________________
૩૩૮
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૭, ૨૮
વળી, માપતુષ જેવા કેટલાક મહાત્માઓ દ્રવ્યથી અલ્પશ્રુતવાળા હોવા છતાં ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ થયેલો હોવાથી આત્માના શુદ્ધ ભાવોમાં જવા માટે સંયમના અનુષ્ઠાનથી કઈ રીતે ઉદ્યમ કરવો આવશ્યક છે ? તેના પરમાર્થને સ્પર્શનાર હોવાથી ભાવથી શ્રુતજ્ઞાનવાળા છે અને તે શ્રુતથી નિયંત્રિત ઉચિત પ્રવૃત્તિ કરીને ચારિત્રના કંડકોની વૃદ્ધિ કરનારા છે તેથી શીલવાળા છે. આવા સાધુઓ સર્વારાધક જ છે. IIII
અવતરણિકા :
विवेचितः प्रथमो भगोऽथ द्वितीयं भगं विवेचयन्नाह - અવતરણિકાર્ચ -
પ્રથમ ભાંગો વિવેચન કરાયો. હવે બીજો ભાંગો વિવેચન કરતાં કહે છે – ભાવાર્થ :
ગાથા-૧૮માં ભગવતીસૂત્રના વચનને ગ્રહણ કરીને આરાધકવિરાધકની ચતુર્ભગી બતાવેલી. તેમાંથી દેશારાધકરૂપ પ્રથમ ભાંગો ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી વિવેચન કર્યો. હવે દેશવિરાધકરૂપ બીજા ભાંગાનું વિવેચન કરતાં કહે છે –
ગાથા :
देसस्स भंगओ वा अलाहओ वा विराहगो बीओ।
संविग्गपक्खिओ वा सम्मद्दिट्ठी अविरओ वा ।।२८।। છાયા :
देशस्य भङ्गतो वाऽलाभतो वा विराधको द्वितीयः ।
संविग्नपाक्षिको वा सम्यग्दृष्टिरविरतो वा ।।२८।। અન્વયાર્થ :સેક્સ મંગો વા નતાદળો વા=દેશના ભંગથી અથવા અલાભથી દેશની રત્નત્રયીને અનુકૂળ પરિણતિના ભંગથી અથવા અલાભથી, વીઝો બીજો વિરાદો =વિરાધક=દેશવિરાધક, સંવિપવિરામો વા વરગો સદિદ્દી વા=સંવિઝપાક્ષિક અથવા અવિરતસમ્યગ્દષ્ટિ છે. ૨૮ ગાથાર્થ :
દેશના ભંગથી અથવા અલાભથી દેશની રત્નત્રયીને અનુકૂળ પરિણતિના ભંગથી અથવા અલાભથી, બીજો દેશવિરાધક સંવિગ્નપાક્ષિક અથવા અવિરતસમ્યગ્દષ્ટિ છે. ર૮II