________________
કરવી, તેમને જોઈને હૃદયમાં આનદ ઉપજ; તેમના કાર્યને ટેકે આપ કે બિરદાવવો. આ બધી વાતે પ્રમેદ કે મુદિતાભાવમાં આવે છે. આ પ્રમોદભાવનાની વ્યાપકતા વ્યક્તિથી સમદષ્ટિ સુધી છે. જેમ કોઈ વ્યક્તિ વિશેષના સારા ગુણોથી આકર્ષાઈને તેની પ્રશંસા કરવામાં આનંદ આવે છે એમ અમૂક સારી સંસ્થા કે સારા રાષ્ટ્રના સારા ગુણોની પ્રશંસા કરવી એ પણ પ્રમોદભાવનાની મર્યાદામાં આવી જાય છે. સંસ્થા અને રાષ્ટ્રના ગુણોની પ્રશંસા કરવામાં કેટલાક લોકોને એવા ભયની આગાહી લાગ્યા કરે છે કે કયાંક એથી એમનામાં રહેલા દુર્ગાને પણ પરોક્ષ રીતે પ્રશંસીએ છીએ. દા. ત. કોંગ્રેસે કરેલા સારાં. કાર્યોની પ્રશંસા કરતાં કોંગ્રેસની પ્રશંસા કરીએ એ સ્વાભાવિક છે. આ દેશને સંગઠિત કરી તેમાં સર્વાગી ક્રિાંતિ આણી કેંગ્રેસે દેશને સ્વતંત્રતા અપાવી છે તેનું મૂલ્યાંકન સહુએ કરવું જ પડશે. દેશમાં જ્યારે એને જેવી તૈયાર થયેલી બીજી સંસ્થાએ એના જેટલું રચનાત્મક અને સર્વાગી કાર્ય ન કરી શકે ત્યાં સુધી એની મહત્તા સ્વીકારવી જ પડશે. તેના દરેક કાર્ય પાછળ રહેલાં કારણે તપાસીને, તેના બદલે બીજી સંસ્થાઓએ શું કર્યું એને ધ્યાનમાં રાખી તેના યોગ્ય કાર્યને બિરદાવવું પડશે. આ સંસ્થા પ્રતિની પ્રમેદભાવના છે. વિશ્વ વાત્સલ્યના સાધકે તે કેળવવાની છે. પણ ઘણું લોકોનું એમ માનવું છે કે એ. બહાને કેગ્રેસની બધી બાબતોને સમર્થન અપાઈ જાય છે એ માનવું જરા વધુ પડતું છે. કેગ્રેસ કેટલીક હિંસાને પ્રવૃત્તિમાં રાષ્ટ્રહિતના ખ્યાલમાં સમર્થન આપે છે. એટલે એના પ્રતિ પ્રમોદભાવના જે એની સુપ્રવૃતિ તરફ દેખાડાય છે–તેનાથી તેની હિંસક પ્રવૃતિને સમર્થન અપાય છે એવું ન માની શકાય.
પ્રાચીન કાળમાં રામ-રાવણનું યુદ્ધ થયું. હવે રામની મર્યાદા તરફ પ્રમોદભાવના દાખવીએ એટલે તેમનાં યુધ્ધ કે સંહારને પણ સમર્થન અપાય છે એ યુકિતસંગત નથી. ભગવાન મહાવીરે કેટલાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com