Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 362
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૮, ૨૯ ૩૪૫ પ્રયોજન એ છે કે સર્વ આરાધકથી અન્ય એવા દેશવિરાધકમાં અને દેશારાધકમાં સર્વવિરતિની સહકારીયોગ્યતાનો ભાવ છે. તેથી દેશઆરાધક જીવ પણ દેશારાધનાના સહકારના બળથી ક્રમે કરીને અવશ્ય સર્વારાધક બનશે અને દેશવિરાધક એવા સમ્યગ્દષ્ટિ પણ અવશ્ય સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના સહકારના બળથી ક્રમે કરીને સર્વારાધક બનશે. તેથી દેશારાધક, દેશવિરાધક અને સર્વારાધકરૂપ ત્રણ ભાંગાથી સર્વારાધકોનો સંગ્રહ કરેલ છે અને સર્વ વિરાધકથી ભગવાનના શાસનની ક્રિયા કરનારા પણ મોક્ષને અનુકૂળ ભાવથી રહિત જીવોનો અને અન્ય સર્વસંસારી જીવોનો સંગ્રહ કરેલ છે. ll૨૮૫ અવતરણિકા - तृतीयचतुर्थभङ्गौ विवेचयति - અવતરણિકાર્ચ - ત્રીજા અને ચોથો ભાગો વિવેચન કરે છે – ભાવાર્થ : ગાથા-૧૮માં આરાધક-વિરાધકની ચતુર્ભાગી બતાવી. તેમાંથી બે ભાંગાનું અત્યાર સુધી વિવેચન કર્યું. હવે સર્વારાધકરૂપ ત્રીજા અને સર્વવિરાધકરૂપ ચોથા ભાંગાનું વિવેચન કરે છે – ગાથા : तइए भंगे साहू सुअवंतो चेव सीलवंतो अ । उवयारा सड्डोवि य भवाभिणंदी चउत्थंमि ।।२९।। છાયા : तृतीये भने साधुः श्रुतवांश्चैव शीलवांश्च । उपचारात् श्राद्धोऽपि च भवाभिनंदी चतुर्थे ।।२९।। અન્વયાર્થ : તફા ભો=ત્રીજા ભાંગામાં, સુગવંતો રેવ સીત્તવંતો મ=મૃતવાન અને શીલવાન એવા, સાદૂ-સાધુ છે, ૩વધારા સોવિકઉપચારથી દેશવિરતિધર શ્રાવક છે, રમવામvલી ચડબ્લ્યુમિ અને ચોથા ભાંગામાં ભવાભિનંદી જીવ છે. ર૯II ગાથાર્થ : ત્રીજા ભાંગામાં શ્રુતવાન અને શીલવાન એવા સાધુ છે, ઉપચારથી દેશવિરતિધર શ્રાવક છે અને ચોથા ભાંગામાં ભવાભિનંદી જીવ છે. ર૯ll

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402