Book Title: Anjanshalakana Rahasyo
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________ અંજનશલાકા અં અંતિમ તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના શાસનના શાસ્ત્રોમાં બતાવેલ વિધિ મુજબ જિનબિંબનું નિર્માણ થયા બાદ ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ આ પંચ કલ્યાણકોની ઉજવણી દ્વારા એમાં પરમાત્માના ગુણોનું આરોપણ કરવાની મહાન ક્રિયા. જ જન્મ-જરા-મૃત્યુનિવારક અરિહંત પરમાત્માની પ્રતિમાને જિવોક્ત વિધિ અનુસાર પૂજ્યતમ બનાવવાની મંગલ પ્રક્રિયા. ન નવનિર્મિત જિનપ્રતિમાની અંજનશલાકા સમયે સુવિહિત શુદ્ધપ્રરૂપક સચ્ચારિત્ર પાત્ર સદ્ગુરુભગવંતો દ્વારા તચ્ચિત્ત-તલ્લેશ્ય-તન્મન-તદઝવસિત બનવા દ્વારા પોતે પરમાત્મમય બનીને પરમાત્માની યોગસિદ્ધિનો ભવ્યાત્માઓના હિતકાજે પ્રતિમામાં આવિર્ભાવ કરવાની સલ્કિયા. શ શરણેકવત્સલ અરિહંત પરમાત્માનાં બિબોમાં સર્વજ્ઞતા-સર્વદર્શિતાનો સાક્ષાત્કાર કરવાની વિરલ અને વિશિષ્ટ ક્રિયા. લા લાવણ્યની લોકોત્તરતાના પારિચાયક પરમાત્મ-પ્રતિમાના પ્રભાવક આલંબનને પરમાત્મરસિક જીવો માટે ખુલ્લું મુકવાની મંત્રક્રિયા. કા કાળના બંધનથી મુક્ત અતીત-અનાગત અને વર્તમાન જિનેશ્વરોનું એકત્ર એકસ્થળે ગુણાક્વાનરૂપે અવતરણ કરી એકીસાથે સર્વ જિનેશ્વરોની આરાધનાનું ભવ્ય ભાથું પુરું પાડનારી ભદ્રક્રિયા. અનંત કાળના જન્મ મરણાદિ અને નરક નિગોદાદિ દુ:ખોને તેમજ એ દુ:ખ પ્રાપક કર્મોના શતશ: ખંડ કરીને શાશ્વત સુખના સામ્રાજ્યને લાવી આપી કાલાતીત બનાવનાર જૈન શાસ્ત્રોક્ત સદનુષ્ઠાન એટલે ‘અંજનશલાકા.'

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 150