________________
१७६ • अनुमानादिनां प्रामाण्यम्.
तत्त्वार्थाधिगमसूत्रम् १/१२ भाष्य- *अनुमानोपमानागमार्थापत्ति-सम्भवाभावान्यपि प्रमाणानि इति केचित् मन्यन्ते। तत् થર્મિિત ? प्रत्यक्षानुमानागमाख्यानि त्रीणि, नैयायिकाः प्रत्यक्षानुमानोपमानागमाख्यानि, प्रत्यक्षानुमानशाब्दोर्पमानार्थापत्त्यभावा इति जैमिनीयाः। एतदाह- अनुमानोपमानेत्यादि । तत्रानुमानं तावत् पेक्षधर्मान्वयव्यतिरेकजनितं ज्ञानम्, प्रसिद्धसाधात् साध्यसाधनमुपमानं, यथा गौस्तथा गवयः। “प्रसिद्धेन हि साधर्म्यात्, साध्यसाधनमिष्यते । उपमानं परैस्तच्च, यथा गौर्गवयस्तथा ।।' ( ) तथा आप्तोपदेश आगमस्तदनुसारि ज्ञानमागम उच्यते प्रमाणं वर्णपदवाक्यात्मकः। तथाऽर्थापत्तिद्विधा शब्दार्थापत्तिरार्थापत्तिश्चेति ।
- હેમગિરા - ભાષ્યાર્થ - કેટલાક અનુમાન, ઉપમાન, આગમ, અર્થપત્તિ, સંભવ અને અભાવને પણ પ્રમાણો માને છે. પ્રશ્ન :- આ અનુમાનાદિ પ્રમાણ કઈ રીતે છે? આગમ એમ ત્રણ તથા નૈયાયિકોએ ઉપમાન સહિત ચાર પ્રમાણ માન્યા છે. જૈમીનીએ અર્થાપત્તિ અને અભાવ સાથે છ માન્યા છે. હવે આ પ્રમાણોની ટૂંકી વ્યાખ્યા બતાવે છે.)
અનુમાન પ્રમાણ :- પક્ષધર્મ (પક્ષમાં રહેનાર) એવા હેતુના અન્વય અને વ્યતિરેક (વ્યાપ્તિ)થી ઉત્પન્ન થતું જ્ઞાન તે અનુમાન પ્રમાણ કહેવાય. [જ્યાં હેતુ (ધૂમ) છે ત્યાં સાધ્ય (અગ્નિ) છે :- અન્વય વ્યાપ્તિ. જ્યાં સાધ્ય (અગ્નિ) નથી ત્યાં હેતુ (ધૂમ) નથી :- વ્યતિરેક વ્યક્તિ છે.
ઉપમાન પ્રમાણ :- પ્રસિદ્ધના સાધચ્ચેથી સાધ્યને સાધવું તે ઉપમાન પ્રમાણ કહેવાય. - દા.ત. ગાયના જેવું ગવય હોય છે. જે વસ્તુને જાણવાની જિજ્ઞાસા છે. તે વસ્તુની સરખામણીમાં આવતી પ્રસિદ્ધ વસ્તુને સાધર્મ કહેવાય. આ પ્રસિદ્ધ સાધમ્મ (વસ્તુ)ના સહારે જે અપ્રસિદ્ધ નહીં જાણેલી) વસ્તુને જાણવી તે ઉપમાન પ્રમાણ છે. દા.ત.- જે પુરુષે “ગવય” પશુને જોયું નથી તેને જોવાની તમન્ના થઈ તેથી કોઈ ગ્રામવાસીને પૂછ્યું કે ગવય કેવું હોય છે ? પ્રત્યુત્તર મળ્યો કે “ગવય ગાય જેવું દેખાતું હોય છે. આ સાધર્મ જ્ઞાન સાથે તે જંગલમાં ગયો ત્યારે તેવા પ્રકારનું (ગાય નહીં પણ) ગાય જેવું પશુ (રોઝ = ગવય) જોતાં તેણે નક્કી કર્યું કે “આ ગવાય છે.'] કહ્યું પણ છે કે “પ્રસિદ્ધ સાધર્મ વડે જ્યાં સાધ્યને સાધવુ ઈષ્ટ હોય તેને પરમતકારો ઉપમાન પ્રમાણ કહે છે. દા.ત. જેવી ગાય છે તેવું ગવય હોય.
આગમ પ્રમાણ :- આH (સર્વજ્ઞ) પુરુષોનો ઉપદેશ તે આગમ અને તે આગમાનુસારી જ્ઞાન આગમ પ્રમાણ કહેવાય. આ આગમ વર્ણ(સ્વર-વ્યંજન), પદ, વાક્ય આત્મક છે.
# અથપત્તિના બે પ્રકાર # અર્થપત્તિ પ્રમાણ :- (૧) શબ્દ અર્થપત્તિ અને (૨) અર્થ અર્થપત્તિ. (૧) શબ્દ અર્થપત્તિ :જેના ઈન્દ્રિયો કે શરીર ખોટ વિનાના છે, દુર્બળ નથી તેવો દેવદત્ત દિવસે નથી ખાતો (અર્થપત્તિથી એ જણાયું કે તે રાત્રે ખાય છે.) ૨. ઉપમાથf ઉંમ. ૨. તત્યક્ષ* TA. *, જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૨૭