Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જેન કાન્સ હેરલ્ડ.
બીજાના સુખ દુઃખના ભાગીદાર થયાં; પતિ પત્નીરૂપે દાંપત્ય યુગલ જોડાયું, નગરના અનેક લેાકે એવી વાતા કરવા લાગ્યાં કે, કયાં કાદવ અને કયાં કસ્તુરી, એવી રીતે આ બન્ને દંપતીનેા સબધ થયા છે; કારણકે, સિદ્ધ એક ઉચ્છ્વ ખલ, ઉન્મત્ત અને ઉદ્ધૃત તેમજ અજ્ઞાની યુવક છે. ત્યારે સુએધા સુશીલ, સદ્દગુણી અને સુશિક્ષિત સુશ્રાવક બાળા છે. એમના સસાર સુખી કેમ નિવડશે! એ સબંધ અનુચિત છે. પરંતુ ક રાજની સબળ સત્તા સામે કાઇનું કાંઈ પણ ચાલતું નથી. એમ કહી. ભવબ્યના-ભાવીભાવ હોય તે પ્રમાણે બને છે, એમ સમજી શાંતતાને ભજતાં હતાં.
૧૨૪)
( મે.
આ સંસાર સાગરમાં નજર નાંખતા એમ ભાસે છે, કે, કર્મની ગતિ વિચિત્ર છે. કારણ કે ઉચિત અને અનુચિત, કામળ અને કનિ, ચિત્ર અને વિચિત્ર એવા પરસ્પર વિપરીત ધર્મના ચેાગ કથીજ થાય છે. કર્મરાજની એટલી સબળ સત્તા ચાલે છે; કે, તે ઘડીના તે શું ખલ્કે પલકના છઠ્ઠા ભાગમાં રાજાને રંક, અને રંકને રાજા બનાવી દે છે. ક એક મહાન વસ્તુ છે. તે એક છતાં વિવિધ પ્રકૃતિને લઇને અનેક રૂપે થયા કરે છે. તેની પ્રકૃતિ જાળમાં સર્વ સૃષ્ટિ ઐતપ્રાત થઈ રહે છે. અતક ભાવો, અવનીના અદ્દભુત ચમત્કારા અને અઘટીત ઘટનાઓ-બનાવા એ કર્મ રાજની બળવાન્ સત્તાને લઇનેજ થયાં કરે છે.
જેમ જેમ શુભકરને પુત્ર સિદ્ધ યુવાવસ્થાને પ્રાપ્ત થતા ગયા, તેમ તેમ તેની અંદર દુર્ગુણા અને દુસના પ્રગટપણે દેખાવા લાગ્યાં “ ઉન્નતિના શિખરનો નાશ કરવામાં વજ્રસમાન, નીતિરૂપી કલ્પવેલીને છેદન કરવામાં-ઉન્મૂલન કરવામાં શસ્ત્ર સમાન, સદ્બોધ રૂપી સરાવરને સુકવવામાં ગ્રીષ્મે રૂતુ સમાન, ધર્મરૂપી ચદ્રમાનેા ગ્રાસ કરત્રામાં રાહુના મુખ સમાન, અનીતિને ખેલાવનાર, વ્યભિચારને આમત્રણ કરનાર, ચારીને માન આપનાર, આબરૂના સુરમ્ય-સુંદર વૃક્ષને છેદન કરવામાં તેમજ નિર્મૂળ કરવામાં કુઠાર સમાન, તેવીજ રીતે છળ, કપટ, કામ, ક્રોધ, દંભ, મદ, અને અહંકાર એ દુર્ગુણ્ણાનુ પઠન પાડન ( શીખવવામાં ) કરાવવામાં પરમ પાઠશાલા સમાન, ” એવુ નીચમાં નીચ જુગાર રમવાના દુર્વ્યસનમાં તે વિશેષપણે આસક્ત થયે. જુગારીની દુ:ખદાયક જાળમાં તે પેાતાના આત્માને મલીન કરવા લાગ્યા. નિરંતર રાત્રિ દિવસ જુગાર રમી પોતાના આત્માને આન ંદિત અવસ્થામાં માનતે, એથી કરીને અનેક સ્વાથી ફાલીખાનારાં જુગારી લેાકેા તેના મિત્ર થયાં હતાં. આવા દુર્ગુણી આચરણા અગિકાર કરવાને લીધે સિધ્ધની યુવાવસ્થા કલકિત થઇ ગઇ. જુગારની ભ્રમણામાં અર્હર્નિશ રાત્રિ દિવસ ભટકવા લાગ્યા, ભમવા લાગ્યા, અને ફક્ત ભાજન કરવાને માટે ઘેર આવતા, કાઈ કેઇ વખતે શયન કરવાને માટે તે અધી રાત વિત્યાબાદ અથવા કેઈ કોઈ કાળેતા સહવારના સમયમાં શયન કરવાને આવતા હતા, એથી કરીને તેની સુખાધા ઘણીજ મુઝાતી હતી. કારણ કે, તે જાણતી હતી કે “ પતિના સુવા પછી સ્કુ અને પતિના ઉડયા પહેલાં ઉડવું ' એ પતિવ્રતાની ધર્મ રીતિ પ્રમાણે તે સુજ્ઞ ખાળા ચાલતી હતી, અને શયનભુવનાં પેાતાના પતિની વાટ જોતાં થાકી ને તે કંટાળી જતી, અને મનમાં મુંઝાતી.