Book Title: Hitopnishad
Author(s): Purvacharya, Munisundarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 13
________________ મુનિવરો ! આપ ધન્ય છો, ખરેખર કૃતકૃત્ય છો, આપ આ ભવસાગરને તરી ગયા, આપને અમારા લાખ લાખ નમસ્કાર છે. આપની અવસ્થાની અનુભૂતિ એ જ આ જીવનનું લક્ષ્ય છે. ‘ક્યારે બનીશ હું સાચો રે સંત’ આ ગીતની પંક્તિ આપને આંબવાની સ્પૃહાનું જ મૂર્ત સ્વરૂપ છે. ‘સસનેહી પ્યારા રે સંયમ કબ હી મિલે' આ પંક્તિઓ દીક્ષાર્થીઓ તો બોલે જ છે. પણ દીક્ષિતો ય બોલે છે. કારણ કે એમને સ્પૃહા છે, આપના જેવું સંયમ મેળવવાની. ‘આ પાપમય સંસાર છોડી શ્રમણ હુ ક્યારે બનું ?' શું આ પંક્તિ સંયમી બોલી શકે ખરા ? જવાબ છે હા. જો અહીં મંગલમાં કહેલી મુનિવર અવસ્થાના આસામી ન બની શકાયું, તો અહીં પણ પાપ અને અહીં પણ સંસાર. રે, આ પાપ તો દુનિયામાં કહેવાતા પાપો કરતાં ય ગોઝારું છે. કહ્યું છે ને 'अन्यस्थाने कृतं पापं तीर्थस्थाने विमुञ्चति । तीर्थस्थाने कृतं पापं वज्रलेपो भविष्यति ॥ તીર્થ એ ધર્મસ્થાનનું ઉપલક્ષણ છે. બીજે સ્થાને કરેલા પાપો ધર્મસ્થાનમાં ધોવાઈ જાય છે. પણ ધર્મસ્થાનમાં જે પાપો કરાય તે વજ્રલેપવત્ આત્મા પર ચોંટી જાય છે. માટે જ આ પાપ ખૂબ ભયંકર છે. ગૃહસ્થ અને સંયમી બન્ને જો આ પંક્તિના અધિકારી હોય- ‘આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ? - તો એ બંનેમાં કોણ ગૌરવપાત્ર અને કોણ યાપાત્ર ? ખેર, જે થયું તે, હવે તો આ પાપમય સંસાર છોડવો જ છે. પણ તેના માટે પહેલા ગ્રંથકારશ્રીની પ્રેરણાના પાન કરવા પડશે. તેના માટે ય આપણા અપરાધોની નિખાલસ કબૂલાત કરવી પડશે. ગ્રંથકારશ્રી આ જ ભૂમિકાને લાંઘતા કહે છે ( ૧૦ )

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 212