Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૧૦)
પંજળના પશુઓમાં જણાતો સાધારણ રેગ.
(૧૨છે.
પાંજરાપોળના પશુઓમાં જણાતો સાધારણ રેગ.
Cancer of the Horn-S'ALCI. લેખક-ડો. મોતીચંદ કરછ ઝવેરી. ઇ. બી. વી. સી. જામનગર
આ એક જાતનો ચેપી રોગ છે જેને ગુજરાતમાં “કડી” અથવા “કરમેડી” અને કાઠીઆવાડમાં “
કઈ” કહે છે તે રોગ ભેંસ અગર પાડાઓમાં જોવામાં આવતો નથી. ગામાં જવલેજ પણ બલધોમાં વધારે જોવામાં આવે છે. આ રોગ જનાવરને એકજ શીંગડાપર અને તે પણ ઘણું કરીને ડાબી બાજુના શીંગડા પર થાય છે. જમણી બાજુના શીંબડા પર તેમજ બંને બાજુ પર આ રોગ કવચિત જ જોવામાં આવે છે. આ રોગ ઘણુ કરીને ઘરડાં જનાવરોમાં વધારે જોવામાં આવે છે અને જે શરૂઆતમાં જ તેની રીતસર દવા કરવામાં આવે તો રોગ નાબુદ થવાનો પૂરતો સંભવ છે કારણ-લેહીન બગાડથી અગર જનાવરના શીંગડા પથર અગર એવીજ કોઈ બીજી વસ્તુ સાથે પછ ડાવાથી આ રોગ લાગુ પડે છે. આ રોગવાળાં જનાવરો સાજાં જનાવરોના સહવાસમાં આવવાથી તેને પણ આ રોગ થવાનો સંભવ છે, તેમજ આ રોગથી પીડાતી ગાય જે બચ્ચાને જન્મ આપે તો તે બચ્ચાને પણ આ રોગ થાય છે.
ખેડુત લોકોનું માનવું એવું છે કે જનાવરોના શીંગડામાં એક જાતનો જંતુ કાંઈ ન જાણી શકાય તેવા કારણથી પેદા થાય છે, જે શીંગડાનો અંદરનો ગર્ભ ખાઈ જાય છે અને ધીમે ધીમે મગજમાં ઉતરી જનાવરને બેભાન કરી મારી નાંખે છે. - ચિનહો–પહેલ વહેલાં શીંગડાના મૂળમાં (માથા અને શીગડાના સાંધાની ઉપર) નીચેની બાજુએ એક ઝીણો મસ થાય છે જે આસતે આસતે સુજને માટે થાય છે અને તેની અંદર ગુમડાં થાય છે; જે ફૂટીને છેવટે ચાંદી પડે છે. તેને લઈને જના વરને વેદના વધારે થાય છે અને વખતે વખતે પિતાનું શીંગડું તથા માથું પથાર સાથે તથા એવીજ કેઈ બીજી કડણ વસ્તુ સાથે પછાડે છે. જેમ જેમ મસ વધતો જાય છે તેમ તેમ શીંગડાના મૂળીઆની અંદરનું માંસ ખવાતું જાય છે, જેથી શીંગડાનુ મૂળીઉં ઢીલું પડે છે અને શીંગડું વાંકું થઈ જઇને છેવટે પડી જાય છે.
વ્યાધિને લીધે દરદી પૂરું ખાઈ શક નથી. જેથી શરીરમાં નબળાઈ વધી જઈ. જનાવર બી કુલ નાકોવન થઈ જાય છે. આ મસને જરા લાગવાથી દરદીને બહુજ વેદના થાય છે અને અતિશે લેહી નીકળે છે. વેદનાને લઈને જનાવર પિતાનું માથું પથર સાથે છેડે છે અને તેમ કરવાથી ઉલટું વધારે લોહી નીકળે છે અને વધારે વેદના થાય છે. જ્યારે બધે બસ સળી જાય છે ત્યારે તે દરદ સાવ મટી જાય છે પરંતુ આમ જવલેજ બને છે કારણ કે જ્યારે એક બાજુથી મસ સળી જાય છે ત્યારે નજીક બીજી બાજુ ન મસ થાય છે અને કેટલીક વખત તો મસ તદ્દન સળી જત પહેલાં જ દરદી અશકતિને લઈને મરી જાય છે; પરંતુ જો મસ સળી જાય તે તે