Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
ધર્મ નીતિની કેળવણી.
“શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા કેલિ કરે શુદ્ધતા થિર વહે, અમૃતધાર વરસે
ધાર્મિક શિક્ષણનો ક્રમ.
(અનુસંધાન ગતાંકથી)
ધર્મ ગ્રહણ કરવાની યોગ્યતા. ” એ પ્રમાણે ધર્મના શ્રવણથી ગયાં છે પાપ જેનાં, જોયું છે તા જેણે, મહાસ વત એવો અને ઉત્કૃષ્ટ સંવેગને પામેલ પુરૂષ ધર્મ ઉપાદેય છે એમ સમજીને ભાવથી તેમ ઈચ્છા કરીને અને પોતાની શક્તિને બરાબર વિચાર કરીને, ધર્મ ગ્રહણ કરવામાં પ્રવૃતિ કરે છે
પ્રન–શું આવા લક્ષણ યુક્ત પુરૂષની જ ધર્મમાં પ્રવૃતિ થાય અને બીજાની ન થાય ?
“ ઉત્તર–સકલ જગતમાં કલ્યાણ સ્થાપન કરવું એજ છે ધન જેનું, એવા અરિહંત પર મામાએ. ફલના સાધન ભાવે કરીને, ઉકત વિશેષણે યુકત પુરૂષને, ધર્મ ગ્રહણ કરવા યોગ્ય કર્યો છે, કારણ કે પૂર્વે કહેલો એગ્ય પુરૂષજ સાચો ધર્મ ગ્રહણ કરી શકે છે. એ સિવાય બીજો પુ , તષ્ટિથી જોતાં, યથાર્થ ધર્મ પ્રાતિને યોગ્ય નથી.
પ્રશ્ન-અપગ્ય પુરૂષ ગ્રહણ કરે તો શી હરકત આવે ? ઘણું લેકે, નામથી ચારિત્ર અંગીકાર કરનારા, સામાયિક પોસહ પ્રતિક્રમણ વિગેરે કરનારા જોવામાં આવે છે, અને ગ્રહથે પણ જુઠા લેખ જુઠી સાહેદી વિગેરે અન્યાયના કામ કરે છે અને ધર્મકરણ પણ કરે છે તે તેમને શું બાધક પડે છે ? એમ કરતાં કરતાં મોગ્ય થશે એમાં શું વાંધો છે?
ઉત્તર–આમ કહેવું તદન ભૂલ ભરેલું છે. સાથે સારી પાઘડી બાંધવી અને પહેરવા સારી લંગોટી પણ ન મળે એ કેવી હાંસીની વાત છે ! પહેલાં તે પોતીકું સારું જોઈએ, પછી અનુક્રમે ચડતાં ચડતાં સારાં લુગડાં પહેરવા જોઈએ. તેમ અહીં પણ પ્રથમથી દુર્ગણ દૂર કરવા અને ન્યાયમાં પ્રવૃતિ કરવી. પછી દેશ વિરતિ ધર્મ અને પછી સર્વવિરતિ ધર્મ એમ અનુક્રમે પોતાની શક્તિ અનુસાર ગ્રહણ કરવા. પણ પ્રથમથી ચારિત્રીયાનું અથવા તે શુધ્ધ શ્રાવકનું નામ ધરાવે અને માર્ગાનુસારીને એક પણ ગુણ જોવામાં આવે નહિ તે તે ધર્મ શી રીતે શોભે! અને શી રીતે હિતકારી થાય પિતાના દેવ ઢાંકવા માટે અને મુગ્ધ લોકોને ઠગવા માટે