजीवस्य काँश्चिदेव पर्यायान् परिच्छिनत्ति ततो बहुतरांश्च श्रुतज्ञानी जानीते, यतोऽभिहितं- 'संखातीतेऽवि भवे' (आवश्यनियुक्ति - હેમગિરા ન ઉત્પન્ન થયેલ જે સ્વચ્છતા અર્થાત્ વિશુદ્ધિ. તે વિશુદ્ધિના ભેદથી પ્રકર્ષતાપૂર્વક આ મતિ આદિ જ્ઞાનો વડે ધર્માદિ અસ્તિકાયની પૃથફ પૃથક ઉપલબ્ધિ થાય છે. તે આ મુજબ – મતિજ્ઞાની મનુષ્ય જીવના વર્તમાન મનુષ્ય પર્યાયને ચક્ષુ આદિ ઈન્દ્રિયો વડે સાક્ષાત્ જાણે છે અને તે જ પર્યાયને શ્રુતજ્ઞાની આગમ અને અનુમાનજ્ઞાન સ્વભાવથી જાણે છે. તેને જ અવધિજ્ઞાની અતિન્દ્રિયજ્ઞાનથી જાણે છે. આ જ પર્યાય. જ્યારે કોઈ સંજ્ઞીના મનમાં પ્રશ્ન (અથવા વિચાર) તરીકે પ્રવર્તતો હોય ત્યારે તે જીવગત મનોવર્ગણા દ્રવ્યોને જોઈ મન:પર્યાયજ્ઞાની અનુમાન વડે જ મનુષ્ય પર્યાયને જાણી લે છે. કેવળજ્ઞાની તો અત્યંત વિશુદ્ધ કેવળજ્ઞાન વડે આ પર્યાયોને સંપૂર્ણતયા જાણે છે. આમ એક જ વસ્તુને ભિન્ન ભિન્ન રીતે જોનાર આ મતિ આદિ જ્ઞાનોમાં જેમ કોઈ વિરુદ્ધ પ્રતિપત્તિ = બોધ નથી કારણ કે બધા જ્ઞાનો પોત પોતાના સામર્થ્ય વિશેષથી વસ્તુનો વિભિન્ન પરિચ્છેદ કરે છે. તેમ નયો પણ પોતાની જુદી-જુદી અપેક્ષાએ વસ્તુઅંશના ભિન્ન-ભિન્ન જ્ઞાનો કરે તેમાં કોઈ વિરોધ નથી. અથવા તો પર્યાવિશુદ્ધિવિશેષાર્ષિા એ પદોનો બીજી રીતે અર્થ કરવો તે આ રીતે -- પર્યાય એટલે ક્રમથી થનારી જીવાસ્તિકાયાદિ સંબંધી મનુષ્યાદિની અવસ્થાઓ. આ અવસ્થાઓ મતિ આદિ જ્ઞાનો વડે ભિન્ન ભિન્ન જણાય છે. પ્રશ્ન :- શાથી ભિન્ન ભિન્ન જણાય છે ? જવાબ :- પ્રકર્ષતાને લીધે. પ્રશ્ન :- આ પ્રકષર્તા કોના લીધે છે ? જવાબ :- મતિ આદિ જ્ઞાનોની વિશેષ વિશુદ્ધિ ને લીધે આ પ્રકર્ષતા ઉભવે છે. કારણ કે મતિજ્ઞાની મનુષ્યાદિ જીવના કેટલાક જ પર્યાયોને જાણે છે. એના કરતાં શ્રુતજ્ઞાની વધુ પર્યાયો જાણે આમ મતિ કરતાં શ્રત વધુ વિશુદ્ધ હોવાથી પ્રકર્ષતાવાળું છે. # શ્રુતજ્ઞાનીનું જ્ઞાનાતિશય ક્ષ કહ્યું પણ છે કે- “અસંખ્યભવ અંગેની પૃચ્છા જો કોઈ કરે તો તેનું પણ સમાધાન વિશિષ્ટ '.' તિિહ્નતા મુ.પુસ્તવે નાસ્તિ (ઉં, મr) | ? કૃત્ય મુ.(હું મ.) ૨. વિપર્યાયપર રાતા રૂ. જ્ઞાનાલીન મુ.સં.(હું મi.)T ૪. સંવાઇ વિ ભવે, સાદ ગં વ પર ૩ પુછિન્ન/ નય મારી વિયાણરૂ સ છ૩મત્ય (મ.નિ.-૧૦, વૃા.ભ.૬૨૨૭)

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462