Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
કર)
(ફેબ્રુવારી.
જનાવરોની મફત સારવાર કરે, ત્યારે તેના બદલામાં અમદાવાદ પાંજરાપે ળ આ કુલને થી વાષિક અમુક મદદ આપવાનું પણ ખુશીથી કબૂલ કરે. વળી અમદાવાદ ખાધા ખર્ચ માં પણ ઘણું થોડું આવશે.) જે આવી કુલ મુંબઈમાં ખોલવામાં આવે તો ખર્ચનું જે ર્થ બજેટ થયેલું છે, તેનાથી દેટું ખર્ચ લાગશે. '
શિક્ષણની ભાષા અને કેર્સ * આ સ્કુલમાં ગુજરાતી અગર હિંદી ભાષામાં વેટરીનરી સાયન્સનું શિક્ષણ આપવું, અને તેને કેસ એક વરસનો રાખવો. તે મુદત દર્મીઆન પાંજરાપોળના માંદા જનાવરને ઘણીજ સારી રીતે સારવાર કરી શકે તેટલું જ્ઞાન શીખનારાઓને આપવું.
ભણવા આવનારની લાયકાત.. . દેશની તમામ પાંજરાપોળોના વહીવટ કર્તાઓને વિનંતિ કરવી છે. દરેક પાંજરપિળ તરપ થી અગર જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાંથી ભરવાડ, રબારી, કોળી, હજામ, અથવા એવી જાતના બીજા કેઈ કે જેઓને જનાવરના વેદાં તરફ સ્વાભાવિક લાગણી હોય અને પાંજરાપોળમાંજ તે સંબંધી કામ કરતા હોય તેવા માણસને આ સ્કુલમાં શીખવા મોકલી આપવા ગોઠવણ કરવી. જે વાણી આ બ્રાહ્મણ અગર એવાજ કેઈ બીજી ઉંચી જાતના માણસો શીખવા આવે તો તેવાઓને ઘણી ખુશીથી દાખલ કરવા, અને ઉત્તેજનાને ખાતર આવા માણસોને કાંઈ સ્કોલરશીપ આપવા ગે વણુ કરવી. | શીખવા આવનાર માણસ જે પાંજરાપોળ તરપૂછી આવે તે પણ જરાપોળ તેનો
માસિક પગાર આપે. પરંતુ પગાર ઉપરાંત તેઓને ખાધા ખર્ચનો છે દેબસ્ત કેરન્સ તરફથી કરવાની હું જરૂર જોઉં છું.
પાંજરાપોળ સિવાયના ખાનગી શીખવા આવનાર માણસોને પાર મફત ટયુશન આપવાની હું ભલામણ કરું છું. પરંતુ આવા માણસોને માટે ખાવા ધવાની ગોઠવણ કરન્સ કરવાની જરૂર નથી.
ખ. ખર્ચની બાબતમાં પહેલાંથી જ અમુક બજેટ કરવું એ મારે, મત છે, અને બજેટમાં મંજૂર થએલી રકમમાંથી જેટલા ભણનારાઓનું ખર્ચ ચાલી શકે તેટલાએને જ તેમાં દાખલ કરવાની ગોઠવણ કરવી. પિતાને ખર્ચે ખાનગી શીખવા આવનારાઓની સંખ્યા કાંઈ મુકરર કરવાની જરૂર નથી.
જે પાંજરાપોળ તરપ થી આવનારા બાર માણસોને દાખલ કરવા નું નકી કરવામાં આવે, અને સ્કુલ અમદાવાદમાંજ કાઢવામાં આવે તે માસિક ખર્વ નીચે મુજબ લાગવા સંભવ છે. - રૂ. ૪૮-૦-૦ શીખવા આવનારાઓને માટે જમવાનું ખર્ચ દરેક રૂ. ૪) પ્રમાણે.
પર-૦-૦ દવાદારૂ તથા સ્ટેશનરી વીગેરેનું ખર્ચા. ૧૨૫-૦-૦ સ્ટાફના પગારનું ખર્ચ. ર૫-૦-૦ બીજા અકસ્માત ખર્ચ માટે જમા રાખવા.
૨૫૦-૦૦