Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

Previous | Next

Page 391
________________ ३०६ • મધ્યવસાયસિં: સમfમક્ટ: • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ समभिरूढमतोद्विभावयिषया आह- तेषामेव घटानां सतां विद्यमानानां वर्तमानकालावधिकानां सम्बन्धी योऽध्यवसायासङ्क्रमः स समभिरूढः, अध्यवसायो विज्ञानं तस्य विज्ञानस्योत्पादकत्वाभिधानमप्यध्यवसायस्तस्यासक्रमः अन्यत्र वाच्येष्वप्रवृत्तिः, नहि घट इत्यस्याभिधानस्य कुटो वाच्यः, कुटो इत्यस्य वा घट इति । अध्यवसायासक्रमं च दृष्टान्तेन भावयति- वितर्कध्यानवदिति । अन्यतमैकयोगानामेकत्वं वितर्कमिति वक्ष्यति नवमेऽध्याये (सू.४१), वितर्कः श्रुतं, वितर्कप्रधानं ध्यानं वितर्कध्यानं तद्वत् ।। नन्वाद्येऽपि शुक्लभेदे वितर्कप्रधानता समस्ति ? नैवम्, तत्र सङ्क्रमाभ्युपगमात् ‘अविचारं द्वितीयम्' (अ.९, सू.४४) इति वचनात् एकत्ववितर्कपरिग्रह इति ।। - હેમગિરા - # સમભિરૂટનરના અધ્યવસાયનો પરિચય # હવે સમભિરુઢનયની માન્યતાને જણાવતાં કહે છે કે વર્તમાનકાલીન અને સત્ = વિદ્યમાન જે ઘટાદિ પદાર્થો છે, તે સંબંધી અધ્યવસાયનું જે અસંક્રમ = પદાર્થાન્તરમાં અપ્રવૃત્તિ. તે સમભિરૂઢ નય કહેવાય છે. આ નય મુજબ અધ્યવસાય (= વિજ્ઞાન)નું ઉત્પાદક જે નામ (‘ઘટ’ શબ્દ) તે પણ અધ્યવસાય કહેવાય છે, એવા આ અધ્યવસાયની બીજા કોઈ વાચ્ય અર્થોમાં પ્રવૃત્તિ ન થઈ શકે કારણ કે ઘટ’ એવા નામ થકી “કુટ' પદાર્થ વાચ્ય ન બની શકે. “ઘટ’ નામ એ ઘટ પદાર્થનો જ અધ્યવસાય કરાવવા સુધી સીમિત છે. એ જ રીતે ‘કુટ’ શબ્દ પણ કુટને જ જણાવે ઘટને ના જણાવે. (આશય એ છે કે એક શબ્દથી થતો અધ્યવસાય અન્ય શબ્દ (અર્થ)માં સંક્રમણ ન કરે) અધ્યવસાયના અસંક્રમને દષ્ટાંતથી સમજાવતા કહે છે કે સૂત્ર ૯૪૧માં દર્શાવેલ એકત્વવિતર્કવિચાર નામનો શુકલધ્યાનનો બીજો ભેદ તે જેમ મન આદિ યોગોમાંથી કોઈ એક યોગમાં જ પ્રવર્તે છે. તેમ આ સમભિરૂઢ નયમાં પણ એક શબ્દ એક પદાર્થના જ અધ્યવસાયમાં વર્તે. બીજા અધ્યવસાયમાં સંક્રમ ન પામે. સૂત્ર ૯૪૧માં શુક્લ ધ્યાનના જે ભેદ કહ્યા છે, તેમાં પ્રથમ પૃથકત્વવિતર્ક છે અને બીજો ભેદ એકત્વ વિતર્ક છે. આ બન્ને ભેદો વિતર્ક એટલે શ્રુતની પ્રધાનતાવાળા હોય છે. પ્રસ્તુતમાં બીજા ભેદને દષ્ટાંત તરીકે ગ્રહણ કરેલ છે. શંકા - શુક્લ ધ્યાનનો પ્રથમ ભેદ (પૃથકત્વ વિતર્ક) પણ વિતર્કની પ્રધાનતાવાળો જ છે. ! તો તેનું દષ્ટાંત કેમ ન લઈ શકાય ? સમાધાન - વિતર્કની પ્રધાનતા ભલે હોય પણ પ્રથમ ભેદમાં સંક્રમનો સ્વીકાર કરેલ છે, એથી એનું ગ્રહણ ન કરી શકાય પરંતુ સૂત્ર ૯૪૪માં “એકત્વવિતર્ક નામનો બીજો ભેદ ‘વિચારરહિત હોય છે” એમ કહી આ બીજા ભેદમાં અર્થ અને વ્યંજનનું તેમજ મનાદિ યોગનું એકમાંથી બીજામાં સંચરણ સ્વરૂપ સંક્રમણનો નિષેધ કર્યો છે. આથી જ અહીં એકત્વવિતર્ક નામક બીજા શુક્લધ્યાનના ભેદનું જ દષ્ટાંતરૂપે ગ્રહણ કર્યું છે. ૧. વીચ પ્રવૃત્તિ: ઉં.

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462