________________
• શન્દ્રનયપ્રવર્ણનમ્ -
तत्त्वार्थाधिगमसूत्रम् १/३४
नातीतमनागतं वास्तीति, एतद्दर्शननिबन्धनं चैतदुपदिश्यते, " पिब च खाद च" इत्यादि “ एतावानेव પુરુષઃ” ત્યાદ્રિ વૃતિ ।
Tशब्दनयः– शब्द एव, सोऽर्थकृतवस्तुविशेषप्रत्याख्यानेन शब्दकृतमेवार्थविशेषं मन्यते, यद्यर्थाधीनो विशेषः स्यात् न शब्दकृतः, तेन घटवर्तमानकाले घट एव निर्विशेषः स्यात् कर्म-करण-सम्प्रदानापादान-स्वाम्यादिविशेषान् नाप्नुयात्, ततश्च घटं पश्यत्येवमादिकारककृतो व्यवहारः विच्छिद्येत, समानलिङ्गादिशब्दसमुद्भावितमेव वस्त्वभ्युपैति नेतरत्, नहि पुरुषः स्त्री, यदीष्येत वचनार्थहानिः स्यात्, भेदार्थ हि वचनम्, अतः स्वातिः तारा नक्षत्रमिति लिङ्गतः, निम्बाम्रकदम्बा वनमिति → હેમગિરા
છે. આ જ સિદ્ધાંતને આશ્રયી વર્તમાન કાળને અનુલક્ષીને (આ ભવ મીઠાં પરભવ કોણે દીઠાં) ‘‘વર્તમાનમાં જે મળ્યું છે તેમાં જ જીવો ! ખાઓ ! પીઓ !” એવો ઉપદેશ નાસ્તિકાદિ ગ્રંથોમાં અપાયો છે. અથવા તો “આ પંચભૂતમય જ પુરુષ (આત્મા) છે. ઈત્યાદિ માન્યતા પણ ઋજુસૂત્રંનય
આશ્રિત જાણવી.
२८४
શબ્દ નય :- આ નય શબ્દનીજ પ્રધાનતા રાખે છે. આ નય ઘટાદિ અર્થથી જણાતી વસ્તુ વિશેષનો સ્વીકાર નથી કરતો પણ માત્ર શબ્દથી જ કરાયેલ અર્થ વિશેષને સ્વીકારે છે. પોતાના સિદ્ધાંતને સ્પષ્ટ કરતા આ નય કહે છે કે જો ઘટાદિ વિશેષ એ (ઘટાદિ) અર્થને જ આધીન છે. પણ શબ્દ કૃત (શબ્દને આધીન) નથી એવું માનવામાં આવે તો જે,કાળમાં ઘટ વિદ્યમાન છે, તે કાળમાં ઘટને વિશે ‘ઘટ’ એવું સામાન્ય જ્ઞાન જ થઈ શકશે. પણ કર્મ, કારણ, સંપ્રદાન, અપાદાન કે સ્વામિત્વ આદિ કારક વિભક્તિઓનું વિશેષજ્ઞાન નહીં થઈ શકે અર્થાત્ ઘટમ્ (કર્મ) થટેન (કરણ) ઘટાય (સંપ્રદાન) ઘટાત્ (અપાદાન) ઘટસ્થ (સ્વામીત્વ) ઈત્યાદિ વિભક્તિ પ્રયોગો ન થઈ શકે કારણ કે એ પ્રયોગો (વિશેષો) શબ્દને આધીન છે અને જો આ પ્રયોગો ન થાય તો તે ઘટને જુએ છે, ઘટને લઈ આવ, ઘટ વડે પાણી લાવો. ઈત્યાદિ વ્યવહારનો વિચ્છેદ થઈ જશે. આ નય સમાન લિંગાદિવાળા શબ્દથી જ ઉદ્ભવતા અર્થને વસ્તુ રૂપે સ્વીકારે છે. પણ બીજાને નહીં. અર્થાત્ આ નય લિંગાદિ ભેદવાળા એક જ અર્થવાળા પણ શબ્દને તદર્થ રૂપે ન માને પણ અત્યંત ભિન્ન માને છે. * લિંગાદિના ભેદે શબ્દભેદ = શબ્દનય
આ નયની માન્યતા મુજબ જો પુંલિંગ પદાર્થ અને સ્ત્રીલિંગ પદાર્થ એક હોય તો વચન (શબ્દ)ના અર્થની હાનિ થાય. કારણ કે વચન માત્ર ભિન્ન અર્થવાળું હોય છે. (પછી એ એકવચન, દ્વિવચન, બહુવચન હોય કે સ્ત્રીલિંગ, પુલિંગ, નપુંસક લિંગ હોય) તેથી સ્વાતિ, તારા, નક્ષત્રમ્ આ ત્રણે વચન ભિન્ન અર્થક છે. કારણ કે આ બધા ભિન્ન લિંગવાળા છે. તેમજ ભિન્ન વિભક્તિવચનવાળા શબ્દો પણ ભિન્નાર્થક છે તે આ મુજબ → સ પતિ, ત્યં પર્વાસ, ગદું પામિ, વાવ
१. पिब खाद च चारुलोचने !, यदतीतं वरगात्रि ! तन्न ते न हि ते भीरु ! गतं निवर्त्तते समुदयमात्रमिदं कलेवरम् । (ર્શનસમુય-૫.૮૨) “ચર = લાવ ચ” રા.માં./ ૨. °ધ્યાતેન રાA.I રૂ. છિદ્યુત મુ. (લ.માં)) ૪. પરણ્ ટિ.રૂ૩,૩૪।