Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જેન કોન્ફરન્સ હે,
* (ઓગષ્ટ
યા વગર તિરસ્કારી શકીએ નહિ; માટે જૈન ધર્મનું પૂર્ણ રહસ્ય પ્રથમ સમજવાને ટે અમારી પૂર્ણ આગ્રહ સાથે વિનંતિ છે.
આની સાથે એક બીજી વાત કહેવી પડે છે. હાલના ગ્રેજ્યુએટોમાંના કેટલાક તાનું વિચાર સ્વાતંત્ર્ય વેચી કે જાણે શેનાથી ભયભીત થઈ રહે છે તે સમજમાં પાવતું નથી. આનું એક ઉદાહરણ લઈએ. એવું સાંભળવામાં આવ્યું છે કે એક
જ્યુએટે કઈ જેને અંગ્રેજી પુસ્તકનું અવલોકન કરી છપાવ્યું. તે અવલેકનના મર્થનમાં તેણે અન્યદર્શનીમાંથી જેવાકે વિદુષી એનબીસંટને ઈત્યાદિ કઈ કરા ગ્રેજી ટાંક્યા હતા. આ પ્રકરા અન્યદર્શનીમાંથી લેવા માટે કેઈએ (પછી તે મુનિ છે કે શ્રાવક હવે તેને માટે ઠપકે આપતાં આ યુએટે દીન વચનમાં મારી ભૂલ છે એમ ખાનગી પત્રથી જાહેર કરી માફી માગી. આમ જે હોય તે કહેવાનું કે હરે વાહ! આ ભાઈનું વિચાર સ્વાતંત્ર્ય ! છતાં તે ભાઈને પડદામાં તેમ કરવાનું ક લાગ્યું હોય તે ભલે. આ અનુસંધાનમાં સાત એ અંક નીચે કવિતાના રૂપમાં લાને વિનંતિ કરી છે તે જોઈ લેવી.
સુશિક્ષિત વર્ગ પર દેશનો-જ્ઞાતિ-ધર્મને આધાર છે. તેમના પ્રકાશથી
અજ્ઞાનને અંધકાર દૂર થઈ શકે તેમ છે. જ્ઞાતિનું હિત સાધી સુશિક્ષિતો શકાય તેમ છે. ધર્મની પ્રગતિ કરી શકાય તેમ છે અને દેશને બાધારભૂત છે. ઉન્નતિના શિખર પર લઈ જઈ શકાય તેમ છે. જનસમુદાયપરિશ્રમ કરે
છે તે સર્વને માટે, પરંતુ તે પરિશ્રમ પણ સફલ અને વિશેષ પરિણામી નિના પ્રભાવથી થઈ શકે તેમ છે. ધનવાને લક્ષમીને સંચય કરે છે, તે લહમી ન્માર્ગે વપરાવાને પણ સુશિક્ષિત વર્ગની અપેક્ષા છે. મુનિ મહારાજે ઉપદેશ કરે છે ને પ્રતિબોધ પમાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ દેશકાલ સ્થિતિ, અને વર્તમાન માનામાં ઉત્તમ રીતે પ્રગતિ કરવામાં કંઈ માર્ગ સૂઝાડનાર આ વર્ગ છે. આ પરથી વર્ગ પર કેટલી બધી જીમેદારી રહેલી છે તેનો ખ્યાલ તુરત આવી શકે તેમ છે. સાહિત્ય જનસમાજ પર કેટલીબધી અથાગ અને અપરિમિત રીતે અસર કરે છેન, પિધે છે-કેળવે છે–ખીલાવે છે તેનું અત્ર વિવેચન કરવાની જરૂર નથી; તો વે સુશિક્ષિત વર્ગ ધર્મ સાહિત્ય માટે પરમાર્થે પોતાના ધર્મ અને સ્વધર્મી ઓની નતિ એથે ઘણું બધું યથાશક્તિ કરવું જોઈએ.
જે કંઈ કરવું જોઈએ તે અહીં સૂચનામાત્ર તરીકે દાખવીશું; બાકી ખરી રીતે ' ' તે જેટલું હસ્તલિખિત અને અપ્રગટ જેન સાહિત્ય છે તે ભંડારોતેમનું સાહિત્ય માંથી અને મુનિ મહારાજને સમજાવી પટાવી તેમની પાસેથી પ્રાપ્ત પ્રત્યે કર્તવ્ય. કરી ધનવાન જેની સહાયથી પ્રગટ કરવાનું છે. જ્યાં સુધી તેમ
નહિ થાય ત્યાંસુધી ધર્મ ઉપર સ્વતંત્ર ગ્રંથે નીકળવા અતિ મુશ્કેલ '; તદપિ જે કંઈ હાલ વિદ્યમાન પ્રકટપણે છે તે પરથી નીચે પ્રમાણે થાય તે શું સારૂ–