Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 338
________________ ૩૨૧ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૫ ટીકાર્ચ - પવરવંતરપિત્તિ રૂત્તિ દ્રવ્યમ્ “પવરવંતરમિત્તિ' પ્રતીક છે. પક્ષાંતરમાં=અન્ય આચાર્યના વ્યાખ્યાનમાં આરાધકવિરાધકચતુર્ભગીની વૃત્તિમાં દેશારાધક વિષયક અન્ય આચાર્યના વ્યાખ્યાનમાં, ગીતાર્થઅનિશ્રિતઅગીતાર્થ તે દેશઆરાધક કહેવાયા છે. જે અનભિનિવિષ્ટ ચિત્તવાળા છે=આત્માનો ઉત્કર્ષ, પરનો દ્રોહ, ગુરુ-ગચ્છાદિનો પ્રઢેષતમૂલક અસદ્ગહથી અકલંકિત ચિત્તવાળા છે, ભીરુ છે કોઈ પણ હેતુથી એકાકીભાવને આશ્રય કરનાર પણ, સ્વેચ્છા અનુસારથી પ્રવર્તમાન પણ સ્વારસિક જિનાજ્ઞાભંગના ભયવાળો છે, એકાંતસૂત્રરુચિવાળો છે=આવ્યાકૃત સૂત્રમાત્રના અનુસારી છે=સૂત્રતા પરમાર્થના ઉચિત સ્થાનનો વિભાગ કર્યા વગર સૂત્રસામાત્યને અનુસારી છે, આ ભાવ છે ગાથામાં કહેલા અર્થનો આ ભાવ છે – એકાકીને એકાકીવિહાર કરનાર સાધુને, પ્રાયઃ ચારિત્રનો અસંભવ જ છે; કેમ કે સ્વયં ગીતાર્થને કે ગીતાર્થનિશ્રિતઅગીતાર્થને ચારિત્રનો સંભવ છે. રિજે કારણથી અને ચારિત્રનો પરિણામ હોતે છતે ગુરુકુલવાસ મોચતાદિ=ગુણસંપન્ન એવા ગુરુની નિશ્રાના ત્યાગાદિ અસમંજસ થાય નહિ. અને પંચાશક-૧૧, ગાથા-૧૫ અને ૧૭માં કહેવાયું છે – તે કારણથી અહીં=સંયમજીવનમાં, ચરણપરિણામ હોતે છતે આસસિદ્ધિક જીવોને અસમંજસ એવું આ=ગુરફુલવાસના ત્યાગરૂપ કૃત્ય, થાય નહિ. અને તે પ્રમાણે=ચારિત્રના પરિણામવાળા જીવો અસમંજસ કૃત્ય કરે નહિ તે પ્રમાણે, આ આગળની ગાથામાં કહે છે તે કહેવાયું છે.” “ધન્ય જીવો જ્ઞાનના ભાગી થાય છે. દર્શન અને ચારિત્રમાં સ્થિરતર થાય છે. (તેથી) યાતત્કાળ ગુરુકુલવાસનો ત્યાગ કરતા નથી.” તેથી-ગુરુકુલવાસના ત્યાગ કરનારને ચારિત્રનો પરિણામ નથી તેથી, કષ્ટવિહારી પણ=સંયમના કષ્ટોને કરીને જીવનારા પણ, એકાકી, ગુરુકુલવાસ અને એકાકીવિહારના ગુણ-દોષના વિપર્યાસને જાણનારા=ગુરુકુલવાસમાં જે ગુણ છે તેને દોષરૂપે જાણનારા અને એકાકીવિહારમાં જે દોષ છે તેને ગુણરૂપે જાણનારા, સ્વાભિનિવેશને કારણે તપમાં રત=ગુણવૃદ્ધિનું કારણ ન બને પરંતુ પોતાની મનસ્વી વૃત્તિ અનુસાર તપ કરનારાનું, અનાગમિકપણું હોવાથી અને એકાકીપણું હોવાથી પ્રવચનની લિંદાને કરનારા, શેષ સાધુઓમાં પૂજાના વિચ્છેદના અભિપ્રાયવાળા હોવાને કારણે પ્રાયઃ બહુ અસમીતિકારીપણું હોવાથી=બહુલતાએ ભગવાનના વચનનિરપેક્ષ સ્વમનસ્વી પ્રવૃત્તિ હોવાથી, અભિન્નગ્રંથિપણું હોવાના કારણે, જૈનશાસનથી બાઘની જેમ અસાધુપણું જ છે. તેએકાકીવિહાર કરનારા મિથ્યાષ્ટિ છે એમ પૂર્વે કહ્યું તે, કહેવાયું છે – “જેઓ વળી તે પ્રકારના વિપર્યસ્ત છેઃઉત્તમ ગુરુકુલવાસનો ત્યાગ કરીને સ્વમતિ અનુસાર જીવવામાં કલ્યાણ દેખાય છે એ પ્રકારના વિપર્યસ્ત છે, ગુરુ-લાઘવને સમ્યગૂ નહીં જાણનારા છે, સ્વાગ્રહથી ક્રિયામાં રત છે, પ્રવચનની હિલાને કરનારા છે=જિનવચનથી વિપરીત પ્રવૃત્તિ કરીને ભગવાનના શાસનની અવહેલના કરનારા છે, સુદ્ર પ્રકૃતિવાળા છે, પ્રાય: અભિન્નગ્રંથિવાળા છે, અજ્ઞાનને કારણે તે પ્રકારના દુષ્કર તપ કરનારા તે સાધુઓ કાગડાના ઉદાહરણથી અન્યદર્શનવાળા અવિવેકી જીવો જેવા જાણવા.” (પંચાશક-૧૧, ગાથા-૩૭-૩૮)

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402