Book Title: Dharm Pariksha Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 355
________________ ૩૩૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૭, ૨૮ વળી, માપતુષ જેવા કેટલાક મહાત્માઓ દ્રવ્યથી અલ્પશ્રુતવાળા હોવા છતાં ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ થયેલો હોવાથી આત્માના શુદ્ધ ભાવોમાં જવા માટે સંયમના અનુષ્ઠાનથી કઈ રીતે ઉદ્યમ કરવો આવશ્યક છે ? તેના પરમાર્થને સ્પર્શનાર હોવાથી ભાવથી શ્રુતજ્ઞાનવાળા છે અને તે શ્રુતથી નિયંત્રિત ઉચિત પ્રવૃત્તિ કરીને ચારિત્રના કંડકોની વૃદ્ધિ કરનારા છે તેથી શીલવાળા છે. આવા સાધુઓ સર્વારાધક જ છે. IIII અવતરણિકા : विवेचितः प्रथमो भगोऽथ द्वितीयं भगं विवेचयन्नाह - અવતરણિકાર્ચ - પ્રથમ ભાંગો વિવેચન કરાયો. હવે બીજો ભાંગો વિવેચન કરતાં કહે છે – ભાવાર્થ : ગાથા-૧૮માં ભગવતીસૂત્રના વચનને ગ્રહણ કરીને આરાધકવિરાધકની ચતુર્ભગી બતાવેલી. તેમાંથી દેશારાધકરૂપ પ્રથમ ભાંગો ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી વિવેચન કર્યો. હવે દેશવિરાધકરૂપ બીજા ભાંગાનું વિવેચન કરતાં કહે છે – ગાથા : देसस्स भंगओ वा अलाहओ वा विराहगो बीओ। संविग्गपक्खिओ वा सम्मद्दिट्ठी अविरओ वा ।।२८।। છાયા : देशस्य भङ्गतो वाऽलाभतो वा विराधको द्वितीयः । संविग्नपाक्षिको वा सम्यग्दृष्टिरविरतो वा ।।२८।। અન્વયાર્થ :સેક્સ મંગો વા નતાદળો વા=દેશના ભંગથી અથવા અલાભથી દેશની રત્નત્રયીને અનુકૂળ પરિણતિના ભંગથી અથવા અલાભથી, વીઝો બીજો વિરાદો =વિરાધક=દેશવિરાધક, સંવિપવિરામો વા વરગો સદિદ્દી વા=સંવિઝપાક્ષિક અથવા અવિરતસમ્યગ્દષ્ટિ છે. ૨૮ ગાથાર્થ : દેશના ભંગથી અથવા અલાભથી દેશની રત્નત્રયીને અનુકૂળ પરિણતિના ભંગથી અથવા અલાભથી, બીજો દેશવિરાધક સંવિગ્નપાક્ષિક અથવા અવિરતસમ્યગ્દષ્ટિ છે. ર૮II

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402