Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૭• ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[અકટોબર
- છલે મહીકાંઠા તાબે પેથાપુર મધ્યે આવેલા શ્રી સુવિધિનાથ મહારાજના તથા પાંજરાપેલ તથા મહાજન ખાતાના વહીવટને લગતો રીપોર્ટ–
સદરહુ સંસ્થાના વહીવટકર્તાઓએ પત્રધારાએ અમોને મજકુર સંસ્થામાં ગેરવ્યવસ્થા થતી જણાવી તાકીદે આવી તપાસ કરી તેને યોગ્ય બંદોબસ્ત કરવા લખી જણાવેલું તેથી અમોએ આ ખાતાના ઈન્સ્પેકટરને તે તરફ મોકલી સદરહુ સંસ્થાઓના વહીવટકર્તા શેઠ હાથીચંદ ઝવેરચંદ તથા શેઠ ફતેચંદ રવચંદ તથા શેઠ લલુભાઈ ખેમચંદ તથા મરહુમ શેઠ જોઈતારામ રાયચંદની વતી તેમના દીકરા શેઠ ચંદુલાલના હસ્તકને સંવત ૧૯૫૫ના કારતક સુદ ૧ થી તે સંવત ૧૮૬૫ના ચેતર વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં નંબર ચેાથાના વહીવટકર્તાને સ્વર્ગવાસ થવાથી તેમની જગ્યાએ તેમના દીકરા કામ ચલાવે છે. સર્વે વહીવટકર્તાઓ કરતાં નંબર પહેલાના વહીવટકર્તા સદરહુ વહીવટ ઉપર દેખરેખ વધારે રાખે છે તો પણ તેઓ બેદરકારીથી સદરહુ સંસ્થાઓની પેઢીને મુનીમના ભરૂસ ઉપર રહી પૂરતી દેખરેખ નહીં રાખવાથી પેઢીને એક મોટી રકમનું નુકશાન થતું હોય તેવું અમારી તપાસણી વખતે લાગવાથી સંઘના આગેવાને તથા સદરહુ વહીવટકર્તા ગ્રહસ્થોનું તે ઉપર ધ્યાન ખેંચી મુનીમને હરૂભરૂ કબુલાત કરાવી તેને બંબસ્ત કરવા જણાવ્યું તેટલામાં મુનીમ ફસી જવાના ભયથી અણુચિંતવ્યો નાશી ગયો. તેથી સંધના આગેવાનોએ નાણું વસુલ લેવા પૂરતી મહેનત લેવાથી મુનમે પિતાના લાગતા વળગતાને મોકલી ઘરમેલે રૂ. ૨૫૦૦) અંકે બાવીસે આપણે ફેંસલો મુકાવ્ય છે.
સદરહુ ગામ મથેના જૈનીઓમાં વીશા પોરવાડનો જથો મોટો હોવાથી તેમાંના આગેવાન ગ્રહસ્થો સદરહુ વહીવટ ચલાવે છે પણ તેમની નાતમાં કુસંપ હોવાથી સદરહુ વહીવટમાં પણ મતભેદ ચાલતું હોવાના લીધે સંધમાં બે તડા પડી ગએલાં છે તેથી મજકુર પેઢીના મુનીમને ફેંસલો મૂકતી વખતે બેઉ પક્ષના આગેવાનોને સામેલ રાખી ફેંસલે મૂકાવ્યા છતાં કુસંપ મટયો નહીં તેથી દરેક સંસ્થાઓને નીચે જણાવ્યા મુજબ મોટું નુકશાન થાય છે. ૧ ધામિક સંસ્થાઓના કેટલાએક લાગાઓનાં નાણું વસુલ આપતા નથી. ૨ દેરીઓ મધ્યે પ્રતિષ્ઠા છવ કરી પ્રતિમાજીઓ બેસાડવાનો ચડાવો કરી રજા
આપ્યા છતાં તે કામ હજુ પાર પડયું નથી. શેઠ બેચરદાસ દીપચંદ તરફથી રૂા. ૩૦૦૦) અંકે ત્રણ હજાર રોકડા આપી તેના વ્યાજમાંથી શ્રાવણ વદ ૧૧ના દિવસે ત્યાંને સંધ જમાડવાની શરતે કરેલી છે, તેમ છતાં બે ત્રણ વરસ થયાં કુસંપના લીધે તેને સંધ જમતો નથી તેથી મરહમ શેઠ બેચરદાસ દીપચંદની વારસદાર બાઈએ તે નાણાં પાછાં માગી બીજા કોઈ
તેવાજ ઉપયોગી ખાતામાં આપવા મરજી જણાવ્યા છતાં સંધવાલા તેને દાદ દેતા નથી. ૪ એકાદ બે ગ્રહસ્થોએ એક સારી જેવી રકમ સંધને અર્પણ કરી તેના વ્યાજમાંથી
દર વરસે સંવત્સરીના પારણું કરાવવા ઠરાવેલું અને તે રૂપિયામાંથી એક મોટી રકમ વિસા પરવાડના મહાજનને ત્યાં બાકીના થેડા થોડા રૂપૈયા ગામ મધ્યેના બીજા