Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦)
હાલના જૈન ગ્રેજ્યુએટ અને વર્તમાન જૈનસાહિત્ય
આવી રીતે જૈન સાહિત્ય સરિતા થોડા સમય પહેલાં ગિરિમાંથી ઝરણું રૂપ
નીકળી સતત પ્રવાહમાં ધીમા ધીમા વેગથી પણ મકકમપણે આગ જૈન સાહિત્ય- વધતી જાય છે, જેન મુનિ મહારાજે હવે ગ્રંથનું પ્રકાશન મૂલ સ્વરૂપમાં સરિતા. કરતા જાય છે એટલું જ નહિ, પરંતુ હવે બહુજ આછી વર્તમાન
શેલિપર પુસ્તક લખતા જાય છે, તેથી આ સરિતાનું વિશેષ પોષણ થતું જાય છે, પરંતુ સખેદ જણાવવું પડે છે કે આજકાલ મુનિ મહારાજે તરફથી સ્વાતંત્ર્યથી અને વિના વાસિત વિચારે લખનારા શ્રાવક લેખકેને દબાવવાનું કાય. આજકાલ શરૂ થતું જાય છે. આવું બંડ ભવિષ્યમાં નહિ થશે, અને જૈન સાહિત્ય સરિતા આગળ વધી પ્રબળ સ્રોતમાં વહેશે એમ અંતઃકરણપૂર્વક ઈચ્છીએ છીએ છતાં પણ કહી જવાય છે કે આવા બંડખોર પ્રતિબંધ થશે તો પણ સરિતા એ વખત આગળ વધી છે તે જરૂર પ્રચંડ વેગ ધરવાની, અને જોકે લાંબે કાળે તોપણ વિશાલ અને અનંત સમુદ્રમાં ભળવાની.
હવે સુશિક્ષિત વર્ગને મોટો ભાગ શું કરે છે, અને હેમના તરફથી શેની સુશિક્ષિતોની જરૂર છે એ તપાસી ગ્રેજ્યુએટની હમણાંની એકાદ કૃતિ અવલોક મુખ્ય ભાગ. વિરમીએ.
કે સ્વનું પાર્થિવ કલ્યાણ સાધે છે, પિગલિક સુખમાં પોતાના કુટુંબના અને પિતાના ઉદરપોષણાર્થ દિનરાત પરિશ્રમ લેવામાં રમી રહેલા છે અને સમાજ હિત-ધર્મની ઉન્નતિ-ધમ સાહિત્યમાં પ્રેમ એ સર્વ ઈષ્ટકારક બાબતોને હમેશ વિસારી દીધી લાગે છે. કોઈ સાહિત્યમાં રસ લેવાને માટે ભવિષ્યને વાનપ્રસ્થાશ્રય કામે લગાડવાનો મનસૂબો કરે છે, કોઈ હમણાં ધર્મસાહિત્યના વાંચનમાંજ પ્રવૃત્તિ કરવી એ મનસૂબો કરે છે–પણ તે મનસૂબે કદ્રુપના જ રહે છે, અને કાંઈ કરી શકાતું નથી. કેઈ મુલક લેખો બીજા પરદેશીય વિદ્વાનોના લાંબા અને વધારે સંખ્યામાં ઉતારાઓથી ભરી લખે છે, તે કઈ ગમે તેમ કોઈ વિષય પર લખી નાંખી પેપરમાં મોકલાવી આપે છે. ધર્મ સાહિત્યનું જ્ઞાન બહુજ ઓછું હોય છે. વધા ખેદ પામવાનું એ છે કે કેટલાક અમે જૈન છીએ એમ કહી એ ન્હાને સારિ સુખ શોધે છે, જ્યારે તેનાં અંતરંગ પરિણામ જોતાં તેઓ જૈન છે કે નહિ તે તે એક બાતું રહ્યું. પરંતુ તેઓ હિંદુ છે કે નહિ તે પણ શક પડતું હોય છે. આય ભાવના તેઓના હૃદયમાંથી વિલુપ્ત થઈ છે, અને અંગ્રેજી ભણીને અંગ્રેજ ધર્મન પરદેશીય ભાવનાઓ અને વિચારેને હૃદયમાં માનથી સ્થાન આપ્યું છે, પરંતુ હર્ષને બીના એ છે કે આવા ધર્મધૂત બહુજ થોડા છે. કેટલાક જડવાદી બન્યા છે, કેટલા જૈન ધર્મનું રહસ્ય સમજ્યા વગર ધર્મને તિરસ્કાર કરે છે. અલબત Hones conviction is better than blind faith એટલે અંધ શ્રદ્ધા કરતાં પ્રમાણિક પ્રતીતિ વધારે સારી છે; પણ તે પ્રતીતિ પ્રમાણિક હોવી જોઈએ. કોઈ ધર્મને તેનું રહસ્ય