Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 284
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ ૨૬૭ આથી જ, શુભભાવ વિશેષથી માર્ગનુસારી જીવોનું જ અકરણનિયમનું વર્ણન છે. અને યદચ્છાથી પ્રણયતમાં પ્રવૃત્ત એવા અર્વાચીનોનું સ્વેચ્છાનુસાર શાસ્ત્ર રચવામાં પ્રવૃત્ત એવા અર્વાચીનોનું, પ્રવાહપતિતપણાથી ઘણાક્ષરત્યાય વડે જ અકરણનિયમનું વર્ણન છે. એ પ્રમાણે વિશેષ=ભેદ ફરક, જિતવચન વિષયક પરના ઉપનિબંધનમાં પણ છે. તે આ=પૂર્વમાં કહ્યું કે માર્ગાનુસારી જીવોનું શુભભાવવિશેષથી અને યદચ્છા પ્રણયતમાં પ્રવૃત્ત એવા જીવોનું ધુણાક્ષરત્યાયથી અકરણનિયમનું વર્ણન છે તે આ, ધર્મબિંદુની વૃત્તિમાં કહેવાયું છે – “અને યદચ્છા પ્રણયનમાં પ્રવૃત્ત એવા રાગાદિવાળા પણ તીર્થાતરીયોમાં=સ્વેચ્છા પ્રમાણે શાસ્ત્રરચના કરવામાં પ્રવૃત્ત અને સ્વદર્શન પ્રત્યે બદ્ધ રાગવાળા પણ તીર્થાતરીયોમાં, ઘણાક્ષરના ઉત્કરણના વ્યવહારથી ક્યાંક કંઈક જે અવિરુદ્ધ પણ વચન પ્રાપ્ત થાય છે અર્થાત્ માર્ગાનુસારી બુદ્ધિવાળા પ્રાણીમાં ક્વચિત્ કંઈક જે અવિરુદ્ધ પણ વચન પ્રાપ્ત થાય છે તે પણ તે અવિરુદ્ધ વચન પણ, જિનપ્રણીત જ છે; કેમ કે તેનું તે અવિરુદ્ધ વચનનું, તબૂલપણું છે-જિનવચનનું મૂલપણું છે.” તિ' શબ્દ ધર્મબિંદુની વૃત્તિના કથનની સમાપ્તિ માટે છે. આના દ્વારા પૂર્વમાં ધર્મબિંદુનું ઉદ્ધરણ આપ્યું તેના દ્વારા, “ઘણાક્ષરત્યાયથી જૈનમતના વસ્તુના વર્ણનને અનુસરનાર વર્ણન અન્યતીર્થિકોમાં થાય જ છે. એ પ્રમાણે પ્રવચનમાં પ્રતીત છે. એથી તેઓનું અકરણનિયમ વચન આકૃતિ માત્ર જ છે અત્યદર્શનના અકરણલિયમ વચત શબ્દથી કથન માત્ર છે, અંતરંગ પરિણામથી પાપના અકરણરૂપ નથી. એ અપાસ્ત છે."; કેમ કે માર્થાનુસારી દૃષ્ટિથીeભાવમાર્ગની પ્રાપ્તિનું કારણ બને તેવી નિર્મળ દૃષ્ટિથી, તેના વર્ણનનું પાપના અકરણના નિયમના વર્ણનનું, ઘુણાક્ષરથી વિલક્ષણપણું છે=ધુણાક્ષરત્યાયથી જે પાપ અકરણનિયમનું વર્ણન છે તેનાથી વિલક્ષણ એવી અંતરંગ નિર્મળ પરિણતિથી અકરણનિયમનું વર્ણન છે. અહીં પ્રશ્ન થાય કે અન્યદર્શનમાં જેઓ ઘુણાક્ષરથી પાપના અકરણનું કથન કરે છે, તેના સદશ જ માર્ગાનુસારી દૃષ્ટિવાળા પણ પાપના અકરણનું કથન કરે છે. તેથી તેઓમાં ઘુણાક્ષરન્યાયથી વિલક્ષણપણું કેમ છે ? તેમાં હેતુ કહે છે – ઓધિક યોગદષ્ટિ હોવાને કારણેaઓઘદૃષ્ટિથી સંવલિત એવી પ્રથમની ચાર દૃષ્ટિમાંથી કોઈક દૃષ્ટિ હોવાને કારણે, સવિશેષાવગારિસમ્યક્તનો અભાવ હોવા છતાં પણ સામાન્ય ધર્મના પ્રદર્શનનો અવિરોધ છે=મોક્ષને અનુકૂલ એવા સામાન્ય ધર્મના પ્રદર્શનરૂપ અકરણનિયમનું તેઓનું કથન છે. અને સામાન્ય ધર્મની સત્તા તેઓમાં અચદર્શનમાં “વીદ્ધવિરામ ઘાર્મિવેગનસ્થાપિ” એ પ્રમાણે કહેતાં ઉપદેશપદની વૃત્તિકારના વચનથી જ વ્યક્તિ પ્રતીત થાય છે અત્યદર્શનમાં સમ્યક્ત નહિ હોવા છતાં સામાન્ય ધર્મની સત્તા છે એ સિદ્ધ થાય છે. આમ હોતે છતે=અવ્યદર્શનના માર્ગાનુસારી જીવોમાં સામાન્ય ધર્મની સત્તા છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું એમ હોતે છતે, “મનામ્ અહીં પણ પરિવ્રાજકપણામાં પણ, ધર્મ છે.” એ પ્રકારના મરીચિકા વચનનું ઉસૂત્ર ન થાય, એ પ્રમાણે વળી અસમીક્ષિત કથન

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402