________________
२८
• सम्यग्दर्शनादिनि त्रीण्येव मोक्षमार्गः •
तत्त्वार्थाधिगमसूत्रम् १/१
सम्यगिति ज्ञान-चरणयोरुपाधित्वेनोपादायि सूरिणा । अथवा दर्शन - ज्ञान-चारित्राणां त्रयाणामपि व्यभिचार उपलभ्यते, यतो मिथ्यादर्शनपुद्गलोदये जीवस्य मिथ्यादर्शनं मिथ्याज्ञानं मिथ्याचारित्रमिति मुक्तेरसाधकत्वात् मिथ्याशब्देन विशेष्यन्ते, तान्येव सम्यग्दृष्टेर्मुक्तिसाधनत्वाद् यथार्थग्राहित्वाच्च सम्यक्शब्देन विशेष्यन्ते, दर्शनं च ज्ञानं च चारित्रं च दर्शन- ज्ञान - चारित्राणि सम्यक् च तानि दर्शनादीनि चेति सम्यग्दर्शन-ज्ञान-चारित्राणीति, अतो व्यभिचाराद् युक्तं यत् सम्यक्शब्देन सर्वाणि दर्शनादीनि विशेषयति।
चारित्रमिति, योऽयमितिशब्दः स इयत्तां दर्शयति, एतावन्त्येव मुक्तेर्मार्गी नातोऽस्ति । एष इत्यनेन तु इतिना इयत्ताऽवधृतस्वभावमन्तर्विपरिवर्तमानं स्वप्रत्यक्षं परस्मै वा सामान्येन प्रतिपादितं परप्रत्यक्षं निर्दिशति। तिस्रो विधाः प्रकारा अनन्तरप्रदर्शिता यस्य स त्रिविधः कोऽसौ ?, હેમગિરા
કારણે સ્ફટિકમાં “લાલ સ્ફટિક” એમ વ્યવહાર થાય છે. ત્યાં જેમ ‘લાલ' વિશેષણ ઉપાધિરૂપ છે. તેમ અહીં પણ સમ્યગ્દર્શનના સહચર્યના કારણે સામાન્યજ્ઞાન-ચારિત્રને “સમ્યગ્” કહેવાય છે, માટે ‘સમ્યગ્’ વિશેષણ અહિં ઉપાધિ રૂપે જાણવું.)
* દર્શનાદિમાં સમ્યગ્-મિથ્યાની ઓળખ
અથવા દર્શન-જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેનું વિપરીતપણું (વ્યભિચાર) પણ દેખાય છે. જેમ કે મિથ્યાત્વ મોહનીયના (મિથ્યાદર્શન-પુદ્ગલોના) ઉદયમાં જીવને થતું દર્શન તે મિથ્યાદર્શન કહેવાય તેમજ તે અવસરે થતાં જ્ઞાન અને ચારિત્ર પણ મિથ્યા જ હોય છે આ ત્રણે મુક્તિના અસાધક હોવાથી ‘મિથ્યા' શબ્દથી વિશેષિત કરાય છે અને આ જ ત્રણ સમ્યગ્દષ્ટિ જીવને મુક્તિના સાધક અને યથાર્થગ્રાહી હોવાથી ‘સમ્યગ્’ શબ્દથી વિશેષિત કરાય છે. આ પ્રમાણે જ્ઞાનાદિમાં વ્યભિચાર સંભવતો હોવાથી ‘સમ્યગ્’ શબ્દનો અન્વય દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે સાથે જરૂરી છે. ભાષ્યમાં ચારિત્રમિતિ માં જે ‘તિ' અવ્યય છે તે ઈયત્તાનો દર્શક છે. અર્થાત્ આટલા (આ ત્રણ) જ મુક્તિના માર્ગ છે આના સિવાય બીજો કોઈ મુક્તિનો માર્ગ નથી.
‘કૃતિ’ પદ વડે જે ઈયત્તા (સંખ્યા) નક્કી કરાઈ કે આ ત્રણ જ મોક્ષમાર્ગ છે બીજા નહીં, એવી ઈયત્તાથી નિર્ધારિત સ્વભાવવાળા ‘સ્વપ્રત્યક્ષ કે પરપ્રત્યક્ષ’નો નિર્દેશ આ ‘’ પદ વડે કરાયો છે. (૧) સ્વપ્રત્યક્ષ :- જ્ઞાતાને આપ મેળે જ અંતરમાં જે આ ઈયત્તાનું પ્રત્યક્ષ થાય તે સ્વપ્રત્યક્ષ. (૨) પરપ્રત્યક્ષ :- બીજા કોઈને સામાન્યથી આ ઈયત્તા જણાવાય તે પરપ્રત્યક્ષ. ‘[' પદ બન્ને પ્રકારના પ્રત્યક્ષનો સૂચક છે.
હમણાં જ દર્શાવ્યા છે ત્રણ પ્રકાર જેના તે.. ત્રિવિધ. આ ત્રિવિધ શું છે ? તે જણાવતાં કહે છે કે સૂત્રનિર્દિષ્ટ મોક્ષમાર્ગ તે ત્રિવિધ છે.
. વ્યાવર્ત્તત્વે સતિ વાર્યાનયિ ૩પાધિઃ। ૨. દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણે વચ્ચે દ્વન્દ્વ સમાસ કરવો અને પછી સમ્યક્ પદનો એ ત્રણે સાથે કર્મધારય સમાસ કરવો.