Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 368
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૦ ૩૫૧ ઉદ્ધરણ પૂર્વે કહેલું કે મુગ્ધબુદ્ધિવાળા જીવો ગીતાર્થના આચાર પ્રમાણે જ પ્રવર્તે છે. હવે તેઓ કઈ રીતે હિત પ્રાપ્ત કરે છે ? તે સ્પષ્ટ કરે છે - અને તે રીતે પ્રવૃત્ત એવા તેઓ=ગીતાર્થો દ્વારા કરાયેલી પ્રવૃત્તિ અનુસાર પ્રવૃત્ત એવા મુગ્ધબુદ્ધિવાળા જીવો, વંદનાની આરાધનાજન્ય હિતને પ્રાપ્ત કરે છે. અને તેમની વિરાધનાજન્ય=વંધ એવા તીર્થંકરાદિની વિરાધનાજન્ય અનર્થોથી મુકાયેલા થાય છે. અને અસમંજસપણાથી સ્વયં વંદનાને કરતા અને નહીં પ્રાપ્ત થયેલી અપુનબંધક અવસ્થાવાળા અને તેવા પ્રકારની જિજ્ઞાસાદિ તલ્લિંગોથી વિકલ=આત્મકલ્યાણના અર્થીપણાથી વંદનાદિની વિધિ વિષયક જિજ્ઞાસાદિ અપુનર્બંધકાદિના લિંગથી વિકલ, એવા જીવોને વંદના આપતા સૂરિને જોઈને આચાર્યે=દુ:ષમાદિમાં અને દુર્ભિક્ષાદિમાં ઇત્યાદિ ત્રીજા પંચાશકની ૪૯મી ગાથામાં અપાયેલો ઉપદેશ આચાર્યે, કર્યો છે. અને “આ રીતે તેમની પ્રવૃત્તિમાં=હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ જે ઉપદેશ આપ્યો તે રીતે આચાર્યાદિની પ્રવૃત્તિમાં, તેઓને અને અન્યોને=આચાર્યને અને અન્ય મુગ્ધ જીવોને, અનર્થ ન થાઓ અને અસમંજસક્રિયાજન્ય શાસનની અપભ્રાજના ન થાઓ.” એ પ્રકારના અભિપ્રાયથી હરિભદ્રસૂરિ મહારાજાએ ઉપદેશ કર્યો છે, એ પ્રમાણે પંચાશકનો ગાથાર્થ છે. ।।૪૯।।” “કૃતિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. અને આથી જ=અવિધિથી કરાયેલી વંદનાની ક્રિયાથી પાપની પ્રાપ્તિ અને શાસનની અપભ્રાજના થાય છે આથી જ, કાલના અનુભાવથી જૈત પ્રવચનમાં પણ=ભગવાનના શાસનમાં પણ, અલ્પ જ આરાધક જીવોનું દર્શન હોવાથી જિનાજ્ઞારુચિથી શુદ્ધ જ જીવોમાં ભક્તિ-બહુમાનાદિ કરવું જોઈએ, એ પ્રમાણે પૂર્વાચાર્યો કહે છે. અને ઉપદેશપદમાં કહેવાયું છે=જિનાજ્ઞાશુદ્ધમાં જ ભક્તિ-બહુમાન કરવું જોઈએ એ પ્રમાણે ઉપદેશપદમાં કહેવાયું છે “આ રીતે પ્રાયઃ કરીને કાલ અનુભાવથી અહીં પણ=જૈનમતમાં પણ, સર્વે લોકો પણ સુંદર નથી તે કારણથી આજ્ઞાશુદ્ધમાં પ્રતિબંધ=બહુમાન, કરવું જોઈએ.” (ઉપદેશપદ ગાથા-૮૩૪) આવી વૃત્તિ=ઉપદેશપદની વૃત્તિ, ‘યથા’થી બતાવે છે “આ રીતે=ઉપદેશપદમાં પૂર્વની ગાથામાં કહેલા ઉદાહરણની જેમ, પ્રાય:=બાહુલ્યથી, લોકો કાલના અનુભાવથી=વર્તમાનકાળના સામર્થ્યથી, અહીં પણ=જૈનમતમાં પણ, સર્વ પણ=સાધુ અને શ્રાવકો સર્વ પણ, સુંદર=શાસ્ત્રોક્તાચારવાળા, વર્તતા નથી જ, પરંતુ અનાભોગાદિ દોષથી શાસ્ત્રપ્રતિકૂળ પ્રવૃત્તિવાળા છે. તે કારણે આજ્ઞાશુદ્ધમાં=સમ્યગ્ રીતે ભણેલા જિનાગમના આચારના વશથી શુદ્ધિને પામેલા સાધુઓમાં અને શ્રાવકોમાં, પ્રતિબંધ=બહુમાન, કરવું જોઈએ." “કૃતિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ।।૩૦।। ભાવાર્થ: અવતરણિકામાં શંકા કરેલ કે જૈનદર્શનમાં રહેલ અને જૈનમતાનુસાર ક્રિયા કરનારને સર્વવિરાધક કહી શકાય નહિ; કેમ કે વ્યવહાર બલવાન છે. તેથી વ્યવહા૨થી જેઓ જૈનમતની ક્રિયા કરે છે તેઓને તેટલા અંશથી આરાધક સ્વીકારવા જોઈએ. તેનો ઉત્તર આપતાં કહે છે જેઓની ક્રિયામાં મોક્ષને

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402