________________ ઉત્સવ અને ઉજવણી, સંસારવાસ દરમ્યાન પ્રભુજીની વિરક્તિ, ભોગની કરણી દ્વારા યોગની સાધના, પળ પળ કેવળ નિર્જરા સાધવાની સિદ્ધિ, પરમાત્મ ભક્તનું ભાવજગત, દેવો દ્વારા થતી જિનભક્તિ, સમર્પણની રીત-ભાત વગેરે વગેરે અનેકાનેક બાબતોની રમઝટ દ્વારા જિનભક્તને જિનભક્તિમાં ગુલતાન કરાવી. જિનરાજ સ્વરૂપી બનાવી દેવાનો અનોખો સાધના માર્ગ આ પ્રવચનોમાં પીરસાયો છે. ‘ક્ષન્યાના અંકોમાં જુદાં જુદાં સ્થળે પથરાયેલ જિનભક્તિ વિષયક પ્રવચનો અને પ્રવચનશોને અહીં થોડા સંસ્કારિત-સંવહ્નિત કરીને મૂક્યાં છે કે જેના વાચનથી આપણા હૃદયના બંધ નેત્રોમાંય, મંત્રશલાકાનો સ્પર્શ થઈ તેનું ઉન્સીલન-પ્રગટીકરણ થાય. સૌ કોઈ આ પ્રવચનોનાં વાંચનાદિ દ્વારા સત્યાર્થ જિનભક્તિ કરી પુણ્યાનુબંધી પુણ્યનો સંસ્પર્શ પામી, એનાં ફળરૂપે ઉત્તરોત્તર ઊંચી ઊંચી કક્ષાની તાત્ત્વિક જિનભક્તિને અભ્યસ્થ કરી જિનપદ-શિવપદને પામનારા બને એ જ શુભાભિલાષા. (પ્રથમ આવૃત્તિમાંથી સુધારીને) -સન્મા પ્રદાન (પ્રથમ આવૃત્તિમાંથી સુધારીને)