Book Title: Jain Sahityani Gazalo
Author(s): Kavin Shah
Publisher: Kavin Shah Bilimora
Catalog link: https://jainqq.org/explore/001186/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની ગઝલો લગી હૈ પ્યાસ દરશતકી संपा : डॉ. अविन शाह Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની ગઝલો. “કાવ્ય સુધારસ મધુર અર્થ ભર્યો, ધર્મ હેતુ કરે જેહ, સિધ્ધસેન પરે રાજા રીઝવે, અમ વર કવિ તેહ. ધન ધન શાસન મંડન મુનિવરા.” ઉપા. યશોવિજયજી મ. સા. સંપાદકઃ | ડૉ. કવિન શાહ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jain Sahityani Gazalo A Collection on Gazals of Jain Literature. પ્રાપ્તિ સ્થાન ડૉ. કવિન શાહ ૩/૧, “માણેકશા', અષ્ટમંગલ એપાર્ટમેન્ટ, આઇસ ફેક્ટરી સામે, બીલીમોરા – ૩૯૬૩૨૧. કિંમત રૂા. ૬૦-૦૦ પ્રથમ આવૃત્તિ : નકલ ૫૦૦ સ્વ. ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી નંદનસૂરિ મ. સા.નું જન્મ શતાબ્દી વર્ષ સંવત ૨૦૫૫ કારતક સુદ-૧૧ મુદ્રકઃ અમૃત પ્રિન્ટર્સ દરિયાપુર, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૨૧૬૯૮૫ર [૨] Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ શાસન સમ્રાટ આચાર્ય વિજય નેમિસૂરિશ્વરજી મહારાજ સાહેબના પટ્ટાલંકાર સ્વ. ગચ્છાધિપતિ શાસનનાયક કાવ્ય, સાહિત્ય, આગમ, ન્યાય, તર્ક, સિધ્ધાંત, દર્શનશાસ્ત્ર જેવા વિવિધ વિષયોના પ્રકાંડ પંડિત, વાત્સલ્ય વારિધિ, રત્નત્રયીના આરાધક પરમ પૂ. ગુરૂદેવ શ્રી નંદનસૂરિ મ.સા.ની જન્મ શતાબ્દી વર્ષની પુણ્ય સ્મૃતિમાં સાદર અર્પણ. [૩] Page #5 -------------------------------------------------------------------------- ________________ A day once gone will never return. Therefore one should be diligent each moment to do good. We reach the goal of the life by pious works. (Jainism) Page #6 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.આ. નંદનસૂરિ મહારાજ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ - સ્વ. ગચ્છાધિપતિ - આચાર્ય વિજયનંદનસૂરિશ્વરજી મ.સા.નું પુણ્યસ્મરણ धर्मज्ञो धर्मकर्ताच, सदा धर्मपरायणः सत्वेभ्यो धर्मशास्त्रार्थ, देशको गुरुरुप्यते ॥१॥ (ધર્મ રવપ્રકરણ) ધર્મના જ્ઞાતા, ધર્મના કતા, સદા ધર્મપરાયણ અને જીવોને હંમેશાં ધર્મ ઉપદેશ કરનાર હોય તે ગુરુ કહેવાય છે. આ સાહિત્ય સંગીત કલા અને ધર્મ એ સર્વક્ષેત્રો માનવ જીવનને સ્પર્શે છે. જીવન એટલે માનવ જીવન. જીવન જીવનાર વ્યક્તિના આઘાત પ્રત્યાઘાતો, સંવેદનાઓ, વિશિષ્ટ ગુણો વગેરેનો મનુષ્ય પર પ્રભાવ પડે છે. તેમાંય ગુરુ જેવા ઉચ્ચ કોટીના ગુરૂણા ગુરુનું જીવન માત્ર પોતાના શિષ્યવંદને નહિ પણ સમગ્ર માનવ સમાજને સ્પર્શીને વ્યક્તિત્વ વિકાસમાં માર્ગદર્શક બને છે એવા પરમોપકારી ગુરુ ભગવંત શ્રીનંદનસૂરિ મ.સા. નો મિતાક્ષરી પરિચય ધર્મપ્રેમી ને ગુરુભક્તિકારક ભક્તોને જીવનમાં પાથેયરૂપ બને તેમ છે. ન્યાય વાચસ્પતિ શાસ્ત્રવિશારદ કવિરત્ન આ. નંદનસૂરિની જન્મભૂમિ સૌરાષ્ટ્રની ખમીરવંતી ભૂમિ બોટાદ છે. પિતાશ્રી હેમચંદભાઇ અને માતૃશ્રી જમનાબાઈના પનોતાપુત્ર નરોત્તમભાઇ. જન્મદિવસ સંવત ૧૯૫૫ ના કારતક સુ. ૧૧. બાલ્યાવસ્થાથી કુટુંબના ધાર્મિક સંસ્કારોનું સિંચન થયું અને પંચપ્રતિક્રમણ જીવ વિચારનો અભ્યાસ કર્યો. સંવત ૧૯૬૬માં શાસન સમ્રાટ વિજય નેમિસૂરિશ્વરજી મ.સા. બોટાદમાં પધાર્યા અને એમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને વાણીથી વૈરાગ્યવાસિત બનીને સંયમ સ્વીકારવા માટે ઉત્કટ ભાવના પ્રગટ થઈ. દીક્ષા ગ્રહણ કરવા માટે માતાપિતાની સંમતિ મળી શકે તેમ ન હતી એટલે ગૃહત્યાગ કરીને ૧૬ વર્ષની વયે અમદાવાદ પાસેના વળાદ ગામમાં પ્રતાપવિજયજીની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરીને વિજય ઉદયસૂરિના શિષ્ય તરીકે નંદનવિજય નામાભિધાન કરવામાં આવ્યું. “પુત્રનાં લક્ષણ પારણામા'ની કહેવત અનુસાર નંદનવિજયની કુશાગ્ર બુધ્ધિ ને રત્નત્રયી આરાધનાનો પ્રચંડ પુરુષાર્થ એમના વ્યક્તિત્વના વિકાસમાં અભૂતપૂર્વ ગણાય છે. કાવ્ય, સાહિત્ય, ન્યાય, દર્શન શાસ્ત્ર, આગમ, જ્યોતિષ અને શિલ્પ જેવા વિવિધ વિષયોનો અભ્યાસ કરીને બહુમુખી પ્રતિભાની સાથે અસાધારણ બુધ્ધિનો પરિચય આપ્યો. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરીને જ્ઞાન માર્ગના પ્રખર અભ્યાસી બન્યા હતા. પૂ.શ્રીની વિદ્વત્તા અને ગુરુભક્તિથી શાસન સમ્રાટનેમિસૂરિ મ.સાહેબે પ્રસન્નતા Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુભવીને સં. ૧૯૮૦માં અમદાવાદ મુકામે ગણિ અને પંન્યાસ પદવીથી અલંકૃત કર્યો. સંવત ૧૯૮૩માં ઉપાધ્યાયપદવી પ્રાપ્ત કરીને શાસન સમ્રાટશ્રીએ નંદનવિજયને શાસ્ત્ર વિશારદ, સિધ્ધાંત માર્તંડ અને કવિરત્ન એમ ત્રણ બિરૂદ આપીને એમનું યથોચિત બહુમાન કરવામાં આવ્યું. ભગવાન મહાવીરના કેવળજ્ઞાન કલ્યાણકનો મંગલ દિવસ એટલે વૈ.સુ.૧૦ ના દિવસે તેઓશ્રી આચાર્ય પદવીથી વિભૂષિત થયા. જૈન પુરી અમદાવાદમાં વિશાળ માનવ સમુદાયની ઉપસ્થિતિમાં પૂ.શ્રીને ગચ્છાધિપતિનું ઉચ્ચ અને ગૌરવવંતુ પદ અર્પણ કરવામાં આવ્યું. ૨૮ વર્ષની નાની વયે આચાર્ય પદ પ્રાપ્ત કરીને પૂ. શ્રીએ પોતાની જ્ઞાનોપાસના, કર્તવ્ય પરાયણતા અને શાસન સેવાના કાર્યોથી પદની સાર્થકતા કરી બતાવી હતી. પૂ. શ્રી એ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મારવાડના શહેરોમાં વિહાર અને ચાતુર્માસ કરીને તીર્થોધ્ધાર, છરી પાલિતસંઘ, અંજનશલાકા પ્રતિષ્ઠા, જિન મંદિરોનો જીર્ણોધ્ધાર, ઉપધાન તપ જેવાં શાસન પ્રભાવનાનાં કાર્યો કરીને લોકોના જિનશાસન પ્રત્યેના શ્રધ્ધાદીપને સદાને માટે તેજસ્વી રાખવાનો પ્રશંસનીય પુરુષાર્થ આદર્યો હતો. તીર્થાધિરાજ શત્રુંજયની પ્રતિષ્ઠા મહોત્સવમાં વિહાર દરમ્યાન તગડી મુકામે સંધ્યાકાળે અચાનક તબિયત બગડી અને જીવનનો સંધ્યાકાળ નજીક આવ્યો, ક્ષણમાં જ જીવનદીપ બુઝાઈ ગયો. એ દિવસ હતો મહા વદ ૧૪.સ્વાધ્યાય, કર્તવ્યપાલન, સેવા ને વૈયાવચ્ચ, શાસન પ્રત્યેની અવિચળ શ્રધ્ધા, નાના મોટા સૌ કોઇની સાથે સરળતાથી મળીને માર્ગદર્શન, અપૂર્વ કાર્યદક્ષતા, મુનિ ગણને વાચના અભ્યાસમાં જોડી સંયમ જીવનના અર્ક સમાન જ્ઞાનદાતા, સ્થાપત્યના પ્રખર જ્ઞાની, ગુરુભક્તિ અને વાત્સલ્યવારિધિ જેવા ગુણ વૈભવથી પૂ. શ્રીનું આજે ભક્તિભાવપૂર્વક સ્મરણ કરીને કૃતકૃત્યતા અનુભવાય છે. આવા હતા અમારા આ. ગુરુ નંદનસૂરિ. એમનું જીવન અને કાર્ય ભવભ્રમણ કરતા આત્માને અભિનવ ચૈતન્ય પ્રગટાવે તેવી ક્ષમતા ધરાવે છે. પૂ. શ્રીના જીવનનો પરિચય જીવન જીવવાની શ્રધ્ધા દૃઢ કરીને મહાન પુરુષના ગુણોનું અનુસરણ કરી સાચો માનવી બનવા પ્રેરક નીવડે તેવી પ્રેરણા આપે છે. પૂ. શ્રીને કોટી કોટી વંદન. - ડૉ. કવિન શાહ. [], Page #10 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સૌજન્ય પરમ પૂજ્ય સંઘનાયક પરમદયાળુ આચાર્ય ભગવંત શ્રી વિજયનંદનસૂરિશ્વરજી મહારાજ સાહેબની જન્મ શતાબ્દીના પુનિત વર્ષમાં પ.પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયસૂર્યોદયસૂરિશ્વરજી મહારાજની શુભ પ્રેરણાથી આ ગ્રંથના પ્રકાશનનો લાભ શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ ગોધરા તરફથી લેવામાં આવેલ છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય ભગવાન મહાવીર સ્વામીના હાલરડાથી ખ્યાતિ પામેલા કવિરાજ દીપવિજયની કૃતિઓના સંશોધન કાર્ય દરમ્યાન જ્યારે એમની સ્થળ વિષયક ગઝલો પ્રાપ્ત થઈ ત્યારે મનમાં એવો વિચાર રમ્યા કરતો હતો કે જૈન કવિઓએ પણ ગઝલો રચી હશે તે નિમિત્તથી સંશોધન કરતાં જૈન કવિઓની ગઝલો ઉપલબ્ધ થઈ અને એનો સંચય કરીને આ પુસ્તક રૂપે તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જૈન સાહિત્યની વિવિધતાને વધુ ઉજ્જવળ બનાવવામાં આ ગઝલોનું યોગદાન નોંધપાત્ર બની રહે છે. જૈન સાહિત્યનાં સ્તવનો, સક્ઝાય, પદ અને પૂજા સાહિત્યનાં કેટલાંક પુસ્તકોમાંથી ગઝલો ઉપલબ્ધ થઈ છે. ગઝલોનું સંપાદન બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં કેટલાક કવિઓનો પરિચય આપીને એમની ગઝલો પ્રગટ કરવામાં આવી છે. તેમાં સ્થળ વર્ણનથી પ્રારંભ થયેલી ગઝલનો અનુક્રમે અર્વાચીન ગઝલ સુધીનો ક્રમિક વિકાસ નિહાળી શકાય છે. જોકે આ ગઝલો મોટે ભાગે ઉર્દૂ-ફારસી ભાષાની ગઝલોના પ્રારંભ કાળની સાથે સ્થાન ધરાવે છે. અર્વાચીન ગઝલોની સંખ્યા અલ્પ છે. ગજલ, રેખતા, કવ્વાલી જેવા શબ્દ પ્રયોગો દ્વારા ગઝલના લયને સિદ્ધ કર્યો છે. પ્રભુ ભક્તિ વિષયક ઉપદેશાત્મક અને વૈરાગ્ય ભાવને વિષય બનાવ્યો છે. કવિરાજ દિપવિજયની ગઝલો સ્થળ વર્ણનની છે. તેમાંથી સામાજિક, ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી ઉપલબ્ધ થાય છે, જે સમકાલીન સ્થિતિનો ઐતિહાસિક દસ્તાવેજ બને તેવી છે. આત્મારામજીની ગઝલો પ્રભુ ભક્તિ વિષયક છે. શ્રાવક કવિ મનસુખલાલની ગઝલો શુધ્ધ જ્ઞાન માર્ગના વિચારોને કેન્દ્રમાં રાખીને આત્મસ્વરૂપને વધુ સ્પર્શે છે. તેમાં જ્ઞાન અને ભક્તિનો સમન્વય સધાયો છે. ઉપા. વીરવિજયજી, હંસ વિજયજી, પં.શ્રી મણિવિજયજી દાદાની ગઝલો પૂજા સાહિત્યમાં દેશીઓના પ્રયોગની સાથે નવીનતા કે વિવિધતા લાવવા માટે સમકાલીન પ્રભાવથી રચાઈ છે. [૮] Page #12 -------------------------------------------------------------------------- ________________ આ. વલ્લભસૂરિની ગઝલો પ્રભુ ભક્તિ, ઉપદેશ, વૈરાગ્ય અને પૂજા સાહિત્યના સંદર્ભમાં રચાઇ છે. તેમાં વિવિધતાની સાથે ગઝલનો વિશિષ્ટ રણકાર-ભાવ-લય સાધ્ય થયેલાં છે. કવિની સંસ્કૃત ભાષાની બે ગઝલ એમની પ્રયોગશીલ સર્જક મનોવૃત્તિની સાથે ભાષા, પ્રભુત્વનો પરિચય કરાવે છે. આ. લબ્ધિસૂરિની ગઝલો વિષય વૈવિધ્યની સાથે ભાષા વૈભવ, કલ્પના શક્તિ અને પ્રયોગશીલતાના ઉદાહરણ રૂપ છે. પ્રભુ ભક્તિ ઉપરાંત બારભાવના, ચારભાવના, છ વ્યસન ત્યાગ, સમકિત અને વૈરાગ્ય જેવા વિષયોને સ્પર્શતી ગઝલો છે. સંખ્યા અને ગુણવત્તાની દૃષ્ટિએ આ. વલ્લભસૂરિ અને આ. લબ્ધિસૂરિની ગઝલો જૈન સાહિત્યમાં પ્રથમ કક્ષાનું સ્થાન ધરાવે છે. આ. લબ્ધિસૂરિની સંસ્કૃત ભાષાની ૩ ગઝલો વિશેષ નોંધપાત્ર છે. આગમ પ્રભાકર પુણ્યવિજયજીની ગઝલોમાં ગુરૂસ્તુતિ મહિમા અને વિરહથી ઉદ્ભવેલી શોકની લાગણીને વ્યક્ત કરે છે. આ. દક્ષસૂરિ પ્રભુ ભક્તિ વિષયક પરંપરાગત ગઝલો લઇને અર્વાચીન ગીત કવિ-ગઝલકાર તરીકે સ્થાન ધરાવે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યની ગઝલોની સાથે ઉન્નત મસ્તકે સ્થાન પામી શકે તેવી ગઝલો કવિ ધુરંધર વિજયજીની છે. તેમાં ગઝલનો છંદ, લય, ભાવ અને ભક્તિનું સાયુજ્ય સધાયેલું છે. આ ગઝલોમાં ધાર્મિક-સાંપ્રદાયિક વસ્તુ હોવાથી કેટલાક પારિભાષિક શબ્દ પ્રયોગો થયા છે. તે અંગેની પરિશિષ્ટમાં નોંધ આપવામાં આવી છે. કેટલીક ગઝલો તત્ત્વજ્ઞાનના ભારથી લદાયેલી લાગે છે. છતાં તેમાં રહેલી શુભ ભાવના કાવ્ય અંશોથી આસ્વાદ્ય બની રહે છે. બીજા વિભાગમાં પ્રકીર્ણ ગઝલોનો સંચય કરવામાં આવ્યો છે. આ ગઝલો પણ જૈન સાહિત્યની ગઝલો ગુજરાતી ભાષાની ગઝલોના અભ્યાસ અને વિકાસમાં નવું દિશાસૂચન કરીને પોતાની અસ્મિતા સિધ્ધ કરે છે. અને વિશેષ તો જૈન કાવ્ય સાહિત્યની વિવિધતામાં સોનેરી ભાત પાડી ગઝલોનું વિષય વસ્તુ સાંપ્રદાયિક હોવા છતાં બિન સાંપ્રદાયિક્તાનો સંસ્પર્શ કરાવીને તેના દ્વારા સાહિત્યની એક ઐતિહાસિક [૯] Page #13 -------------------------------------------------------------------------- ________________ પરંપરાનું અનુસંધાન કરે છે. બન્ને વિભાગની ગઝલો વાચક વર્ગને ગઝલનો રસાસ્વાદ માણવાની મન સ્થિતિમાં નિમિત્તરૂપ બનશે એવી શ્રધ્ધાપૂર્વક ધર્મપ્રેમી અને સાહિત્ય રસિક જિજ્ઞાસુ વર્ગ સમક્ષ જૈન સાહિત્યની ગઝલો પ્રગટ કરતાં અત્યંત હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. આર્થિક સૌજન્ય માટે ભટૂંકરોદય ટ્રસ્ટ ગોધરાના કાર્યકર્તાઓનો આભાર અને અનુમોદના. મારી સંકલન પ્રવૃત્તિના અનન્ય પ્રેરક શ્રુતજ્ઞાનોપાસક પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિ અને પૂ. આ. શ્રી શીલચંદ્રસૂરિની અસીમ કૃપા અને માર્ગદર્શન માટે હું તેમનો અત્યંત ઋણી છું. મારી સંકલન અને સંશોધન પ્રવૃત્તિમાં ઊંડી દિલચસ્પીથી રસ ધરાવીને સહયોગ પ્રદાન કરનાર પ્રો. વીરસિંહ ચૌધરીનો હૃદયપૂર્વક આભાર માનું છું. ગઝલના પુસ્તકની હસ્તપ્રત તૈયાર કરવામાં સહાય કરનાર શ્રીમતી રીટાબહેન શાહનો પણ ખૂબ ખૂબ આભાર. મુદ્રણકાર્યમાં સહકાર આપવા બદલ અમૃત પ્રિન્ટર્સ, અમદાવાદનો પણ આભાર માનું છે. ડૉ. કવિન શાહ [૧૦] Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્ર.ન પ્રકરણ-૧ પ્રકરણ-૨ પ્રકરણ-૩ જૈન સાહિત્યની ગઝલો અનુક્રમણિકા વિષય ગઝલઃ સ્વરૂપ વિધાન જૈન સાહિત્યની ગઝલો અવલોકન વિભાગ-૧ કવિ પરિચય અને ગઝલો કવિ ખેતાજી કવિ નિહાલચંદ કવિરાજ પંડિત દીપવિજયજી કવિ આત્મારામજી શ્રાવક કવિ મનસુખલાલ ઉપા. વીરવિજયજી મુનિ હંસવિજયજી આચાર્યશ્રી વલ્લભસૂરિ પં. શ્રી મણિવિજયજી ગણિવર પૂ. આચાર્ય લબ્ધિસૂરિ આગમ પ્રભાકર પૂણ્યવિજયજી ૧૧૧ ૧૫૫ [૧૧] - WWW.jainelibrary.org Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ૧૬૫ ૧૭૦ આચાર્ય દક્ષસૂરિ કવિ ધુરંધરવિજય આચાર્ય યશોભદ્રસૂરિ વિભાગ-૨ પ્રકીર્ણ ગઝલો શબ્દનોંધ સંદર્ભ ગ્રંથસૂચી પ્રકરણ-૪ ૧૭૮ ૧૯૫ ૧૯૭ [૧૨] Jain Education international Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૧ ગઝલઃ સ્વરૂપ વિધાન ગઝલ અરબી સાહિત્યનો કાવ્યપ્રકાર છે. અરબસ્તાનથી ઈરાનની ફારસી ભાષામાં તેનો વિકાસ થયો. રાજકીય પરિસ્થિતિના પ્રભાવથી ગઝલ રચનાઓ વિશેષ થઈ હતી. મુસ્લિમ શાસનકાળ દરમ્યાન રાજ દરબારની ફારસી ભાષાનો સમાજના કેટલાક વર્ગના લોકોએ અભ્યાસ કર્યો હતો. લશ્કરના સૈનિકો સાથે વાતચીત કરવા માટે ઉર્દૂ-ફારસીના મિશ્રણવાળી ભાષા પ્રયોજાતી હતી. ઉર્દૂભાષાના વ્યવહારથી ગઝલ સર્વસાધારણ જનતા સુધી પહોંચી હતી. રાજ્યવહીવટની ફારસી ભાષા ગઝલના અવતાર માટે નિમિત્તરૂપ બની. ક્રમશઃ ગુજરાતી ભાષામાં ગઝક્લને સ્થાન મળ્યું. “ગઝલ' વિશે સ્વરૂપલક્ષી વિચારણા કરતાં નીચે પ્રમાણેની કેટલીક વિગતો ઉપલબ્ધ થાય છે. ગઝલ એટલે હરણનું બચ્ચું, તીર ખૂંપેલા હરણની ચીસ. (ફિરાખ ગોરખપુરી) આ અર્થ મર્યાદિતપણે ન લેતાં સાહિત્યની રીતે લેવાનો છે. તેમાં ગઝલ શબ્દનું મૂળ તેના અર્થમાં હોય છે. ગઝલ નામનો એક પ્રેમી માણસ હતો તે ઉપરથી ગઝલ શબ્દ પ્રયોગ ઉદ્ભવ્યો છે. ગઝલ એટલે પ્રિયતમા સાથેની વાતચીત. શબ્દકોશમાં ગઝલનો અર્થ ફારસી રાગ-રેખતા છે. એટલે એવા રાગનું કાવ્ય.. ગઝલ માટે પ્રારંભિક અવસ્થામાં રેખતા શબ્દ પ્રયોગ થતો હતો એટલે ગઝલ એ રેખતાનો પર્યાયવાચી શબ્દ છે. [૧૩] Page #17 -------------------------------------------------------------------------- ________________ - મીરઝા ગાલિબની એક કડીમાં આવો સંદર્ભ પ્રાપ્ત થાય છે. રેખતાકે તુહીં નહીં હો ઉસ્તાદ અસદ સુનતે હૈ અગલન ઝમાનેમેં કોઇ મીર ભી થા. ગઝલ એ ગાયકીનો એક પ્રકાર છે. ફારસી ભાષામાં ગઝલનો અર્થ એમ છે કે એવું કાવ્ય કે જેમાં પ્રેમ અને સૌન્દર્યનું વર્ણન હોય. અહીં સૌન્દર્યનો અર્થ ભૌતિક નહિ પણ આધ્યાત્મિક રૂપ સમજવાનો છે. ગઝલ વિશે ઉપરોક્ત વિચારો પ્રચલિત છે અને તે ઉપરથી ગઝલ એ સ્વતંત્ર કાવ્ય પ્રકાર છે એમ જાણવા મળે છે. ગઝલના બાહ્ય સ્વરૂપને સમજવા માટે કેટલાક પારિભાષિક શબ્દોનો પરિચય અનિવાર્ય બને છે. મલા , મક્તએ, શેર, કાફિયા, રદીફ, બહેર, ઉલા અને સાની બીજી કડીનો અંતિમ શબ્દ અન્ય કડીમાં પણ પુનરાવૃત્તિ પામે ત્યારે રદીફ કહેવાય છે. ગઝલની પ્રથમ કડીને મcઆ કહેવામાં આવે છે. આ શબ્દનો અર્થ સૂર્યોદય થાય છે. અહીં તેનો અર્થ ગઝલનો ઉદય સમજવાનો છે. - ગઝલની અંતિમ કડીમાં કવિનું નામ કે ઉપનામ વણી લેવામાં આવે છે ત્યારે મક્તા બને છે. તેનો અર્થ ડૂબતો સૂર્ય થાય છે. અહીં ગઝલ પૂર્ણ થઈ એમ સંદર્ભ લેવાનો છે. મલઅ અને મકતા એ બંને વચ્ચેની કડીઓની “શેર' કહેવામાં આવે છે. શેરની બીજી પંક્તિમાં રદીફ આવે છે. અને કાફિયા મેળવવામાં આવે છે. ગઝલમાં પાંચથી ઓગણીસ શેરની મર્યાદા છે. તેમાં એકી સંખ્યા અનિવાર્ય છે. ૫, ૭, ૯, ૧૧, ૧૩, ૧૫, ૧૭, ૧૯, એમ શેર હોવો જોઈએ. પ્રત્યેક શેરમાં બીજી પંક્તિમાં રદીફ આવે અને તેના પહેલાંના શબ્દમાં કાફિયા મેળવવામાં આવે છે. રદીફ મત્સાથી નક્કી થાય છે. [૧૪] Page #18 -------------------------------------------------------------------------- ________________ ગઝલના છંદને બહેર કહેવામાં આવે છે. ગઝલમાં ૧૦૦૦ ઉપરાંત છંદોનો પ્રયોગ થયો છે. શેરની પહેલી પંક્તિને ઉલા અને બીજી પંક્તિને સાની કહેવાય છે. ' ટૂંકમાં કહીએ તો ગઝલમાં મલાથી રદીફ અને કાફિયા ઉપરાંત બહેર નક્કી થાય છે. ગઝલના બાહ્ય સ્વરૂપની ઉપરોક્ત માહિતી તેના વિશે પ્રકાશ પાડે છે. ગઝલ એ કાવ્ય છે તે દષ્ટિએ, તેમાં તેના બાહ્યદેહની સાથે આંતર કાવ્યનાં લક્ષણોવાળું હોવું જોઈએ. ગઝલમાં પ્રણયની અનુભૂતિ ફિલસૂફની માફક વ્યક્ત કરવામાં આવે છે. ગઝલના વિષયો જીવન અને મૃત્યુ પછીની પરિકલ્પનાઓ સુધી વિસ્તાર પામ્યા છે. પ્રણયની અનુભૂતિ, મિલન-વિરહ, તડપનની વૈવિધ્યપૂર્ણ અભિવ્યક્તિ એ ગઝલનું પરિબળ છે. સૂફીવાદની પ્રણય વિષયક વિચારધારાનો ગઝલમાં આવિર્ભાવ થયો છે. ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી એમ બે પ્રકારની અભિવ્યક્તિ કરનારી ગઝલો છે. ગઝલના આંતરદેહનો વિચાર કરતાં એમ કહી શકાય કે ગઝલ એ પ્રેમની જબાન છે. ગીત અને ઊર્મિકાવ્યના વિષયો ગઝલમાં સ્થાન પામ્યા છે. ગઝલકારની અભિવ્યક્તિ ભાવવાહી અને રસિક હોવાથી હૃદયસ્પર્શી બને છે. - પ્રણયભાવના કે પ્રેમ માનવ જીવનનું અતિપ્રેરક પરિબળ છે એટલે કવિઓએ તેનો મહિમા વિવિધ રીતે ગાયો છે. આ પ્રેમ ભૌતિક હોય કે આધ્યાત્મિક પણ હોય પરિણામે આવી ગઝલો શ્રોતાઓ – વાચકોને રસનિમગ્ન કરવાની ઊંચી ક્ષમતા ધરાવે છે. ગઝલમાં ગેયતા - લય તો હોય છે જ પણ તેની સાથે અલંકારો, પ્રતીક, કલ્પન ના પ્રયોગ, માનવ ચિત્તની સંવેદના – ભાવ જગતને વ્યક્ત કરવામાં ઉપયોગી બને તેવી રીતે વણાયેલાં હોવા જોઈએ. [૧૫] Page #19 -------------------------------------------------------------------------- ________________ ગઝલની ભાષા પ્રત્યાયનમાં અનુકૂળ બને તેવી જોઈએ તેની ભાષા કિલષ્ટ, તત્સમ શબ્દોની હારમાળા વાળી ન જોઈએ. ગઝલ સાહિત્યની દષ્ટિએ કાવ્ય પ્રકાર તરીકે સ્થાન ધરાવે છે તો બીજી રીતે “Performing At “તરીકે પણ તેનું મૂલ્ય ઊંચું છે. મુશાયરા, કવ્વાલી ના સમારંભોમાં ગઝલ કેન્દ્રસ્થાને રહીને કલાત્મક અભિવ્યક્તિ દ્વારા નિર્દોષ આનંદ આપવાનું કાર્ય કરે છે. ગઝલ દ્વારા સર્જકના વ્યક્તિત્વની વિશિષ્ટતા મસ્તી કે મિજાજ પ્રગટ થતો હોય છે. આના પ્રગટીકરણ માટે વેધક ભાષા ઉપયોગી નીવડે છે. કવ્વાલી અને કવ્વાલ શબ્દો ગઝલના સંદર્ભમાં જાણવા જરૂરી છે. જે વ્યક્તિ ગઝલ ગાય છે તે કવ્વાલ કહેવાય છે. અને ગઝલને કવ્વાલી કહેવામાં આવે છે. કવ્વાલ બે પ્રકારની હોય છે. કેટલાક સ્વરચિત ગhો ગાય છે કેટલાક કવ્વાલો અન્ય ગઝલકારોની ગઝલો ગાય છે. આ રીતે કવ્વાલી એ ગઝલ ગાયકી સાથે સંકળાયેલો કાવ્ય પ્રકાર છે. તેનો સંદર્ભ પૂરો પાડે છે. સૂફીવાદી વિચારધારા પ્રમાણે પ્રભુભક્તિ વિષયક ગઝલ ઇલ્મ, તસવક કહેવાય છે. તેમાં ભક્ત હૃદયની ભગવાન પ્રત્યેની આરજૂ, તમન્ના, અનુરાગ, ચિત્તમાં રહેલી લાગણીઓ - ભાવજગતને વ્યક્ત કરે છે. પ્રણયાનુભવ દ્વત વિના અશક્ય છે. સાચો ભક્ત ભગવાન સાથે ભક્તિના માધ્યમ દ્વારા એકરૂપ બને છે. ગઝલની અનેરી મસ્તીનો અનુભવ અવર્ણનીય છે. વર્ણનકૌશલ્ય, વિચારતત્વ, ચિંતન, અલંકારયોજના, સંગીતમયતા, આધ્યાત્મિકતા વગેરેથી ગઝલ અતિસમૃધ્ધ કાવ્ય તરીકે સન્માનનીય છે. સંદર્ભ ગ્રંથ - ગુજરાતી પ્રતિનિધિ ગઝલોને આધારે સંક્લન. [૧૬] Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૨ જૈન સાહિત્યની ગઝલો જૈન સાહિત્યમાં ગઝલોનો પ્રારંભ સ્થળવર્ણનથી થયો છે. વડોદરા, સુરત, ચિત્તોડ, ઉદેપુર, પાલનપુર જેવાં શહેરોનું વર્ણન કરતી ગઝલો પ્રાપ્ત થાય છે. જૈન સાધુ કવિઓએ યુગધર્મને ઓળખીને સમકાલીન પ્રવાહ સાથે એકરૂપ થવા માટે ગઝલોનું સર્જન કર્યું હોય એમ માનવાને કારણ મળે છે. રાજદરબારની ફારસી ભાષા સાધુઓએ શીખી લીધી અને તેનો ગઝલોમાં પ્રયોગ કર્યો હતો. સિધ્ધિચંદ્ર ગણિને અકબર બાદશાહ તરફથી ખુશફહમ” નો ઈલ્કાબ મળ્યો હતો. સ્થળવર્ણનની ગક્લોનો પ્રારંભ ૧૮મી સદીમાં થયો છે. જૈન સાધુઓએ તીર્થ માહાભ્યને લગતાં કાવ્યો રચ્યાં હતાં. પુરાણોમાં જેમ કાશી માહાભ્ય, ગયા માહાભ્યની સમાન જૈન તીર્થોનો મહિમા ગાયો હતો. જૈન સાહિત્યમાં જિનપ્રભસૂરિની રચના “વિવિધ તીર્થકલ્પ' આ પ્રકારની કૃતિ છે જેમાં તીર્થોની ઐતિહાસિક ધાર્મિક અને ભૌગોલિક માહિતી ગૂંથી લેવામાં આવી છે. સંસ્કૃતપ્રાકૃત ભાષાની આ કૃતિઓનો પ્રભાવ સ્થળવર્ણનની ગઝલો પર પડ્યો હોય એમ અનુમાન કરવામાં આવે છે. આ પ્રકારની ગલ્લો મનોરંજન તથા માહિતી પ્રધાન હોઈ તેમાં કવિત્વના અંશોનું પ્રમાણ અલ્પમાત્રામાં છે. વર્ણન કૌશલ્ય ને માહિતી સભર હોવાથી તેનો બાહ્ય આકાર ગઝલનો છે પણ આંતરદેહમાં કવિત્વનાં લક્ષણો નહિવત્ જણાય છે. જૈન સાહિત્યમાં સ્થળવર્ણનની ગઝલો એ ગઝલની પ્રાથમિક અવસ્થા દર્શાવે છે. આ ગઝલોને લોકસાહિત્યના એક અંગરૂપે મૂલવવામાં આવે તો યથાર્થ લેખાશે. ઐતિહાસિક માહિતી મેળવવા માટે આવી ગઝલોને આધારભૂત સાધન ગણાય છે. મુસ્લિમ શાસનના પ્રભાવથી રેખતા અને ગઝલ પદબંધનો આશ્રય [૧૭] Page #21 -------------------------------------------------------------------------- ________________ લઇને સ્થળ વર્ણનની ગઝલો રચાઈ હતી. સંવત ૧૭૪૮માં ખરતર ગચ્છના કવિ ખેતાએ ‘ચિતોડ રી ગઝલની રચના કરી છે. આ રચના સ્વયં તે સ્થળનો પ્રવાસ કરીને કરી હતી એવો સંદર્ભ તેમાંથી મળે છે. કહિયે સિફત કહો કેસિ કિ, આંખ્યું દેખિયે ઐસિ કિ” દુહાથી ગઝલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. “ચરણ ચતુર્ભુજધારિ ચિત, અરૂ ઠીક કરિ મન ઠોર, ચોરાશી ગઢ ચક્કલે, ચાલો ગઢ ચિતોર.” (૧) ચિતોડનું વર્ણન કરતી ગઝલની પંક્તિઓ નમૂનારૂપે નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. ગઢ ચિતોડ હૈ વંકા કિ, માનું સમદમેં લંકાકિ” “જૈસી દ્વારિકા હરિદ્વાર, ગંગા ગોમતી ગિરનાર, બદરીનાથ તટ કેદાર, ઇકલિંગ તેતલા અવતાર.” કસબા તલહટી, ઐસી કિ, દીલ્હી આગર જૈસી કિ” રચના સમયનો સંદર્ભ કવિની પંક્તિઓમાંથી મળી આવે છે (૨) “સંવત સત્તરમેં અડતાલ, ખેતા કિ, આંખે મોજનું એતાર્કિ વદિ પખવાઈ તેરા કિ કીનિ ગજલ પઢિયો ઠીકિ” (૩) ગઝલના અંતે મધ્યકાલીન પરંપરા અનુસાર લશ રચના પણ કરી છે. “પઢો ઠીક બારીક સું, પંડિતાણે જિન્હોં રીત સંગીતકા ઠીક માણે ચારોં ખૂટ માલુમ ચિતાડ ચાવિ, જિહાં ચંડિકાપીઠ ચામુંડ માઈ” (૪) કવિ ખેતાની બીજી કૃતિ ઉદયપુર રી ગલ છે. સંવત ૧૭પપ થી ૧૭૬૭ સુધીમાં થયેલા રાણા જયસિંહના પુત્ર અમરસિંહના વખતમાં રચાઈ છે. [૧૮] Page #22 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણમાં દુહા, ગઝલમાં ઉદયપુરનું વર્ણન અને કળશથી ગઝલ રચના પૂર્ણ થાય છે. દુહા. નામા જપું આદિ ઇકલિંગજી, નાથદ્વાર ગુણ ઉદયાપુર ગાવતાં સંતો કરો સનાથ. ગઝલનીપંક્તિઓ : પીછે તલાવ પીછો લામ્ કરતા લહિર કિલ્લોલાક્ મોહન મંદર બાદર મહિલ, અંદર ખૂબ ઉજલઅહલ. મહિં રહિત મગરમચ્છ, કૂરમ કમછ દાદુર કચ્છ સારસ હંસ બતકા સોર, મધુરે મોર કે ઝિંગોર. નરપતિ બૈઠકર નાવાત્, દેખત સૈલ દરિયાવાક્ (૬) સ્થળવર્ણનની પરંપરાને અનુસરીને કવિરાજ દીપવિજયે વટપદ્ર, ખંભાત, પાલનપુર, સુરત, ઉદેપુર અને શિનોરની ગઝલો રચી છે. તેમાં સમકાલીન ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી પ્રાપ્ત થાય છે. તેનો રચના સમય સં. ૧૮૭૭ની આસપાસ છે. વટપદ્રની ગઝલ સં. ૧૮૫૨માં રચાઇ છે. (૫) કવિ આત્મારામજીએ પૂજા સાહિત્યની રચનામાં ગઝલ અને રેખતાનો પ્રયોગ કરીને નવા વિષયોને સ્થાન આપ્યું છે. પૂજા સાહિત્ય ભક્તિ – માર્ગની પરંપરાનું એક મુખ્ય અંગ છે. ભક્તિના માધ્યમ દ્વારા પ્રભુ સાથે એકાગ્રતા સાધવાની સર્વસાધારણ જનતાને સાનુકૂળતા પ્રાપ્ત થાય છે. તે દૃષ્ટિએ કવિની ભક્તિપ્રધાન રચનાઓમાં દેશીઓની સાથે ગઝલને રેખતાનો પ્રયોગ થયો છે, જે જૈન સાહિત્યની ગઝલના ઇતિહાસમાં નોંધપાત્ર બને છે. કવિ મનસુખલાલે આધ્યાત્મિક વિચાર ધારાને પોતાની ગઝલોમાં સ્થાન આપ્યું છે. શુધ્ધઆત્મતત્ત્વના વિચારોને વ્યક્ત કરતી આ ગઝલો જૈન સાહિત્યનું નવલુ નજરાણું છે. તેમાં ભક્તિ તો ખરીજ પણ વિશેષતઃ આત્મસ્વરૂપની પિછાન માટેના વિચારો કેન્દ્રસ્થાને છે. [૧૯] Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયવીરવિજયજીએ ભક્તિ - માર્ગની લોક પ્રચલિત સ્તવનોની રચનામાં “ગઝલ' નો પદબંધ સ્વીકાર કર્યો હતો. એમણે સ્તવન ચોવીસીને : અંતે કળશ રચનામાં રેખતાનો પ્રયોગ કર્યો છે. જૈન કવિઓની મોટા ભાગની કૃતિઓમાં દેશીઓનું અનુસરણ થયું છે. તેની સાથે સમકાલીન પ્રભાવથી ગઝલ-રેખતાનો પ્રયોગ થયો છે. કવિ હંસવિજયના પૂજા સાહિત્યમાં ગઝલોનો પ્રયોગ થયો છે તેમાં ગિરનારમંડન નેમિનાથ ભગવાનનાં ગુણગાન સાથે તીર્થમહિમા વર્ણવ્યો છે. આ વર્ણનમાં દેશીઓની સાથે ગઝલનો પ્રયોગ થયો છે. વિષયની દષ્ટિએ હંસવિજયનું નામ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. જૈન સાહિત્યની ગઝલોમાં મુખ્યત્વે તીર્થકર ભગવંતના જીવન પ્રસંગો દ્વારા ભક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે. ત્યાગ અને વૈરાગ્યની ભાવનાનું પોષણ અને આત્મસ્વરૂપ પામવા માટે અનિવાર્ય ગુણોનું સંવર્ધન થાય તેવા પ્રેરક વિચારો પ્રગટ થયેલા છે. માનવતાના દૃષ્ટિકોણને કેન્દ્રમાં રાખીને પણ કેટલીક ગઝલોનું સર્જન થયું છે. જેમાંથી વ્યક્તિના વ્યક્તિત્વને ઉદાત્ત બનાવવામાં ચિંતનાત્મક વિચારો સ્થાન પામેલા છે. ભક્તિ, યોગ કે જ્ઞાન ગમે તેનો આશ્રય લેવામાં આવે પણ તે સાધન છે, સાધ્ય નથી એવો દઢ સંકલ્પ કરીને સાધન દ્વારા સાધ્ય-આત્માની મુક્તિ છે તે લક્ષમાં રાખીને આત્માના શાશ્વત સુખની એક અને અવિચ્છિન્ન મહત્વકાંક્ષા પરિપૂર્ણ થાય તે માટેના વૈવિધ્ય સભર વિચારો ગઝલોમાં સ્થાન પામ્યા છે. ગઝલમાં જે મિલન-વિરહ જેવા ભૌતિક પ્રણયની અભિવ્યક્તિ હોવી જોઈએ તેને બદલે આ ગઝલોમાં અધ્યાત્મ પ્રેમ-વિરહ-મિલનની હૃદયસ્પર્શી ભાવવાહી પ્રાર્થના જેવી આધ્યાત્મિક વાણી વણાઈ ગયેલી છે. પ્રેમનાં સર્વ પ્રકારોમાં શ્રેષ્ઠ પ્રભુ પ્રેમ છે. એવો . પ્રધાન સૂર વારંવાર પ્રગટ થયો છે. ગઝલમાં વિષય વૈવિધ્યની દષ્ટિએ વિચાર કરતાં લબ્ધિસૂરિ પછી વલ્લભસૂરિનું સ્થાન આવે છે. એમણે પરંપરાગત વૈરાગ્ય-બોધવાળી ગઝલો [૨૦] Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉપરાંત તીર્થ મહિમા, પર્વની ઉજવણી અને ભક્તિ ભાવવાળી ગઝલોનું સર્જન કરીને આ કાવ્યપ્રકારને સમૃધ્ધ કર્યો છે. વલ્લભસૂરિની પર્યુષણની અને અક્ષયનિધિ તપની ગઝલ વિષયની દષ્ટિએ નવીન હોઇ ગઝલોમાં નવું આકર્ષણ જમાવે છે. કવિનો શાંતિનાથ ભગવાન પ્રત્યે વિશેષ ભક્તિ ભાવ રહ્યો છે એમ એમની કૃતિઓ પરથી નિષ્કર્ષ તારવી શકાય છે. શાંતિનાથ ભગવાનની ગઝલો, સ્તવન, પંચકલ્યાણકપૂજા તેના ઉદાહરણરૂપ છે. એમણે બે કવ્વાલી સંસ્કૃત ભાષામાં રચી છે. જેમાં શાંતિનાથ ભગવાનનો મહિમા ગાવામાં આવ્યો છે. કવિનો સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ અહીં પ્રગટ થાય છે. એમનું ભાષા પ્રભુત્વ કવિત્વ શક્તિનું દ્યોતક છે. પં. મણિવિજયજીએ ઉપા. વીરવિજયજી સમાન સ્તવન રચનાઓમાં ગઝલનો પ્રયોગ કર્યો છે. આચાર્ય લબ્ધિસૂરિએ જૈન સાહિત્યની ગઝલના વિકાસમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છેં. વિષયવૈવિધ્યની સાથે કલાત્મક અભિવ્યક્તિ પણ નોંધપાત્ર છે. બારભાવના, ચારભાવના, તત્ત્વત્રયી, વ્યસનનિષેધ, ઉપદેશાત્મક વૈરાગ્યભાવનું નિરૂપણ અને માનવીયગુણોના વિકાસમાં સંસ્કાર સિંચન કરે તેવી આધ્યાત્મિક અને વ્યવહાર જીવન વિષયક ગઝલોની રચનાથી જૈન સાહિત્યની ગઝલોને સમૃધ્ધ કરી છે. જૈન સાહિત્યના પ્રથમ કોટિના ગઝલકાર તરીકે એમનું સ્થાન છે. કવિનો મિજાજ ને મસ્તી ગઝલોમાં નિહાળી શકાય છે. સંખ્યા અને ગુણવત્તાની દષ્ટિએ આ. લબ્ધિસૂરિની તુલનામાં અન્ય કવિઓ નભોમંડળમાં તારલા સમાન છે. જ્યારે આ. લબ્ધિસૂરિ સૂર્યસમાન પ્રકાશ પુંજ પાથરીને ગઝલને વિશાલ ફલક પર તરતી મૂકે છે. સાંપ્રદાયિક વિષયોની સાથેસાથે સાંસ્કૃતિક મૂલ્યોનું સંરક્ષણ થાય અને માનવીય ગુણો પ્રત્યે આદર થાય તેવા વિચારો પ્રગટ કરતી ગઝલો જન સાધારણને સ્પર્શી શકે તેવી ઊંચી ગુણવત્તા ધરાવે છે. આગમ પ્રભાકર મુનિ પુણ્યવિજયજીની બે ગઝલોમાં ગુરુવિરહથી [૨૧] Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ભવેલી લાગણી, શુભભાવના, પ્રત્યુપકાર વ્યક્ત કરીને ગુરુ મહિમા પ્રગટ કરે છે. આ ગંઝલોં કરૂણરસની ભાવવાહી હૃદયસ્પર્શી અભિવ્યક્તિના ઉદાહરણરૂપ છે. કવિઓની ઝલો મુખ્યત્વે ભક્તિ રસપ્રધાન હોવાથી શાંત રસની અનુભૂતિ કરાવે છે જ્યારે પુણ્યવિજયજીની બે ગઝલ રસની દષ્ટિએ વિચારતાં વધુ આકર્ષક બને છે. આ. દક્ષસૂરિની સ્તવનાવલિમાં પ્રભુભક્તિ વિષયક ગઝલો પ્રાપ્ત થાય છે. કેટલીક પ્રકીર્ણ ગઝલોમાં જ્ઞાન અને ભક્તિના સમન્વયની સાથે આત્મસ્વરૂપ ચિંતન, જિનવાણીનો મહિમા, ગુરુવિરહ, વૈરાગ્યભાવના, તીર્થમહિમા વગેરે વિષયોને સ્થાન આપવામાં આવ્યું છે. જૈન સાહિત્યની ગઝલો ચળવર્ણનથી શરૂ થયા પછી ક્રમશઃ આધ્યાત્મિક વિચારોને વિવિધ રીતે સ્પર્શે છે. સૂફીવાદની વિચારધારામાં આધ્યાત્મિક વિચારોને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવ્યા છે તદ્દનુસાર જૈન સાહિત્યની ગઝલો પણ અધ્યાત્મ માર્ગની ચિંતન અને મનન કરવા લાયક પ્રસાદી છે. આત્મ વિકાસ માટે વૈરાગ્યભાવ પોષક હોવાથી જુદા જુદા સ્વરૂપમાં રચનાઓ થઇ છે તેમાં ગઝલ પ્રકારની કૃતિઓ પણ સમર્થન આપે છે. સમગ્ર૨ીતે વિહંગાવલોકન કરતાં ગઝલોમાં વિષય વૈવિધ્ય નોંધપાત્ર છે. આ ગઝલોમાં વ્યક્ત થયેલા વિચારો પ્રાચીન દષ્ટાંતોનો સૂચક ઉલ્લેખ કરીને સાંસ્કૃતિક મૂલ્યોનું સમર્થન કરે છે. સત્ત્વશીલ સાહિત્યમાં આવા વિચારોનું પ્રતિપાદન થાય તે ઇચ્છવા યોગ્ય છે. આ દૃષ્ટિએ વિચારીએ તો ધાર્મિક વિષયો દ્વારા માનવજન્મની સફળતા અને વ્યવહાર શુધ્ધિથી સાચા માનવી બનવા માટેની કલ્યાણકારી ભૂમિકા પૂરી પાડે છે. ગઝલોના વિકાસનો વિચાર કરતાં તેમાં રહેલી પ્રયોગશીલતા ધ્યાન ખેંચે છે. [૨૨] Page #26 -------------------------------------------------------------------------- ________________ “ગઝલના કાવ્ય રૂપને સંયોજીને એક નવીન સંસૃષ્ટિરૂપ gross genere) સર્જવાના આશયથી ગઝલકાર પ્રયોગ તત્પર બને છે. આવાં સંયોજનો સૉનેટ-ગઝલ, દુહા-ગઝલ, ગઝલ-મુક્તક, ગીત-ગઝલ, ઠુમરી-ગઝલ, એમ થતાં રહ્યાં છે.'' (૭) ‘‘ગઝલમાં લય સાધ્ય કરવામાં સંગીતનું પ્રદાન વિશેષ મહત્વનું છે. તેના દ્વારા સ્વરતાલના સાતત્યને લીધે એકાગ્રતાનું વાતાવરણ સર્જી શકાય છે. આવી એકાગ્રતા જ સફળતાનું સૂચન કરે છે. ''(૮) ગુજરાતી ભાષામાં પ્રારંભની ગઝલો છંદ પૂરતી જ સીમિત હતી. બાલાશંક૨ કેથારિયાની ગઝલનું ઉદા. જોઇએ તો “ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.'' -મણિલાલ નભુભાઇ દ્વિવેદી ‘અહા ? હું એકલો દુનિયા બિયાબાંમાં સૂનો ભટકું રઝળતો ઇશ્કને રસ્તે, અહીંતહીં આંધળો અટકું' (૧૦) -કવિકલાપી “યારી ગુલામી શું કરું, તારી સનમ ગાલ ચૂમું કે પાનીએ તુને સનમ.' (૧૧) આ ગઝલો ભૈરવી રાગમાં ગવાતી હતી તે ઉપરથી ગઝલનું શાસ્ત્રીય રાગ સાથેનું સંયોજન થયેલું લાગે છે. (e) "" “ગઝલના છંદો માત્રામેળ છે. આ છંદો એટલાબધા સ્થિતિસ્થાપક છ `કે ચતુષ્કલ, પંચકલ, ષટ્કલ, સમકલ એમ ગમે તે રીતે વાંચી શકાય છે. અર્થાત્ કહ૨વા, માળી, ત્રિતાલપંજાબી, ઝપતાલ, દાદરા, એકતાલ, રૂપક કે દીપચંદી એમ જુદીજુદી માત્રાવાળા તાલમાં સહેલાઇથી બેસાડી શકાય છે. રાગોનું મિશ્રણ કાવ્યના ભાવમાં અતિસુદંર લાગે છે. ગઝલનું માધ્યમ [૨૩] Page #27 -------------------------------------------------------------------------- ________________ સંગીતમાં વધુ લોકપ્રિય થયું છે. (૧૨) ગઝલ રચનાના સંદર્ભમાં શાસ્ત્રીય રાગ - તાલનું સંયોજન પણ મહત્વનું સ્થાન ધરાવે છે. જૈન સાહિત્યની ગઝલોમાં આવો પ્રયોગ થયો છે. આ અંગેનાં કેટલાંક ઉદાહરણો અત્રે નોંધવામાં આવ્યાં છે. લગભગ બધીજ ગઝલોમાં રદીફનું અનુસરણ થયેલું છે, રદીફની સાથે અને સ્વતંત્ર રીતે કાફિયા પણ સ્થાન પામ્યો છે. કેટલીક ગઝલોના “શેર'ની ચોથી પંક્તિનું પ્રત્યેકનું પુનરાવર્તન ગીત, કાવ્ય, ગરબો કે દેશની ધ્રુવ પંક્તિ સમાન સ્થાન પામ્યું છે. તેના પરિણામે આવી ગઝલોમાં વેધક વિચારો પ્રગટ થયા છે. જૈન સાહિત્યની ગઝલોનું અવલોકન કરતાં એમ જાણવા મળે છે કે કવિઓએ ગઝલને એક રાગ તરીકે સ્વીકારીને તેનું સર્જન કર્યું છે. ગઝલનો પ્રભાવોત્પાદક લય, કવ્વાલીની વિશિષ્ટ પ્રકારની ગેયતાથી પ્રેરાઇને ગઝલ કવ્વાલીનું સર્જન થયું છે. પરિણામે તેનું છંદશાની રીતે મૂલ્યાંકન કરતાં બંધારણ અંગેની ત્રુટિઓ રહેલી છે. માત્ર લય-ગેયતાને મહત્વ આપીને ગઝલોની રચના થઈ છે ત્યારે તેના બંધારણની અપેક્ષા પૂર્ણ થઈ શકે નહિ તે સ્વાભાવિક છે. કેટલાંક ઉદાહરણો પરથી ગઝલો વિષે વધુ માહિતી મળી શકે તેમ છે. આ. લબ્ધિસૂરિની ગઝલો ઉદા. તરીકે જોઇએ તો - “લગી હૈ ચાહ દરશનકી મિટા દોગે તો ક્યા હોગા” કવિએ અહીં રાગ-ગજલ, કવ્વાલી એમ નોંધ્યું છે. “ભજો મહાવીરકે ચરણો, છુડા દેગા જનમ મરણોં.” “કુંથુજિન મેરી ભવભ્રમણા, મિટા દોગે તો ક્યા હોગા.” “રૂષભજિન સુન લિયો ભગવાન, અરજ તુમસે ગુજારું છું.” આ ઉદા.માં કવિએ “રાગ ગજલ” એમ લખ્યું છે. શાસ્ત્રીય રાગો અને દેશીઓના ચાલ વાળી ગઝલ - કવ્વાલી રચનાઓ [૨૪] Page #28 -------------------------------------------------------------------------- ________________ પણ ઉપલબ્ધ થાય છે. ઉદા. "મેં ભેટ્યા આદિનાથજી, હર્ષ અપાર, હર્ષ અપારી. આનંદકારી રાગ રોગ હર કવાથજી. હર્ષ અપાર.” અહીં ગઝલ-ભૈરવી રાગનો સુમેળ સધાયો છે. ચંદા પ્રભુજી પ્યારા, મુઝકો દીયો સહારા'' અહીં કવિએ રાગ-કવ્વાલીનો ઉલ્લેખ કર્યો છે. વિજય માણિકયસિંહસૂરિ કૃત મહાવીર સ્વામી પંચકલ્યાણક પૂજાની ચોથી ઢાળમાં રાગ-સોહની-કવ્વાલીનો પ્રયોગ થયો છે. વળી તે દેશી સાથે સામ્ય ધરાવે છે તે દષ્ટિએ દેશીનો ઉલ્લેખ કર્યો છે. દેશી-“રાજા મેરા મિથેની ગયા”. કવિ મનસુખલાલની ગઝલનું ઉદા. જોઈએ તો – સુબોધકે ઉદ્યોત હોત, દુરિત તમ હરા” “પ્રભુ ફજલ્ મજલૂ કરું, મેં આત્મ શકિતપે” “પ્રતા દક્ષ શાન લક્ષ ચેતના જાગી”. અહીં કવિએ “ગજલ-તાલ-દાદરા-અંગ્રેજી બાજેકી ચાલ” એમ જણાવ્યું છે. આચાર્ય વલ્લભસૂરિની ઋષિમંડલની પૂજાની આઠમી ઢાળમાં એવી નોંધ છે કે ગજલ-તાલ કવ્વાલી નાટક અને દેશી આશક તો હો ચુકા હું. “વીર જિણંદ જયકારા, જયકારા, ભવિ જન ભાવશું પૂજો.” આ. વલ્લભસૂરિની પંચતીર્થ પૂજાનું ઉદા. જોઈએ તો - “પૂજન તો કર રહા હું, ચાહે તારો યા ન તારો” અહીં ગઝલ-કવ્વાલીની સાથે ચાહે બોલો યા ન બોલો- એ ચાલનો ઉલ્લેખ કર્યો છે. એમની મહાવીર પ્રભુ પંચ કલ્યાણકપૂજાની ગઝલમાં દેશીનો સમન્વય [૨૫] Page #29 -------------------------------------------------------------------------- ________________ થયો છે. “દેશી-ધન ધન વો જગમેં' “ધન્ય ધન્ય વીર જિવંદ ભગવાન, તપસ્યા કરકે બતલાનેવાલે.” ઉપરોક્ત ઉદાહરણો ગઝલ અને કવ્વાલીનો શાસ્ત્રીય રાગ અને દેશી સાથે સંબંધ દર્શાવે છે. મુખ્યત્વે તો કવિઓએ ગઝલ-કવ્વાલીન રાગ-લયને અનુસરીને કૃતિઓ રચી છે. કવિ હંસવિજયની એક કવ્વાલીનું ઉદા. નીચે મુજબ છે. “પૂજન દ્રવ્ય ભાવસે હોવે, સાધુ સિધ્ધાંત દિખલાવે.” સુનો પ્રભુ વિનતી એતી, હમેં સંસારસે તારો " યહ ચાલ કવ્વાલી” એમ ઉલ્લેખ કર્યો છે. આ વલ્લભસૂરિની નિજાનવે પ્રકારી પૂજાનું ઉદા. નીચે મુજબ છે. “ગિરિરાજ દર્શ પાવે, જગ પુણ્યવંત પ્રાની” અહીં કવિએ “ કવ્વાલી-ગજલ-ચાલ આશક તો હો રહા હું” એમ ઉલ્લેખ કર્યો છે. બીજું ઉદા. યાત્રા નિત કરિએ, નિત કરિએ, પ્રભુ આદિજિનંદ અનુસરિએ” કવિએ અહીં તાલ-કવ્વાલી-ચાલ મુજરો એમ નોંધ્યું છે. “હુંઢ ફિરા જગ સારા જગ સારા, સિધ્ધગિરિઆની ન મિલા” અહીં કવિએ “સોહની-કવ્વાલી-ચાલ-રાજા મેરા કિલ્થની ગયા” એમ દર્શાવ્યું છે. - આ. વલ્લભસૂરિની એક રચનામાં ગઝલની સાથે તાલ દાદરાનું સંયોજન થયું છે. સેવો ભવિ વીરજિન રાજા, અપુનરાવૃત્તિ ફળ તાજા”. તેમાં વળી “લો દિવાના કિયા દિલ મેરા” એ ચાલ સાથે પણ સંબંધ દર્શાવ્યો છે. [૨૬] Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત ઉદાહરણોને આધારે એવો નિષ્કર્ષ તારવવામાં આવે છે કે જૈન સાહિત્યની ગઝલો પદબંધ તરીકે મોટે ભાગે ગઝલના છંદશાસ્ત્ર કરતાં શાસ્ત્રીય રાગ-દેશીઓ અને ચાલને અનુસરીને સર્જાઈ છે. તે દષ્ટિએ ગઝલોનું મૂલ્યાંકન કરતી વખતે છંદશાસ્ત્ર (અરબી-ફારસીના) કરતાં કવિઓએ ગઝલના લય-રાગને અનુસરીને રચના કરી છે એ વાત ધ્યાનમાં લેવી અનિવાર્ય બને છે. સાહિત્ય સર્જનમાં પરંપરા અને પ્રયોગને પણ સ્થાન આપવામાં આવ્યું તે દષ્ટિએ વિચારીએ તો ગઝલોમાં પણ પ્રયોગો થયા છે. જૈન સાહિત્યની ગઝલોમાં આવા પ્રયોગનું વલણ જોવા મળે છે. છંદશાસ્ત્રના નિયમ પ્રમાણેની ગઝલો સિવાય અન્ય ગઝલો રચાય છે તે માટે જમિયત પંડ્યાના વિચારો નોંધવામાં આવ્યા છે. “છંદ શાસ્ત્રમાં ગઝલ અને તે સિવાય બંધારણપૂર્વકના અન્ય ઘણા પ્રકારો છે. વર્તમાન સમયની ગઝલોમાં પ્રાસાનુપ્રાસને કારણે ભાવસાતત્ય સાવંત જળવાઈ રહે તે પ્રકારે રચાયેલી ઘણી ગઝલો પ્રસિધ્ધ થતી રહે છે. આ પધ્ધતિને “નઝમ' પ્રકારની ગઝલો તરીકે ઓળખાય છે. ભાવ સાતત્ય જાળવી શકાય તેવી ગઝલ સિવાય અન્ય ચૌદ પ્રકારો છે. ૧ ગઝલ, ૨ મુક્તક, ૩ રૂબાઈ, ૪ નઝમ, ૫ પરંપરિત, ૬ આઝાદબહર, ૭ મુરબ્ધ, ૮ મુસલ્લસ, ૯ મુખમ્મસ, ૧૦ મુસલ્સ, ૧૧ મુસમ્મન, ૧૨ મુઅશર, ૧૩ તઝમીન, ૧૪ હિકાયાત, ૧૫. મસનવી. - ગુજરાત, દક્ષિણ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં જઈ વસેલા મુસ્લિમ વિદ્ધાનો અને સૂફીસંતોએ મસનવીઓ લખી છે. તેમજ હિમાયતો પણ લખાઈ છે. આ ગઝલની બહેરોમાં સળંગ કથાવસ્તુઓ, ઉપદેશો, પ્રેમકથાઓ તેમજ પ્રશસ્તિ કાવ્ય પ્રકારો ઉર્દુ, પંજાબી, સિંધી વગેરે ભાષાઓમાં લખાયેલ છે. વર્તમાન સમયમાં આ પ્રકારોનો ક્યાંય ઉપયોગ થતો નથી. ગુજરાતના કેટલાક સ્થળોએ વસેલા સંત કવિઓએ લાંબાં ખંડકાવ્યો, મસનવીઓ અને હિકાયત [૭] Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉર્દૂમાં રેખતામાં લખેલ છે. આ પ્રકારનું ખેડાણ લગભગ હવે થતું નથી.” (૧૩) જૈન કવિઓએ રેખતા'નો પ્રયોગ કરીને આધ્યાત્મિક વિચારો વ્યક્ત કર્યા છે. તેમાં ઉપદેશનું તત્ત્વ પણ રહેલું છે. સૂફી વિચાર ધારાને વ્યક્ત કરતી ગઝલોમાં ઉપદેશ રહેલો છે તે દૃષ્ટિએ જૈન સાહિત્યની ગઝલોમાં આવો ઉપદેશ હોય તો તે ગઝલના વિષય વસ્તુનું એક અંગ છે એમ માનવું જોઇએ. ગઝલમાં સતત પ્રયોગો થયા છે. અને થતા રહેશે. જૈન સાહિત્યની ગઝલોમાં પ્રયોગનું વલણ ઓછું છે છતાં તેમાં શાસ્ત્રીય રાગ અને દેશીઓનું સંયોજન કરીને ગઝલોમાં પ્રયોગશીલતા દર્શાવી છે. સ્થળ વર્ણનની ગઝલોમાં મધ્યકાલીન પરંપરાનું અનુસરણ કરીને કળશ, દુહા, રચના, સંવત વગેરે વિગતો પ્રાપ્ત થાય છે. કવિખેતા'ની ‘ચિતોડરી ગઝલ’નું ઉદા. નીચે પ્રમાણે છે. “ખરતર કવિ તિ ખેતાકિ, આંખ મોજસું એતાકિ, સંવત સત્તરમેં અડતાલ, સાવણમાર રિતુ વરસાલ,” વદિ પખવારઇ તેરી કિ કીની ગઝલ પઢિયો ઠીકિ” (૧૪) કવિરાજ દીપવિજયની ‘‘પાલનપુરની ગઝલ’’માં ‘કળશ’ રચના થયેલી છે તેમાં કવિના નામનો સંદર્ભ છે. “ધરણરાજ પદ્માવતી અહર્નિસ્ પ્રભુ હાજર રહે દીવિજય કવિરાજ બહાદર સકલ સંઘમંગલ કરે" (૧૫) ગઝલની છેલ્લી કડીમાં કવિનું નામ કે ઉપનામનો ઉલ્લેખ થયેલો હોય છે. જૈન સાહિત્યની ગઝલોમાં પણ ઉપનામ કરતાં સીધા નામનો જ સંદર્ભ પ્રાપ્ત થાય છે. અરે આ નાવ જીંદગીનું ધર્યું છે હાથ મેં તારે, ડુબાવે તું ઉગારે તું, શ્રી શુભવીર વીનવે તુજને. અહીં કવિ પંડિત વીરવિજયનો નામોલ્લેખ થયો છે. [૨૮] ur Page #32 -------------------------------------------------------------------------- ________________ નાગર' ની અરજ ઉર ધરજો.” વિનયમુનિ વદે ભાવે, ગઝલ એ પ્રેમથી ગાવે” “ગુણીના ગુણની વિધિ પૂજય પુણ્યવિજયે કીધી વાલી શુધ્ધ એ કીધી, દયાળુ મેં નથી દીઠી.” રા કહે લબ્ધિ સુખી થાશે, પડવા જે એહના પાસે વેશ્યાની વાસના ત્યાગો, અગર જો સુખડાં માગો” ૧૦ સહસ હો કમ સત્તાઇસે, ચૈત્ર દ્વાદશી સુદિ સારી, કિયો વલ્લભ પ્રભુ દર્શન, હુઓ આનંદ શનિવાસ. ૧૦ના (આ કડીમાં રચના સમય, મહિનો, તિથિ, વાર અને કવિના નામનો ઉલ્લેખ છે) નેમિ લાવણય ચરણોંકા ઉપાસક દક્ષ ગાવત હૈ (અહીં કવિએ ગુરૂ પરંપરાનો નિર્દેશ કર્યો છે) રૂપાતીત સ્વભાવ ધરે, શુધ્ધ કેવલજ્ઞાન નહીં દર્શ વરે; - જબ આતમરામ આનંદ ભરે. સિધ્ધ. શા ઘન ઘાતી ક્ષીણ શુકલ લીન, વીર્ય ઉમહયો, ' મનસુખ રંગ શીવ સંગ, સેજસે રહ્યો. ૪ મેં અરજ કરી સુખદાયા, તે અવધારો મહારાયા, એમ વીરવિજય ગુણ ગાયા, મેં આજે દરિશન પાયા. શ્રીનેમ. યદુકુલકે વિભૂષણ હો, ત્રિભુવન કે તુમ સ્વામી, હમારે મન માનસમેં, બિરાજો હંસગતિ ગામી. ૪ સંસ્કૃત ભાષાની ગઝલમાં પણ નામનિર્દેશ થયેલો જોવા મળે છે. - “વલ્લભ દેવ ચરો હર્ષોન્મ લક્ષમી કરશે” વસની તે ચરણ કમલે માયા લબ્ધિઃ શ્રુતાસર્વા.” [૨૯] Page #33 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત ઉદાહરણો દ્વારા મધ્યકાલીન અને અર્વાચીન પ્રણાલિકા અનુસાર કવિના નામની સાથે અન્ય વિગતો ઉપલબ્ધ થાય છે. જૈન સાહિત્યની ગઝલોમાં બાહ્ય આકાર જોઈ શકાય છે પણ તેનો આંતર દેહ ગઝલના ભાવને સ્પર્શતો નથી. કેટલીક ગઝલો તો માત્ર માહિતી પ્રધાન છે તો વળી અન્ય ગઝલોમાં આકારની સાથે અંતસ્તત્વ પણ રહેલું છે. તેમાં રસ-ભાવ-ચિંતન જેવાં લક્ષણો જોઈ શકાય છે. જૈન સાહિત્યની ગઝલોનો અભ્યાસ કરતાં એમ લાગે છે કે લગભગ ૩૧૫ વર્ષ પહેલાં સ્થળ વર્ણનની માહિતીપ્રધાન અને વર્ણનાત્મક ગઝલો રચાઈ હતી ત્યાર પછી ક્રમશઃ વિષય વૈવિધ્ય અને રસ-ભાવ પૂર્ણ ગઝલો રચાઈ છે. સમકાલીન મુસ્લિમ શાસનના પ્રભાવથી ગઝલો રચી હોવાનું માનવામાં આવે છે, તેમ છતાં આ શાસનકાળ વીતી ગયો અને નવા વિષયોમાં ગઝલોની પરંપરા ચાલુ રહી છે. તેમાં સાંપ્રદાયિકતાનું લક્ષણ હોય તે તો સ્વાભાવિક છે છતાં તેમાં માનવતા પ્રેરક વિચારોનું નિરૂપણ થયેલ હોવાથી ગુજરાતી ભાષાની ગઝલોમાં પોતાની અસ્મિતા ટકાવી રાખે છે. જૈન સાહિત્યની ગઝલોમાં લગાગાગા ચાર આવર્તનોનો ૨૮ માત્રાનો હજ મુસખ્ખન સાલેમ છંદ કુશળતાપૂર્વક પ્રયોજાયો છે. ગુજરાતી ભાષાની પ્રારંભની ગઝલોમાં બાલાશંકર કંથારિયા, કવિ કાન્ત, મણિલાલ દ્વિવેદી વગેરે કવિઓએ તેનો જ પ્રયોગ કર્યો છે. ગુજરાતી ભાષાની ગઝલોમાં એનો રંગ, મિજાજ અને પ્રવાહિતામાં જરા પણ ઉણપ નથી. જૈન સાહિત્યનું વસ્તુ સાંપ્રદાયિક છે તેમાંથી પણ ગઝલની મસ્તી અને મિજાજ નિહાળી શકાય છે. પ્રારંભની ગઝલોમાં પ્રાસ મેળવવા માટે શબ્દોની તોડફોડ કરીને બાહ્ય રીતે ગઝલ છે એમ દર્શાવવાનો પ્રયત્ન થયો છે. ત્યાર પછીની ગઝલોમાં આવું વલણ જોવા મળતું નથી. કવિઓએ ગુજરાતી હિન્દી ભાષાનું મિશ્રણ કર્યું છે. [૩૦] Page #34 -------------------------------------------------------------------------- ________________ અને અરબી ફારસીના વિશિષ્ટ શબ્દપ્રયોગો દ્વારા ગઝલની ઓળખાણ આપવા માટેનો પ્રયત કર્યો છે. જાલિમ, બંદા, મલાહ, જૌહરી, ગંદા, મજલ, મંજલ, ગમાયા, મતવાલા, મુબારક, બંદગી, સિફત, ઇલમ, જારી, વગેરે શબ્દપ્રયોગો ગઝલોમાં નોંધપાત્ર બને છે. ગઝલ ને અનુરૂપ લય સાધવા ઉપરોક્ત શબ્દો ઉપયોગી બન્યા છે. આ. વલ્લભસૂરિ અને આ. લબ્ધિસૂરિની ગઝલોમાં ગુજરાતી-હિન્દી ભાષાની સાથે ગઝલના બંધને સંસ્કૃત ભાષામાં સિધ્ધ કરવાનો પુરુષાર્થ કર્યો છે. સંસ્કૃત ભાષામાં આવી કૃતિ સર્જન કરનારા આ બે કવિઓ જૈન સાહિત્યની ગઝલોની સાથે વિશેષતાઓમાં ચાર ચાંદ લગાવે છે. ઉર્દૂ-ફારસી હિન્દીગુજરાતી જેવી ભાષાઓમાં ગઝલ અને કવ્વાલીની રચનાઓ થાય તે તો સ્વાભાવિક છે પણ સંસ્કૃતમાં આવી રચનાઓ કરીને જૈન કવિઓએ ભાષા પ્રભુત્વનું આશ્ચર્યકારક દર્શન કરાવ્યું છે. મલઅ અને મક્તઅ, રદીફ, કાફિયા વગેરેનો પણ ગઝલોમાં પ્રયોગ થયો છે.વ્યવહા૨ જીવનનાં દૃષ્ટાંતો - ઉપમા-રૂપક, ઉત્પ્રેક્ષા જેવા અલંકારો, શાંત, વૈરાગ્ય અને કરૂણરસની અનુભૂતિ, ઉપદેશાત્મક વિચારો શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસની યોજનાથી સમર્થ અભિવ્યક્તિ, શબ્દવૈભવ વગેરેથી બધી ગઝલો જૈન સાહિત્યની વિવિધતા અને સમૃધ્ધિમાં ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. સાહિત્યનો મૂળભૂત ઉદ્દેશ તો નિર્દોષ આનંદ આપવાની સાથે માનવ કલ્યાણની ઉદાત્ત ભાવનાનો રહેલો છે તે જો ચરિતાર્થ થતો હોય તો પછી ગદ્ય-પદ્યનો કોઇ ભેદ રહેતો નથી. પદ્યના પ્રકારોમાં ગઝલ પણ પોતાની અસ્મિતા ટકાવીને જનસાધારણને ચિંતનાત્મક અને વિચારાત્મક ભાથું પૂરું પાડીને માનવતાવાદી વ્યક્તિત્વ ઘડતરમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપકારક નીવડે છે. ગઝલની અભિવ્યક્તિમાં આધ્યાત્મિક વિચારો જોવા મળે છે. મારિફત અધ્યાત્મવાદ આ પ્રકારની ગઝલની વિશેષતા એ છે કે [૩૧] Page #35 -------------------------------------------------------------------------- ________________ એમાં દિવ્યપ્રેમ, લૌકિક નહિ પણ લોકોત્તર પ્રેમની ભાવનાનું નિરૂપણ થયેલું હોય છે. તેમાં કવિની વ્યંજના શક્તિ અને પ્રતીકોનું ઉપાદાન રહેલું છે ગઝલમાં અધ્યાત્મવાદ વિશેના અવતરણને અત્રે નોંધવામાં આવ્યું છે. ઉર્દૂના શાયર શાદ' અઝીમા બાદીએ ગઝલમાં સૂફી વિચારધારાનો આરંભ ૨૦ મી સદીમાં કર્યો. એનો સાર એ છે કે સંસારની વિભિન્નતા એક પ્રપંચ માત્ર છે. વિભિન્ન જણાતા સમસ્ત એકાંશો એજ શક્તિના અંશ છે. જેમને આ શક્તિ એ પ્રેમના અંશને ઊર્ધ્વ કરવા પોતાનાથી વિખૂટા કર્યા છે. પ્રેમ દ્વારા આ વિખૂટા અંશ પેલા મહાન તત્ત્વમાં મળી શકે છે અને જીવન લીલા સમાપ્ત થઈ જાય છે. આ વિચારસરણી ભારતીય વેદાંત સાથે મેળ ખાય છે. આત્મા પરમાત્મા વચ્ચેનો પ્રેમ, મિલનની ઉત્કટ ઝંખના, તલસાટ, જગત તરફની બેપરવાઈ, મસ્તી વગેરે એમાં રજૂ થાય છે. ઉશ્રુંખલા કે ઉન્મત્તતા નહીં પરંતુ આંતરિક પાત્રનું છલકાઈ ઊઠવું. ઉમાશંકર જોશી કહે છે મસ્તી એટલે જગતને વ્યવહારની કાંચળી ઉતારીને ફેંકી દેવાની શક્તિ. આવી શક્તિ વગર કવિતા તત્ત્વનો પણ ઉદય અસંભવિત છે, કેમકે કાવ્ય પણ તે ઘડીએ પ્રસરે છે જે ઘડીએ આ મેળવું, આ છોડી દઉં, આની ઉપેક્ષા કરું એવી વસ્તુ માત્ર પ્રત્યેની શૂન્યતા પામ્યો હોય છે અને આનું જ બીજું નામ મસ્તી.” સૂફીવાદના વિચારોના પ્રભાવ હેઠળ ગઝલો રચાઈ છે. સૂફીવાદે ગઝલ દ્વારા પ્રેમનું આકર્ષણ, ઊર્ધ્વગતિ અને સૌન્દર્ય જેવાં લક્ષણો વિકસાવ્યાં છે. તેનાથી ગઝલમાં બૌધ્ધિક અને ચિંતનાત્મક વિચારો સ્થાન પામ્યા છે. પરમાત્મા મનુષ્યને પથપ્રદર્શન કરીને પ્રેરણા પણ આપે છે. ઇચ્છાઓના દમનપર સૂફીવાદ વિશેષ ભાર મૂકે છે. સૂફીવાદના વિચારો વેદાંત, બૌધ્ધદર્શન અને ભારતીય ભક્તિ માર્ગની સાથે સામ્ય ધરાવે છે. સૂફી દિવ્યપ્રેમનો ભિક્ષુક છે. સંસારના લોકોનાં દંભ જોઇને એમનું મન વિરક્ત બન્યું છે. દેવી પ્રેમને છુપાવનાર આવરણની ખોજમાં પ્રવૃત્ત થવાની આકાંક્ષા સૂફીવાદમાં મહત્વની છે. અહંકારને ઓગાળવાથી દિવ્યપ્રેમની અનુભૂતિ થાય અને તન્મયતા આવી [૩૨] Page #36 -------------------------------------------------------------------------- ________________ જતાં ભક્તિ રસમાં અનન્ય આનંદની અનુભૂતિમાં જીવન વ્યતીત થાય છે. સૂફીવાદની વિશેષતા દર્શાવતા કેટલાક વિચારો જોઈએ તો - “સત્યની પ્રાપ્તિ એ જ જીવનનો ઉદ્દેશ છે.” બાહ્યસૃષ્ટિ સારહીન છે. આંતરિક જ્યોતિ પથપ્રદર્શકનું કામ કરે છે. અને અંતિમ પ્રકાશ તરફ દોરી જાય છે. આની પ્રાપ્તિ કેવળ આત્મ પ્રકાશ દ્વારા થઈ શકે છે. યોગાભ્યાસ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. જેથી કંઇક અનુભવ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને જ્યારે સાંસારિક અસ્તિત્વનું ભાન રહેતું નથી ત્યારે સિધ્ધિની અવસ્થા પ્રાપ્ત થાય છે. જ્યારે સીમિત આત્મા મહાન જ્યોતિમાં મળી તેમાં વિલીન થઈ પોતાને વીસરી જાય છે ત્યારે જ આ અવસ્થા પ્રાપ્ત થાય છે. આ અભ્યાસ સ્વયં શક્ય નથી. ગુરુનું હોવું અતિ આવશ્યક છે. યાત્રા આંતરિક અને માર્ગ અદષ્ટ છે. જે આ માર્ગ પર ચાલી ચૂક્યો હોય તેજ પથપ્રદર્શક થઈ શકે છે. એવી વ્યક્તિ મુક્ત હોય છે. ઘણી શોધ પછી ગુરુ મળે છે અને તે ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે જિજ્ઞાસા પિપાસા ઉત્કટ હોય. તેની ઓળખ કઠિન છે. પરંતુ સમય અનુકૂળ થતાં તે સ્વયં ઓળખાઈ જાય છે. ગુરુમાં પૂર્ણ શ્રધ્ધા અતિ આવશ્યક છે. અને ગુરુની આજ્ઞાનું પાલન શીઘ્ર ફળદાયી નીવડે છે. વિશ્વાસથીજ શિષ્યનો માર્ગ પ્રકાશિત થઈ ઊઠે છે. તેને દેવીદષ્ટિ પ્રાપ્ત થાય છે. અને અંતે તે પ્રેમસાગરમાં મગ્ન થઈ જાય છે. (૧૭) સૂફી માટે દરિદ્ર પણ પવિત્ર અને તપમય જીવન જરૂરી છે. આત્મ નિરીક્ષણ તેમજ મનની એકાગ્રતા અનિવાર્ય છે. જેનાં સાધન સદ્ગુરુ દ્વારા જ મળે છે. પોતાના ધ્યેયને વરેલા સૂફી આને પુષ્ટ કરે છે. તેમનો અનુભવ દિવ્યજ્ઞાનની સમાન તર્ક અને બુધ્ધિથી પર છે. તેમ છતાં તેમની શ્રધ્ધાની [૩૩] Page #37 -------------------------------------------------------------------------- ________________ આધારશીલા હોવાથી તે અંતર્ગત સત્ય જ કહેવાશે. તર્ક અને બુધ્ધિથી પર જે એક અગોચર સત્ય છે. તેમાં જ સૂફીઓ વિશ્વાસ રાખે છે. તેમની સાધના ત્યાં સુધી પહોંચવું અને સિધ્ધિ તેમાં એકાકાર થવું તે છે.” (૧૮) સૂફીવાદના ઉપરોક્ત વિચારો જૈન સાહિત્યની પ્રભુવિષયક, ઉપદેશાત્મક અને વૈરાગ્યપ્રેરક ગઝલોના સમર્થન માટે મહત્વનું સ્થાન ધરાવે છે. તપ, ત્યાગ, ઇન્દ્રિય દમન, અનાસક્ત ભાવ, સાધના-યોગાભ્યાસ, આત્માનુભૂતિ જેવા વિચારો ધર્મમાં કેન્દ્રસ્થાને છે એટલે જૈન કવિઓએ પોતાની ગઝલોમાં આધ્યાત્મિક વિચારોને કલાત્મક રીતે ગૂંથી લીધા છે. એ દષ્ટિએ વિચારતાં તેમાં સાંપ્રદાયિક્તાને ગૌણ કરીને વિચારસૃષ્ટિ તરફ લક્ષ રાખવું જોઈએ તોજ જૈનસાહિત્યની ગઝલોને યથોચિત ન્યાય મળી શકે. ગઝલના સમકાલીન કાવ્યરૂપોનો અભ્યાસ સંલક્ષ્ય બને તે માટે કેટલીક વિગતો અત્રે આપવામાં આવી છે. કસીદા= પ્રશસ્તિ કાવ્ય. રાજામહારાજાઓની, ખલીફા, અમીરઉમરાવોની બિરૂદાવલી ગાવામાં આવે તેવી ગુણગાથા. મસનવી= કથાકાવ્ય. તેમાં કોઈ ઐતિહાસિક ઘટના કે પ્રેમકથાનું વર્ણન દ્વારા નિરૂપણ કરવામાં આવે છે. મસિયા= શોક કાવ્ય. યુધ્ધ કાવ્યનો વિષય અને તેનો વિસ્તાર થતાં મૃત્યુ-જન્ય શોક-વિરહની ભાવનાને વ્યક્ત કરવામાં આવે છે. જૈન સાહિત્યની કેટલીક ગઝલોમાં પ્રસંગનું નિરૂપણ થયું છે, તે લઘુકથા સમાન આસ્વાદ્ય છે. આવી ગઝલો મસનવી સાથે સામ્ય ધરાવે છે. કવિ પ્રભુદાસની નેમનાથની ગઝલમાં નેમનાથ રાજુલનો ત્યાગ કરે છે અને અંતે મુક્તિ પામે છે તે પ્રસંગ કેન્દ્ર સ્થાને છે. “રાજુલ કહે નાથ ગએ સાથ પરહરી નહીં અર્જ મેરી ગર્જ કછુ દીલમેં ધરી. રાજુલ” ૧ ૧૧ [૩૪] Page #38 -------------------------------------------------------------------------- ________________ કસીદા જેવી રચનાઓની દષ્ટિએ વિચારીએ તો જૈન ગઝલોમાં ગુરૂ અને પરમાત્માને કેન્દ્રમાં રાખીને એમનો ગુણાનુવાદ, મહિમા ગાવામાં આવ્યો છે. પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવથી શરણાગતિની પણ અભિવ્યક્તિ થયેલી છે. નીચેનાં ઉદા. ઉપરથી આ વિગત વધુ સ્પષ્ટ થાશે. કવિ હંસસાગર “શાંતિજિન શાંતિનાદાતા, તુજાગમ બિંબ જગ ત્રાતા દુખિત ભરતે ક્ષમાદાતા, ગુરુ નિગ્રંથ વિચરતા.” કવિ પંડિત વીરવિજયજી “સાંઇશું દિલ લગા પ્રાની, નિસાનું પર નવા બાની; કરો ઘટ જલ ભરી જૈસા, ભરૂસા પિંડા કા તૈસા.” “પ્રભુ જેવો ગણો તેવો, તથાપિ બાલ તારો છું તમે મારા જેવા સમા લાખો, પરંતુ એક મારે તું” આ. કલાપૂર્ણસૂરિ “ભૂલો પડ્યો છું ભવમહીં, ભગવાન રાહ બતાવજો, જનમો જનમ ને મરણનાં, સંતાપથી ઉગારજો.” મુનિ ધુરંધરવિજય “દિનરાત ગૂરૂં તોય વહાલા કેમ રીઝતો નથી ? અવિરત ઝરે આંસુનયનથી તોય ભીંજાતો નથી.” આ. દક્ષસૂરિ “પતિતપાવન તરન તારન, દુઃખી કે દુઃખ નિવારણ અનાથોં કે સદા પાલન, કરો ભવ પાર ઉતારન.” આ. વલ્લભસૂરિ પારસપ્રભુ નાથ તું મેરા, રટું મેં નામ નિત તેરા વિના તુમ નાથ જિન રાયા, ભવો ભવ દુઃખ બહુ પાયા. [૩૫] Page #39 -------------------------------------------------------------------------- ________________ “તૂહીં ભવ દુઃખકાભંજન, તૂહી ભવિ જીવકારંજન, જગત આધાર તું કહિયે, નિરંતર શરણ તુમ લહિયે” આ. લબ્ધિસૂરિ, “ભજો મહાવીર કે ચરણોં, છુડા દેગા જનમ મરણો, જગતમેં દેવ આલી હૈ, સુરત સબસે નિરાલી હૈ ” આ. વલ્લભસૂરિ તૂહી બ્રહ્મા તૂહી વિષ્ણુ તૂહી શંકર તુંહી પારસ, દેવાધિદેવ નિર્દોષી, પ્રભુ ગુણ કે ભંડારી હૈ.” પરમાત્માનું સ્વરૂપ, ગુણો અને તેનો પ્રભાવ કે ચમત્કાર દર્શાવતી પંક્તિઓ આધ્યાત્મિક ગલ પર પ્રકાશ પાડે છે. મસિયા. આ પ્રકારની કૃતિમાં મૃત્યુના વિરહથી ઉદ્ભવતા શોકનું નિરૂપણ કરવામાં આવે છે. તેમાં ગુરુ પ્રત્યેનો અપૂર્વ સ્નેહ, શ્રધ્ધા, ભક્તિ અને ઉપકારની ભાવનાને વ્યક્ત કરવામાં આવે છે. આ. વલ્લભસૂરિની ગુરુ વિષયક ગઝલ જોઈએ તો - “વિના ગુરુ રાજકે દેખે, મેરે દિલ વેકરારી હૈ મહાઉપગાર જગ કરતા, તનુ ફનાહ સમજ કરકે, જીયાવલ્લભ ચાહતા હૈ, નમન કર પાંઉ પર પડકે.” કવિ નાગરની ગુરુ જીતવિજયના અવસાનની કવ્વાલી જોઈએ તો - - “અમોને લાડમાં લાલી, પઢાવ્યા પુત્રવત્ પાળી, અચાનક યું ગયા ચાલી, અમોને છેક ગયાં ભૂલી.” હજારો મેદની જામી, મલી ગુરુ ભક્તિને કાજે, વીરહ અમોને થયો, આજે દાદાગુરુ અમારા યું અમોને છેક ભુલી ગયા.” જૈન સાહિત્યની ગઝલોનો તુલનાત્મક અભ્યાસ કરતાં એમ ફલિત [૩૬] Page #40 -------------------------------------------------------------------------- ________________ થાય છે કે એ પ્રારંભકાળની ગઝલોની સાથે સમાન કક્ષાએ સ્થાન પામી શકે છે. એટલે જૈન સાહિત્યની ગઝલો કાવ્યપ્રકારની સમૃધ્ધિમાં વિવિધતા દ્વારા નવો રંગ જમાવે છે. ધાર્મિક સાહિત્યની એક મર્યાદા ગણો કે વિશેષતા ગણો તો તેમાં ઉપદેશનું વલણ મહત્ત્વનું દેખાય છે. મમ્મટે કાવ્યપ્રકાશની રચનામાં કાવ્યનાં પ્રયોજનો દર્શાવતાં ઉપદેશનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપદેશ કાંતાસંમિત, મિત્રસંમિત અને પ્રભુસંમિત એમ ત્રણ પ્રકારનો છે. ધર્મગ્રંથોને આધારે વિવિધ પ્રકારનું સાહિત્ય સર્જાયું છે તેમાં પ્રભુસંમિત ઉપદેશ છે. ભારતીય સંસ્કૃતિની ઉજ્જવળ પરંપરાનું અનુસંધાન સાહિત્ય દ્વારા ઉપદેશાત્મક અભિવ્યક્તિનું છે તે યથાર્થ લાગે છે. મિત્ર અને કાંતાસંમિત ઉપદેશ તો માત્ર આ જ જન્મમાં લાભદાયક નીવડે જ્યારે પ્રભુસંમિત ઉપદેશ તો ભવોભવના ભાથાની ગરજ સારે છે. પ્રભુની દિવ્યવાણીનો પ્રભાવ જન્મ જન્માંતરોના દુઃખ દારિદ્રય અને શોકને દૂર કરીને આત્મસ્વરૂપ પામવા, પૂર્ણત્વ પામવા માટેનો રાજમાર્ગ દર્શાવે છે. તેનો ઉપકાર ચિરસ્મરણીય છે. "The divine speech of Lord is the heartiest blessings to the mankind for the development of Spiritual Stage in life" ધાર્મિક સાહિત્યના પાયામાં જીવન સાથેનો અવિચ્છિન્ન સબંધ રહેલો છે. સાહિત્યમાં કલા, કલા માટે અને કલા જીવન માટેના વાદ વિવાદમાં નહિ પડતાં કલાનો જીવન સાથેનો સંબંધ સ્વીકારવો યોગ્ય લાગે છે. આ પ્રકારનું સાહિત્ય માત્ર પ્રચારલક્ષી નથી પણ માનવના આચારને આત્મલક્ષી બનાવવામાં મૂલ્યવાન પ્રદાન કરે છે, તે દૃષ્ટિએ ધર્મના સાહિત્યની ઉપેક્ષા કરવી ઉચિત નથી. તેમાંથી નિષ્પન્ન થતી વિશ્વના સર્વ જીવોના કલ્યાણની વિશાળ ભાવના તરફ સૌ કોઇને પૂજ્ય ભાવ થાય તેવી ઊંચી ક્ષમતા ધરાવે છે. [૩૭] Page #41 -------------------------------------------------------------------------- ________________ Let Your life lighty dance on the edges of time, like a dew drop on the tip of a leaf (Rabindranath Tagore) નિં. ૧ થી ૪ નં. ૫-૬ નં. ૭ - નં. ૮ નિં. ૪,૧૦,૧૧ નં. ૧૨ નં. ૧૩ નં. ૧૪ ન. ૧૫ નં. ૧૬ નં. ૧૭, ૧૮ સંદર્ભ સૂચિ ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો. ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો. છીપનો ચહેરો-ગઝલ છીપનો ચહેરો-ગઝલ છીપનો ચહેરો-ગઝલ છીપનો ચહેરો-ગઝલ ગઝલનું છંદશાસ્ત્ર મધ્યકાલીન સાહિત્યનાં સ્વરૂપો પટ્ટાવલી સમુચ્ચય ગુજરાતી ગઝલની સૌંદર્ય મીમાંસા ગુજરાતી ગઝલની સૌંદર્ય મીમાંસા પા. ૬૨૮ પા. ૬૨૯ પા. ૨૨૫ પા. ૧૮૧ પા. ૧૮૩ પા. ૧૮૬ પા. ૧પ૭/૧૫૮ પા. ૬૨૮ પા. ૮૫ પા. ૪૪ પા. પ૩ [૩૮] Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ -૩ વિભાગ -૧ કવિ પરિચય અને ગઝલો ૧. કવિ ખેતાજી ખરતર ગચ્છના જૈન સાધુ (યતિ) અને ખેમાજીના શિષ્ય. એમનું મૂળવતન વડનગર હતું. તેઓ ૧૮મી સદીના મધ્યકાલીન સમયના કવિ હતા. ચિતોડ રી ગઝલ' સં. ૧૭૪૮માં ખરતરગચ્છીય કવિ ખેતાએ રચી છે. કોઇની પાસે શ્રવણ કરીને નહીં પણ જાતપરિચય ઉપરથી આ ગઝલ લખી છે. : (“કહિયે સિફત કહો કેસિ કિ, આંખ્યું દેખી ઐસી કિ'). વળી ત્યાં “નવસે ઝિલ્લરુકા નાદ, પરબત ગુંજતે પરસાદ: નીધરસે ઢોલ નગારા કિ, વાજિંત્ર વાજતે સારા કિ’-એમ નગરની આબાદી વર્ણવી છે - (દુહો) ચરણ ચતુર્ભુજધારિ ચિત, અરુ ઠીક કરી મન ઠોરઃ ચોરાસી ગઢ ચક્કલે, ચાલો ગઢ ચિતોર.” (ગઝલ) ગઢ ચિતોડ હૈ વંકા કિ, માનું સમંદમેં લંકા કિઃ જૈસી દ્વારિકા, હરિદ્વાર, ગંગા, ગોમતી, ગિરનાર બદરીનાથ, તટ કેદાર, ઇકલિંગ તેતલા અવતાર. કસબા તલહટી ઐસી કિ, દિલ્હી આગર જૈસી કિ : ખરતર જતિ કવિ ખેતા કિ, આંખે મોજશું એતા કિઃ સંવત સતરસૈ અડતાલ, સાવણ માસ રિંતુ વરસાલ વદિ પખવાઈ તેરી કિ, કીની ગજલ પઢિયો ઠીકિ. [૩૯] Page #43 -------------------------------------------------------------------------- ________________ (કલશ) “પઢો ઠીક બારીક સું પંડિતાણે, જિન્હાં રીત સંગીતકી ઠીક માણેક ચારોં ખૂટ માલૂમ ચિતોડ ચાવિ, જિહાં ચંડિકાપીઠ ચામુંડા માઈ.” ઉદયપુર રી ગલ': સં. ૧૭૫૫-૧૭૬૭ સુધીમાં થઈ ગયેલા રાણા જયસિંહના પુત્ર અમરસિંહના વખતમાં રચાઈ છે. તેનો રચનાર પણ કવિ ખેતા છે. એમાં ઉદયપુરનું સ્થાનિક વર્ણન છે; એના મંગલાચરણમાં પણ ચિત્તોડની ગઝલની જેમ એકલિંગજી તથા નાથદ્વારાના “નાથ”-જે શ્રીનાથજી કહેવાય છે તેનું સ્મરણ કર્યું છે (દૂહા). “જપૂ આદિ ઇકલિંગજી, નાથદુવારે નાથ; ગુણ ઉદયાપુર ગાવતાં, સંતો કરો સનાથ. સુઘન અંબ ગિરિવર સઘન, શિખર રમે સુરરાય; રાઠસેન સુપ્રસન રહી, પ્રથમ નમતાં પાય.” (ગઝલ) સમરું દેવતા સગલા , ગણપતિ આદિ દસ અગલા કૂઃ હાજર માત હરસિદ્ધિ કૂ, સારદ માત વરસિદ્ધિ કુ. પીછે તલાવ પીછોલા કુ, કરતા લહિર કિલ્લોલા કુ, મોહન મંદિર બાદર-મહિલ, અંદર ખૂબ ઉજલ અહલ. માંહે રહિતે મગરમચ્ચછ, ક્રમ કચ્છ દાદુર કચ્છઃ સારસ હંસ બતકા સોર, મધુરે મોરકે ઝિગોર. નરપતિ બૈઠ કર નાવાક, દેખત સૈલ દરીયાવા કુ પનઘટ પ્રકટ પનીહારી કૂ નિરમલ નીર ભરિ ઝારી , ગૌરી સીસ કરિ. ગાગર, ચશમું ડાર કે. કાજર. કૈસા સંગ હે કેસર નીકી નથ નકવેસર કં; પાઇક પાયમે ઠમકેંક, ઝાંઝર નેવરાં ઝળકે ક. [0] Page #44 -------------------------------------------------------------------------- ________________ ભર સિર કુંભ બીંદલી ભાલ, ચલતી મસ્ત મદભર્ ચાલ; મુખ સુ' દૂર કર ચાદરકૂ, નિકસ્યાં જ્યું બાદરકું લાયક જસ મુખ લાજ, સુનહુ તારીફ સહિરકી, ગુનિયન સુન કે ગઝલ, નિજર કર ને મેહરકી, કવિ ખેતાજીની સ્થળ વર્ણનની ગઝલો મધ્યકાલીન પરંપરાને અનુસરીને રચાઇ છે. કવિએ દેશીને બદલે ગઝલનો પ્રયોગ કરીને રચના કરી છે. ૨. કવિ નિહાલચંદ મધ્યકાલીન સમયના ૧૮મી સદીના સાધુ કવિ. તેઓશ્રી પાર્શ્વચંદ્ર ગચ્છના હર્ષચંદ્રગણિના શિષ્ય હતા. સંસારના સંબંધથી લઘુ બંધુ હતા. ‘‘બંગાલ દેશકી ગઝલ' : કવિ નિહાલકૃત સં. ૧૭૮૨ થી ’૯૫ના અરસામાં રચાઇ છે : એમાં મુખ્યત્વે મુર્શિદાબાદનું વર્ણન છેઃ અને એ કાળ, ઇતિહાસપ્રસિધ્ધ શિરાજ-ઉદ્-દૌલાનો શાસનકાળ હતો. દેશનું, દેશના લોકોનું, તેના આચારવિચાર, વણજવેપાર વગેરેનું તથા પ્રસિધ્ધ દર્શનીય સ્થળોનું વર્ણન પણ આ ગઝલમાં સમાવેલું છે. કાસમ બજાર અને સયદાબાદની વસ્તીમાં ગુજરાતી લોકો રહેતા હતા : અને એમની સાથે જ જે જે ‘ટોપીવાળાની જાત’ કહેવાય છે તેવા પરદેશી વ્યાપારીઓ અને સોદાગરો આરબ, આરમની, અંગરેજ, હબસી, હુરમજી, ઉલંદાજ, સીદી, ફરાસીસ, અલેખાન, મુગલ, પઠાંનરહેતા હતા. આ વર્ણન ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ માટે ઉપયોગી છે. કવિએ બંગાળી લોકોના ‘દિલમાં દયા હોતી નથી’ એવો ઉલ્લેખ કર્યો છે; કારણ કે મત્સ્યજીવી બંગાળીઓની હિંસા જૈન યતિને ન જ ગમે. (દુહા) શ્રી સદ્ગુરુ સારદ પ્રણમી, ગવરી પુત્ર મનાય; બંગાલા દેશકી, કહુ સરસ ગજલ બનાય. [૪૧] Page #45 -------------------------------------------------------------------------- ________________ (ગઝલ) અવલ દેસ બંગાલા કિ, નદીમાં બહુત હે નાલા કિઃ સકડી ગલી હૈ જહાં જોર જંગલ ખૂબ ઘીરે ચહુ ઓર નવલખ કામ ઇક દ્વાર, દસ્તક વિના નહિ પૈસાર; બાએ હાથ વહેતી ગંગ, દક્ષિણ ઓર પરબત (ગ. વસતી કાસમા બાજાર, સદાબાદ ખગડા સાર રહેતે લોક ગુજરાતી ટોપીવાલ જેતી જાતિક આરબ આરમની અંગરેજ હબસી હુરમજી ઉલદેજ સીદી ફરાસીસ અલેમાન સોદાગર મુગલપઠાન કોઠી કુપનીકી જોર, દમડે લગે લાખ કિરો. ગજલ બંગાલા દેશકી ભાષિત જતિ નિહાલ મુરખકે મન ના વસે, પંડિત હોત ખુશ્યાલ. ચિતોડ રી ગઝલ “મુંબઈના કાકા બજારમાં આવેલા અનંતનાથજી જ્ઞાન ભંડારમાંથી ઉદયપુર, બંગાલ અને ચિતોડની ગજલ પ્રાપ્ત થઈ હતી. બંગાલ દેશની ગજલ ભાષા અને વર્ણનની દષ્ટિએ મહત્વપૂર્ણ છે. ચિતોડની ગજલની પ્રત ૩ પાનામાં છે. તેના પત્રો ઘણાજ ચોંટી ગયેલા છે તથા અક્ષરો ભૂંસાઈ ગયા છે. તેમ છતાં ખૂબ ચીવટરાખીને તેની પ્રેસ કોપી તૈયાર કરી હતી. મુંબઈથી વિહાર કરીને નાગપુર ગયો ત્યારે ત્યાંથી ભંડારમાંથી ૧ ગુટકામાં પુસ્તકાકાર પ્રત, ૩ પાનામાં સુંદર અક્ષરો વડે આલેખિત મળી આવી. ગજલ શુધ્ધ છે. આ પ્રત પરથી પ્રેસ કોપી તૈયાર કરી. ઉપરોક્ત બે પ્રતના આધારે ચિતોડની ગજલનું સંશોધન કરીને પ્રગટ કરવામાં આવી છે. આ ગજલ ઐતિહાસિક અને ભાષાની દષ્ટિએ મહત્વની છે.” લેખક : મુનિ શ્રી કાંતિસાગરજી પા. ૪૬૮ જાન્યુ-માચ શ્રી ફાર્બસ ત્રૈમાસિક- વર્ષ-૧૯૪૧ [૪૨] nternational . Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩. કવિરાજ શ્રી પંડિત દીપવિજયજી ૧૯મી સદીના પ્રથમ તબક્કાના કવિ બહાદુર પંડિત દીપવિજય વડોદરાના વતની હતા. એમના સંસારી જીવન અને માતા-પિતા વિશે કોઇ માહિતી ઉપલબ્ધ નથી. કવિશ્રી આણસૂરગચ્છના પં. પ્રેમવિજય ગણિના શિષ્ય પં. રત્નવિજય ગણિના શિષ્ય હતા. કવિની કૃતિઓને આધારે એમનાં ગદ્યપદ્ય સાહિત્યનો પરિચય મળે છે. વડોદરાના ગાયકવાડ રાજાએ દીપવિજયને કવિરાજનું બિરૂદ આપ્યું હતું અને ઉદયપુરના રાજા માનસિંહે કવિ બહાદુરનો ઇલ્કાબ આપ્યો હતો. દીપવિજયે વટપદ્ર, સુરત, ખંભાત, જંબુસર, સિનોર, પાલનપુર વગેરે શહેરોનું વર્ણન કરતી ગઝલોની રચના કરી છે. એમની સર્વોત્તમ કૃતિ સોહમકુળ પટ્ટાવલી૨ાસ છે. જેમાં સુધર્માસ્વામીથી પ્રારંભ કરીને પોતાના ગુરુ સુધીના પ્રભાવક આચાર્યોનાં જીવન અને કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. કવિની અન્ય કૃતિઓમાં વિજય લક્ષ્મીસૂરિ સ્તુતિમાળા ચંદરાજા અને ગુણાવળીને પત્ર, રોહિણી તપ, સ્તવન, કાવી અને કેસરિયા તીર્થ સ્તવન, અબોલડાનું સ્તવન, મુનિવંદના અને રોટીની સજ્જઝાય ઉપરાંત ચૈત્યવંદન, સ્તુતિ, ગહુલીઓની રચના કરી છે. એમની કૃતિઓ રસ, અલંકાર, ભાવ અને ભક્તિ રસથી સમૃધ્ધ છે. કવિનું પૂજા સાહિત્ય ભારતીય સાંસ્કૃતિક ને ધાર્મિક વારસાને વ્યક્ત કરે છે. અષ્ટાપદની પૂજા, નંદીશ્વરની પૂજા અને અડસઠ આગમની પૂજામાં કવિત્વ શક્તિની સાથે જૈન દર્શન પ્રત્યેનો પૂજ્ય ભાવ પ્રગટ થાય છે. ચૌમાસી વ્યાખ્યાન, ચર્ચા બોલ, વિચાર અને મહાનિશીથ સૂત્રના બોલ એ ત્રણ ગદ્ય રચનાઓ છે. કવિરાજ દીપવિજયનું સાહિત્ય ભારતીય સાંસ્કૃતિક પરંપરાનું અનુસંધાન કરીને જૈન દર્શન ઇતિહાસના ભવ્ય વારસાનું આચમન કરાવે છે. એમનો સર્જનકાળ સંવત ૧૮૫૨ થી ૧૮૯૨ સુધીનો છે. ૪૦ વર્ષ સુધી સતત સાહિત્ય [૪૩] Page #47 -------------------------------------------------------------------------- ________________ સર્જન દ્વારા શ્રુત જ્ઞાનોપાસના કરીને સર્વસાધારણ જનતાને એમની કાવ્ય સૃષ્ટિમાં વિહાર કરવા માટે માર્ગ મોકળો કરી આપ્યો છે. - જૈન સાહિત્યમાં મહાવીર સ્વામી ભગવાનના હાલરડાથી દેશ વિદેશમાં ખ્યાતિ પામેલા કવિરાજ દીપવિજયની ગક્લો સ્થળ વર્ણનની છે. તેમાંથી જે તે શહેરનો લાક્ષણિક પરિચય થાય છે. અત્રે એમની ત્રણ ગઝલોનો પરિચય આપવામાં આવ્યો છે. પાલનપુર વર્ણન અથ ગઝલ (૧ાા T૩મા સરસતિ માત ચિત્ત ધ્યાઉકું, સદ્ગુરૂ ચરણ મન ધ્યાઉકું, બરનું પલ્લવીયા પાસ, પાલનપુરી કા જસ વાસ. બરનું આદસે ઉતપત સુાિઈ મુનિજનાં એકચિત્ત, ગિરિવર અર્બુદાચલ નામ, બાર પાજકો વિશ્રામ. કે મુનિ ધરત નિર્મલ ધ્યાન, કે મુનિ કરત કિન્નરગાન; કે તપ તાપતે તપયાકું, કે જપ જાપ જપયાકું. કે મુનિ ધરત ઓરધ બાંહે, બેઠે તરવરાંકી છાંહે; રસકી કૂપિકાકે થાંન, બેઠે આસનાં ધર ધ્યાન. ભેરૂ જાપ કે લેતે કું, સોના સિદ્ધકે દેતેકું; જીહાં બહો(ત) દેવતાંકો વાસ, ઇસો અરબુદાચલ ખાસ. સંવત આઠમેં ચોરિસ (૮૩૪), હુઓ નરપતાંકો ઈસ; આસપાલ રાજા સાર, યાકી સાખથી પરમાર. વાતે કોટગઢ કીનોનું, સાત પટરાજ હી કીનોકુફ વરસાં દોયમેં (૨૦%) લગ સીમ, રહીઓ રાજ તાકો ખીમ. જરા પાપા ISા III A [] Page #48 -------------------------------------------------------------------------- ________________ લાલા ફિરકે ચહુઆકો રાજ, પાલણ ભૂપકો સામ્રાજ; પાલણા ભૂપતિ ચૌહાણ, કીનો રાજ દુકૃત જાણ ૮ સંવત સાહસ એકે વરસ(૧૦૦૧), બેઠો તખતઅરબુદ સરસ; સિવજી નાંમ હું અચલેશ, તાકો પોઠીયા ઉશ. પીતલ ધાતકી જિનમ્રત, ગાલી કીધ નંદી તુરત; સિવ ધામ વેગે વ્યાય, નંદી થાપીઓ મન ભાય. ૧૦ પ્રતિમાભંગ કે બહો(ત) પાપ, પ્રગટ્યો કોઢકો સંતાપ; પ્રાકૃમ રહિત હુઓ જામ, ગોત્રિ રાજ લીનો તા. ૧૧ પાપી ભૂપકો નહિ ઠામ, નિરમુખ ફિરત ગામોગામ; દેખ્યા સીલધવ સૂરીશ, સૂરિ મુનિવરાંકા ઇસ. ૧૨ આપે જગત તારનતરન, વંદે જાય તાકે ચરન; દીધો ધર્મકો ઉપદે, સુણીઓ ભૂપને સુભ લેસ. ૧૩યા બોલે ભૂપતિ ધર ધીર, સુનિઇ જગતકે વડવીર; મિથ્યામતિકે પરસંગ, કીની જૈન પ્રતિમા ભંગ. ૧૪મા કીનો પાપકો સંભાર, કીનો દુષ્ટક આચાર; કીનો નરકકો આચરન કીનો પાપ અઘટિત કરન. ૧પણા મુંઘો સરગ સિવકો દ્વાર, છૂડો મનુજકો ઓતાર; કીનો બહુત ભાવકો ભ્રમણ, કીનો બહોત જામણ મરણ. ૧ દા કરતે એહ કારજ દુષ્ટ, હુઓ રાજર્સે બી ભ્રષ્ટ; રહિઓ નાંહી એકે ઠામ, જડમતિ એહ કીનો કામ. ૧૭ ફલિયો તુરત ઉગર પાપ, પાયો કુષ્ટકો સંતાપ; પાયો તુરત એ ફલ પત્ત, દીનો જેહ પૂરવ દત્ત. ૧૮ કેતી કહું દુઃખની વાત, સુનિઈ જગકે પિત(તા) માત; કરકે મેહેર અબ મહારાજ, મોહું તારીઇ ગચ્છરાજ. ૧૯ાા [૪૫] Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૩ તુમ હો જગત કે તારુકુ, કહિછે રોગકો દારુકું; કીજે રોગનો વિસ્તાર, મોર્ક તારીછે ગચ્છરાજ. પારવા - ઇસે નૃપતકે સુનીન બેન, બોલે સૂરિ જગકે સેન; પ્રતિમા જૈન કીનો ભંગ, યાકો પાપ છે વડ જંગ. ર૧ તાકું નરકકી ગતિ હોય, ફિરકે બોધિ દુલભ હોય; પિણ તે કિયો પશ્ચાતાપ, તાર્થે જાયગો તવ પાપ. મારા પ્રતિમા નઈ કરકે પૂજ, જાવે પાપ આપે પૂજ; સુનકે નૃપત ગુરુકે બૅન, કીની પાસે પ્રતિમા ઇન. પૂજે દેવ નીત નૌ વાર, મિટિઓ કોઢકો સંભાર; ફિરકે આબુગઢકો રાજ, પાયો બહોત હી સામ્રાજ. ૨૪ પલ્લવ વૃક્ષા કેંસો જોય, તેંસો દેહ પલ્લવ હોય; સાથે પલવીયા પાસ કીનોં નામ ઠવણા તાસ. રપા સંવત સહસ્સ ને ઈગ્યાર(૧૦૧૧), ક્રિકે સેહેર વાસ્યો સાર; પાલણપુર હું ઓહિ જ નામ, પલ્લવ પાસજીકો ધામ. ર૬ દેહરો ગેનમેં ગાજે કું, કુમતિ માંન મદ ભાજે કુ; પ્રતિમા કનકકી રાજે કુ, પલ્લવ પાસજી ગાજે કુ. પારકા યા વિધવરસ બહો(ત) લગ સીમ, રહિઓ નગર અવિચલખીમ; પિછથી હુ જૂનો ખેડ, ફિરકે વસ્યો પાલણ નયર. ૨૮ ઈસો નયર પાલણ સેહેર, જાપર દેવંતાકી મેહેર; કીનો આદિ બરનન એહ, ગુરુમુખ વરન સુનિઓ જેહ. મારા કલશ-છપ્પય શ્રી પલ્લવં પ્રભુ પાસ પાલણપુરે બિરાજે, શ્રી પલ્લવ પ્રભુ પાસ સુંદર તખત દિવાજે; [૪૬] Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી પલ્લવ પ્રભુ પાસ જનમરન ભયવારન, શ્રી પલ્લવ પ્રભુ પાસ સંકટ સર્વે નિવારન, ધરણરાજ પદ્માવતી અહનિસ્ પ્રભુહાજર રહે, દીપવિજય કવિરાજ બહાદર સકલ સંઘ મંગલ કરે. એના સોહમકુળ પટ્ટાવલી રાસ પા. ૮૫ ‘વડોદરાની ગઝલ' દીપવિજય રચિત હિંદીમાં છે તેની રચના, સંવત ૧૮૫૨ માં (શ્રી ફાર્બસ સભાનાં હસ્તલિખિત પુસ્તકોની યાદી ભાગ ૨ માં જણાવ્યા પ્રમાણે ૧૮૫૪માં) થયેલી. “સ્થલકાવ્ય'ની કોટિની આ રચના તેમાં સંગ્રહેલી તત્કાલીન માહિતી માટે ઉપયોગી છે. એમાં કવિતા નથી : છતાં ગજલ-રેખતા'નું સ્વરૂપ મધ્યકાલીન જૈન કવિઓએ એક વિશિષ્ટ ઉદ્દેશથી અંગીકાર કર્યું હતું તે આ ઉપરથી જાણવા મળે છે. તે વખતે વડોદરામાં ગોવિંદરાવ ગાયકવાડ રાજ્ય કરતા હતા. આ “ગઝલની એક પોથી સં. ૧૮૫૯માં ઊતારેલી છે. બીજી એક ચિત્રાંતિ “વિજ્ઞપ્તિપત્ર'માં અંતર્ગત આ ગઝલની પ્રતિ મળેલી છે. કવિ દીપવિજયે રચેલી વડોદરાની ગઝલવાળો ભાગ તેમના પૂજ્ય શ્રી વિજયલક્ષ્મીસૂરિ તરફ વડોદરાના સંઘે મોકલાવેલ મૂળ વિજ્ઞપ્તિપત્રમાં તે ઊતારેલો છે. આ વિજ્ઞપ્રિલેખમાં તત્કાલીન વડોદરાનાં વિવિધ દૃશ્યો અને સ્થળો, મંદિરો, બજાર, હાટ, સામૈયાનાં સ્ત્રીઓ, પુરુષો કારીગરો, મસ્જિદમાં કુરાન પઢતા મૌલવી અને ચતુર્વિધ જૈન સંઘનો પણ આ ચિત્રમાલામાં સમાવેશ થાય છે. આ “વિજ્ઞપ્તિપત્ર' માં નીચેના બે છંદ વધારાના છે; “શ્રેણીબંધ હટ્ટાં, સોરે થટ્ટાં, ભરયિાં મટ્ટાં, બહુ કરિયાણેઃ બહો ચીજ વિકતિ વણજાં કરતે ગરજે ફરતે મન જાણેઃ રાજેશ્વર રાજે, અતિહિ છાજે, ગાયકવાલ સિરિ સિરદાર દેસાં-સિર દે, અરિ ન પ્રવેશ જિન ઉપદેશ અતિસાર. [૪૭] Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રજાપ્રતિપાલો, છેલછોગાલો, રઢિયાલો ગોવિંદરાવ સિરે કમઠાં ભારે, જસ દરબારે, સેવક લારે, હુકમ કરે. ગોવિંદરાવ સમૂરો, ન્યાયડ પૂરો, રૂપ અનુરો ઝૂઝાર દેસાં-શિર દેશં, અરિ ન પ્રવેશજિન ઉપદેશ અતિફાર.” આ રીતે આ ગઝલ’ વધારે નોંધપાત્ર છે. દયારામભાઈ કરતાં આની રચના પચાસ-પોણોસો વર્ષ જેટલી પ્રાચીન છે, તેમાંથી અવતરણ લઈયે (દુહો) સેવકને વરદાયિની, ભગ નિ શશી ઉવલઃ પ્રણમી વટપદ્રનયરની કહેસું એક ગઝલ. અગા માંડવા નિરપેક, દેખન વાર હી હરખે કઃ બેઠે સરાફી મૌજિક, નાણાં પરખે વેંચોજીમ્ નીકી પોલ ઘડીઆલીક હવેલ્યાં ખૂબ મતવાલીક ફત્તેસિંઘકી બારીક, ગોખું ગોખમેં બારીક. નરસિંહરાવ વરધોડેક, ખલકાં નિરખવા દોડે ક. કાર્તિક પૂનમે મેલાક, રસીઓ લેત ખેલા. દીપક માલ છે ઊંચીક વાતો ગગનમેં પોહોંચીકુ દીપક શ્રેણિ હે તાજીક, વામેં જોત હે ઝાઝી કી ચાહે મેહ જર્યું મોરાક, ચાહે ચંદ્ર ચકોરા (ત્યાં) સંઘ સબ કરત અરદાસાક, આના પૂજ્ય! ચોમાસાક એસી લોક કી બરણયા, દેખ્યાં બડોદા બરણયાંક ગુનીજન હાંસીના કરનીક, ગજલ દીપને બરની. (કલશ) પુરન કિદ્ધ ગઝલ અવલ, અઢારસે બાવન ચિત ઉલાસેઃ પ્રેમેય રત્ન સમાન બરનન, સેવક દીપવિજય ઇમ ભાસેં.” [૪૮] Page #52 -------------------------------------------------------------------------- ________________ વડોદરા શહેરની ભૌગોલિક માહિતીના ઉદા. તરીકે નીચેની પંક્તિઓ નોંધવામાં આવી છે. વટપદ્ર શેત્ર હૈ વીરાક તટણી વહત હે નીરાક ફિરતી ગિરદ દો કોશા (સા) ૬ કયૌ રહે શત્રુહિૌસામ્ (૧) આંગુરાવ દામાની જેસા ન્યાઈ રામાજિક ગોલા નાલસે સંધ્યા કિલ્લા તેતના વંધ્યાક (૨) મનમોહન પાર્શ્વનાથ અને શાંતિનાથ જિનમંદિરના ઉલ્લેખ સાથે સાધુ ભગવંતો ચાતુર્માસ કરીને જ્ઞાનોપાસના કરે છે. તેની માહિતી દર્શાવતી પંક્તિઓ નીચે પ્રમાણે છે. મનમોહન-પ્રાસાદ મુરતિરી (8)ષભ અલ્હા(આફ્લા)દાક ભવિયાં ભાવસે વંદે, ભવકા પાપ નિકંદે (૨૧). શાંન્તિનાથ (ચંતામળ) ભગવાના હે વે મુગતિકા થાનાર અભયદાનકા દાતાક જગકું દેત સુખ-શાતા સાગરગચ્છકા આલા ગુરુસે નમત હૈ બાલા વાચક રહે ચોમાસાદું કરતે ગ્રન્થ અભ્યાસ (૨૩) ગુજરી-શુક્રવારના બજારનો સંદર્ભ આપતી પંક્તિઓ દ્વારા અવનવી ચીજો વેચાય છે તેનો પરિચય થાય છે. ગુજરીમેં વસ્ત જ મિલતિ (જે મીલતી) જ તાંકુ બનકું(બુ) તહતિક ધોતિ રેસમડી કોરાં (રી) ફ્ર દુપટે કસબી લેહરાં (રી) ૬ (૩૭) નરસિંહજીની પોળના ધાર્મિક લોકોનો ઉલ્લેખ કરીને જૈન ધર્મનો સંદર્ભ દર્શાવ્યો છે. કેવલ સાહ હૈ (હે) ધાર્મિક શ્રોતા ખૂબ હૈ (8) અમિંદ સંઘમેં બહુ(બોહો)ત સાવાસિ(બાસી) નરસિંહ પોલકા વાસીક (૪૬) વડોદરા શહેરના સુપ્રસિધ્ધ સુરસાગર તળાવની ઝાંખી કરાવતી [૪૯] Page #53 -------------------------------------------------------------------------- ________________ પંક્તિઓ જોઈએ તો - સખર ખૂબ સરસિ(સી) આક પાજો બંધસે કસીઆક્ર સુરેસર દૂસરા ન્યારાક પાની ભરત પનિ(ની)હારાજ. (૫૧) સખર અંબૂસે મીરઆ માનું સાયરા દરીયા વૃંદા ચલત હૈ દારા જાનું રંભ અનુહારાજ. (૫૨) પનઘટ(દ) પંથ સેવ(વે) હેતાજ સહીતહીં,સે કરત સંકેતાક્ર ફુલર ફુલરાં જાતિ(તી) અપને રંગમેં માતિ(તી) ક. (૫૩) જાતિ નારિઆ લારેક અપનિમાની) બાત સંભારે હસતિ(તી) હાથસે જાલિ (તાલી) દેતિ (તી)મું)હસે ગાલિ (લીક. ૫૪ ઉપરોક્ત પંક્તિઓ દ્વારા વડોદરા શહેરની વિવિધ પ્રકારની માહિતી મળે છે. સ્થળ વર્ણનની ગઝલોમાં વર્ણન એકજ પ્રકારનું જોવા મળે છે. મધ્ય. સાહિ. ૨૫. પા. ૬૩૧ સુરતની ગઝલ જૈન સાધુઓ એક ગામથી બીજે ગામ વિહાર કરીને જાય છે તે મુજબ દીપવિજયજી મ.સા. સુરતમાં આવ્યા અને સુરત શહેર જેવું જોયું તેવું વર્ણવ્યું છે. કવિ ગઝલ રચનાનો સમય દર્શાવતાં કહે છે કે – કીનો સેહેરે બરનન, અપની દષ્ટિ દખ્યો જેહ” “સતોતેર સંવતાં અઢાર માગસર માસ દ્વિતિયા સાર, બરન્યો દીપ શ્રી કવિરાજ, સુરત સહેરે તો સામ્રાજ.” ૮૨ * કેટલીક પંક્તિઓના ઉદાહરણથી ગઝલની સાથે સુરત શહેરની વિવિધ પ્રકારની માહિતીનો પરિચય થાય છે. [૫૦] Page #54 -------------------------------------------------------------------------- ________________ સુરત શહેરના કિલ્લા અને બુરજની માહિતી આપતી પંક્તિઓ જોઈએ તો - કિલ્લા ખુબ હેલું ચાર્ક સી સાગરમેં સિચાક ગાડા વસે ચોડાફ ઊંચા બુરજ હૈ પ્રૌઢાક. અલકા ભૂમથ આઈક, ફિરને કોટ સે ખાઈક કિલ્લે નાલ ગોલા સાજ, સેખરે હોત તે અવાજ. (૭). બુરજે તાલકી પાંતાક નિરખણ હોતા હે ખાતાક નવગજ બારગજ કે માન માનું જોગણીકો ધ્યાન. ધણણ બાજતી ઘંટાક માનું મેઘકો ગડડાક કિલ્લે ફિરત ખાઈ ખૂબ ભરિહે નીર સે મહમુબ. (૯) તાપિ છફરાંસી પતસાહ કિલ્લા દિપા દિલ્લિ સાહ કિલ્લા પાસાહી માંન ફરકે વાવટા અસમાન. (૧૦) ૨. રાજા નસિરૂદ્દીનના રાજ્યમાં શાંતિ અને વૈભવયુક્ત જીવન વ્યવહાર ચાલે છે તેનો ઉલ્લેખ કરતી પંક્તિઓ જોઈએ તો - બરનું સેહેરકો રાજાન નેકી રાજ હે ગુનખાન નસિરૂદિન છે નવ્યાપ, યાકો દસ દસોં માપ. (૨૧) અચ્છે ઝૂલતે ગજરાજ માનુ મેઘ ભેંસો ગાજ નવ નવ જાત્ત ઘોડે વ્યાંહ સોહે સવારિકે માંહ. (૨૨). કાબિલ કનોજી કછીક, જિનકી જાલ હે અછીક બહારતે ગ બખસીજી મમદહસન હૈ કાજીક. (૨૩) ૩. આ શહેરના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠિઓ અને ધનિકોનો પણ કવિએ નામોલ્લેખ કર્યો છે. બરનું સેહેંરકે સાહુકાર યાકું લચ્છિકો અધિકાર અગણિત લછમી ભારીક જ્યાકી અટક તરવારીક (૨૯) [૫૧] Page #55 -------------------------------------------------------------------------- ________________ તમારામ ભૂષણનામ પૅસે બહોત કોઈ તમાંમ , લછિ તેજ ભણસાલી૬ પરગટ પુન્ય પરનાલીક (૩૦) લછમીવાસ નવલખા સબહી બાત મેં દરખાક લાલી બિરહ ચુનીલાલ લછિ તે જ મેં વડથલ (૩૧) કલાસાહ હે શ્રીપત જ્યાકૌ લછિ પરધલવિત ખતરી જાત્ત દૂલાચંદ મોટરમલ્લ કુલપે ચંદ (૩૨) ૪. દેશી રાજાઓના સમયમાં ગુજરી-બજારનો અનેરો મહિમા હતો, સુરત શહેરમાં પણ ગુજરી ભરાતી હતી તેનો કવિ ઉલ્લેખ કરતાં જણાવે છે કે – ગુજરી ચીજ જયો મિલતીક્ તાલું બરનવ તહતીકુ કિલ્લા પાસ હે મેદાન ગુજરી ભરત હૈ બહોમાન (૩૫) મિસરૂ બેચતે કેઇ લાલ કજિયા મેટતે દલાલ હિમરૂ વેચતે કિનખાબ દોસી બેચતે જરબાબ (૩૬) છાયલ છિટકે લે તે કુ રોકડ દાંમકું દેતેક , કાપડ બંગાલી સરતાક દોસી લોકહે મરતાળુ (૩૭) ૫. જૈન ધર્મના અન્ય મતવાળા લોકો અહીં રહીને પોતાની રીતે આરાધના કરે છે તેની નિષ્પક્ષપણે નોંધ કરી છે. આગમ પુનમે લંકેશ્ન સબસબ ગછકે સક્કે ઈસે ગઇ ચોરાસીક અપને ગ૭મત વાસીદું (૬૯) ફિરકે સંવેગી કે સાધ, આગમ વાંચતે નિરૂપાધ સાધુ સાધતે સિવપંથ પઢતે તત્ત્વ કે બહુ ગ્રંથ (૭૦) દેવલ દિગંબરા કે સાત, યાવિધ જૈન કો વિખ્યાત બરનું પુરાકે અહિઠાન, યામેં સહસ ભારેથોન (૭૧) [૫૨] Page #56 -------------------------------------------------------------------------- ________________ ૬. જૈન અને જૈનેતર મંદિરો અને દેવ દેવીઓનો ઉલ્લેખ કરતી પંક્તિઓ જોઇએ તો - (૬૨) (૬૩) અંબા બેહેંચરાકે થાન, આલમ કરત હૈ સનમાંન, વિષ્ણુ સિવાંકા પરસાદ વામે ગાજે ગુહિરા નાદ. નીકે જૈન કે પ્રાસાદ દેખત હોત કે આલ્હાદ, સૂરત મંડના શ્રી પાસ ફિરકે ધર્મ દેવલ ષાસ. સંખેસરા શ્રી જિનરાજ ઉબરવાડિ શ્રી મહરાજ, ગોડીપાસ જિનવરદેવ સારે ભક્ત જન પ્રભુ સેવ. સાંતીનાથકા દેહરાક્માનું સિવપુરીસે રાક, આદિનાથ જિનવર વીર, તારે ભાવં સાગર તીર. ચિંતામની પારસનાથ મેલે સિવપુરાંકો સાથ, દેવલ બડે બે હેતાલીસ વંદે સુરનરાંક ઇસ. ૭. શહેરના જાણીતા વિસ્તારોનો નિર્દેશ કરતી ગઝલની પંક્તિઓ નીચે (૬૪) (૬૫) (૬૬) પ્રમાણે છે. ગોપીપુરા ફિર સાહપુર મેહે ધરમે હેઝર રામપુર હરિપુરા રૂઘનાથ મંદર બેગમ સાથ (૭૩) રૂસ્તમપુર . સુલતાન નવાપુરા બડ થાંન (૭૪) સલાતપુરા સગરામપુર, રૂદરપુરા અરૂનાંનપુર સઇદપુરા ઇંદરપુરા પુરે બડે બડે થાનક સરસ, ભૂમ સાત આરાંમ (૭૫) અઢાર બયાંન ઉપરોક્ત પંક્તિઓને આધારે, શહેરનો પરિચય થાય છે. ત્યાંના કલાત્મક કિલ્લા, અવનવી કલ્પના શક્તિ, ઉપમા, ઉત્પ્રેક્ષા આદિ અલંકારથી શહેરના સૌંદર્યનું વર્ણન, રાજ્યવૈભવ, ગુજરીબજાર, લક્ષ્મીપતિઓ, ધાર્મિક સ્થળો અને શહેરના જાણીતા વિસ્તારોની વિગતોથી ‘સુરતની ગઝલ’ શહેરનો ચિત્રાત્મક પરિચય કરાવે છે. [૫૩] Page #57 -------------------------------------------------------------------------- ________________ કવિરાજ દીપવિજયનો પ્રિય વિષય ઇતિહાસ છે તે દષ્ટિએ એમની અન્ય કૃતિઓની માફક ગઝલો પણ ઐતિહાસિક માહિતીથી સભર છે. ગઝલ રચનાને અનુરૂપ લય સાધ્ય કરવાનો પ્રયત્ન, શબ્દોની તોડફોડ, અરબ ફારસી શબ્દ પ્રયોગોથી આ કૃતિ ગઝલ સાહિત્યમાં નોંધપાત્ર બને છે. જૈન યુગ - પુ.૪, અંક - ૩,૪ ૪. કવિ આત્મારામજી (સંવત ૧૮૯૩ થી ૧૯૫૨) જિન શાસન પ્રભાવક અર્વાચીન જૈન સાહિત્યના શિરોમણિ આચાર્ય આત્મારામજી મ.સા. યથાનામ તથા ગુણાઃની ઉક્તિ ચરિતાર્થ કરનાર, કલિકાલના તેજસ્વી સિતારાસમાન, આચાર્યોની પરંપરામાં રત્નત્રયીના ધવલ પ્રકાશથી જીવન ઉજમાળ કરનાર આત્મારામજી. પંજાબના ફિરોઝપુર શહેર પાસે લહેરા ગામ પૂ.શ્રીની જન્મભૂમિ. સંવત ૧૮૯૩ ને ચૈત્ર સુદ-૧ના મંગલ દિવસે અવતર્યા. માતા રૂમાદેવી, પિતા ગણેશચંદજી, પિતાના અવસાન બાદ જોધમલજીને ત્યાં નિવાસ, નવતત્ત્વ નો ધાર્મિક અભ્યાસ [૫૪] Page #58 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૧૦માં જીવરામ પાસે સ્થાનકવાસી દીક્ષા લીધી. ૩૨ આગમ અને સંસ્કૃતનો અભ્યાસ. મૂર્તિ પૂજાના શાસ્ત્રીય સંદર્ભોથી સમર્થક બન્યા. સંવત ૧૯૩૦ મા વર્ષે બુટેરાયજી પાસે શ્વેતાંબરી સાધુ થયા. ૫. મણિવિજયજી દાદાના શિષ્ય બન્યા. નામ પડ્યું “આનંદવિજય” ને પંજાબ, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શાસનની પ્રભાવનામાં નિમિત્તરૂપ, જીવનનો એક સુવર્ણ સમ પ્રસંગસં. ૧૯૫૦નું વર્ષ, વિશ્વધર્મપરિષદ, અમેરિકાનું ચિકાગો શહેર. જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ રાઘવજી શાહને શાસ્ત્રીય વિગતોથી સજજ કર્યા. વિદેશમાં જિન શાસનના પ્રભાવ ને પ્રસારમાં સહભાગી બન્યા સંગીતના શોખીન -સંયમની આરાધના સાથે સર્જનપ્રવૃત્તિ, જ્ઞાનગોષ્ઠિ દ્વારા શંકા - સમાધાન. સંવત ૧૯૪૩માં પાલિતાણાની પૂણ્ય ભૂમિમાં આચાર્યપદથી અલંકૃત થયા. [૫૫] Page #59 -------------------------------------------------------------------------- ________________ માનવ ઉત્કર્ષની યોજનામાં માર્ગદર્શક બની જીવનની સાર્થક્તા કરી સંવત ૧૯૫૩, જે સુદ ૮ ના દિવસે જીવનનો અંતિમ શ્વાસ લઇ વિદાય થયા. વીસમી સદીના મહાન આચાર્ય, રત્નત્રયીના આરાધક કવિ ને માનવતાના પૂજારી, પારિજાતની પરિમલ સમ જીવન સૌરભ પ્રસરાવી ચિરંજીવ સ્મૃતિરૂપ બની ગયા. આત્માર્થી ને ઉચ્ચકોટિના કવિ આજે એમનાં સુકૃતની હારમાળાથી જનતા જનાર્દનના અંત સ્તલમાં બિરાજમાન છે. પૂજા સાહિત્ય, સ્તવન ચોવીસી, તત્વજ્ઞાન વિષયક ગ્રંથો અને ગદ્યકાર, ઊંચી સર્જક પ્રતિભા ને સંયમ જીવન. વંદન હો નિરંતર કવિ પૂ. આત્મારામજીને. [૫૬] Page #60 -------------------------------------------------------------------------- ________________ I૪ ૧. સિધ્ધપદ પૂજા (ગઝલ) સિંધ-ભૈરવી-કહરબા ટુક ખોજ જરા મન લાય ખરા, સિધ્ધ ઔર નહીં તુ ઔર નહી. અતિ પૂજખરા સિધ્ધ ચક્રધરા,નિજ કારણ માન અભંગ વરા, જબ પૂજા કરે સબ પાપ ઝરે, સિધ્ધ. ૧ ઉપાદાન તુંહી સિધ્ધરૂપ તુંહી, હૈ નિમિત્ત ખરો સિધ્ધચક્ર મંહી, જબ ધ્યાતા ધ્યેય અરૂ ધ્યાન મિલે, સિધ્ધ. રા બંધન છેદ અસંગ લહી, ગતિ કારણ પૂર્વ પ્રયોગ કહીં, જબ ગતિ પરિણામકા રાગ ગહે, સિધ્ધ. એવા એક સમય ગતિ ઉર્ધ્વ કરી, થિરરૂપ ભયે સબ વિપ્ન જરી, જબ જ્યોતિસે જ્યોતિ મિલે સુધરી, સિધ્ધ. નિર્મલ સિધ્ધશિલાથી સહી, એક જોયણ લોકનો અંત કહી, જબ સાદિ અનંત સ્વરૂપ ગહે, સિધ્ધ. પા સુખકી ઉપમા જગમેં નહી, તિણ કેવલજ્ઞોની શકે ન કહીં, જબ સહજ સમાધીકે રંગપગે, સિધ્ધ. દા રૂપાતીત સ્વભાવ ધરે શુધ્ધ કેવલ જ્ઞાનહી દર્શવરે, જબ આતમરામ આનંદ ભરે, સિધ્ધ. ૭ વિવિધ પૂજા સંગ્રહ -પા. ૩૫ ૨. રખતા) જિનવર પૂજ સુખ કંદા, નસે અડ કર્મકા ધંધ, સુંદરભરી થાલ અનંદા, જિનાલય પૂજ જિનચંદા. જિન. ૧૫ ત્રિવિધ રસ થાલ રસ ચંગા, અપુનરાવૃત્તિ ફલ મંગા, અડદિતિ સંપદારંગા, બુધ્ધિ સિધ્ધિ શિવવધૂસ ગા. જિન. રા [૫૭] Page #61 -------------------------------------------------------------------------- ________________ પૂજભાવ ભાવસે રંગા, કરી અડ કર્મસ જંગા. કરી શુધ્ધરૂપ અનંગા, ઉતારી અનાદિકા ભંગા. જિન. ૩ કીરયુગ દુર્ગતા તંગા, કરી ફલ પૂજના મંગા, આતમ શિવરાજ અભંગા, વિમલ અતિ નીર જિમ ગંગા. જિન. ૪ વિવિધ પૂજા સંગ્રહ પા. ૨૯ ૩. (રખતા) કલશ જિણંદ જસ આજ મેં ગાયો ગયો, અઘ દૂર મો મનકો, શત અઠ કાવ્ય હૂ કરકે, ગુણે સબ દેવદેનકોટ જિ. ના તપગચ્છ ગગન રવિ રૂપા, હુઆ વિજયસિંહગુરૂ ભૂપા, સત્ય કપૂર વિજય રાજા, ક્ષમાજિન ઉત્તમ તાજા. જિ. પરા પદ્મગુરૂ રૂપ ગુણ ભાજા, કીર્તિ કસ્તુર જગ છાજા, મણિબુધ્ધિ જગતમેં ગાજા, મુક્તિ ગણિ સંપ્રતિ રાજા. જિ. મહા વિજય આનંદ લઘુનંદા, નિધિ શશિ અંક હૈ ચંદા, અંબાલે નગરમેં ગાયો, નિજાતમ રૂપ હું પાયો. જિ. ૪ વિવિધ પૂજા સંગ્રહ. પા. ૭૧ ૪. ગજલ-૩ વહેલા ભવિ જઈઓ રે, તમે વહેલા વહેલા જઇઓ વિમલ ગિરિ ભેટવા રે એ આંકણી છે હાંરે કાંઈ ભેટતાં ભવદુઃખ જાય હાંરે કાંઈ સેવતાં સીવ સુખ થાય છે વહેલા. ૧ | હાંરે કાંઇ જન્મ સફલ તુજ થાય હાંરે કાંઇ નરક તિર્યંચ મિટ જાય હાંરે કાંઈ તન મન, પાવન થાય [૫૮] Page #62 -------------------------------------------------------------------------- ________________ હાંરે કાંઈ સકલ કરમ ક્ષય થાય છે. વહેલા. ર હાંરે કાંઈ પાંચમે ભવ, શિવરાજ હાંરે કાંઈ ઇનમેં શંકા ન કાંય હાંરે કાંઈ વિમલાચલ ફરસાય હાંરે કાંઇ ભવિ ને નિશ્ચય થાય છે વહેલા. ૩ હાંરે કાંઈ નાભિનો નંદન ચંદ હાંરે કાંઈ છરી પાલી જીનવંદ હાંરે કાંઇ દુર હોવે અધ વૃંદ હાંરે કાંઈ પ્રગટે નયના નંદ છે વહેલા. ૪ છે હાંરે કાંઈ ચઉ મુખ ચડ સુખ રાશ હાંરે કાંઇ મો મહેલ કીનો પાસ હાંરે કાંઈ ભવ વન થયો સહુ નાશ હાંરે કાંઈ કોઈની ન રહે ફિર આશ | વહેલા. ૫ છે હારે કાંઇ મોટા પુન્ય અંકુર હાંરે કાંઇ ચિતા ગઇ સબ દૂર હાંરે કાંઈ કુમતિ કદાગ્રહ ચૂર હાંરે કાંઇ આવ્યા નાથ હજા૨ ૫ વહેલા. ૬ છે હાંરે કાંઈ આપણો ખરો ઉધ્ધાર હાંરે કાંઇ અમ આતમ આધાર. . હાંરે કાંઈ મુજને તું અબ તાર હાંરે કાંઈ અવર ને શરણ આધાર છે વહેલા. ૭ હાંરે કાંઈ મુજને મતિ સુવિચાર હાંરે કાંઇ કર્મ કરે સબ છાર હારે કાંઇ આતમ આનંદ કાર હાંરે કાંઇ ભવસાગર પામ્યો પાર. છે વહેલા. ૮ છે જિનગુણમણિ માળા - પા.૫૫ [૫૯] - WWW.jainelibrary.org Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રાવક કવિ મનસુખલાલ (સંવત ૧૮૯૯ થી ૧૯૭૭) વિશા નીમા જૈન જ્ઞાતિનું અણમોલ રત્ન. પંચમહાલ જીલ્લાનું ગોધરા નગર કવિની જન્મભૂમિ સંવત ૧૮૯૯ના મહા વદ ૧૪નો જન્મ માતા જયંતી અને પિતા હરિલાલ વ્યવહારનું શિક્ષણ ને મુસલમાનની પેઢી પર નોકરી ૧૩મું વર્ષ લગ્ન થયાં પરિવારના ધાર્મિક સંસ્કારોનો વારસો. શાસ્ત્ર અભ્યાસ કરી જ્ઞાનમાર્ગમાં આગે કદમ આગે કદમ કરતાં કવિ બન્યા. અભ્યાસની પ્રગતિ, સ્વયંસ્ફરસા ને પૂર્વ ભવનો જ્ઞાનનો ક્ષયોપશમ. સાચા ગુરૂની ખોજમાં મળી ગયા હુકમમુનિ. તત્ત્વની શંકાનું સમાધાન કરી ગુરૂ માન્યા. આગમ, અષ્ટપાહુડ, કુરાન, દ્રવ્યાનુયોગનો અભ્યાસ, પ્રખર જ્ઞાની બનીને ઉપદેશક થયા. વ્યવહારમાંથી નિશ્ચય [૬૦] Page #64 -------------------------------------------------------------------------- ________________ માર્ગના બન્યા ઉપાસક. બે દીકરા - મગનલાલ અને મહાસુખલાલ. ધંધાની જવાબદારી છોડી જ્ઞાનોપાસના, સર્જન અને ઉપદેશમાં પ્રવૃત્ત થયા. અધ્યાત્મ જ્ઞાન પ્રસાર માટે સુમતિપ્રકાશ, સુમતિવિલાસ અને સુમતિ વ્યવહારની રચના કરી. નવપદ પૂજાદિ સંગ્રહ સ્તવન ચોવીસી ગઝલ પદ સક્ઝાય સ્તવન ચૈત્યવંદન ગહ્લી રચનાઓ કરી. જ્ઞાન અને ભક્તિમાર્ગ સમૃધ્ધ કર્યો. દાહોદમાં સ્થાયી વસવાટ ધર્મોપદેશ વાર્તાલાપ અને જ્ઞાન પ્રસારમાં જીવન સમર્પણ, તીવ્ર જ્ઞાન પિપાસા, દષ્ટિની ખામી છતાં શ્રવણ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ. કિંવદન્તિ અનુસાર સંવત ૧૯૭૭ના વર્ષમાં કવિનો દાહોદમાં દેહવિલય થયો. એમનું મૃત્યુ મહોત્સવ સમાન બન્યું. [૬૧] Page #65 -------------------------------------------------------------------------- ________________ નગરજનોએ પાલખીમાં દેહ પધરાવી અંતિમ વિધિ કરી. જીવન જીવી ગયા ને સૌને અધ્યાત્મ રસિક બનાવી ગયા, એ હતા કવિ મનસુખલાલ! મનના સુખની શોધમાં અનંતની યાત્રાએ પહોંચ્યા. ધન્ય છે એ ધરતીને . જનનીને અને કુળને. અમો સૌ ધન્ય છીએ અમારી જ્ઞાતિના કવિ મનસુખલાલની કાવ્ય સૃષ્ટિથી. ૧. (રાગ ગઝલ) ચીદ્ જ્યોતિ કો ઉદ્યોત હોત, મમત મીટ ગયા, અમાન જ્ઞાન શિવ નિદાન, સુમતિ પતિ ભયો. લખી સિધ્ધ સ્યો સ્વરૂપ, આપ સુખ મયી થયો, ભમે ભારકું ઉતારી લહું, વિવેક પરિણયો. વિભાવ યોગ રાગ નાહીં, મોહ મીટ ગયો, અનુભવ નિદાન પ્રગટ જ્ઞાન, રહે ન સંશયો. ઘનઘાતી ક્ષીણ શુકલ લીન, વીર્ય ઉમટયો, મનસુખ રંગ શીવ સંગ, સેજસે રહ્યો. (સુ. વ્યવ. ( પા. ૧૨૭) [૬૨] ૫૧૫ ારા લુણા જા Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧ Rારા ૨. (રાગ-ગઝલ) દ્રગ શાન ચરણ સહજમે, ન બંધ જિન કહા, મિથ્યા અજ્ઞાન કલુષ ધ્યાન, બંધ જીય રહ્યા. વિવેક એક આત્મકો , લહીકે ભવતરો, સુગુરૂ સંયોગ આત્મભોગ, ધરી શિવ વરો. અનંતકાલ ખોટે ખ્યાલ, ખેલી ભવ ભમ્યો, નિગોદ નર્ક ગર્ક દુઃખ, ભોગી દિન ગમ્યા. સહેત ચેત ચેતના ગાફીલ્ તું મત્ રહે, નિજ નિધિ સાર દુઃખ અપાર કહે તું સહે. મિથ્યાત જો ૨ ફોરી મારે, આત્મ મિત્તલું, સમયકત્વ જોર શેરી પ્યારે, છેદ શત્રુ તું. મનુષ્ય જન્મ પાય, સ્યાદવાદ જિન લહ્યા, મનસુખ ધીર વીર થીર શીવધરે રહ્યા. T૩ાા ૪ પાપા દા સુ. વ્યવ. - પા૧૨૮ ૩. (રાગ ગઝલ) સુબોધકે ઉદ્યોત હોત દૂરિત તમ હરા, શ્રી સિધ્ધસ્યો સરૂપ લખી, અશેષ સુખ ભરા. સુબોધ. ૧. નરિંદ ઈંદ ચંદ ઘંદ સકલ કિંકરા, શુધ્ધાત્મ તત્વ એવી ભવિક, હોત ઠાકુરા. સુબોધ. પર અજાણ દર્પ કર્મ કર્મ, સહત દુઃખ બુરા, સુજાન ધર્મ છેદિ કર્મ, વસત શિવપુરા. સુબોધ. એવા નરર્જન્મ પાય તું સદાય, સેવી ગુરૂ ખરા, કરી નિજ વિલાસ કલેશ નાશ, લહીશ સુખતરા. સુબોધ. ૪મા [૬૩] Page #67 -------------------------------------------------------------------------- ________________ નિજાત્મ એક લહિ વિવેક ધ્યાન શિર ધરા, મનસુખ ધીર વીર થીર, રહત શિવ ધરા. સુબોધ. પંપા સુ. વ્યવ - પા. ૧૨૮ ૪. (રાગ ગઝલ) સુહેત ચેત ચેતના, તું માનુષપણ લહા, જિનેશસે ઉપદેશ સૂન, ગાફીલ તું ક્યોં રહા. સુહેત. આવા અફસોસ હું બેહોશ તું, ન સુનત ગુરૂ કહા, અંધસે કુબંધ ધારી, જડ ક્યું વન રહા. સુહેત. ારા દે હાદિ મત કરત ૨મત, ભરમ મેં વહા, મિથ્યાત ધારિ નિજ વિસારી, વિવિધ દુઃખ સહા. સુહેત. ૩ આયુ અનિત બહુત ભીત, સુમગ નહીં રહા, આર્ય આય સુગુરૂ પાય, બોધ અબ લહા. સુહેત. ૪ સુબોધ પાય આત્મ ધ્યાય, મોક્ષા મગ ચહા, ભરમ ડારી કરમ મારી, પાય સુખ મહા. સુહેત. પા સગુણ ધ્યાન શુકલ પાય, મેરૂ થિર જહાં, મનસૂખ વીર હોય ધીર, શિવ ધર રહા. સુહેત. શા સુ. વ્યવ. - પાં. ૧૨૯ ૫. રાગ ગઝલ પ્રભુ ઉજળુ મજલ્ કરું મેં, આત્મશકિતપે, કજલ સે ચિત્તકો ધોઉંગા, જિનંદવેનમેં. પ્રભુ. ૧ાા રઝલ્ રહા સુન શુધ્ધ, જૈન જૈનમેં, સમજત્ મિલાન હિરણસેં, મિથ્યાકુનેને. પ્રભુ. પરા [૬૪] Page #68 -------------------------------------------------------------------------- ________________ ભવાબ્ધિ જમેં ડૂબ રહા, લોલુપ્ત વિષયુસે, ન જલ્ મિલા તિસા રહા, કુભોગ તુાસે. પ્રભુ. પવા અવલ્ કો માર રહા, સત્તા અજાનતે, - અનન્ કષાય શાંતિદાય, સુગુરૂ મોહિહે. પ્રભુ. ૫૪મા સુબોધદાય શિવ ઉપાય, બેન હમ ગહે, લખિ સ્વાવાદ તજ વિષાદ, શુધ્ધ ન રહે. પ્રભુ. પાા દિવ્ય જ્યોત ભર ઉદ્યોત, ગુરૂ પ્રતાપતે, મનસુખ ચંગ શીવસંગ, રંગસે રમે. પ્રભુ. શા સુ. વ્યવ. - પા. ૧૨૯ ૬. રાગ ગઝલ સુબોધદાય શિવ સહાય, સુગુરૂ હમ લહે, . ન માન માય સમ સદાય, વેન સમ કહે. સુબોધ. ૧ અનંતકાલ મિથ્થા ચાલ, ગહિય દુઃખ સહે, શ્રી જૈન બેન સુનત સેને, નેન ખુલ રહે. સુબોધ. રા કુગુરૂ જોર કરત શોર, કુગતિ ચહિ રહે, છોરી ધર્મ કરિ કુકર્મ, ભર્મમેં વહે. સુબોધ. ૩યા વ્રત પંચ ધાર પંચાચાર, આત્મરતિ લહે, પર આશ ડારી મોહ મારી, નહિ વિક ચહે. સુબોધ. ૪ વિરાગી લાગી અ૩ સોભાગી, શુધ્ધ પદ ગહે, સિધ્ધાંત જાણ ગુણ નિધાન, યોગ થિર વહે. સુબોધ. પાપા અને કાના બોધ આત્મ શોધ, મોક્ષ મગ વહે, નિજબલ અમાન શિવ વિધાન, અમિત સુખ લહે. સુબોધ. દા તજી આર્ત રુદ્ર કુમતિ મૂદ, પરિસહ સહે, ધરી ધર્મ શુકલ ધ્યાન જ્ઞાન, પાઈ થિર રહે. સુબોધ. ૭ [૬૫]. Page #69 -------------------------------------------------------------------------- ________________ ન સંગ અન્ય તપ સન્ન, ચરણ ચરી રહે, જનબોધિ શુધ્ધ ક૨ત બુધ્ધ, કુમતમદ દહે. સુબોધ. ૫૮ાા કરે સંધ સાર કુંમગટાર, પ્રેરતે રહે, યહ યુગપ્રધાન જિન સમાન, મુનિશ એ કહે. સુનય વિશાલ વચ રસાલ, તત્વ શુધ્ધ કહે, ધરી વિનય લક્ષ હોય દક્ષ, પરમ પથ ગહે. સુબોધ. ૫૧૦ના સુબોધ. ઘણા તજી વિભાવ ભજી સ્વભાવ, કામ મદ દહે, ગુણ છતીશ ધામ પદ વિરામ, તિભવ શિવ લહે. સુબોધ. ૫૧૧૫ કરી બહુત માન ગુણ, વિધાન જય વિજય કહે, આણ ચલત સ્તુતિ કરત, મનસુખ શિવ લહે. સુબોધ. ૫૧૨ા સુ. વ્યવ. - પા. ૧૩૦ ૭. ગઝલ પ્રતા દશ શાન લા ચેતના જાગી, મમતા રાંડ મોહ ભાંડ સંગ લે ભગી. ભયે દરશ ભોર ગયે ચોર, પ્રથમ સગી લગી, આનંદ કંદ જાતિ અમંદ, શિવ સુરસ પગી. કષાય જાય પ્રગટ ન્યાય, સમયા વી, જીણંદ વેલ લખત ચેન, વીર્ય ઉમગી. પ્રતક્ષ. ગુણ વિશેષ પજ્જ અશેષ કાર્ય મેં લગી, જડતા જાય સુખ સધાય, પાય રસ ખગી. પ્રસંગ ડારી મોહ મારી, પરપરિણતિ ત્યગી, શુધ્ધાત્મભાવ લહી સુદાવ, કુમતિ નહીં ઠગી. લહી સુસાર પુરૂષાકાર, સાર જિન મગી, મનસૂખ છેક ગ્રહિ વિવેક, ટેક શીવ જગી. સુ. વ્યવ - પા. ૧૨૭ [૬૬] પ્રતા. ૧૫ પ્રતમ. ારા ઘણા પ્રતમ. ાજના પ્રતશ. નાપા પ્રતા. ાાા Page #70 -------------------------------------------------------------------------- ________________ ૮. (રખતો) દિખા મુખ આજ પીઉં તેરા, ગયા ભ્રમ તાપ દુખ મેરા. ભઈ વ્રતી સકલ શાંત મેરી અમીય ભરી નેનમેં તેરી છુટા પરભાવકા ઘેરા કિયા નિજ સ્થાનમેં ડેરા. દીખા. ૧ ખબર સબ અન્યથી પુછે અકલ મોય આપમેં સૂજે, આનંદ અધ્ધીત પદ મેરા, કરત. દીખા..રા આકુલ મન મોહસે જેનું, અલખ બિન ઓર નહિ ચેનું, નહીં મોયે દેન હે કેરા, અધરસેં લેન કહા મેરા. દીખા. હા મેરા સબ મોયમેં ભાસ્યા, ટલી પરદાસકી આશા, શીતલ કબ ભાવ વન્ડી કેરા, ચપલ પદ હોય ના મેરા. દીખા. ૪ ખબર પીઉં સમય સમય પૂછે, મોયે પરછાય કીમ રૂચે, જપે મોયે કિ મંત્ર મેરા, લહે મનસુખ શિવ શેરા. દીખા. પા સુ, વ્યવ - પા. ૧૩૦ ૬. ઉપા. વીરવિજયજી (સંવત ૧૯૦૭ થી ૧૯૭૫). પૂ.શ્રીની જન્મભૂમિ વડવા - ભાવનગર સંવત ૧૯૦૭માં જન્મ માતા રામબાઈ અને પિતા મીઠાભાઇ, સંસારી નામ વીરજી. ભાવનગરમાં મામા મૂળજીભાઈની સાથે રહી આવશ્યક ક્રિયા જ્ઞાનનો અભ્યાસ. વૈરાગ્યવાસિત મામાએ સંયમ સ્વીકાર્યો ને બન્યા ભાગ્યવિજય આ પ્રસંગે વીરજીના જીવનમાં [૬૭] Page #71 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રનું બીજારોપણ થયું વીરજીભાઇની દીક્ષાની ભાવના અંબાલા સીટી ગયા અને સગાં સ્નેહીઓએ દીક્ષા નહિ લેવા સમજાવ્યા. વીરજીનો નિર્ણય વીરત્વનો અવિચળ હતો સંવત ૧૯૩૫માં આત્મારામજીના શુભહસ્તે દીક્ષા લીધી ને વીરજી લક્ષ્મીસૂરિનાશિષ્ય વીરવિજય બન્યા. વિશુધ્ધ સંયમ પાલન ની નિષ્ઠા શાસ્ત્રાભ્યાસથી સંયમનો પ્રકાશપુંજ પથરાયો પૂ. મૂળચંદજી મ.સાની નિશ્રા, યોગવહન કરી ઉપા. પદવીથી વિભૂષિત થયા. ચોમાસામાં સર્વ મીઠાઇ અને લીલોતરીના ત્યાગનો અભિગ્રહ. પૂ.શ્રી પધાર્યા શિહોર પોપટભાઇ લીંબડીવાળા રાતદિન વૈયાવચ્ચમાં નિમણૂ ગુરૂભક્તિમાં સમર્પણ ભાવના ધિર પોપટભાઇ વૈયાવચ્ચ ને ગુરૂ કૃપાથી સાંભળતા થયા. આ હતો એક ચમત્કાર. દેશી-રાજા-અધિકારીઓમાનવમહેરામણ દર્શનાર્થે [૬૮] Page #72 -------------------------------------------------------------------------- ________________ ઊભરાવા લાગ્યો. વિહાર કરીને પૂ.શ્રી પધાર્યા ખંભાત બંદરે. તબિયત બગડીસંઘના શ્રાવકોએ ભાવપૂર્વક કર્યું વૈયાવચ્ચ. સંવત ૧૯૭૫ ભાદરવા વદ ૯ના દિવસે આ વિશ્વમાંથી વિદાય લીધી. ૩૯ વર્ષનો ચારિત્રપર્યાય. જ્ઞાન, ધ્યાન અને ભક્તિનો સમન્વય કરી જીવન ઉજ્જવળ કર્યું ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં વિહાર કરી જિન શાસનની પ્રભાવના સ્તવન ચોવીસી, સ્તવનો સઝાય ની રચના કરી ભક્તિમાર્ગના કવિ તરીકે ખ્યાતિ પામ્યા. સૌ કોઈ ગાય છે “દાદા આદીશ્વરજી, દાદા આદીશ્વરજી, દૂરથી આવ્યો દાદા દરિશન દો” સ્તવનના રચયિતા કવિ વીરવિજયજી. પ. ૧. ૧. (ગઝલ) પદ્મ પ્રભુ પ્રાણસેં પ્યારા, છોડાવો કર્મકી ધારા, કરમ ફંદ તોડવા ધોરી, પ્રભુજી સે અર્જ એ મોરી. લઘુવય એક થે જીયા, મુક્તિ મેં વાસુ તુમ કીયા, ન જાણી પીર તે મોરી, પ્રભુ અબ ખેંચ લે દોરી. વિષય સુખ માનિ મો મનમેં, ગયે સબ કાલ ગફલતમેં નરક દુખ વેદના ભારી, નીલવા ના રહી બારી. પદ્ધ. ૨. પદ્મ. ૩. [૬૯]. Page #73 -------------------------------------------------------------------------- ________________ પ.૪. પરવસ દીનતા કીની, પાપકી પોટ સીર લીની, ભક્તિ નહિ જાણી તુમ કેરી, રહ્યો નિશદીન દુઃખ ઘેરી. ઈન વિધ વિનતી મોરી, કરૂં મેં દોય કર જોડી, આતમ આનંદ મુજ દીજે, વીરનું કાજ સબ કીજે. (જિન ગુણમણિ - પા. ૬૭) પદ્મ. પ. ૨. શ્રી સુપાર્શ્વનાથ સ્તવન કયું નહી સુનાઇ સ્વામી, ઐસા ગુના કયા કયા. ઔરકી સુનાઈ જાવે, મેરી વારી નહિ આવે, તુમ બિન કૌન મેરા, મુજે કયું ભૂલા દીયા. ક્યું. ૧ ભક્ત જનો તાર દીયા તારવેકા કામ કીયા, વિન ભક્તિ વાલા મોપે, પક્ષપાત યું લીયા. ક્યું. ૨ રાય રંક એક જાનો, મેરા તેરા નાહિ માનો, તરણ તારણ એસા, બિરૂદધાર કયું લીયા. ગુના મેરા બક્ષ દીજે, મોપે એસી રહેમ કીજે, પકાઈ ભરોસા તેરા, દીલો મેં જમા લીયા. ક્ય. ૪ તુંહી એક અંતરજામી, સુનો શ્રી સુપાર્શ્વ સ્વામી, અબ તો આશા પુરો મેરી, કહેના સો તો કે દીયા. ક્યું. ૫ શહેર અંબાલા ભેટી, પ્રભુજીકા મુખ દેખી, માનુષ જનમ કા લાહા, લેના સો તો લે લીયા. કર્યું. ૬ ઉનીસો છાસઠ છબીલા, દીપ માલ દીન રંગીલા, કહે વીરવિજય પ્રભુ ભક્તિ, જો જગા દીયા. ક્યું. ૭ જિન ગુણ મણિમાલા - પા. ૬૯ [૭૦] - WWW.jainelibrary.org Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩. નેમનાથ સ્વામી સ્તવન મેં આજ દરિશરન પાયા, શ્રીનેમનાથ જિન રાયા, પ્રભુ શીવાદેવીના જાયા, પ્રભુ સમુદ્રવિજય કુળ આયા. કર્મો કે હિંદ છોડાયા, બ્રહ્મચારી નામ ધરાયા, જેણે તોડી જગતકી માયા, શ્રી નેમનાથ જિન.રાયા. શ્રી નેમ. ૧૫ રેવતગિરિ મંડણ રાયા, કલ્યાણિક તીન સોહાયા, દીક્ષા કેવલ શીવરાયા, જગતારક બીરૂદ ધરાયા, તુમ બેઠે ધ્યાન લગાયા, મેં આજ દરિશન પાયા. શ્રી નેમ. પરા અબ સુનો ત્રિભોવન રાયા, મેં કર્મો કેવશ આયા, હું ચતુર્ગતિ ભટકાયા, મેં દુઃખ અનંતે પાયા, તે ગીણતિ નહીં ગણાયા, મેં આજ દરિશન પાયા. શ્રી નેમ. ૩ મેં ગર્ભાવાસમેં આયા, ઉંધે મસ્તક લટકાયા, આહાર અરસ વિરસ મુક્તાયા, એમ અશુભ કર્મ ફલ પાયા. ઈણ દુઃખસે નહીં મુકાયા, મેં આજે દરિશન પાયા. શ્રી એમ. ૪ નરભવ ચિંતામણી પાયા, તબ ચાર ચોર મીલ આયા, મુંજે ચૌટે મેં લુંટ ખાયા, અબ સાર કરો જિનરાયા, કિસ કારણ દેર લગાયા, મેં આજ દરિશન પાયા. શ્રી એમ. પા જેણે અંતરગત મિલાયા, પ્રભુ નેમ નીરંજન ધ્યાયા, દુખ સંઘના વિઘન હટાયા, પરમાનંદ પદ પાયા, ફિર સંસારે નહીં આયા, મેં આજ દરિશન પાયા. શ્રી એમ. દા મેં દુર દેશસે આયા, પ્રભુ ચરણે શિશ નમાયા, મેં અરજ કરી સુખદાયા, તે અવધારો મહારાયા, એમ વીરવિજય ગુણ ગાયા, મેં આજ દરિશન પાયા. શ્રી નેમ, પાછા (પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ-૪૩) [૭૧] Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪. સ્તવન ચોવીસી કલશ રખતા) ચોવીસ જિનરાજ મેં ગાયા, પરમ આનંદ સુખ પાયા, પ્રભુ ગુણ પાર ના પાવે, જો સુરગુરૂ વર્ણવા આવે. ચોવીસ. ૧ અલપસી બુધ્ધિ હૈ મોરી, કરી પિણ વર્ણના તોરી, પ્રભુ તુમ માનજો સાચી, ન થાયે જગતમેં હાંસી. ચોવીસ. રા મેરા અબ તાજ તુમ હાથે, બાંહે ગ્રહી લિજિયે સાથે, કહો પ્રભુ જોર કયા તુમન, જગ ઉધ્ધારતા હમને. ચોવીસ. ૩ાા પ્રભુ ચૌવીસ જગ સ્વામી, પુરવલે પુણ્યથી પામી, હરો સબ દુઃખનો ઘેરો, નાસે જરા-મરણનો ફેરો. ચોવીસ. જા વેદ યુગ અંક ઇંદુ વર્ષે, આષાઢ માસ શુકલ પક્ષે, તિથી ભલી પૂર્ણિમા પૂરી, ભયો સોમવાર સુખ ભૂરી. ચોવીસ. પા વિજે આનંદગુરૂ પાયો, બહુમન વીર હરખાયો, ભૃગુકચ્છપુર ચૌમાસી, રહી કરી વિનતિ સાચી. ચોવીસ. દા જૈન ગુર્જરકવિ કાવ્ય પ્રસાદી - પા. ૧૪૨ ૭. મુનિ હંસવિજયજી (સંવત ૧૯૧૪ થી ૧૯૯૦) વીરક્ષેત્ર વડોદરાની ભૂમિના રત્નોની હારમાળાનું રત્ન મુનિ હંસવિજય. પૂ.શ્રીની જન્મ ભૂમિ વડોદરા સંવત ૧૯૧૪ના અષાડ વદ અમાસનો જન્મ નામ છોટાલાલ માતા માણેકબાઇ પિતા જગજીવનદાસ બાલ્યકાળથી ઊંચી ધર્મભાવના વ્યવહારના પ્રસંગે સ્નેહી શ્રી ગોકુળભાઈની ત્યાં પ્રયાણ [૨] Page #76 -------------------------------------------------------------------------- ________________ ગોકુળભાઇની દીક્ષાની ભાવના છોટાલાલની પણ એજ ભાવના બન્નેજણ ટ્રેન દ્વારા પંજાબમાં અંબાલા પહોંચી ગયા સંવત ૧૯૩૫ના મહાવદ ૧૧ ના પવિત્ર દિવસ સંયમધર બન્યા ગોકુળભાઇ કાંતિ વિજય અને છોટાલાલ હંસવિજય બન્યા સંયમના રાજમાર્ગ પર રત્નત્રયીની આરાધના કરતાં સંસ્કૃતમાં સ્તુતિ અને સ્તોત્ર રચ્યાં સ્તવન ચોવીસી અને પર્વનાં સ્તવનો રચ્યાં ને વળી રચી ગિરનાર તીર્થ પૂજા. વિવિધ શાસ્ત્રીય રાગો ને દેશીઓના પ્રયોગથી સ્તવનોની રચના કરી કવિત્વ શક્તિનો પરિચય જીવનનું અંતિમ વર્ષ સંવત ૧૯૯૦ ભક્તિ માર્ગના કવિ તરીકે ખ્યાતિ પામ્યા કવિ હંસવિજયજી. હંસવિજય કૃત સમેતશિખર મંડન વિંશતિ જિનપૂજા પ્રથમ પૂજા ૧. કવ્વાલી ગુણાઃ સર્વત્ર પૂજ્યતે, કથન એ લોક કહે ભાવે, તથાપિ જગતમાં ગુણીજન, જનોની પૂજના થાવે. [૭૩] ॥૧॥ Page #77 -------------------------------------------------------------------------- ________________ પરાં અટલ એ ન્યાય અનુસારી, જિનેશ્વર દેવની પ્યારી, પૂજન કરે નિત્ય નરનારી, અષ્ટવિધ દ્રવ્યને ધારી. શિખર ગિરિ ઇશ વીશ કેરી, પૂજા રચી ટાલું ભવ ફેરી, સફલ હોય વાંછના મેરી, કૃપા જો હોય પ્રભુ તેરી. ૩ વિવિધ પૂજા – પા. ૧૩૭ I૧ ૨. (કવ્વાલી) પૂજન, દ્રવ્ય ભાવસે હોવે, સાધુ સિધ્ધાંત દિખલાવે, દ્રવ્યસે ભાવ પૂજા કરી, અનંતગુણા ફલ ફરમાવે. સમજકે નેમિ સ્વામી કે ઇંદ્ર ઉપેન્દ્ર ગુણ ગાવે, દયાલુ બાલ બ્રહ્મચારી, હમે નમિયે પ્રભુ ભાવે. લલિત લલના તણે લટકે, પીગલે દિલ અન્ય દેવનકે, અભેદી વજકે જૈસા, હૃદય તુમ બ્રહ્મ સેવન કે. યદુકુલકે વિભૂષણ હો, ત્રિભુવન કે તુમ સ્વામી, હમારે મન માનસમેં, બિરાજો હંસગતિ ગામી. રા ૧૩ I૪ વિવિધ પૂજાસંગ્રહ - પા. ૧૨૫ ૩. (કલશ-રેખતા). જિનાલયે પૂજ જિનચંદા, રૈવતગિરિ ઉપરે બંદા, નેમિજિનરાજ સુખકંદા, અમીઝરા પાસ હરે ફંદા. જિના. ૧૫ કેવલ દરિયા સમા ગાજે, ગંગાવરે દેરિયાં છાજે, મેકરવાસી સહસફણા રાજે, નમો ભવિ ભાવથી આજે. જિના. પારા . નરપતિ સંપ્રતિ કેરા કુમારપાળ ભૂપના દેરા, અભૂત બાબા જગત સેહેરા, મિટાવે ભવ તણા ફેરા. જિના. ૩ [૭૪] Page #78 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ ઓર તેજપાલ, મંત્રીશ્વર હો ગયે લાલા, દેવળ ઇનકા જગત વ્હાલા, ગુફામેં સતી રાજુલ બાલા. પાંચમી ટૂંક પર થાવે, નેમિ નિર્વાણ કહલાવે. નમો પ્રભુ પાદુકા ભાવે, નેમીશ્વર મૂર્તિ વહાં ઠાવે. ઇત્યાદિક ચૈત્યપરિપાટી, કરો ચઢી પાઢકી ઘાતી, ઇસ વિધિ કર્મકો કાટી, નમો આદિનાથ તલ્હાટી. જુનાગઢ શહેર અભંગા, મહાવીરસ્વામી ચૈત્યગંગા, શરણ પ્રભુ વીરકા મંગા, નેમિ વહાં જિન અનંગા. તપાગચ્છમેં હવે નામી, વિજય આનંદસૂરિ સ્વામી, અપર નામ આતમારામી, કીર્તિ અમેરિકા ગામી. રાજા અરુ રંક આ નમતે, દુર્જન સબ દૂરજા ભમતે, આક્ષેપોકારકો દમતે, આતમ આરામમેં દમતે. હુએ તસ શિષ્ય મંડલમેં, જૈસે દ્વિજરાજ બાદલમેં, વિજયલક્ષ્મી ગુરૂ કુલમેં, છલે નહીં ગયે ઢુંઢતે છલમેં જિનોને સિધ્ધહેમ દેખા, ન્યાય સિધ્ધાંત સબ પેખા, પરીક્ષકમે પાઇ રેખા, પતિ જૈસે ગુરૂ લેખા. જિના. ૫૧૧૫ ઇનોંકે શિષ્ય હવે ભૂરિ, જિન્હોંમેંસે હુવે સૂરિ, વિજય કમલબને ધૂરી, ઇનોંકી પ્રીતિ હૈ પૂરી. પ્રવર્તક હૈ વિજય કાંતિ, ધરે દિલ માંડે જો ક્ષાંતિ, પ્રથમ પંન્યાસ દિએ શાંતિ, સંપતવિજય ટાલ ભ્રાંતિ. જિન. ૫૧૩ા ઇનકી અર્જ દિલધારી, પૂજન રચના રમત ન્યારી, બનાઇ બાલપરે પ્યારી, નેમિજિન જન્મ તિથિ સારી. મહોબતખાનજી હર્ષે, નવાબ સાહેબ જિસ વર્ષે, ગાદી પર બેઠે તિસ અરસે, આયે યાત્રા કે હમ તર સે. જિના. ૫૧૨ [૭૫] જિના. uxu જિના. પા જિના. un જિના. ઘણા જિના. ઘટા જિન. ઘણા જિના. ૫૧૦ા જિના. ૧૪ના જિના. ૫૧પા Page #79 -------------------------------------------------------------------------- ________________ સંવતરસ સાગર સંગે, ગ્રહશશિ વિક્રમ ચેંગે, ચોમાસા ઠહર કે રંગે, ગાયે પ્રભુગુણ ઉમંગે. જિના. ૫૧૬। ગુરૂ લક્ષ્મીવિજય ત્રાતા, વિજય કમલ ગુરૂ ભ્રાતા, માફી ગફલતકી હાતા, હંસ નમે નેમિ ગુણ ગાતા. જિના. ૫૧૭ના વિવિધ પ્રજાસંગ્રહ – પા. ૧૨૮ ૮. આચાર્ય શ્રી વલ્લભસૂરિ. (સંવત ૧૯૨૭ થી ૨૦૧૦) ગુજરાતની મધ્યમાં આવેલું વડોદરા શહેર કવિની જન્મભૂમિ. જન્મ સંવત ૧૯૨૭ સંસારી નામ છગનલાલ. યૌવનને આંગણે ખીલી ઊઠી આધ્યાત્મિક વસંત સંવત ૧૯૪૩માં રાધનપુર મુકામે પૂ.આત્મારામજી મ.સા. પાસે સંયમ અંગીકાર કરી છેલ છબીલા છગનલાલ રંગ રંગીલા અધ્યાત્મરસિયા બની ગયા વલ્લભવિજય. જ્ઞાન ધ્યાન ને ક્રિયામાં મસ્ત ગુરૂ આત્મારામજીની શુભ નિશ્રામાં જ્ઞાનોપાસનાથી સંયમનો પ્રકાશપુંજ પથરાયો અનેકવિધ કાર્યોમાં કર્મઠતા શાસનપ્રભાવના, જ્ઞાનોપાસના, કવિ તરીકે પ્રસિધ્ધ, [૬] Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૯વર્ષ સુધી પંજાબની ભૂમિમાં શાસનપ્રભાવના કરી. વિહારભૂમિમાં વિચરતાં અહિંસા પરમો ધર્મનો ડંકો વગાડ્યો જિન શાસનનો જયજયકાર વિહાર કરતા આવ્યા માદરેવતન વડોદરામાં જૈન કોન્ફરન્સના સુવર્ણ જયંતી મહોત્સવમાં ઉપસ્થિત રહી શ્રાવક – શ્રાવિકા ઉત્કર્ષફંડની યોજના વ્યવહાર અને ધર્મ શિક્ષણની સંસ્થાઓના નિર્માતા બની શિક્ષણ અને સંસ્કાર ઘડતરમાં પાયાના પત્થર બની અમર થયા. મુંબઈના નિવાસ દરમ્યાન શરીર શિથિલ થયું ડક્ટરો, શ્રાવકો અને સંઘની અનુકરણીય, અનુમોદનીય વૈયાવચ્ચ કાળ કોઈને છોડતો નથી એક કપરી ક્ષણ આવી એ દિવસ હતો સંવત ૨૦૧૦ના ભાદરવા વદ-૧૧નો પૂ. શ્રી આ ધરતી પરથી કાયમને માટે વિદાય થયા. ૮૪ વર્ષની જૈફ વય ને [૭૭] Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૭ વર્ષનો દીક્ષાપર્યાય માનવતાના પૂજારી, કર્મઠ વીર ને, ઊંચી કોટિના કવિ. એમનું સાહિત્ય નવલું નજરાણું પૂજા સાહિત્યમાં નવીન વિષયો ચૌદ રાજલોક, પંચ જ્ઞાન એકવીસ પ્રકારી પૂજા, શાંતિનાથ પંચકલ્યાણક સત્તરભેદી પૂજા વગેરેની રચના ૨૪ તીર્થકરો અને તીર્થ વિષેના સ્તવનો, સ્તુતિ, ગહુલી, સક્ઝાય, પદ, ગુરુગુણ સ્તુતિ – સ્તવનની રચના કવિત્વ સાથે તત્વજ્ઞાન ભક્તિ ને રસિક્તાથી સમૃધ્ધ ગઝલો એ એમની કવિપ્રતિભાની સાક્ષી સમાન છે. પૂ. વલ્લભસૂરિ એટલે Dynamic Personality of Divine life. યુગપ્રવર્તક આ.શ્રી વલ્લભસૂરિને કોટિ કોટિ વંદન હો. મિતાક્ષરી પરિચય પછી પૂ.શ્રીની ગઝલોનો આસ્વાદ એમની કવિપ્રતિભાનું પ્રતીક. [૮] Page #82 -------------------------------------------------------------------------- ________________ બડૌદા મંડન ૧-શ્રી ઋષભદેવ સ્વામી સ્તવન, (કવ્વાલી) અરજી તો કર રહા હું ચાહે માનો યા ન માનો. આ અંજલી છે પ્રભુ નાભિજી કે નંદા આદિ જિનંદ ચંદા, ચરણો મે આ પડા હુ ચાહે માનો યા ન માનો. . અરજી. ૧ | તુમ ધ્યેય મૈ હું ધ્યાતા તુમ ધ્યાન મેં હી રાતા, પ્રભુ સામને ખડા હું ચાહે માનો યા ન માનો. અરજી. ૨ | તુમ રાગ કે હો સ્વામી, પ્રભુ મેં હું રાગ કામી, તુમ રાગ મેં લગા હું ચાહે માનો યા ન માનો. એ અરજી. ૩ તારક તારો મોહ તારક નામ સોહે, ગુણ સુમરે ગા રહા હું ચાહે માનો યા ન માનો. . અરજી. ૪ દર્શન સે દુરિત જાવે વાંછિત ફલ પાવે, ચિત્તે પે હી ચાહ રહા હું ચાહે માનો યા ન માનો. . અરજી. ૫ છે નગર બડૌદા મંડન કરો સ્વામી અઘમંડન, તુમ શરણ આ રહા હું ચાહે માનો યા ન માનો. આ અરજી. ૬ . આતમ લક્ષ્મી સ્વામી પ્રભુ હર્ષ ભૂરિ પામી, વલ્લભ તો હો રહા હું ચાહે માનો યા ન માનો. . અરજી. ૭ સ્તવનાવલી - પા. ૧૬ ૨. અષ્ટાપદ તીર્થપૂજા રિખતા). શાસન આદિનાથ જયકારી, અસંખ્યાપાટ સુખકારી, ગયે મુક્તિ મેં નરનારી, સ્વર્ગ છવ્વીસ અવતારી. [૭૦] ૧ાા Page #83 -------------------------------------------------------------------------- ________________ અર્ધ આરામેં જિનવરકા, પ્રભુ શ્રી આદિ ઇશ્વરકા, ચલા શાસન જગદીશા, અધર્મ તીન ચોર વીશા. તીરથ પ્રભુ થાપના સોહે, ચતુર્વિધ સંઘ મન મોહે, ગણિ ગણ અંગ વિસ્તારા, અનાદિ તીર્થ આચારા. પ્રભાકર વંશ પ્રભુ સાગર, અસંખ્યા પાટ ગુણ આગર, ભરત ચક્રી રૂષભ વારે, સગર ચક્રી અજિત લારે. ભૂપ જિતશત્રુ કુલનંદા, હુવે સુત દોય રવિ ચંદા, અજિત જિન રાજ સુખ કારી, સાગરપ ચક્રી પદધારી. આતમ લક્ષ્મી પ્રભુ કરતા અનાદિ ભરમ કે હરતા, હર્ષધરી સેવિયે ભાવે, વલ્લભપ્રભુ તીર્થ ગુણ ગાવે. વિવિધ પૂજા સંગ્રહ – પા. ૪૧ ાશા mા urm પા ૩. આદીશ્વર પંચ કલ્યાણક પૂજા (કલશ-રેખતા) પ્રભુજી આદિ જિનરાયા, કલ્યાણક પાંચ શુભ ભાવે, આરાધે જો ભવિ પ્રાણી, અપુનરાવૃત્તિ ફલ પાવે. ........(૧) સિદ્ધાચલ આબુ મેત્રાણા, જગડિયા કાવી દેલવારા, અચલગઢ કાંગડા ફુલપાક, માણકસ્વામી આનંદકારા. ધાણેરા કોરટા નાડુલાઇ, અયોધ્યા ઔર પુરિમતાલા, રાણકપુર રાજનગર દીપે, કેસરીયાનાથ ઉપરિયાલા. "દા ...(૨) ...(૩) ઇત્યાદિ તીર્થનગર ગામે, પ્રભુશ્રી આદિ જિનદેવા, કલ્યાણક પૂજના કાજે, કરી રચના પ્રભુ સેવા. .......(૪) નગર શિવગંજસે ચલકે, આયો સંઘ નાથ લેવા, કરી કરૂણા કૃપાસાગર, દીજે ફલ આપકી સેવા. ......(૫) [૮૦] Page #84 -------------------------------------------------------------------------- ________________ મુખી ગોમરાજ હંસાજી, સકલ પરિવારકે સંગે, કરી યાત્રા કરાઈ હૈ, નિકાલી સંઘ અતિ રંગે. ..............(૬) સતાવિસ સાધુ સાધ્વીયા, ઉષ્ણતર સાથ સંઘ આવે, કેસરીયા નાથકે દર્શન, કરી મહાનંદકો પાવે. .........(૭) ઋષિમુનિ અંક ચંદ્રાદે, મધુ દશમી સુદી સારી, કરી યાત્રા રાશિ વારે હુઓ આનંદ અતિ ભારી. ..........(૮) દિવસ મહાવીર જયંતિકા, ત્રયોદશી ચૈત્ર ગુરૂવારે, આતમ લક્ષ્મી કેસરિયામે, પૂરણ વલ્લભ હર્ષ ધારે. ...(૯) તપાગચ્છ નામ દીપાયા, શ્રી વિજયાનંદ સૂરિરાયા, વિજયલક્ષ્મી ગુરૂદાદા, વિજય શ્રી હર્ષ ગુરૂ પાદા. ....(૧૦) લઘુ તસ શિષ્ય વલ્લભને, સ્તવ શ્રી આદિ જિન ભાવે, કારણ છઘસ્થ અલનાકા, મિચ્છામિ દુક્કમ થાવે. ....(૧૧) વિવિધ પૂજા સંગ્રહ - પા. ૨૬૫ ૪. શ્રી અષ્ટાપદ તીર્થ પૂજા (કવ્વાલી) પ્રભુ શ્રી આદિ જીનવરસે, વંશ ઔર ગૌત્ર ઠાયા હૈ, યહી શાસ્ત્રોમેં ગણધરને, ખુલાસા ખૂબ ગાયા હૈ, હરિ ઉત્સાહસે પ્રભુકે, વંશ ઔર ગોત્ર થાપન કો, લંબી સી ઈસુ ખ્રિકો લિયે પ્રભુ પાસ આયા હૈ. ....(૧) પસારા હાથ જનજીને, હરિ ખુશ હો દિયા ઈસુ, પ્રભુકા ઈક્ષવાકુ, ગોત્ર કશ્યપ કહાયા હૈ. .....(૨) પ્રભુ દો વીસ હી ઇનમેં, હુઈ દો વીસ બાવીસમેં, હરિવંશ ગોત્ર ગૌતમમે, ઇશ્વાકુ વંશ છાયા હૈ. ........(૩) [૧] Page #85 -------------------------------------------------------------------------- ________________ સમય જાની પિતા માતા, સુનંદા ઔર મંગલાકા, મિલી સંગ દેવદેવીકે, વિવાહીત્સવ રચાયા હૈ. .......(૪) હુએ સો પુત્ર દો પુત્રી ભરત બાહુબલી મ્હોટે, ભરતસે સૂર્ય બાહુસે, શશી વંસી સુહાયા હૈ. .......(પ) સૂત્ર શ્રી કલ્પમેં પ્રભુકે, ગોત્ર ઓર વંશકા વર્ણન, આતમ લક્ષ્મી પ્રભુ હર્ષે, વલ્લભ મનમેં સમાયા હૈ.........(૬) વિવિધ પૂજા સંગ્રહ - પા. ૪૦૦ ૫. શ્રી શાન્તિનાથ સ્તવન (કવ્વાલી) કરો ટુક મહર ઐ સ્વામી, અજબ તેરા દીદારાહૈ, નહી સાની તેરા કોઇ, લિયા જગ ઢુંઢ સારા હૈ । અંચલી તુંહી જો હૈ વહી મૈં હું નહીં કે ભેદ તુઝ મુઝ મેં, અગરહૈ ભેદ તો દિલકા, નહીં કુછ ઔર ધારા હૈ. ૫ કરો. ૧ ॥ ખૂદી સે નાથ તું ન્યારા, ખુદી સે જગ સતાયા હૈ, ખૂદી કે દૂર કરને કો મુજે તેરા સહારા હૈ. ૫ કરો. ૨ ॥ મિલા મૈં નાથ ગૈરોસે, ગમાયા નૂર મૈં અપના, રિહાઇ પાને કો ઇનસે, કિયા મૈં ને કિનારા હૈ. ૫ કરો. ૩ ા હરિહર રામ ઔર અલ્લા, બુધ્ધ અરિહંત યા બ્રહ્મા, અનલ સચ્ચિદાનન્દીબિલા તાત્સુબ નિહારા હૈ. મેરે પ્રભુ શાંતિકે દાતા જગત મેં નામ હૈ રોશન, કરી જગતમે પ્રભુ શાંતિ તેરા શાંતિ નજારા હૈ. આતમલક્ષ્મી ગગનભેદિ અલખ જલવા પ્રભુતેરા, પરમ જ્યોતિ શ્રુતિ વલ્લભ, મિલા નહી હર્ષ પ્યારા હૈ. [૮૨] ૫ કરો. ૪ ૫ ૫ કરો. ૫ ॥ ॥ કરો. ૬ Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉન્ની સૌ એક કમ અસ્સી એકાદશી સૂર્ય કે દિન મેં, સમાના માઘ ઉજિયારા પ્રભુ ગાદી પધારા હૈ. છે કરો. ૭ છે સ્તવનાવલી – પા. ૫ ૬. શ્રી શાન્તિનાથ સ્તવન (કવ્વાલી) પ્રભુ શ્રી શાંતિ જિન સ્વામી, ગુજારિકા તેરે દરબારા, તેરે બિન કોઈ નહીં મેરા, મેરી તું આલી સરકાર. એ પ્રભુ જગતમેં નામ દેવોં કે, હજારો લોક હૈ લેતે, છે મગર નહીં ખયાલનામીકા, જરાભી દિલ હૈ ધારા. હે પ્રભુ. ૧ અગર હો નામ નામીકા, જરાભી ખ્યાલ દિલ અપને, બખૂબી હોત હૈ રોશન કલ્પના ભેદ જગ સાર. એ પ્રભુ. રા ચાહે હો કોઈ ભી મૈસા, નામનામી ખરા ચાહિયે, અગર હૈ નામી નિર્દોષી, ઉસીકો હૈ નમસ્કાર. . પ્રભુ. ૩ દયાલૂ તૂ તેરી શિક્ષા, પ્રભુ હે બીવ રક્ષાકી, છે દયા વિન નામ હૈ નિષ્કલ, દયાલુ સત્ય અવધાર. એ પ્રભુ. ૪ છે ગર્ભમેં જબ પ્રભુ આયે, શાંતિ સબ દેશમેં ફલી, છે શાંતિ શુભ નામ એ કારણ, શાંતિપ્રભુ શાંતિ કરતાર, પ્રભુ. પ . જન્મ દીક્ષા રુ કેવલજ્ઞાન, મોક્ષપદ પાંચમા કહિયે, છે કલ્યાણક પાંચ જિનવરકે, આરાધક પાવે ભવપાર. એ પ્રભુ. ૬ . કલ્યાણક પાંચ નંદીશ્વર, દ્વીપ મેં કરતે ઉત્સવકો, . દેવતા ચાર જાતિ કે પુરંદર સાથ પરિવારા. પ્રભુ.૭ છે શ્રાવક સમકિત કી કરણી, કરણ કારણ અનુમોદન, હોવે ફલ ચિતવૃત્તિ કે, નિજાતમ ભાવ અનુસાર. | પ્રભુ. ૮ છે [૩] Page #87 -------------------------------------------------------------------------- ________________ આતમ લક્ષમી પ્રભુથાપન, સુદિ મૃગ પંચમી સોમે, છે ઉન્નીસૌ ક્યાસી લવપુરમેં, હર્ષ વલ્લભ કા વર્તારા. પ્રભુ. ૯ છે શ્રી શાંતિનાથ પંચ કલ્યાણક પૂજા પા. ૬૮ ૭. શ્રી શાંતિનાથ સ્તવન (કવ્વાલી) પ્રભુ શ્રી શાંતિ જિન તુમને લગાઇ ધ્યાન કી ધારા, હોવે ધારા વહી જિસકો વહી હો જાવે ભવપારા. આ અંચલી છે તરુ નંદિતલે છક્કી તપસ્યા ધ્યાનમેં લીના, છે ક્ષપક શ્રેણી લગે ચઢને સાતસે આઠ પગધારા. પ્રભુ. ૧ છે પ્રથમ પદ ધ્યાન ચૌથકા જોર જાસ સ્થાન નવમેમેં, છે લોભકો સૂક્ષ્મતર કરકે દશમ ગૂણ સ્થાન સ્વીકારા. . પ્રભુ. ાર છે બારમેં સ્થાન જા પહુંચે કરી ક્ષય મોહકો જડસે, છે ક્ષણે અંતિમ દ્વાદશ કે દૂસરા પાય ઉજિયાર. | પ્રભુ. ૩ | જહર ક્યું મંત્રસે અહિકા ડેકમે દેહસે આવે, છે ધ્યાનસે ન્યૂ વિષય અણુમેહોત હૈ મનકા સંચારા. હે પ્રભુ. ૪ છે અભાવે અન્ય કાષ્ઠોકે અનલ ક્યું શાંત હો જાતા, સ્વયં મન શાંત હું હોતા વિષય સે હોત જબ ન્યારા. ૫ પ્રભુ. ૫ છે અનલ શુભ ધ્યાનસે ઘાતિ કરમ કો ભસ્મ કર દીના, હુઆ પ્રભુ જ્ઞાન કેવલ હૈ લિયા નિજરૂપ કો ધારા. . પ્રભુ. ૬ . તિથિ સુદિ પોષકી નવમી નિશાકર વાસ ભરણીમેં, . આત્મલક્ષ્મી પ્રભુ પાયે વલ્લભ મન હર્ષ નહીં પાર. છે પ્રભુ. ૭ છે. શ્રી શાંતિનાથ પંચ કલ્યાણકપૂજા – પાન -૫૭ [૪] Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮. શ્રી નેમિનાથ સ્તવન (સોહણી) નમિનાથ પ્રભુકા ધ્યાન ધર માનુષજનમ કા સાર હૈ. નમિ. દષ્ટાંત દશ જિન દોહિલા, માનુષ જનમના વિચાર હૈ, ચારોં ગતિમેં મુખ્ય હી, માનુષ જનમ અવતાર હૈ. નમિ. ૧ાા આરજ દેશકે પેદાશક, કુલજાતિ ઉગમ ફાર હૈ, અતિ લંબા આયુ ઇંદ્રિપુરણ રોગસે છુટકાર હૈ. નમિારા ગુરૂ જોગ શુભ પાયા સુના, જિનવર વચન વિસ્તાર હૈ, સરધાન શુધ્ધ મનસા કરી, રહા બાકી ઉધમકાર હૈ. નમિ. સા. ઉદ્યમ કીએ મિલી સબ સામગ્રી, સફલ હોનહાર હૈ, કર દાન અર્ચન, નેમ તપ જપ, ધ્યાન ભાવના બાર હૈ. નમિ. પ્રજા મત ક્રોધ માયા માન કર, નરલોભ દેનાટાર હૈ, સબસે બડી દુઃખદાઈ જોધા, નામ જિસકા માર હૈ. નમિ. પાપા પ્રભુ ધ્યાનસે મરે કામ જોધા, હોના રહિત વિકાર હૈ, પ્રભુ વૈન અમૃત પાન કર, આતમ આનંદ સાર હૈ. નમિ. યાદી પ્રભુ વીતરાગ જિનંદચંદ, ચકોરચિત્તા મનોહાર હૈ, પ્રભુ જ્ઞાન ધર મન ભાવસે, વલ્લભ હર્ષ અપાર હૈ. નમિ. ૭ પૂજા સ્તવનાદિ સંગ્રહ – પા. ૯૦ ૯. શ્રી ગિરનાર તીર્થ મંડન નેમિનાથ જિન સ્તવન સાા (કવાલી) પ્રભુ શ્રી નેમિજિન દર્શન, હુએ આનંદ જય કારી છે. પ્ર. પ્રભુ તુમ દર્શએ માનું સફલતા નયન દો ધારી, [૮૫] Page #89 -------------------------------------------------------------------------- ________________ અગર હોવે ન તુમ દર્શન, નયન દોનો ન સુખકારી. " પ્ર. ૧ ૫ વિવેક બન ગ્રહી દીક્ષા, ક્રિયા સંગ ત્યાગ સંસારી, વહી વિવેક મુઝ દીજે, બન્ને મૈંભી ચરણ ધારી. u પ્ર. ૨ ।। બને નિર્બલસે અતિ સબલે લલિત ચારિત્રકો પારી, અવસ્થા મૈં ભી વો ચાહુ દેઓ તુમ હૈ જાઉં વારી. ॥ પ્ર. ૩ ॥ કિયો આતમ સોહન ધ્યાને, કરમ ઘાતીપેર ચારી, એસે શુભધ્યાન શોધનકો મુઝે દીજે હો બ્રહ્મચારી. ॥ પ્ર. ૪ ૫ વિમલ ચૈતન્ય કે પ્રગટે હુઓ બ્રહ્મજ્ઞાન ઉજિયારી, વિમલ ચૈતન્ય મૈ ચાહુ કરો ઉપકર ઉપકારી. ! પ્ર. ૫ ॥ પ્રભુ વિજ્ઞાન કે બલસે પરા વિદ્યા કો વિસ્તારી, યહી વિચાર તુમ સરના લિયા હૈ ધાર હિતકારી. u પ્ર. ૬ u વિચક્ષણ નાથ હૈ રાજુલ તજી મુક્તિ વરી આરી, વિચક્ષણ કરકે સેવકકો ભવોદધિસે કરો પારી. ૫ પ્ર. ૭ ! વિલાસી આત્મ લક્ષ્મી કે પ્રભુ આતમ ગુણધારી, યહી વિલાસ મુઝકો ભી, કરો બક્ષીસ દાતારી. ॥ પ્ર. ૮ ૫ ચરણ કૈવલ્ય અરૂ મુકિત ભએ તીનો હી ગિરનારી, યહી તીનો જો વલ્લભકો મિલે હો હર્ષ નહી પારી. ॥ પ્ર. ૯ u સહસ દો કમ સતાઇ સે ચૈત્ર હોદશી સુદી સારી, કિયો વલ્લભ પ્રભુ દર્શન, હુઓ આનંદ શનિવારી. ॥ પ્ર. ૧૦ u સ્તવનાવલી - પા. ૫૫ ૧૦. શ્રી નેમિનાથ જિનપૂજા (કવ્વાલી) પ્રભુશ્રી નેમિ જિન પૂજન, નસિબ વીર વિ પાવે, પ્રભુ. શિવાદેવી માત નંદનકે, ભવિ નિશદિન ગુણગાવે, [૮૬] Page #90 -------------------------------------------------------------------------- ________________ તજી રાજુલસી નારી, કરી ક્ષય મોહ શિવ જાવે. પ્રભુ. ૧ છે તરૂ અશોક નિત્ય છાયા, અધોમુખ કંટકા થાવે, તરૂગણ માર્ગમેં નમતે, ગગન ધ્વનિ દુંદુભિ ભાવે. પ્રભુ. ર છે પવન સુખદાઇ ચલતિ હૈ, પ્રદક્ષિણા પક્ષી ગણ લાવે, આતમલક્ષ્મી અતિ હર્ષ, વલ્લભમન વીર ગુણ આવે. પ્રભુ. ૩ વિવિધ પૂજા સંગ્રહ – પા. ૬૧૨ ૧૧. આસપુર-શ્રી પાર્શ્વનાથ સ્તવન (અમીઝરા) (કવ્વાલી) પ્રભુશ્રી પાર્શ્વજિન સ્વામી અરજ મૈને ગુજારી હૈ, કરો ભવપાર સેવક કો યહી ડિગરી તુમારી હૈ. અંજલી. જગતમેં પંથ હૈ બહુતે ન સંખ્યા દેવ ઔર ગુરુ હી, બાહમી આપ આપસ મેં સુનાતે સબ હી ગારી હૈ. . પ્ર. ૧ | બિના સમજે વચન નયકે ખીંચતે હૈ સભી અપની, અગર નયવાદ કો સમઝે નહીં કુછ ભેદ ભારી હૈ. . પ્ર. ૨ છે કદાચિત્ નિત્ય ચેતન હૈ અનિત્ય ભી હૈ અપેક્ષાસે, દ્રવ્ય પર્યાય ન માને, જિન્હે પ્રભુ આજ્ઞા પ્યારી હૈ. પ્ર. ૩ રમેનિજ રુપ મેં રામા ભવ્ય ગોપિ મૈહે કાન્હા, રહેમ સે રહીમ હોતા હૈ પદારથ રુપધારી હૈ. . પ્ર. ૪ છે તૂહી બ્રહ્મા તૂહી વિષ્ણુ તુંહી શંકર તૂહી પારસ, દેવાધિદેવ નિર્દોષી પ્રભુગુણ કે ભંડારી હૈ. | પ્ર. ૫ નમસ્તુભ્ય નમસ્તુભ્ય નમસ્તુભ્ય નમસ્તુભે, નમોસ્તુ નાથ તુમ કો હી નિતિ તુમકો હમારી હૈ. પ્ર. ૬ છે હુએ આસપુર મેં દર્શન અમીજરા પાસ પ્રભુ તુમ રે, [૭] Page #91 -------------------------------------------------------------------------- ________________ આતમલક્ષી પૂરણ આશ હર્ષ વલ્લભ અપારી હૈ. . પ્ર. ૭ સ્તવનાવલી - પા. ૩૭. I ! રા แ3แ แชแ ( ૧૨. પાર્શ્વનાથ સ્તવન | (રેખતા) પારસ પ્રભુ નાથ તું મેરા, રટું મેં નામ નિત તેરા, વિના તુમ નાથ જિનરાયા, ભવો ભવ દુઃખ બહુ પાયા. આનંદ ગુરૂકી નિગેવાની પૂરવ કછુ પુણસે માની, દિયા તજ દેવ જગ ફાની, યથારથ રૂપ કો જાની. તું હી જગનાથ જગદેવા કરૂં નિશદિન તુમ સેવા, પંચમ ગતિ દાન કરી સ્વામી, નિજાતમ રૂપકો પામી. પરમ કિરપાલ જગનામી, પરમ કરૂણાનિધિ ધામી, પરમ પુરૂષોત્તમા રામી, પરમપદ આતમારામી. તૂહી ભવ દુઃખકો ભંજન, તુંહી ભવિ જીવકો રંજન, જગત આધાર તું કહિયે, નિરંતર ચરણાં તુમ લહિયે. પરમ સતચિત આનંદી, પરમ શિવ સુખ શુભ કંદી, કનકભવિ જીવકો કરતા, પારસ રામ ઉપમા ધરતા. જગગુરૂ દેવ તું સોહે, જંગમ સુર વૃક્ષ મનમોહે, મનોવાંછિત તું દાતા ચિંતામણિ સમ જગ ત્રાતા. અનંતિ ઉપમા તોરી, સહિત અંત શક્તિ પ્રભુ મોરી, કરૂં મેં ઉપમા કેતી, મહાપ્રભુ મુઝ શકિત એતી. તહી જગ તાત જગ માતા, આતમ આનંદ પદ દાતા, પૂરણ કરો આશા સબ મોરી, કહે વલ્લભ કર જોરી. જે. ગુ. સા. ૨. ભા. ૨.- પા. ૧૮૩ [૮] tપા (૬ાા કા I૮ાા Iળા Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રી પંચતીર્થ પૂજા (કલશ રેખતા.) તીર્થ ગુણ ગાવો આનંદે તીર્થ ભવિજીવ નિત્ય વંદે, તીર્થ દોય ભેદ સે જાનો, શાશ્વતા અશાશ્વતા માનો, કહે નહીં પાર જસ આવે, નમો ભવિજીવ શુદ્ધ ભાવે. ... (૧) કેસરીયા ભોયણી ચંગા, શંખેશ્વરા પાસ તારંગા, પંચાસરા પાર્શ્વ ગંધારા, કાવી અંતરિક્ષ અજારા. .....(૨) ઝગડિયા પાનસર ઉના, રાણકપૂર મક્ષીજી જુના, નાડોલ નાડલાઈ વકાણા, મૂછાલા વીરજી નાણા. ....(૩) રાજગૃહી કાશી શ્રીચંપા, પાવાપુરી વીર દુઃખ કંપા, માંડવ ગજપુર માણકસ્વામી ચારૂપ વૈભારગિરિ નામિ. ....(૪) સ્તંભન નવખંડા પલ્લવિયા નવલખા પાસ સામલિયા, ઇત્યાદિ તીર્થ નહીં પારા ગાવો ગુણ શક્તિ અનુસારા. .......(૨) તપાગચ્છ નામ પાયા, શ્રી વિજયાનંદસૂરિ રાયા, ન્યાયાભોનિધિ બિરૂદ્ પાયા, શ્રી આત્મારામ જગ ગાયા. ....(૬) વિજયલક્ષ્મી ગુરુદાદા, વિજય શ્રી હર્ષ ગુરૂપદા, લઘુ તસ શિષ્ય સુખદાયા, વલ્લભ પંચતીર્થ ગુણ ગાયા. ....(૭) યુગયુગ વેદ કર થાયા, સંવત મહાવીર જિનરાયા, આતમ બાવીસ છવ્વીસા, કમી વિક્રમ સંય વીસા. .....(૮) એકાદશી દિન ગુરૂવારે, માસ માઘ પક્ષ ઉજિયારે, મુંબઈ શ્રીસંઘ જયકારી હુઇ પ્રેરણા મંગલકારી. ...(૯) મુનિ કાંતિ વિજયરાયી, પ્રવર્તક પદકો દીપાયા, રહી ઈનકે ચરણ છાયા, તીર્થગુણ લેશ દરસાયા. .....(૧૦) મિચ્છામિ દુક્કડમ્ ભાખે, વલ્લભ ગોડી પાર્થકી સાખે. ....(૧૧) વિવિધ પૂજા સંગ્રહ. - પા. ૨૪૧ [૪૯] Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૪. કુંભારિયા તીર્થ સ્તવન (કવ્વાલી) તીર્થ કુંભારિયા ભેટી જનમ અપના સફલ કીજે, અનુપમ પાંચ મંદિરમેં લાભ પ્રભુ દર્શકા લીજે. . તીર્થ. ૧ પ્રભુ નેમિનિન સોહે, શુરુસે બાલ બ્રહ્મચારી, તજી સંસાર મુક્તિ મેં લિયો નિજપદ સિધ્ધધારી. તીર્થ. થરા દયાસિંધુ પ્રભુ પારસ, બચાયો નાગ જલને સે, બચાઓ ઐસે સેવકકો, કષાયાનલ કે બલને સે. તીર્થ. પાડા સહે ઉપસર્ગ અતિ ભારી, વીરતા ધારી નિજઘટમેં, નામ મહાવીર દીપાયો, ભવિજનકે હૃદય પટમેં. તીર્થ. ૪ના સંભવ સુખકા કા હોવે. સંભવ ધાન્યક હોવે, નામ ગુણયુક્ત કે ધારી, સંભવ જિનરાજ બલિહારી. તીર્થ. પા જગતમેં શાંતિ નીપજાવી, નામ પ્રભુ શાંતિ સુખકારી, નિરંતર શાંતિકો ભજિયે, અશાંતિકો સદા તજીયે. તીર્થ. માદા સર્વજિન દેવકી શિક્ષા, એકસી દિલમેં અવધારો, કરૂણાકો હૃદય ધારે, હલાહલ દ્રોહકો ટાલે. તીર્થ. હા કલ્પતરૂ ચરણકો સેવે, ક્રોધ કો હોને નવિ દેવે, મિત્ર સંતોષકો ધારે, લોભમહાશગુકો વારે. તીર્થ. ૫૮ આતમલક્ષ્મી પ્રભુ સાથે, સંઘ માલણસે આવે, વેદ નિધિ અંક ઇંદુમ, વલ્લભ પ્રભુ હર્ષ ગુણ ગાવે. તીર્થ. પલા સ્તવનાવલી – પા. ૭૧ ૧૫. શ્રી નિન્યાનવે પ્રકારી પૂજા કવ્વાલી યાત્રા નિત કરિએ, નિત કરિએ, પ્રભુ આદિ જિણંદ અનુસરિએ. યાત્રા. ૧u [0] Page #94 -------------------------------------------------------------------------- ________________ બાહુબલી ટુંક હૈ નામ દુજા, મરૂદેવી નામ સિમરિએ. યાત્રા. પરા પુંડરિકગિરિ પાંચ કોડિ મુનિવર, સિધ્ધિ વધૂ જિહાં વરિએ. યાત્રા. ૩ પાંચમી ટુંક રેવતગિરિ નામે, વિમલાચલ દિલ ધરિએ. યાત્રા. ૪ના સિધ્ધરાજ ભગીરથ પ્રણમી, સિદ્ધક્ષેત્ર પગ ધરિએ. યાત્રા.પા. છ'રી પાલી ઇનગિરિ આકર, જનમ પવિતર કરિએ. યાત્રા..૬ પૂજા કરી નિજ કારજ સાધી, વીર વિજયપદ વરિએ. યાત્રા.પાછા વિવિધ પૂજા સંગ્રહ - પા. ૪૪૮ ૧૬. શ્રી મહાવીર પ્રભુ પંચ કલ્યાણક પૂજા (કવ્વાલી) પ્રભુ શ્રીવીર જિનપૂજન, કરો નરનારી શુભ ભાવે, કિયા ઉપકાર જો જગમેં, કથન મેં પાર નહીં આવે. તજી ભવી માન સબ અપના, નમન કરી નાથ ગુણ ગાવે. ..........(૧) સહસ છત્તીસ સાધવિયાં, સહસ ચઉદ સાધ ગણ થાવે, કેવલી વૈક્રિય સત સાત સૌ, વાદી સય ચાર કહલાવે. . ઓહી મન પર્યવ જ્ઞાની, તેરાંસો પાંચસો માવે, પૂરવ ચઉદ ધારી શત તીનો, ચઉદસો સાધ્વી શિવ જાવે. ..........(૩) શ્રાવક એક લાખ વ્રત ધારી, એ ગુણ સઠ સહસ બતલાવે, શ્રાવિકા લાખ તિગ સહસા, અઠારાં સૂત્ર ફરમાવે. ....... પ્રભુ પરિવાર પરિવરિયા, અપાપા નગરી દીપાવે, અમા કાર્તિક રિખ સ્વાતિ, પ્રભુ નિર્વાણ સુખ પાવે. .......(૨) આતમ લક્ષ્મીપતિ સ્વામી, હુએ નિજરૂપ ઉપજાવે, અટલ સંપ પ્રભુ પામી, વલ્લભમન હર્ષ નહીં માને. .... વિવિધપૂજા સંગ્રહ પા. ૩૭૬ [૧] Page #95 -------------------------------------------------------------------------- ________________ ...(૧) ૧૭. શ્રી મહાવીરપ્રભુ પંચકલ્યાણકપૂજા (ગઝલ) ધન્ય ધન્ય વીર જિદ ભગવાન, તપસ્યા કરકે બતાનેવાલે કિયા ષટમાસી તપ એક પણ દિન ઉના પુન એક, ચઉપાસી નવ ધરી ટેક ત્રિમાસી દોય કહાનેવાલે. અઢી માસી તપ દોય જાન, દોમાસી તપ ષટ માન, દોઢ માસી હોય પ્રભાન, માસ દશ હોય વહાને વાલે. પાસખમણ હોતેર ધાર, અઠ્ઠમ તપ કિયે પ્રભુ બાર, છઠ્ઠ દોસો ઉનતીસ સાર, કરી તપ કર્મ ખપાનેવાલે. છવસ્થ અવસ્થા કાલ, બાર વર્ષ માસ પટ ભાલ, દિન પંદરકા કરી ખ્યાલ, ઘડી દો નિદ્રા પાનેવાલે. આતમ લક્ષ્મી ગુણખાન, ધરે નિર્મલ પ્રભુ નિત્ય ધ્યાન, વલ્લભ હર્ષ ભગવાન, ભવોદધિ પાર લગાને વાલે. ....(૨) ...(૩) ....(૪) - - વિવિધ પૂજા સંગ્રહ – પા. ૩૭ર ૧૮. શ્રી મહાવીર સ્વામી સ્તવન (રખતા) સેવો ભવિ વીર જિનરાજા, અપુનરાવૃત્તિ ફલ તાજા, મનોવાંછિત ફલદાતા, ન સુરતરૂ મરુ સમ આતા. સે. ૧ નહીં ચિંતામણિ સમતા, કરી ભવિ ચિત્ત કો હરતા. સે. પારા ઐસે પ્રભુ વીર કે ચરના, વિના નહીં ઓર કો શરના. સે. ૩ જગ ગુરૂ વીરજી સ્વામી, અઠારા દોષ કો વામી. સે. ૧૪મા આતમ સમ કીજીએ ત્રાતા, વલ્લભ આનંદ ગુણ ગાતા. સે. થાપા પૂજા સ્તવનાદિ - પા. ૧૩૪ [૨] Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૯. જિન સ્તવન ગઝલ નજર ટુક મેહરકી કરકે, દિખા દોગે તો કયા હોગા, અનુપમ રુપ હે પ્રભુજી, બતા દોગે તો ક્યા હોગા. ॥ અંચલિ u પ્રભુ તુમ દીન કે રક્ષક કરો મુઝ દીન કી રક્ષા, ચૌરાસી લાખ કી ફેરી, મિટાદોગે તો ક્યા હોગા. અનાદિ કાલસે ભમતાં, નહીં અભી અન્ત આયા હૈ, શરણ આપકા લીના, હટા દોગે તો ક્યા હોગા. અનાદિ કાલસે રૂલિયાં, બન્યો મિટ્ટી પાની, તેઉ વાઉ હરિ કાયા, બચા દોગે ક્યા હોગા. બીતી ચઉ જાતિ પંચે, પશુ પરવશ દુ:ખ પાયા, અમર નર નારકી રૂપે છુડ઼ા દોગે તો ક્યા હોગા. ઇસી સંસાર સાગર મેં, મેરી પ્રભુ ડુબતી નૈયા, કરી કરુણા કિનારે પર, લગા દોગે તો ક્યા હોગા. કરો પ્રભુ પાર ભવજલ સે, નિજાતમ સંપદા દીજે, સેવક કો અપના વલ્લભ બના દોગે તો ક્યા હોગા. સ્તવનાવલી - પાન નં. ૩૧ ૨૦. ઋષિમંડલ પૂજા કલશ (રેખતા) જિનંદગુણ ગાયા આનંદે, કરણ ત્રય જોગ વિ વંદે, જનમ જનમ કે અઘ જાવે, પ્રભુ ગુણ ગાવે સુખ પાવે. સુરાસુર ઇંદ્ર નરનારી, ગણિ મુનિ સાધવી સારી, મિલિ સબ ગુણ પ્રભુ ગાવે, કભી નહીં તો ભી અંત આવે. [૯૩] ૫૧. ારા શા જિ. uru ાપાા LLELL um જિ. ॥૨॥ Page #97 -------------------------------------------------------------------------- ________________ મૈં અતિ તુચ્છ મતિધારી, પ્રભુગુણ કૈસે લહુ પારી, ગાયા ગુણ તો ભી ભક્તિ સે, લવે શિશુ માતા શક્તિ સે. જિ. પા તપગચ્છ ગગન રવિરૂપા, શ્રી વિજયાનંદસૂરિ ભૂપા, ન્યાયયંભોનિધિ બિરૂદ ધારી, શ્રી આત્મારામ બલિહારી. વિજયલક્ષ્મી ગુરૂદાદા, વિજય શ્રીહર્ષ ગુરૂ પાદા, વિજયવલ્લભ ગુણ ગાવે, ચરણમેં નિત્ય ચિત્ત લાવે. સંવત ઋષિ શંભુદગ વેદા, યુગલ પ્રભુ વીરગત ખેદા, આતમ સંવત રસ ચંદા, સંવત વિક્રમ નરઇદા. જિ. પ્રા ઋષિરસ અંકશિ આવે, પ્રતિપદા ભાદ્ર સુદિ થાવે, જનમ મહિમા દિવસ જાનો, કવિ કવિતા પૂરણ માનો. વિજયકમલ સૂરિરાજે, ઉપાધ્યાય વીરવિજય ગાજે, કરી પ્રેરણા કૃતિ કાજે, કૃપા પૂરણ થઇ આજે.જિ. પ્રવર્તક શ્રીમુનિ કાંતિ, વિજયજી ટારે મન ભ્રાંતિ, આતમલક્ષ્મી હર્ષ પાવે વલ્લભ પૂજે પ્રભુ ભાવે. હુઇ રચના મિયાગામે, નિકટ શાંતિપ્રભુ ધામે, આગમ વિપરિત વય ભાખે, મિથ્યા દુષ્કૃત પ્રભુ સાખે. વિવિધ પૂજા સંગ્રહ - પા. ૫૧૮ જિ. ઘણા જિ. જિ. mu જિ. mu જ. "ટાા શા ૨૧. પ્રભુ પુખણાનું સ્તવન કવાલી પ્રભુકો પોંખતી ભાવે, સુહાગન નારી હરખાવે, પ્રભુ. મનોગત ભાવના સુંદર, અધ્યાત્મ ભાવ દિખલાવે, સમય શ્રીઆદિ ર્જિનસ્વામી, લગ્ન કે દેવી ઇંદ્રાણી, વિધિસે પોંખતી પ્રભુકો, ચલા વ્યવહાર વો આવે. પ્રભુ. ॥૧॥ [૪] ૫૧૦ Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉખલ મુસલ મધાની ત્રાક, ગુંસરી પંચમી કહીયે, શલાકા ફેંકતી ચારો, દિશામેં ભાવના ભાવે. પ્રભુ. મેરા ઉસલ મૂસલક મિલને સે, બ્રિહિસે હોતે હૈ ચાવલ, ગયા લિકા મિત્ર અંકુર, ન ફિર પૈદા કભી થાવે. પ્રભુ. પલા અનાદિ જીવ કર્યો કે, ફસા હૈ ગાઢ બંધનમેં, ક્રિયા અરૂ જ્ઞાન મિલને સે, નિજાતમ રૂપ કો પાવે. પ્રભુ. પસા મઘાની ઘુમતી દધિમેં પ્રગટ કરતી હૈ માખનકો, ભાવના શીલ તપ દાને, ચિદાનંદ રૂપ ઉપજાવે. પ્રભુ. પાપા ગાકસે સૂત હોતા હૈ, સૂતસે અંગ છે ઢકતા, શુધ્ધ મન ઇદ્રિ વશ કરકે, ચીરગુણ જ્ઞાન નિપજાવે. પ્રભુ. દા ગુંસરી ધાર ધોરી હો, જગત ખેતી બચા લેતા, ધરમ ધોરી બની આતમ, સ્વરૂપ આતમ પ્રગટાવે. પ્રભુ. છા શલાકા સમ ગતિ ચારોં મેં ફિરતા દુઃખ પાતા હૈ, ફેંકતી ક્રોધ માયા માન, લોભ કે ફિર ન જગ આવે. પ્રભુ. ૫૮ આતમારામ જબ પ્રગટે, આતમ રામ હૈ હોતા, તમલમી પ્રભુ ચેતન, વલ્લભ મન હર્ષ નહીં માને. પ્રભુ. પલા વિવિધપૂજા – પા. ૪૨૯ ૨૨. પર્યુષણકા સ્તવન. ઢાલ - ૫ (કવ્વાલી) ધરો ભવિ ધ્યાન મન અપને, મહા પુણ્યોદયે ઉત્તમ, પર્વ પર્યુષણા આવ્યા, પ્રભુ શ્રી વીર ફરમાયા. ૧ અમારી સ્વામીવાત્સલ ઔર, પરસ્પર ક્ષામણા કીજે, ધરમકા સાર ઉપશમ હૈ, પ્રભુ શ્રી વીર ફરમાયા. મારા Page #99 -------------------------------------------------------------------------- ________________ ચૈત્ય પરિપાતકા કરના, અઠ્ઠમતપ મોક્ષકા હેતુ, હુઓ શ્રી નાગકેતુકો, પ્રભુ શ્રી વીર કરમાયા. ઇત્યાદિ પર્વ આરાધન, કરે ભવિ જીવ શુભભાવે, અપરાવૃત્તિ ફલ પાવે, પ્રભુ શ્રી વીર ફરમાયા. નિધિવસુઅંક ઈંદુમે, પ્રથમ પર્યુષણા દિવસે, આતમલામી પ્રભુ સેવા, કરો વલ્લભ હરષાયા. જા પાપા I૧ાા સારા ૩ાા સ્તવનાવલી – પા. ૯૫ ૨૩. શ્રી પંચજ્ઞાન પૂજા (કવ્વાલી) કરો મન:પર્યવજ્ઞાની, ભવિ તુમ પૂજના ભાવે, કરો ચકચૂર કર્મોકો , અનંતા મુક્તિ સુખ પાર્વે. કહે દોય ભેદ જિનવરને, વિપુલ મતિ ભેદ જસ થાવે, નિયમ સે જ્ઞાન કેવલ કે, વિના પ્રગટે નહીં જાવે. ઋજામતિ જ્ઞાન પ્રતિપાતી, વિનય નહીં તાસ બતલાવે, પરંતુ ભવ્ય સાધુકે, વિના નહીં જ્ઞાનરસ આવે. અનંતે બંધકો જાને, દ્રવ્યસે ક્ષેત્ર ફરમાવે, અફાઈ દીપ દો સિધુ કાલસે કાલવિત્ ગાવે. અસંખ્યા ભાગ પલ્યોપમ, અસંખ્ય પર્યાયધી ભાવે, આતમલક્ષ્મી નિકટ સ્વામી, વલ્લભજિન ચૈન હર્ષાવે. વિવિધ પૂજા સંગ્રહ – પા. ૩૩ ૨૪. શ્રી સમ્યક્ દર્શન પૂજા - (કવ્વાલી) કથન પ્રભુ વીરકા સચ્ચા, મેરે દિલમેં સમાતા હૈ, જરૂરી જીવ હૈ નિજકે, અનુભવ જ્ઞાન પાતા હૈ. ૧૪ તાપમા I૧ાા [૬] Page #100 -------------------------------------------------------------------------- ________________ રા I . કિયા મૈને નૈ કરતા હું, કરૂંગા મેં કહાતા હૈ, કહા મૈને મેં કહતા હું, કહુંગા મેં ગવાતા હૈ. ઇત્યાદિ કાલ તીનોં મેં, જો મૈને જાતા હૈ, અગર હોવે ન ચેતન તો, કહો યહ કૌન બતાતા હૈ. સુખી મેં હું દુઃખી મેં હું, મુઝે સંશય સતાતા હૈ, યદિ ચેતન નહીં હોવે, કહો શક કિસકો આતા હૈ. ગુણી પ્રત્યક્ષ જગ માને, ગુણ પ્રત્યક્ષ શાતા હૈ, આતમ લમી હર્ષ પાકે, વલ્લભ ગુણ વીર ગાતા હૈ. ૫૪ uપા વિવિધ પૂજા સંગ્રહ પા. - ૫૪૪ પરા ૨૫. સામાયિક વ્રતપૂજા - કવ્વાલી સનો પ્રભુ વિનતી એ તી, હમેં સંસારસે તારો, કબીભી નહીં ભૂલાયેંગે, કિયો તુમને જો ઉપકારા. સામાયિક નવમેં ઉચ્ચરકે, મુકુર સે પૂજા પ્રભુ કરિએ, નિજાતમ રૂપ અનુસરક, સામાયિક સમતા સંવરિએ. પૌષધશાલા ધરે ચૈત્ય, સામાયિક લેવે શુધ્ધભાવે, ટાલી અતિચાર દો ઘટિકા, દયાલુ સાધુ સમ થાવે. વિધિ સામાન્ય એ જાની, રાજા ઔર મંત્રી વ્યવહારી, પ્રશંસે સર્વ દર્શનકે, આવે સબ સાથ સિંગારી. ઇસ વિધ પાસ ગુરૂ ચાકર, આતમલમી હર્ષ ધારી, ઘડી દો કરકે સામાયિક, વલ્લભ દે દોષકો ઢરી. ૩ ૪iા tપા વિવિધ પૂજા સંગ્રહ પા. - ૬૩૮ [૭] Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧ રા ૩ ૨૬. શ્રી ચઉદ રાજલોક પૂજા. (કવ્વાલી) અપૂરવ સ્વર્ગ વર્ણન, જિનેશ્વર દેવ ફરમાવે, અનુત્તરદેવ દ્રિચરમા, એ કચરમા પંચમ થાવે. પ્રથમ ત્રિકએકસો ગ્યારા, દ્વિતીય એક સયાસત ગાવે, તૃતીય એક સો અનગરમેં, જિનાલયપાંચ બતલાવે. ચઉરાસી લાખ સત્તાણું, સહસ તેવીસ કુલ થાવે, ઉર્ધ્વ લોકે જિનાલયમેં, નમો જિન બિંબ શુભ ભાવે. કોટિએકસો બાવન લક્ષા, ચૌરાનું સહસ ગિનવાવે, ચઉતાલી સાતસો સાઠે, સુનિ ભવિ ચિત્ત હુલાવો. બ્રહ્મ પર્યત સંન્યાસી, જયોતિર્ષિ તાપસી જાવે, તિરીપંચૅદિ સહસારે, શ્રાવક અય્યત સુર થાવે. સ્વલિંગી મિથ્યાદષ્ટિ જે, સમાચારીમેં મન લાવે, અંત્ય નૈવેયકે જાવે, ધર્મ સાધુકે પરભાવે. પૂર્વધર પૂર્ણ બ્રહ્માદિ, સિધ્ધ સર્વાર્થ ગતિપાવે, આતમ લક્ષ્મી ભવાંતરમેં પ્રગટ વલ્લભ હર્ષાવે. (૪iા પા ના ૭ના વિવિધ પૂજાસંગ્રહ – પા. ૬૬૯ ૨૭. ગુરૂ સ્તુતિ (રેખતા) ઘડી ધન આજ કી આઈ, ધર્મ જિનવરકા દેખા હૈ, શુદ્ધ શ્રધ્ધાન મન રંગે, જિનાગમસાર પેખા હૈ . ઘ. ૧ રહે દિન કિતને વહાં પર, પિછે વિહાર ક્યિા હૈ; બહુ વિધ દેશમેં ફિરકે, જિનાગમ રસ પિયા હૈ ા ઘ. ૨ પર વિના શબ્દ શાસ્તર કે, નહીં શુદ્ધ જ્ઞાન પાયા હૈ, [૯૮] Page #102 -------------------------------------------------------------------------- ________________ બડા અફસોસ નહીં પઢના, યહી અજ્ઞાન છાયા હૈ ો ઘ. યા અલપસે કાલ મેં સૂતર, બત્તીકા જ્ઞાન પાયા હૈ, તૃપત મન નહીં હુઆ પઢકે, ચિંતામું ચિત્ત ઠાયા હે . ઘ.૪ પટૅગે કયા હી અબ જીયો, યહી અફસોસ ભારા હૈ; અનંતા જ્ઞાન જિનવરકા, નહીં બત્તીસ મેં સારા હૈયા ઘ. પા દિખે કહુ ભેદ મુઝે યામે, શબ્દ શાસ્તર ન પઢના હૈ, કિયા નિચ્ચા હી નિજ દિલ મેં, શબ્દ શાસ્તર કો પઢના હૈ . ઘ. દા અકલ કે જોર ઝટ વ્યાકરણ, પાંચબંગ સાર લિયા હૈ; વિભક્તિ જ્ઞાન કે હોએ, યથારથ ખ્યાલ કિયા હૈ . ઘ. ૭ ટીકા નિયુક્તિ કો દેખી ચૂર્ણ અરૂ ભાષ્ય દેખા. હૈ; મનઃ કલ્પિત સબ બાતે, ઢુંઢક મત એસા રેખા હૈ ઘ. ૮ નહીં એહ. ભેષ જિનવર કા, કહા ઢેઢકને ધારા હે; વિના ગુરૂ ભેષ કો ધરકે, જગત બહકાયા સારા હૈ. ઘ. ૯ સમઝ મન મેં હી રખ કરકે, વક્ત કિતના ગુજારા હે; સબબ ઢંઢક મતિ સબ થે, કિસી ભવી પાસ પુકારા હૈઘ. ૧૦ ચઉમાસા આગરે વિક્રમ, ઉન્નીસો વીસ કિયા હૈ, રતનચંદ સાધુ કે પાસોં અનુભવ જ્ઞાન પિયા છે . ઘ. ૧૧ | અપિ ઢંઢક મતી વો થા, પર હઠકો ભૂલાયા હૈ, કહા તિને સાફ હુઆ થોડા, સમય ઢેઢક ફલાયા હૈઘ. ૧૨ ચઉમાસ બાદ ચલને વક્ત, રતનચંદને પુકારા હૈ; આતમ વલ્લભ ચાહતા હૈ; બાતેં કર તીન સુધારા હૈ ઘ. ૧૩ ૨૮ ગુરૂ સ્તુતિ રેખતા રાસ ધારિયોંકી ચાલ વિના ગુરૂરાજ કો દેખે, મેરે દિલ વેકરારી હૈ. વિ. ૧૫ તનુતસ શાંતિ હોયા હૈ, પાયા જિન દર્શ આરકે. વિ. મારા [૯] Page #103 -------------------------------------------------------------------------- ________________ આનંદ કરતે જગત જનકો, વયણ સત સત સુના કરકે. વિ. મારા માનો સુર સૂરિ આરત છે, નર દેહ ધર કરકે. વિ. ૩ રાજા અરૂ રંક સમ ગિનતે, નિજાતમ રૂપ સમ કરકે. વિ. જા મહાઉપગાર જગ કરતે, તનુ ફનાહ સમજ કરકે. વિ. પાા જીયા વલ્લભ ચાહતા હૈ, નમન કર પાંઉ પર કરકે. વિ. દા પૂજા સ્તવનાદિ-પા.૧૯૫ ૨૯ (રેખતા) ધર્મશ્રી જૈન કી જયજય, બુલા લે જિસકા જી ચાહે. (અંચલી.) રતન હૈ તીન અમોલક યહ, નહીં હોતા હૈ જિનકા મોલ, પસંદ દિલ જહોરી કે પાસો, તુલાલે જિસકા જી ચાહે. ધ. ૧ાા અવલ શ્રી દેવ જિનવર હૈ, નહીં જિનમેં નિકલતી ફી, અઠારોં દોષસે ખાલી, મિલાલે જીસકા જી ચાહે. ધ. રા ગોયમ ગુરૂ પાપકે ત્યાગી, હવે તારકુલ દુનિયા કે, ઋષિ તપસી મુનિ સાધુ કહલાવે, જિસકા જી ચાહ. ધ. ધણા સોયમ શ્રી ધર્મ એસા હૈ, નહીં ગિરને દે દુર્ગતિમેં, દયા કરની કિસી પાસે, મના લે જિસકો જી ચાહે. ધ. ૪ ચરણદર્શન સમ્યક જ્ઞાન, જગતમેં સાર તીનોં હૈ, ધર્મ શાસ્ત્રોકા ફરમાના, સુના લે જિસકા જી ચાહે. ધ. પાપા જહૌર ઈન તીન રોંકા, નહીં જિસ બંદેને સમઝા, હઠી કમબખા અજ્ઞાની, ભૂલાલે જિસકા જી ચાહે. ધ. દા અગર અપના ભલા ચાહો, કરો સત સંગ દિલોજાની, આતમ વલ્લભ પ્રભુ પ્યારે, દિખા લે જિસકા જી ચાહે. ધ. ધણા પૂજા સ્તવનાદિ - પા. ૨૨૮ [10] Page #104 -------------------------------------------------------------------------- ________________ ૩૦. (રેખતા) ત્યાગો ભવિ જીવકા હનના, મિત્રે નરકોંમેં જાગિરના. ત્યાગો. ૫૧u વ્યસન શિકારકા રમના, મૂલ સબપાપકા કરના. ત્યાગો. ા૨ા ખુશી ક્ષણ માત્રસે હોવે, પ્રાણ પશુ જીવ કે ખોવે. ત્યાગો. પ્રા સુઇ કાટેસે નિજતનમેં, હોવે દુઃખ તૈસે પર તન મેં. ત્યાગો. uru હને કોન જાનકે પ્રાની, વિના અતિ નીચ અજ્ઞાની. ત્યાગો. ાપાા દેવેંગે રાજ તોહે ભારી, પરંત દેવેંગે તોહે મારી. ત્યાગો. uu મહા વોહ રાજકો ચાહતા, નિઃકેવલ જીવના આતા. ત્યાગો. ઘણા શત્રુ જબ ઘાસ મુખ લેવે, દયા કરી જાન તસ દેવે. ત્યાગો. ૫૮૫ નિરંતર ઘાસકો ચરતા, નહિ અપરાધ કુછ કરતા. ત્યાગો સાલા ઐસે નિનાથકો હંતા, જાઇ નરકમે પરતા. ત્યાગો. ૫૧૦ના યદા ખોટાઇ ત્યાગેગા, આતમ વલ્લભ પાવેગા. ત્યાગો. ૫૧૧૫ પૂજા સ્તવનાદિ - પા. ૨૨ ૩૧. આત્મવિચારની સજ્ઝાય (સોહિણી) ? કરતા નહીં કુછ સોચ અબ, માનુષ હુઆ તો ક્યા હુઆ મોતી વાયજા હીરલા, પુખરાજ નીલમ મૂનિયા, અપના હીરા દેખા નહીં જહૌરી હુઆ તો ક્યા હુઆ ? કરતા. ૧૫ સોના સુહાગા આગસે, દેખે ખોટ સગરી જારતા, અપના સુવર્ણ સોધા નહીં, સરાફ હુઆ તો ક્યા હુઆ ? ચાંદી વ સોના વેચના, હુંડી બજાજી દેખતા પરલોકકા દેખાનહીં, વ્યાપારી હુઆ તો ક્યા હુઆ ? કરતા. ઘણા મુઇ મુદ લા દેખના, કાનૂન કિતાબે ખોલના અપના ગુન્હા દેખા નહીં, મુન્સિફ હુઆ તો ક્યા હુઆ ? કરતા. પ્રજા [૧૦૧] કરતા. રા Page #105 -------------------------------------------------------------------------- ________________ માતા પિતા સુત બહિન ભાઇ, ઓર તિરિયા જમાઇ રે, નિજરૂપ આતમ કે વિના, વલ્લભ હુઆ તો ક્યા હુઆ. ? જૈ.ગુ ભા.૨ - પા. ૧૯૨ ૩૨. સઝાય (સોહણી) કરતા નહીં જિનકા ભજન, ભવ પાર કૈસે પાવેગા. દેવિંદ વા નર છંદ હો, મુનિ છંદ વા અસુરંદ હો, ભજન વિના જિન દેવકે, નહીં મુકિત કે સુખ પાવેગા. કરતા. પ્રા લંકાપતિ રાવનબલિ, નિજ હાથમેં વીના ધરી, શુભ નાચ જિન આગે કરી, પદવી જિનેસર પાવેગા. કરતા. ઘરા સુદર્શન પકરી કરી, રાણી અભયા છલ કરી, નિજશીલ ભૂષણ જાપ સે, ઉવસર્ગકો કટ દેવેગા. કરતા. ઘણા કરતા. ાપા મહાવીર સ્વામી સેવના, શ્રેણિક રાજા કર લઇ, તસ જાપસે જિનવર બના, સુર હંદ મિલ ગુણ બુઢિયા તરી નિજ ભાવ સે, મહાવીર સ્વામી ધ્યાનસે, ઐસે નિરંતર ધ્યાન ધર, આતમ વલ્લભ આવેગા કરતા. પા પૂજા – સ્તવનાદિ - પા, ૨૧૮ ૩૩. જુગારનું વ્યસન ત્યાગ વિષે ગઝલ (સોહણી) ગાવેગા. કરતા. u૪u ભવિત્યાગ મન ઘર ખ્યાલ તું, જુઆ અતિ દુઃખદાઇરે. વિ. કુંવ્યસન જગમેં સાત હૈ, જુઆ વ્યસન વિખ્યાત હૈ, ક્રમસે જુઆરી જાત હૈ, વ્યસન સબ લલચાઇરે. વિ. ॥૧॥ [૧૦૨] Page #106 -------------------------------------------------------------------------- ________________ માનવ ગુણોંકી ખાન હૈ, પિણ શોભાકા નહીં થાન હૈ, જુઆ વ્યસન પરમાન હૈ, અહિવત્ ચંદન લપટાઇરે. ભવિ. મારા જુઆરીયા કા કામ હૈ, મઠ ગૃહે શૂન્ય આરામરે, અતિ નીચ ગણિકા ધામ હૈ, બદમાશ સાથ ફિરાઇરે. ભવિ. ૩ અતિ આપદકા ચોક હૈ, ખેલે કુબુધ્ધિ લોક હૈ, મૈલા કરે કુલ શોક હૈ, અધમ અધમ કહાઈરે, ભવિ. પાસા અપકીર્તિ હોય પોષરે, ઇસ લોકમેં એ દોષરે, પરલોક દુઃખકા કોષ રે, દુગર્તિ નરકમે જાઈરે. ભવિ. પા મન પાંચ પાંડવ ધાર રે, દી નાર અપની હારરે, હુએ જગ અતિ લાચાર રે, અપકીર્તિ ઘણી જગ પાઈરે. ભવિ. પદા નવરાયને કહીં કીધ રે, દિયા હાર રાજ પ્રસીધરે, અપજસ અતિ જગ લીધરે, જુઆ વ્યસન વશભાઈરે. ભવિ. પછા ઐસે ન હોએ નિહાલરે, ક્યા હોયગા તુજ હાલરે, તજ સંગ જુઆ લાલરે, આતમ વલ્લભ થાઇરે. ભવિ. ૮ પૂજા સ્તવનાદિ - પા. ૨૨૦ ૩૪. વિષય ત્યાગ સોહિણી વિષયન સંગ લિપટાય કે, નરદેહ નીકી ગમાવેગા ચેતન સુંદર સોચ કર, નરદેહ દુર્લભ પાય કે, લિયે કાચકે ચિત્તામણિ, સિટ પાછે તું પછતાયેગા. વિ. પાલાા લલિતાંગ રાવણ બ્રહ્મદત્ત, સુભૂમ વાસુદેવરે, વસ ઇદ્રિકે તિમ તું અતિ, નરકકે દુઃખ પાવેગા. વિ. મેરા મૃગ હાથી ભ્રમર પતંગીયા, મછ એક એકકે વસ રે, વસ હોય ઇદ્રિ પાંચ કે, ખબર નહીં કયા થાવેગા. વિ. ૩ [૧૦૩] Page #107 -------------------------------------------------------------------------- ________________ પરનારી કો નિજ આંખસે, દેખત જો વિકાર સે, લોહપૂતળી તપાયકે, યમરાજ તસ લિપટાયેગા. વિ. ૪ જિસ થાને સે પેદા થયો, ચાહત તિસકો ગમાર રે, ચાહત મુહ વમન કર, કુકરમ કહાવેગા. વિ. પાપા ધરી સીલ સંયમ હોય વિષયા, વસ દેવે છોડ રે, જિન રક્ષવત્ સો જાનિય, નિજ નાશ સબ કર દેવેગા. વિ. પદા કરી જતન નિજ સીલ સંયમ, રતન કી રક્ષા કરે, જિનપાલ ભવિજીવ આતમ, રૂપ વલ્લભ પાવે ગા. વિ. પછા પૂજા સ્તવનાદિ - પા. ૨૧૫ ( ૩૫. શ્રી શાંતિનાથ જિન સ્તવન : (ગઝલ) ન જાને કિં ગત ભાવિ યદિમાં ત્રાસ્યસે સ્વામિન્ દરતિ પડિતા નિત્ય, ભવન્ત તારક સ્વામિન્ (પ્રવપદમ) કૃતા શાન્તિત્વયાડગત્યાડભિધા શાતિર્ધતા તેને તથદાનીમપિ શાંતિ, પ્રવર્તસ્વાડભિતઃ સ્વામિન્ ના ત્વમેવાઈન્ જિનો બુધ્ધાહરિર્બહ્મા શિવો શિ યત્ ગુૌર્જન્યભિધાને કો વિચારો યુજ્યતે સ્વામિન્ પારા ત્રશાત્રામેવ પશ્યામિ નમામિ ત્વાં સ્મરામિ ત્વામ્ સદા તામેવ પૂજામિ વિશેષાંકન કિં સ્વામિન્ વિભો ચિત્તેપ્સિત દાને ફલમ્ દાતારમેવ –ામ્ સુરદુભ્યોધિકે જાને વદામિ નામૃત સ્વામિન્સ 'નિજાત્માનન્દસમ્પન્ફત જહિ દુઃખ સુખ દેહિ પ્રભો – વલ્લભો નૃણામિતિ યાચેડનિશ સ્વામિન્ પાપા ૧૪ [૧૦૪] Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાંતિનાથ જિન સ્તવન (અનુવાદ) (ગઝલ) ભવિષ્યમાં શું થવાનું છે તેની કોઈ ખબર નથી. હે સ્વામી મને જો તું ર (રક્ષણ કરે) તો તે સ્વામી પંડિતો હંમેશાં તારામાં એકાગ્ર (તન્મય) બની તારકતાના દર્શન કરશે. તારા આવવાથી શાંતિ થાય તે કારણથી શાંતિ નામ કરાયું. અત્યારે dજ અરિહંત, જિન સ્વામી શાંતિ પ્રવર શાંતિ નામ કરાયું. જ અરિહંત, જિનેશ્વર, બુધ્ધ, હરિ, બ્રહ્મા, શીવ, છે. હે સ્વામી ગુણોથી ઉત્પન્ન થયેલા વિચારો યોગ્ય જ છે. રા સ્વામી તને જ હું જોઉં છું, તને જ નમું છું અને તનેજ યાદ કરું છું. હંમેશા તને જ પૂછું છું. હે સ્વામી, વિશેષ કહેવાથી શું? ઘણા હે પ્રભુ - ઇચ્છિત ચિત્તને વિશે, દાનને વિશે, ફળને આપનાર દાતાર તું જ છે. હું જાણું છું કે કલ્પવૃક્ષોથી અધિક તુંજ છે. હે સ્વામી ખોટું બોલતો નથી ૪ હે પ્રભુ? પોતાના આત્મરૂપી આનંદને પ્રાપ્ત કરનાર દુઃખો છોડીને હે પ્રભુ સુખને આપ. હે સ્વામી તું મનુષ્યનો પ્રિય છો એવી સદેવ પ્રાર્થના કરું છું. uપા ૩૬. શ્રી શાન્તિનાથ જિન સ્તવન - (ગઝલ-તાલ કેવાલી) કરુણા સુધાભિભિરિત, ચરિત હિ સાવકીનમ | કરુણા. જ્ઞાનેન્દિરાવિલાસિન ત્યકતેન્દિરેણ સ્વામિન્ ! કુર્યાત્મપગામિનૂ, મમ રુપમાત્મનીમ્ કરુણા. એના બદ્ધોસ્મિ મોહજાલે, મહાદુઃખ દે કરાલે ! મિલિતોશિનાથ કાલે, કુરુ બનધનૈર્વિહીન... આ કરૂણા. પરા [૧૫] I Page #109 -------------------------------------------------------------------------- ________________ વિષયેષુ જાનુદધ્ન, દીનં સદા હિ મમ્ અધુના તવાથ્રિલગ્ન, કુરૂ નાથ મામદીનમ્ ! કરુણા. ઘણા ધેહિ કૃપા કૃપાલો ! દેહિ સુખ દયાલો ! નાશં પ્રયાતુ કાલો; દૃષ્ટ્રાન્ધકારનમ્ ॥ કરૂણા. વલ્લભદેવચરણે હર્ષોત્મલક્ષ્મીકરણે । હતું સ્વજન્મમરણે, મન એવમેતલીનમ્ ! કરૂણા. ાપા સ્તવનાવલી – પા. ૪૭ શ્રી શાંતિનાથ જિન સ્તવન (અનુવાદ) ખરેખર ? તારું ચિરત્ર કરૂણારૂપી અમૃત અને જ્ઞાનરૂપી લક્ષ્મી વડે વિલસિત છે. છતાં લક્ષ્મી વડે ત્યજાએલો છે. હે આત્મરૂપ તરફ જનાર મારા આત્માને તારા સમાન કર. ૫૧૫ "જા મહાદુ:ખને દેનારા વિકરાળ મોહજાળમાં હું બંધાયો છું. કળિકાળમાં હે નાથ ! તું મળ્યો છે તો મને બંધન રહિત કર. ॥૨॥ ખરેખર, હંમેશાં દીન વિષયોને વિષે મગ્ન એવા જાનુ સુધી ડૂબેલો હમણાં તારા ચરણ કમળને વિશે લાગેલો એવો મને હે નાથ ! તું મને અદીન કર (વિષયાદિથી મુક્ત) પ્રા હે કૃપાળુ, કૃપાને ધારણ કર, મિષ્યાદષ્ટિ રૂપ અંધકારના આ વિકરાળ કાળ નષ્ટ થાય એવું હે દયાળુ તું આપ. ૫૪u હર્ષરૂપી આત્મલક્ષ્મીને કરનાર મનોહર દેવના ચરણમાં પોતાનાં જન્મ મરણને હરણ (દૂર કરવા) કરવા માટે મારું મન અત્યારે લીન થયું છે. (પ્રભુમય). ાપા [૧૦૬] Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯. પં. શ્રી મણિવિજયજી ગણિવર સં. ૧૯૨૯ થી ૧૯૭૮) તપ, ત્યાગ અને વૈરાગ્યની ભૂમિ કપડવણજ નગરી પૂ. શ્રી ની જન્મભૂમિ. જન્મ સંવત ૧૯૨૯ સંસારી નામ મણિલાલ માતા જમનાબાઈ પિતા મગનભાઈ ધાર્મિક સંસ્કારોનું સિંચન જ્યોતિષિની ભવિષ્યવાણી “પુત્ર કુળદીપક થશે.” મગનભાઈની સંયમની ભાવના પૂર્ણ કરવા જાણે મણિભાઈ જન્મ્યા. મણિભાઈનાં લગ્ન થયાં પતીનું અકાળ અવસાન સંયમનો માર્ગ નિષ્કટક થયો પિતાનો પત્ર લઈ પુત્ર ચાલ્યો અમદાવાદ નીતિવિજય પાસે ગુરૂવાણી “સંયમ તલવારની ધાર, પરિષદો સહન કરવાના, વૈભવવિલાસ યુક્ત તને અહીં કેમ ફાવશે ?” મણિલાલે હૈયામાં હામ રાખી બધું સહન કરીને દીક્ષા લેવા તૈયારી બતાવી ગુરુએ મણિલાલના ચહેરા પર અપૂર્વ તેજ નિહાળ્યું. [૧૦] Page #111 -------------------------------------------------------------------------- ________________ મણિલાલનું મણિસમ તેજ દીક્ષાનું નિમિત્ત બન્યું. સંવત ૧૯૪૫માં કોસીન્દ્રામાં ચારિત્ર અંગીકાર કરી મણિલાલ મણિવિજય બન્યા. મુક્તિ માર્ગના ઉપાસક જ્ઞાન ધ્યાન અને સંયમમાં નિમગ્ન બની વિચરતા. પ્રભાવશાળી વ્યાખ્યાન શૈલી લોકોમાં અપૂર્વ ખ્યાતિ પામ્યા. અમદાવાદ શહેરના પાંજરાપોળના ઉપાશ્રયે પૂ.શ્રીનું નગરજનોએ કરેલું ભવ્યાતિભવ્ય સામૈયું. ગિરનારની યાત્રા, જામનગરમાં પધાર્યા, માનવમેદની ઉભરાતી. પૂ.શ્રી ગોહિલવાડ વિસ્તારમાં. સંવત ૧૯૭૭ મરીનો ઉપદ્રવ પ્રકૃતિ અને માનવતાનું લીલામ વિષમ કાળમાં વિહાર કરી સિધ્ધગિરિની યાત્રા ‘ઘેટી’માં હૃદયસ્પર્શી પ્રવચનથી વ્યસન મુક્તિની લોકોની પ્રતિજ્ઞા એમની નિશ્રામાં લોકો આરાધનાની વસંતમાં મસ્ત બની ધર્મમાં જોડાયા. પૂર્વના અશુભ કર્મનો ઉદય [૧૦૮] Page #112 -------------------------------------------------------------------------- ________________ રતવાની ભયંકર બિમારી લાગ પડી. દામોદર વૈદ્ય અને મહાજનની અભૂતપૂર્વ વૈયાવચ્ચે અંતકાળ ડોકાઈ રહેલો. ચિર વિદાયની ક્ષણ આવી સંવત ૧૯૭૮, કારતક વદ ૩ ના રોજ મણિવિજયજી દાદાનિર્વાણ પામ્યા અંતિમ શ્વાસ ને અંતિમ શબ્દો હતા હે વીર ! હે વીર ! ધન્ય એ આરાધક સંયમધર મહાત્માને શાસન પ્રભાવક સાધુ પરંપરાની યાદીમાં એક નવું નામ લખાયું છે પૂ. શ્રી મણિવિજયજી દાદા. ૧. શ્રી ભટેવા પાર્શ્વનાથનું સ્તવન ભટેવા પાર્શ્વ સુખ આપો ભવિના દુઃખ સવિ કાપો. દુષમ કાલે બહુલ કમિ ઘણા જીવો ન સધ્ધર્મિઃ શરણ પ્રભુ તારું ધાર્યું રહે નહિ કર્મ પણ વાર્યું. ભટેવા. (૧) દ્રવ્ય દેવો તણું ખાવા થયા શૂરા બહુ પાપી, વચન પ્રભુ શાસ્ત્રના ભાખે, ભ્રમોમાં ભવ્યને નાખું. ભટેવા. (૨) જિનોની દ્રવ્યથી કરવી ઘણી સંખ્યાને મન ધરવી, વચન તાત્પર્ય નહિ જાણે ગુણોની વૃધ્ધિ નહી માને. ભટેવા. (૩) અનુષ્ટાનાદિ નહિ કરવું, સ્વમત ધ્યાનેજ સુખ વરવું, ધરી અજ્ઞાનતા ભારી છે તરે સર્વ નરનારી. ભટેવા. (૪) [૧૯] Page #113 -------------------------------------------------------------------------- ________________ ખરો જિન માર્ગ નહિ ધારે વસે નિત્ય દેહ સુખ સારે, તપી જનની ધરી હાંસી ધરે સુખ મોજ મઠવાસી. ભટેવા. (૫) ચરણ સવિ આપનો ખોવે સ્વરૂપ શુધ્ધ તે ન નિજ જોવે, કૃપા કરી પાસ જિન દીજે. યથા શીવરાજ મણી લીજે. ભટેવા. (૬) જિન ગુણમણિમાળા પા. ૪૦ ૨. મહાવીર જિન સ્તવન (ગઝલ) શ્રી મહાવીર નમો શિરનામી ભવી શિવ સુખના વાણી જેહની સપ્ત નયોથી, છે રમણીય મનોહારીજી, યોજન ગામે પરિણમી સહુને, છે વંછિત સુખકારી છે. શ્રી મહા.ના ચાર નિક્ષેપ જાણે ધ્યાવે, પાતક સર્વે પખાલજી, નામ ઠવણ દ્રવ્ય ભાવ સ્વરૂપે, ભાવે શુધ્ધ ત્રિકાલેજી. શ્રી મહા. પરા સાયિક સમકિત જ્ઞાન અનંતુ, વાળી ચારિત્ર અનંતું જી, પ્રગટવણે ધરતા પ્રભુ આપો, મુજને તે અનંતું છે. શ્રીમહા. પકા ત્રિપદીરૂપે સર્વ પદારથ, આપ્યા જે ગણધરનેજી, તે ઉત્પાદ વ્યય, ધ્રુવ રૂપ જાણી, ધરો સદા શુધ્ધ મનમાંજી. શ્રી મહા. રાજા ક્ષણિક તથા એકાંત નિત્ય જ, જેહ પદારથ માનેજી, બંધ મોક્ષ તસ મતમાં ન ઘટે, તેહ ભમે અભિમાને છે. શ્રી મહા. પા મિથ્યા જ્ઞાન તથા શ્રધ્ધા ધરી, ભટકયો કાળ અનંતજી, દુર્ગુણી પણ તુમ શરણે આવ્યો, તારો મુજને મહંતજી. શ્રી મહા. દા બુધ્ધિ વિનયથી સેવા કરતાં, દુર્ગુણ જાયે દુરજી, કહે પન્યાસ મણિવિજય ભાવે, પામો શિવસુખ દુરજી. શ્રી મહા. હા જિન ગુણ મણિમાળા પા. ૩પ [૧૧૮] Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પૂ. આચાર્ય લબ્ધિસૂરિ (સંવત ૧૯૪૦ થી ૨૦૧૭) જૈન રન, વ્યાખ્યાન વાચસ્પતિ અને કવિ શિરોમણિ, જ્ઞાન અને ભક્તિ માર્ગના રસિક, આ લબ્ધિસૂરિની જન્મભૂમિ ભોયણી પાસે બાલ શાસન ગામ. જન્મ સંવત ૧૯૪૦ માતા મોતીબાઇ, પિતા પીતાંબરદાસ. સંસારી નામ લાલચંદ. બાલ્યાવસ્થામાં પિતાનું મરણ. માતૃવાત્સલ્યથી પુત્રને ઉછેર્યો. સંવત ૧૯૫૪ આ. કમલસૂરિનો ભોયણીતીર્થમાં પરિચય વૈરાગ્ય ભાવનામાં પરિણમ્યો. દીક્ષા લેવા માટે ત્રણ વાર પ્રયત્નો કર્યા અને અંતરાય દૂર થતાં ધન્ય ઘડી ને ધન્ય ક્ષણ આવી. સંવત ૧૯૫૯માં આ. કમલસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. લાલચંદ લબ્ધિવિજય બન્યા. સંયમને અનુરૂપ તપ અને શાસ્ત્રાભ્યાસથી પ્રખર જ્ઞાની બન્યા. સંવત ૧૯૯૮ આચાર્ય પદથી અલંકૃત થયા. વકતૃત્વ શક્તિ, શ્રુત જ્ઞાનોપાસના ને કવિ પ્રતિભાથી જન સાધારણમાં માનીતા ને જાણીતા બન્યા. શાસનની પ્રભાવનાના કાર્યોમાં [૧૧૧] Page #115 -------------------------------------------------------------------------- ________________ નિમિત્ત રૂપ બન્યા લોકોને ધર્માભિમુખ કર્યા. છેલ્લું ચાતુર્માસ મુંબઈમાં સંવત ૨૦૧૭ નું વર્ષ. ભૂલેશ્વરનો ઉપાશ્રય. આયુષ્યની અંતિમ ઘડી આવી શ્રાવણ સુદ પંચમીની નિશાએ કાળધર્મ પામ્યા. એક મહાન સંયમધર પ્રતિભાશાળી આચાર્યની ચિર વિદાય. હવે માત્ર એમનું સાહિત્ય સર્જન એજ પુણ્ય સ્મરણ. નવા વિષયોમાં કલમ ચલાવી સમૃધ્ધ કર્યું પૂજા સાહિત્ય. ગીતો, સ્તવનો, ગઝલો પદો ને સઝાયોની રચના. નવતત્ત્વ, તત્ત્વત્રયી, દ્વાદશભાવના, મહાવીરસ્વામી સ્નાત્રપૂજાની રચના અર્વાચીન જૈન સાહિત્યનું અણમોલ કવિ રત્ન એટલે લબ્ધિસૂરિ જૈન કવિઓની ગઝલ રચનાઓમાં લબ્ધિસૂરિ અગ્રેસર બન્યા. હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં ગઝલો રચી. કાવ્ય સાહિત્યમાં અભિનવતાનાં દર્શન કરાવ્યાં. [૧૧૨ 1. Page #116 -------------------------------------------------------------------------- ________________ વિષયવૈવિધ્ય, રાગની વિશેષતા તત્વવિષયક ચિંતનાત્મક વિચારોની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ એમની કલમની પ્રેરક પ્રસાદી વિશેષ પરિચય તો એમની ગઝલોમાંથી મળી શકે છે. ગઝલ સાહિત્યના પ્રથમ કોટિના કવિ લબ્ધિસૂરિ ધન્ય છે એ કવિને અને એમના જીવન કાર્યને ભાવનાનું સ્વરૂપ आत्मानं भावयीति भावना । આત્મામાં જે ભાવ ભાવે તેનું નામ ભાવના છે. ભાવનાનો સંબંધ આત્મા સાથે છે. જૈન દર્શનમાં બારભાવનાને અધ્યાત્મ સાધનામાં ઊંચું સ્થાન આપવામાં આવે છે. કવિ લબ્ધિસૂરિએ આ તાત્વિક વિષયને કેન્દ્રમાં રાખીને બાર ગઝલો રચી છે. કવિગત ભાવનાના વિચારોને આત્મસાત્ કરવા માટે તેનું સ્વરૂપ જાણવું જરૂરી છે. તીર્થંકર ભગવાન ચાર પ્રકારના ધર્મનો ઉપદેશ આપે છે. દાન-શિયળ-તપ અને ભાવ. તે દૃષ્ટિએ જિનવાણીમાં ભાવનાનો સમાવેશ થયો છે. ત્રણ પ્રકારનો ધર્મ કરનાર વ્યક્તિના મનમાં ભાવની વિશુધ્ધિ- ચઢતા પરિણામ કર્મનિર્જરા શુભ કર્મબંધનાં નિમિત્તરૂપ બને છે. ભાવ એ વ્યક્તિના અંતસ્તલમાં નિહિત પરિસ્થિતિ છે તેની અનુભૂતિ બાહ્ય વર્તન ૫૨થી કેટલેક અંશે નિહાળી શકાય છે. શુભભાવની દૃઢતા ભાવના નિષ્પન્ન કરે છે. રસ મીમાંસકો કાવ્યસાહિત્યમાં સ્થાયી ભાવને મહત્વનો ગણે છે. [૧૧૩] Page #117 -------------------------------------------------------------------------- ________________ ઉપાસનાની સર્વ ક્રિયાઓ ભાવપ્રધાન છે. ભાવનાનો આધાર મનની વિચારશક્તિ છે. શુભ વિચારોના પ્રવાહમાં મનને જોડીને તેમાં એકાગ્રતા મેળવવી તેવી માનસિક પરિસ્થિતિ આત્માની અનંત શક્તિનો પ્રતીકાત્મક પરિચય કરાવવામાં નિમિત્તરૂપ બને છે. બાર ભાવનાનો ઉલ્લેખ નવતત્ત્વ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. પઢમ મણિચ્ચમ સરણું, સંસારો એગયા ય અન્નä, અસુઇ ં આસવ, સંવરો તહય નિર્જરા નવમી. ॥ લોગ સહાવો બોહિ, દુલ્લહા ધમ્મસ સાહગા અરિહા, એઆઓ ભાવણાઓ, ભાવે અવ્વા પયત્તેણં ! અર્થઃ અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વભાવ, બોધિબીજદુર્લભ, અને ધર્મ એમ બારભાવના છે. (નવતત્ત્વ. પા. ૧૦૪) ભાવનાનો સીધો સાદો અર્થ વિચારીએ તો કોઇ દ્રવ્ય-પદાર્થ કે વસ્તુ અંગે વિચારણા કરવી એમ થાય છે. વિચારણાને અંતે ચોક્કસ નિર્ણય થાય છે. ભાવનાથી ધ્યાનમાં સ્થિર થવાય છે. રાગદ્વેષની પરિણતિ, જન્મ જરા મરણની ચિંતા અને તેમાંથી ઉદ્ભવતી પીડા, વગેરેમાંથી મુક્ત થવા માટે ભાવના ભાવવી આવશ્યક છે. શુભ ભાવના ભાવવાથી મનની વિશુધ્ધિ થાય છે. જીરણશેઠ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ, મમ્મણશેઠ વગેર દષ્ટાંતો લોકજીવનમાં પ્રચલિત છે. આ ભૂમિકાને લક્ષમાં લઇને કવિ લબ્ધિસૂરિની બારભાવનાની ગઝલોનો ટૂંકો પરિચય અત્રે આપવામાં આવે છે. કવિ લબ્ધિસૂરિએ બારભાવનાની પૂજાની રચના સંવત ૧૯૮૦ ના પોષ સુદ પૂર્ણિમાને દિવસે કરી હતી. [૧૧૪] Page #118 -------------------------------------------------------------------------- ________________ કવિએ પ્રત્યેક ભાવના વિચારીને વ્યક્ત કરવા માટે પૂજા કાવ્ય પ્રકારને અનુલક્ષીને દુહા-ગઝલ-ઢાળ – કાવ્ય અને મંત્રનું અનુસરણ કર્યું છે. દુહાથી વસ્તુ નિર્દેશ કરીને ઢાળમાં તેનો વિકાસ કરવામાં આવે છે. પ્રાયઃ કવિઓએ ઢાળમાં દેશીઓનો આશ્રય લીધો છે. જ્યારે કવિ લબ્ધિસૂરિએ “ગઝલ' નો આશ્રય લઇને પૂજા રચી છે. ચાર ભાવના મોક્ષનું બીજ સમકિત છે. સમકિતનું મૂળ કારણ ચાર ભાવના છે. ભાવનામાં અપૂર્વ શક્તિ છે, તેનો પ્રત્યક્ષ અનુભવ તો ત્યારે જ થાય કે જ્યારે મનુષ્ય મન-વચન અને કાયાના શુભ યોગથી વિચારોમાં લીન બને (ભાવના ભાવે) જેની જેવી ભાવના હોય છે તેવું ફળ પ્રાપ્ત થાય છે. આત્મોન્નતિના વિચારોનું ચિંતન અને મનનથી અવશ્ય આત્મપ્રકાશની વિદ્યુત સમ ઝાંખી થયા વગર રહેતી નથી. ભાવના એ ભવભ્રમણનો નાશ કરનારી છે. જૈન દર્શનમાં ભાવનાને વધુ મહત્વ આપવામાં આવે છે. देहो देवालयो प्रोक्तो, जीवो देवः सनातनः । त्यजेदज्ञाननिर्माल्यं सोडहम् भावेन पूजयेत् ॥ १॥ દેહ રૂપ દેવાલય છે તેમાં અનાદિકાળથી જીવાત્મારૂપ દેવ બિરાજમાન છે. તું તારા અજ્ઞાનને છોડીને પરમાત્મા સમાન પોતાના આત્માને જાણી પરમાત્મા સમાન હું આત્મા છું એવી ભાવના-ચિંતન-ધ્યાનથી ઉપાસના કરી નિજ આત્મ સ્વરૂપને પ્રગટ કર. ચાર ભાવના भजस्व मैत्री जगदंगि राशिषु प्रमोदमात्मन् गुणिषुत्व विशेषतः भवार्तिदिनेषु कृपारसं सदाड प्युदासवृत्ति खलु निर्गुणेष्वपि ॥1॥ અધ્યાત્મ કલ્પદ્રુમ અધિકાર-૧ શ્લોક-૧૦ [૧૧૫] Page #119 -------------------------------------------------------------------------- ________________ - હે આત્મન્ ! જગતના સર્વ જીવો ઉપરમૈત્રી, ભાવ ધારણ કર, સર્વ ગુણવાન પુરુષો તરફ સંતોષ દષ્ટિથી જો, સંસારની પીડાથી દુઃખી થતા પ્રાણીઓ ઉપર કૃપા રાખ અને નિર્ગુણી પ્રાણીઓ ઉપર ઉદાસીનતા-મધ્યસ્થ ભાવ રાખ. परहित चिन्ता मैत्री, परदुःख विनाशिनी तथा करुणा । पर सुख तुष्टि मुदिता, परदोष प्रेक्षणमुपेक्षा ॥१॥ ધર્મબિન્દુ- અધ્યાય-૪ ૨૨૬ મા સૂરની ટીકા બીજાના હિતની ચિંતા (વિચારણા) મૈત્રી ભાવના કહેવાય છે. બીજાનું દુઃખ દૂર કરવાની ચિંતા તે કરૂણા ભાવના છે. બીજાનું સુખ જોઈને આનંદ થવો તે પ્રમોદ ભાવના છે. અને બીજાના દોષની ઉપેક્ષા કરવી તે માધ્યસ્થ ભાવના છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એમ ચાર ભાવનાને કેન્દ્રમાં રાખીને કવિ લબ્ધિસૂરિએ ગઝલો રચી છે તેમાં ઉપરોક્ત ભાવનાને સ્પર્શતા વિચારોને સ્થાન આપવામાં આવ્યું છે. અધ્યાત્મ માર્ગ તો ખરોજ પણ વ્યવહાર જીવનમાં પણ આ ભાવનાઓ શાંતિમય જીવન જીવવા માટે વરદાન રૂપ છે. જૈન કવિઓની ગઝલ રચનાઓમાં કવિ લબ્ધિસૂરિ વિષય વૈવિધ્યની સાથે કાવ્ય સાહિત્યમાં પ્રવેશ કરે છે. આધ્યાત્મિક વિષયોને સ્પર્શતી ગઝલો દ્વારા સર્વસાધારણ જનતાને તત્ત્વજ્ઞાનની કઠિન ને શુષ્ક માહિતી ગઝલ દ્વારા પહોંચાડવાનો સફળ પ્રયત કર્યો છે. કવિની ગઝલોમાં ગુજરાતી-હિન્દી ભાષાનું મિશ્રણ છે. ગઝલનો વિશિષ્ટ લય-રણકાર પણ જોવા મળે છે. એમના ભાષા પ્રભુત્વના ઉદાહરણ જોઈએતો સંસ્કૃત ભાષામાં ગઝલ રચવાનો પ્રયોગ કરીને ગઝલ સાહિત્યમાં ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે શ્રીચંદ્રપ્રભુ શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામી ભગવાનની ગઝલો સંસ્કૃત [૧૧૬] Page #120 -------------------------------------------------------------------------- ________________ ભાષામાં રચી છે. જીવનનું એજ સાર્થક છે તેમાં દેવ-ગુરૂ અને ધર્મના વિચારો વ્યક્ત કર્યો છે. વ્યસન નિષેધક ગઝલો માનવતાના ગુણો સંપાદન કરવા માટે પોષક વિચારો દર્શાવે છે. શિકાર-માંસ ભક્ષણની ગઝલો અહિંસા પરમોધર્મના સૂત્રને ચરિતાર્થ કરે છે. જ્યારે જુગાર, દારૂ, વેશ્યાગમન, પરસ્ત્રી સંબંધ, સામાજિક અને કૌટુંબિક શાંતિ અને વ્યવસ્થાની સાથે નીતિ પરાયણ જીવન વિશે વિચારો પ્રગટ કરે છે. તેમાં પ્રચલિત દષ્ટાંતો અને વ્યવહારની કેટલીક માહિતીનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. મૈત્રી-પ્રમોદ - કારૂણ્ય અને માધ્યસ્થ ભાવના વિશેની ગઝલોમાં માનવજીવનમાં ઉપયોગી ભાવનાઓ વિશે નિરૂપણ કરવામાં આવ્યું છે. માનવદેહ મળે તો જ અધ્યાત્મ સાધના થઈ શકે તે માટે બાર ભાવનાની સાથે ઉપરોક્ત ચાર ભાવનાઓ પણ વ્યવહારજીવન તથા અધ્યાત્મ માર્ગમાં ઉપકારક છે. મનુષ્ય જન્મમાં વૃત્તિઓને બહેકાવવાને બદલે નિયંત્રિત કરી આત્માના શાશ્વત સુખનો અનુભવ કરવા માટેની આધ્યાત્મિક વિચાર ધારાને ચરિતાર્થ કરતી કવિની ગઝલ સૃષ્ટિ સાંપ્રદાયિક્તાની સાથે બિનસાંપ્રદાયિક રીતે પણ જીવનને ઉદાત્ત, સંસ્કાર સંપન્ન ને સાત્વિક બનાવવા માટેનું પાથેય અર્પણ કરે છે. ૧. સિધ્ધાચલ મંડન આદિનાથ સ્વામીનું સ્તવન. ૫ ગજલ-કાફી છે મેં ભેટ્યા આદિનાથજી, હર્ષ અપાર હર્ષ અપારી આણંદકારી રાગ રોગ હર કવાથજી, હર્ષ અપાર છે અંચલી . સિદ્ધાચલ તીરથ વર સોહે, નિકટ ભવી જનમનકો મોહે; કર્મ ભર્મકા કટક વિછોડે, સંગકર શિવપુર સાથજી . હર્ષ ૧ | તીરથ એ કંચનગિરિ સારો, દુઃખીજીવ દુઃખો દળનારો; જન્મ મરણ વિષ હરનારો એ તીરથ વર નાથજી . હર્ષ. ૨. લાખ ચોરાશી યોનિ [૧૧૭] Page #121 -------------------------------------------------------------------------- ________________ ભટક્યો, ગર્ભોમેં બહુ ઉંધો લટકો; કરમોએ નરકોમેં પટક્યો, ઝાલો અબ મુંજ હાથજી હર્ષ ૩ મા મોહે માર્યો, નિજ ગુણ હાર્યો, વિષય વિકાર ભઠ્ઠીમાં ભાર્યો; કોઈએ નહીં ત્યાં મુઝને સાર્યો, તારો દઈ મુજ બાથજી હર્ષ છે ૪ ૫ વળી પ્રભુ મુજ મમતાએ માર્યો, મનુષ્ય જીંદગી એળે હાર્યો; રાગદ્વેષ ગલફાંસો ડાર્યો, (હું) ડુબ્યો ભવોદધિ પાથજી એ હર્ષ . પ . અબ પ્રભુ હું અતિ આણંદ પાયો, તુમ ચરણોમેં શિર ઝુકાયો; દુઃખ સઘરો અબ દૂર નસાયો, મલ્યો મને શિવ સાર્થજી મા હર્ષ મા ૬ . સંવત નિધિ મુનિ નિધીંદુ કાલિ, આદિજિનકી મૂરત વિશાલી, ફાગણ સુદ સાતમ દિનભાલી, હુઓ “લબ્ધિ” કૃતાર્થજી હર્ષ | ૭ | પૂજાસ્તવનાદિ સંગ્રહ-પા. ૪૨. ૨. શ્રી ઋષભજિન સ્તવન ઋષભ જિન ગુણ લિયો ભગવાન, અરજ તુમસે ગુજારું છું. (અંચલી.) લગા કર કર્મને ઘેરો, યોનિ લખ વેદ વસુ ફેરો, જન્મ મરણોંકા ધારામેં, હા હા ક્યા કષ્ટ ધારું છું. ઋ. ૧૫ શ્વાસોશ્વાસ એકમેં જિનજી, સત્તર મરણો જનમ લિયા, ગતિ નિગોદવિકારોંમેં, અનંતા કાલ હારું હું. 2. મારા નરક દુઃખ વેદના ભારી, નિકલને કી નહીં બારી, શરણ વહાં હૈ નહી કિસીકા, પ્રભુ એ સચ પુકારું છું. . પલા ગતિ તિર્યંચકી પામી, જહાં નહીં દુઃખકી ખામી, જબી દુઃખસે ચક્કર આવે, નહીં આંખોંસે ભાલું છું. ઋ. રાજા મુઝે ઐસા કરો ઉપકૃત, હોઉ મેં જિસસે નિર્મલ હૂત, અઠ્ઠાવીશ લબ્ધિકો પાઇ, મોક્ષ લક્ષમી નિહાળું હું. . પા પૂજા સ્તવનાદિ સંગ્રહ – પા. ૨૫ [૧૧૮] Page #122 -------------------------------------------------------------------------- ________________ I૧ાા ૩ ૪ના પા ૩. કલશ છે (ગઝલ) પ્રથમ જિન સ્તુતિ રસવાલા, પિયા પ્યાલા સો મતવાલા; મિલા હૈ ભાગ્યસે આલા, પીતા હૈ કો નસીબ વાલા. ન સોચે દુનીયાદારીકો, અમીરીકો નાદારી કો; ગમીકો ઔર સાદકો, સવારીકો ખુવારીકો. મસાલા મહાવ્રતોંકા હૈ, ઇસીમેં ક્યા પડા આલા; જરા તુમ સ્વાદ તો દેખો, બના કૈસા હૈ નિરાલા. પાન જો પ્રીતસે કરતે, જનમ મરણોંસે નહી ડરતે; સંયમશ્રેણીકો અનુસરતે, અજરામર રૂપ નિજ કરતે. પ્રરૂપિત કેવલી જાનો, અહિંસા લક્ષણે માનો; અધિષ્ઠિત સત્યમેં ઠાણો, વિનય મૂલ ખંતિ ગુણ ખાણો. ઈત્યાદિ મહાગુણ ભરિયા, સંયમ જિસને હું આચરિયાં; દ્રવ્યાદિ ચાર ભેદોંસે, ભવાબ્ધિ વો સુખે તરિયા. પ્રશસ્ત યોગકો ધારી, દારૂણ પરિણામકો દારી; પ્રથમવ્રત ત્યાગ અતિચારી, પ્રભુપદવી મિલે પ્યારી. રાગ ઓર દ્વેષકી ભાષા, તજો અતિચારકા વાસ; વાચ કર ચીજકો ધારો, શબ્દાદિક રાગકો વારો. ઇચ્છ મૂછ તથા ગૃદ્ધિ, આશક્તિ સત્ક મનવારો; સૂર્ય સદ્ભાવમેં પ્યારો, પરિમિત કીજીએ આહારો. વિગત અતિચાર વ્રત ધારે, નહીં તો કર્મસેં હારે; કર્મકે કુંદકો તોડી, વિચરતે મોક્ષ વિહારે. ઋષભજિનકી હૈ યહ વાણી, જિસીને અમલમેં આણી; ભવિ વો દુખિયા પ્રાણી લહે અનંત સુખ ખાણી. [૧૧] પાછા ૮ LIELL ૧૦ ૧૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયાનંદ સૂરિ જાણો, તપાગચ્છ ગગનમેં ભાણો; અવિદ્યારૂપ તમ વારી, હુએ હૈ બહુત ઉપકારી. ૧ રા રચી શ્રી તત્ત્વકે ગ્રંથો, સુધારી જૈન આલમકો; પધારે શ્રી ગુરૂ સ્વર્ગે, ફેલાઈ જાન આગમકો. ૧૩ ઉનકે પાટકે ધોરી, રખે મતિ શાસ્ત્રમ્ જોરી; સુરત ભોરી અતિ ગોરી, ગુરૂ મેરે શરણ મોરી. ૧૪ ન પરવા કિસીકી રખતે, રાજ ઔર રંક સમ ગિનતે; હૃદયકી શુધ્ધતા ઇનસી, નહીં કોઈ હાલમેં ધરત. ૧પ મુબારક નામ સૂરિકમલ, અટલ બ્રહ્મચર્યમેં અમલ; ઇન્ડોકે રાજમેં રચના, ત્રઢષભ જિનકી કરી ભજના. ૧ દા રાધનપુરમેં રહી ચૌમાસ, રચી હુઈ પુરી સંઘ આસ; મહાવ્રતકે મહોચ્છવ પર, પૂજા મહાવ્રતકી સુખકર. ૧૭ ઉન્નીસો એંસીકી સાલે, સંવત વિક્રમણે કાલે; વિમલ જિનરાજ આવાસે, પઢાઈ માગસર માસે. ૧૮ : પ્રભુસે યહ ધરી આશા, મહાવ્રત શુદ્ધ હો ખાતા; મેરે આત્મ કમલ સૂરજ, દિયો નિજ લબ્ધિ શિવલાસા. ૧લા પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૧૨૭ ૪. શ્રી ચંદ્રપ્રભુ (કવ્વાલી) ચંદા પ્રભુજી પ્યારા, મુઝકો દિયો સહારા તુમે કર્મ કષ્ટ વારા, ઉસને હમે હૈ મારા. ચંદા. ૧૫ મૈત્રાહિ ત્રાહિ કરતા, ચરણોમેં તેરે પડતા, ક્યોં નહીં દુઃખોં કો હરતા, મહામોહસે હું મરતા. ચંદા. મારા [૧૨] Page #124 -------------------------------------------------------------------------- ________________ કરૂણા સમુદ્ર તું હૈ, નહીં તુજસે કોઈ આલા, મુજ મન બના હૈ પક્ષી, તુમ ગુણ ગણો હૈ માલા. ચંદા. ૩ નરકાદિકાં મેં રૂલા, તુમ નામકો જો ભૂલા, ઉસકે બિના સહારે, પાયા હૈ દુઃખ અમૂલા. ચંદા. ૪ અબ પુણ્ય વાયુ વાયા, કરમેં વિવર દિખાયા, સમ્યકત્વ ચિત્ત ધારા, તબ પાયા તુમ દિદારા. ચંદા. પાા આતમ કમલ દિનેશ્વર, દુર્લભ પ્રભુ જિનેશ્વર, નિજશક્તિ સંપદા દૌ, શિશુ લબ્ધિકો બચાલો. ચંદા. દા નૂતન સ્તવનાવલી પા. ૨૬ અંચલી. કુંથ, ૧ છે ૫. શ્રી કુંથુજિન સ્તવન - રાગ-ગજલ | કુંજિન મેરી ભવ ભ્રમણા, મિટાદોગે તો ક્યા હોગા. ચોરાશી લાખ યોનિમેં, પ્રભુ મેં નિત્ય રૂલતા હું; દયાલ દાસકો તેરે બચા લોંગે તો કયા હોગા ઘટાઘન મોહકી આઈ, છટા અંધેરકી છાઇ; પ્રકાશી જ્ઞાન વાયુસે, હટા દોગે તો ક્યા હોગા અહો પ્રભુનામકા તેરે, સહારા નિશદિન ચાહું; સમર્પ પ્રેમ અંતરકા, વિકાસગે તો કયા હોગા નહીં હૈ કામ સોનેકા, નહીં ચાંદી પસંદ મુજકો; ચાહું મૈ આત્મકી જ્યોતિ, દિખાદોગે તો ક્યા હોગા | સચ્ચી મે દેવકી સુરત, તમારે મેં નિહાલી હૈ; લગા હૈ પ્રેમ ઇસ કારણ, નિભાલોગે તો ક્યા હોગા કુંથુ. ૨ કુંથુ. ૩ કુંથુ. ૪ . કુંથ. ૫ પા [૧૨૧] Page #125 -------------------------------------------------------------------------- ________________ કમલ જેસા તેરા મુખડા દેખા છાયાપુરી માંહી; બના “લબ્ધિ”ભ્રમર ઈન્સ્પે, છુપા લોગે તો ક્યા હોગા ા કુંથુ. ૬ માં પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૪૧ ૬. શ્રી પાર્શ્વનાથ સ્તવન (ગઝલ) જનારું જાય છે જીવન, જરા જિનવરને જપતો જો, હૃદયમાં રાખી જિનવરને, પુરાણાં પાપ ધોતો જો. જનારું ના બનેલો પાપથી ભારે, વલી પાપો કરે શીદને, સળગતી હોળી હૈયાની, અરે? જાલિમ બુઝાતો જા. જનારું. ારા દયા સાગર પ્રભુ પારસ, ઉછાળે જ્ઞાનની છોળો, ઉતારી વાસના વસ્ત્રો, અરે? પામર તું નહાતો જા. જનારું. ઘડા જીગરમાં ડંખતાં દુઃખો, થયાં પાપો પિછાનીને, જિગંદવર ધ્યાનની મસ્તી, વડે એને ઊડાતો જા. જનારું પાસા અરે? આતમ બની શાણો, બતાવી શાણપણ તારું, હઠાવી જૂઠી જગમાયા, ચેતન જ્યોતિ જગાતો જા. જનારું પા ખીલ્યાં જે ફૂલડાં આજે, જરૂર તે કાલે કરમાશે, અખંડ આતમ કમલ લબ્ધિ, તણી લય દિલ લગાતો જા. જનારું દા નૂતન સ્તવનાવલી પા. ૮૫ ૭. પાર્શ્વનાથ સ્તવન - (ગઝલ) શરણ લે પાર્થ ચરણોંકા, ફિર ફિર નહીં મિલે મોકા. દેવનકે દેવ યે સોહે, ઈહોકો દેખ જો મોહે, હઠે તસ દુઃખ દુનિયાકા, ફિર ફિર નહીં મિલે મોકા. શરણ. શરણ. ૧ાા [૧૨] Page #126 -------------------------------------------------------------------------- ________________ શરણે. પારા શરણ. ૩ ઇન્ડોંકા નામ જો લેતે, ઉનહોંકો શિવસુખ દેને, મારગ યહ મોક્ષ જાનેકા, ફિર ફિર નહીં મિલે મોકા. અનાદિકાલ ભવ ભટકા, જભી તું પાર્શ્વ સે છટકા, મિલા અબ વન ધ્યાનેકા, ફિર ફિર નહીં મિલે મોકા. જિહોને સર્પકો તારા, નમસ્કાર મંત્ર કે દ્વારા, વો હી તુમ તાર લેનેકા, ફિર ફિર નહીં મિલે મોકા. ગુણ હૈ પાર્થમેં જૈસે, નહીં ઓર દેવમેં ઐસે, યહી ભવપાર લગાનેકા, ફિર ફિર નહીં મિલે મોકા. કહે લબ્ધિ જિનંદ સેવો, ઐસા હૈ અન્ય નહીં દેવો, ભવાબિ પાર કર નૌકા, ફિર ફિર નહીં મિલે મોકા. શરણ. જા શરણ. પા શરણ. દા નૂતન સ્તનાવલી પા. ૯૧ ૮. કલશો | રેખતા-પૂજો ભવી જીવ આનંદા-યહ ચાલ ! પ્રભુ મહાવીર મેં ગાયા, અતિ મુઝ ચિત્ત હુલાયા, અનંતી પુણ્યકી રાશી, ભઇ જસ ચકી દાસી. હે પ્રભુ. ૧ છે નહીં શક્તિ પ્રભુ મોરી, અતિ ભક્તિ દિલે તોરી; ઉસીને જાગ્રતિ દીની, પૂજાકી પ્રેરણા કીની. . પ્રભુ. ૨ | નિધિ મુનિ નવ શશિ સાલે, સંવત વિક્રમ તણે કાલે; રાધનપુરમેં રહી ચૌમાસ, રચી પૂજા પૂરી સંઘ આશ. આ પ્રભુ. ૩ . વસે જહાં સંઘ ધમિષ્ઠા, રાખે તપ જપમે નિષ્ઠા; પૂજા અષ્ટોત્તરી ઠાવે, આસો વદ છઠ્ઠકો ભાવે. એ પ્રભુ. ૪ ઉસી અવસરપે ગાને કો, પૂજા આનંદ પાનેકો, બનાઈ પ્રેમસે ભારી, બની ગઈ દુઃખડાં વારી. . પ્રભુ. ૫ છે [૧૨૩] Page #127 -------------------------------------------------------------------------- ________________ વિજયાનંદસૂરિ રાજા, જિનોં કા યશ હૈ તાજા; અમેરિકા સુધી ગાજા, ગુણકા બન રહા બાજા. એ પ્રભુ. ૬ ઉન્હોં કે પટ્ટકે ધારી, સૂરિ કમલ બલિહારી; બાલાપનસે હૈ બ્રહ્મચારી, બડે પવિત્રતા ધારી. એ પ્રભુ. ૭ ઈનકી છાપ હૈ ભારી, જાન હૈ યહ આલમ સારી; ઈહોકે રાજ્યમેં રચના, કરી કરી વીરકી ભજના. એ પ્રભુ. ૮ છે ઈન્ડોંકી મહેર હૈ મુજ પર, ગુરૂ મેરે ગરીબપરવર;, ઇન્ડોંકી ભાવના યહ થી, ઇસીસે ભી યહ રચના કી. . પ્રભુ. ૯ છે. પઢેગા ભાવસે જો જો, લહેગા મોક્ષપુર વો વો; કહા યહ “લબ્ધિ”કા સાચા, સમજ લો દૈવી હૈ વાચા. પ્રભુ. ૧૦ પૂ. સ્તવનાદિ સંગ્રહ - પા. ૭૫ ૯. શ્રી મહાવીર જિન સ્તવન. (રાગ-ગઝલ) ભજો મહાવીર કે ચરણો, છુડા દેગા જનમ મરણ. (અંચલી.) જગતમેં દેવ આલી હૈ, સુરત સબસે નિરાલી હૈ. સુખોં કે હૈ વશીકરણ, છુડા દેગા જનમ મરણોં. ભજો.૧ જિન્હોંને રાજ્યકો છોડા, સિયાદિકર્સે ભી મુંહ મોડા; જગત અંધેર કે હરણ, છુડા દેગા જનમ મરણ. ભજો.૨ રાગ જિસમેં નહી લવ લેશ, નહિ કિસીસે હૈ ઉનકો દ્વેષ; સેવો એ દેવ જગ તરણ, છુડા દેગા જનમ મરણોં. ભજો.૩ મહા મોહે જગત જીતા, ઇન્ડે ઇસ્કો હરા દીતા; સદા શિવ લબિ કે વરણ, છુડા દેગા જનમ મરણ. ભજો.૪ [૧૨૪] Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ન્યાયાંભોનિધિ વિજ્યાનંદ (આત્મારામજી) સૂરિ ગુણ સ્તુતિ રૂપ સજ્ઝાય ૫ રાગ-ગજલ ા વિજ્યાનંદ હિતકારી, તેરી હિમ્મતકી બલિહારી ા ટેક ॥ બહુત આચાર્ય હો ગુજરે, શાસન કે સ્તંભ હો ગુજરે, તેરી ભી ઉનમેંથી વારી, તેરી હિમ્મતકી બલિહારી. ॥ વિજ્યાનંદ. ૧ ૫ અનુપમ ગ્રંથકી રચના, કરી સદ્ગુરૂ તે ભારી, ભયે વે ગ્રંથ ઉપકારી, તેરી હિમ્તકી બલિહારી. ૫ વિજ્યાનંદ. ૨ । અવિદ્યાને જગત ઘેરા, પાયાથા કુમતિને ડેરા; તેરે આનેકી થી બારી; તેરી હિમ્મતકી બલિહારી. ૫ વિજ્યાનંદ. ૩ । સોયે થે જૈન સબ ભાઇ, ગફલતકી નિંદથી છાઇ; દીઇ ઉનકો ખબરદારી; તેરી હિમ્મતકી બલિહારી. ૫ વિજ્યાનંદ. ૪ ૫ દેશ વિદેશમેં ફિર કર, કિયા તે જૈનમત રોશન; સહેં ઉપસર્ગ હૈ ભારી, તેરી હિમ્મતકી બલિહારી. ૫ વિજ્યાનંદ. ૫ દિયા ઉપદેશ વિદ્યાકા, અવિદ્યાકી ઉંડાઇ જડ, નસીહત દી બડી પ્યારી, તેરી હિમ્મતકી બલિહારી. ૫ વિજ્યાનંદ. ૬ ॥ અભીભી નામકી તેરે, બડી હૈ સિફત દુનિયામે; તેરેસે હી ઇલમ જારી, તેરી હિમ્મતકી બલિહારી. ૫ વિજ્યાનંદ. ૭ ॥ ન્યાયાંભોનિધિ પદ ધર્તા, સૂરજ સમ સૂરિ તમ હર્તા, જ્ઞાન લબ્ધિ દ્યો હિતકારી, તેરી હિમ્મતકી બલિહારી. ૫ વિજ્યાનંદ. ૮ ॥ પૂજા- સ્તવનાદિ સંગ્રહ પા. ૭૩ [૧૨૫] Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ગુરૂ સ્તુતિ મેરા (કવ્વાલી) સૂરી કમલ ગુરૂવર, તેરે દર્શનકો ચાહતા હું. તેરે દેદાર બીન સ્વામી નિહાયત હા મુંઝાતા હું. સુરત જબ યાદ આતી હૈ, તડફતી જાન મેરી હૈ, ચમકતી હો સુરત તેરી, બની ગઇ રાખ ઢોરી હૈ. ગરજતે શરકે જૈસી અવાજે આપકી સુનકર, ગયા ગભરા સબી કુમતિ કિયા રોશન જગત દિનકર. મીઠી વાણીસે લોગોં કે જીગર કો ધર્મમેં લાવે, પ્રભુ મહાવીરકી વાણી, રૂપી અમૃત પીલાતે. ખિલા આત્મ કમલ મેરા, યહ મહિમા હૈ ગુરૂ તેરા, પુનઃ દર્શન લબ્લિકા, વિકાશી કર દિયા ચહેરા. ૪ પા ૧ છે નૂતન સ્તવનાવલી – પા. ૧૮૪ ૧૨. સમ્યકત્વ બોધક. - (ગઝલ) ધર્મ શ્રી જૈનકી શ્રદ્ધા, નસીબાં વર ભવી પાવે; નસીબાં વર ભવી પાવે, નસીબાં વર ભવી પાવે. ૫ રાગ ઔર ષસે ખાલી, જહાં શ્રીદેવ જિનવર હૈ; સકલ મિથ્યાત્વ મિટ જાવે, નસીબાં વર ભવી પાવે. ગુરૂકુલ તાર દુનિયાં કે, ન કંચન કામિની રાખે; સફર પૈદલ કરે ભાવે, નસીબ. | દયા હૈ જૈસી ઈસ મતમેં, નહીં ઐસી કીસી મતબેં; પૂરણ જીવ રૂ૫ ફરમાવે, નસીબાં. તે [૧૬] ૨ u ૩ | Page #130 -------------------------------------------------------------------------- ________________ રખે નિશ દિન જો શ્રદ્ધા, ગતિ નર દેવકી પાવે; ગતિ પશુ નરક નહીં જાવે, નસીબાં. ૫ છે કહે લબ્ધિ વિપદ આવે, તથાપિ નૈવ ગભરાવે; ગિને નવકાર શુભ ભાવે, નસીબ. | ૬ | ૧૩. પ્રભુ પ્રાર્થના (રાગ-કવાલી, ગઝલ) લગી હૈ ચાહ દર્શનકી, મિટા દોગે તો ક્યા હોગા ? (અંચલી.) અનંતે જ્ઞાનદર્શનકી, જહાં હસ્તી કહી જાતી. ઐસે ગર મુક્તિક સુખકો, દેખા દોગે તો ક્યા હોગા.? લગી. ૧ અનંત જન્મમરણો મેં, સદા એ રૂલતી ફીરતી અનંતે પરાક્રમી ભગવદ્, નિકાસોગે તો ક્યા હોગા ? લગી. ર ઇસી સંસાર સાગરમેં મેરી નૈયા ડુબી જાતી, મલાહ બન કર મુઝે સ્વામિન્ ઉગારોગે તો ક્યા હોગા? લગી. ૩ ઇસી સંસાર મહા વનમેં, મુઝે મહા સિંહ સતાતે હૈ, રાગ ઓર દ્વેષ પ્રભુ ! ઈનકો, ઉઠા દોગે તો ક્યા હોગ? લગી. ૪ મેરે મેં શાન-દર્શનકી મહા લબ્ધિ કહી જાતી; પડા હૈ કર્મકા પડદા, ઉઠા દોગે તો ક્યા હોગા ? લગી ૫. નૂતન સ્તવનાવલી પા. - ૧૫૯ ૧૪. પ્રથમ અનિત્યભાવના (ગઝલ) વિનાશી આ જગત જાણો, નથી સ્થિર વાસ વસવાનું, નહીં કાંઇ સાથમાં આવે, હૃદયમાં એ ભાવના ભાવો. ૧ | [૧૨૭] Page #131 -------------------------------------------------------------------------- ________________ રહ્યા નહીં રાય ને રાણા, મૂરખ શાણા અને કાણા, વળી બે આંખ ધરનારા, પ્રથમ એ ભાવના ભાવો. ૨ છે રહ્યા છે ક્યાં શ્રી તીર્થકર, વળી ષટ ખંડના ધર્તા, ત્રિખંડે રાજ્ય કરનારા, પ્રથમ એ ભાવના ભાવો. ૩ પૂજા સ્તવનાદિ સંગ્રહ. - પા. ૨ ૧૫. દ્વિતીય અશરણ ભાવના - (ગઝલ) શરણ નહીં કોઈ સૃષ્ટિમાં, શરણ વિન ભાઈ ! મરવું છે; શરણ પ્રભુ પાર્શ્વનું સાચું, બીજી એ ભાવના. ભાવો. ૧ છે નહીં માતા અને ભ્રાતા નહીં સુત તાતનું શરણું નહીં તિરીયા શરણ આપે. બીજી એ ભાવના. ભાવો. ર છે હિરણના ઝુંડમાં કોઈ, વરૂ આવીને જો પકડે; બચાવી નહીં શકે કોઈ, બીજી એ ભાવના. ભાવો. ૩ છે ઝૂંડ જોતું રહે ભાઇ, તેને તે જેને લઇ જાઈ; તમોને કાલ તેમ હરશે, બીજી એ ભાવના. ભાવો. . ૪ છે પ્રભુ શ્રી પાર્શ્વની વાણી, અતિ ગંભીર દિલ આણી; જગત અનિત્યતા જાણી, સેવો પ્રભુ-ધર્મ ગુણ ખાણી. ભવો. પ ા પૂજા સ્તવનાદિ સંગ્રહ-પા.૪ ૧૬. તૃતીય સંસારભાવના (ગઝલ) સંસારે સાર નહીં દિસે, રંક યા રાયના વિષે; મહેંદ્ર ઇદ્રમાં નહીં છે, ત્રીજી એ ભાવના ભાવો. [૧૨૮] ૧ છે Page #132 -------------------------------------------------------------------------- ________________ || ૨ | કદી શોકી કદી રોગી, કદી ભોગી કદી યોગી; ખરેખર આ થીએટર છે, ત્રીજી એ ભાવના ભાવો. કરમ જડ તોડશો જ્યારે પરમપદ પામશો ત્યારે ખરું સુખ મોક્ષમાં મળશે, ત્રીજી એ ભાવના ભાવો. પ્રભુ શ્રી પાર્શ્વની વાણી, ઉતારો ચિત્તમાં પ્રાણી; કમલ જેમ થાશો નિર્લેપી, ત્રીજીએ ભાવના ભાવો. અગર એ વાસના પ્રગટે, નહિ સંસારમાં ભટકે; આતમ લબ્ધિ તદા મળશે, ત્રીજી એ ભાવના ભાવો. ૩ . || ૪ || | ૫ | પૂજા સ્તવનાવદિ સંગ્રહ – પા.૬ | ૧ | ૧૭. ચતુર્થ એકત્વભાવના (ગઝલ) જગતમાં એકલો આતમ, આવે છે ને વળી જાવે; નથી કોઈ સાથ જાવાનું, ચોથી એ ભાવના ભાવો. કરે જીવ એકલો ભોગો, સહે છે એકલો રોગો; એકાકી જાય પરલોકે, ચોથી એ ભાવના ભાવો. ન કરશો કોઈ બૂરાં કરમો, કરમ નથી રાખતાં શરમો; ધની યા રંક રાજાની, ચોથી એ ભાવના ભાવો. એકત્વ-ભાવના ભાવે, કમલ જેમ ચિત્ત વિકસાવે; બને નહીં દીન એ ક્યારે, ચોથી એ ભાવના ભાવો. પ્રભુ શ્રી પાર્શ્વજિન ભાખે, ઉરે એ ભાવના રાખે; વસે છે આત્મલબ્ધિ ત્યાં, ચોથી એ ભાવના ભાવો. - ૩ | | ૪ | | ૫ | પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૯ [૧૨] Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૮. પંચમ અન્યત્વભાવના (ગઝલ) નહીં છે આ શરીર તારૂં, તો બીજું શું થવાનું છે; બધાં ન્યારાં છે તારાથી, પંચમ એ ભાવના ભાવો. વળી તું તેહથી ન્યારો, સ્વભાવો પણ જૂદા ધારો; સબુતી એ જાદા પણની, પંચમ એ ભાવના ભાવો. સ્વજન સ્વર્ગે નથી મૂક્યું, ન સ્વારથ તેહનો ચૂકતું; તેમાં કેમ થાય તું ઘેલો, પંચમ એ ભાવના ભાવો. કમલ જેમ કીચથી હોવે, રહે બશેથી તે ન્યાૐ; હટો તેમ કર્મ ભોગોથી, પંચમ એ ભાવના ભાવો. અન્યત્વભાવના જેમાં, આત્મ લબ્ધિ રહે તેમાં; પ્રભુ શ્રી પાર્શ્વ ફરમાવે, પંચમ એ ભાવના ભાવો. પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૧૧ ૧૯. ષષ્ટી અશુચિભાવના (ગઝલ) અશ્િચ આ શરીર હારૂં, વહે છે નવ જ્યાં નારૂં; તને કેમ લાગતું પ્યારૂં, છઠ્ઠી એ ભાવના ભાવો. રાચે જેમ વિટમાં કીટો માચે તેમ સ્ત્રી વિષે વિટો; અશુચિની છે જે ક્યારી, છઠ્ઠી એ ભાવના ભાવો. તનુ તવ રોગથી વ્યાપે, કેવી દુર્ગંધી ત્યાં આપે; જરા એ પણ વિચારોને, છઠ્ઠી એ ભાવના ભાવો. કમલ અને કીચનો ન્યાય, કરો ધર્મો ચરિત થાય; અશુચિથી શુચિ નિપજે, છઠ્ઠી એ ભાવના ભાવો. [૧૩૦] ॥ ૧ ॥ ॥ ૨ ॥ ॥ ૩ ॥ ॥ ૪ ॥ ॥ ૫ ॥ ॥ ૧ ॥ ॥ ૨ ॥ ॥ ૩ ॥ ॥ ૪ ॥ Page #134 -------------------------------------------------------------------------- ________________ | ૫ | ૧ | અશુચિ-ભાવના ભાતાં, શુચિ સાચી વરે તમને; પ્રભુ શ્રી પાર્શ્વની વાણી, આતમ લબ્ધિની છે ખાણી. પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૧૪ ૨૦. સપ્તમ આશ્રવભાવના (ગઝલ) આશ્રવના સંગથી દુનિયા, અનંતાં દુઃખ પામે છે; તજો સુખ શાંતિના માટે, સપ્તમ એ ભાવના ભાવો. ન હિંસા જુઠ ને ચોરી, વળી મૈથુન સુખ આપે; મહા-મમતા તણા દુઃખો, સપ્તમ એ ભાવના ભાવો. કાયા મન ને વળી વાચા, એ યોગો ત્રણ આશ્રવ છે; તજ તેની પ્રવૃત્તિ ને, સપ્તમ એ ભાવના ભાવો. ક્રિયા પંચવિશને વ, એનાથી દુઃખ છે ભારી; પ્રભુ શ્રી પાર્શ્વની વાણી; સક્ષમ એ ભાવના ભાવો. આશ્રવની ભાવના એવી, સોચો શાસ્સે કહી તેવી; પ્રકાશે આત્મમાં લબ્ધિ, સપ્તમ એ ભાવના ભાવો. | ૨ | | ૩ | ૪ ૫ ૫ પૂજ સ્તવનાદિ સંગ્રહ – પા. ૧૬ ૧ ૨૧. આઠમી સંવરભાવના (ગઝલ) સંવરના સંગથી સારૂં, સદા શિવ-સુખ અનુસરશું; ભવિક એમ દિલમાં લાવો, અષ્ટમ એ ભાવના ભાવો. સંવર છે સારભુત સાધન, ભવોદધિ પાર કરવાને; જલધિમાં જહાજ જેમ જાણો, અષ્ટમ એ ભાવના ભાવો. સંવરમાં શિવ-સુખ વાસો, સંવરમાં જ્ઞાનનો ભાસો; [૧૩૧] ૨ | Page #135 -------------------------------------------------------------------------- ________________ || ૩ |. સંવર સર્વ પૂરશે આસો, અષ્ટમ એ ભાવના ભાવો. સંવરની ભાવના સાચી, દિલમાં જાય જો રાચી; સરે કામ જેમ એલાચી; અષ્ટમ એ ભાવના ભાવો. આત્મ કમલ સદા વિકસે; હૃદય એ ભાવના નિકસે; વસે ત્યાં સર્વ લબ્ધિ છે, અષ્ટમ એ ભાવના ભાવો. ( ૪ .. | ૫ | મે ૧ પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૧૯ ૨૨. નવમી નિર્જરાભાવના - (ગઝલ) ખરેખર કમનું ખરવું, આતમથી નિર્જરા એ છે; તપોના બાર ભેદોથી, નવમ એ ભાવના ભાવો. કર્યું તપ શ્રી પ્રભુ-પાર્થે, કરમ કષ્ટો જલાવાને; થયા તેથી પૂરણ જ્ઞાની, નવમ એ ભાવના ભાવો. તપશ્ચર્યા સદા સેવો, મળે જેથી મોક્ષનો મેવો; બધા એથી બન્યા દેવો, નવમ એ ભાવના ભાવો. કમલને સૂર્યથી સ્નેહ, મયૂરને વહાલો છે મેહ; વ્હાલો તપને કરમ છેહ, નવમ એ ભાવના ભાવો. તપો જે પ્રેમથી સાધે, અઠ્ઠાવીશ લબ્ધિઓ લાધે; નિજાતમ સુખ ત્યાં વાધે, નવમ એ ભાવના ભાવો. છે ર છે ? | ૩ | || ૪ || | ૫ | પૂજા સ્તવનાદિ સંગ્રહ – પા. ૨૧ ૨૩. દશમી લોકસ્વરૂપ ભાવના (ગઝલ) સ્વરૂપ આ લોકનું દેખો, મનુષ્યની આકૃતિ ધરતું; ભરેલું ષડુ દ્રવ્યોથી, દશમ એ ભાવના ભાવો. [૧૩૨] Page #136 -------------------------------------------------------------------------- ________________ અધો આકાર વેગાસન, મધ્યમાં ઝલ્લરી જેવો; ઉપર મુરજાકૃતિ જાણો, દશમ એ ભાવના ભાવો. મુક્ત રૂપે અગર હોવે, મસ્તક શિલા ઉપર વાસો; મળે આનંદ તો ખાસો, દશમ એ ભાવના ભાવો. અનાદિથી છે આ સૃષ્ટિ, નથી કોઇ એહનો કર્તા; કરમ તેનો છે વ્યવહર્તા, દશમ એ ભાવના ભાવો. દુર્લભ જેમ નૈવેદ્યર્થી, જિન સેવા સંસાર; તેમ દુર્લભધર્મની, ભાવના ભવિ ! દિલ ધાર. પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૨૩ - ૨૪. અગિયારમી બોદુર્લભ ભાવના ગઝલ દુર્લભ દુનિયામાં છે બોધિ, ગુણો લે આત્મના શોધી; કરમના વેગને રોધી, એકાદશ ભાવના ભાવો. કૃષ્ણ શ્રેણિક નૃપ જેવા, પ્રસિદ્ધ શાસ્ત્ર થયા કેવા; પ્રભાવ એ બોધિ-બીજ કેરો, એકાદશ ભાવના ભાવો. મરૂદેવા ગયાં મુક્તિ, ભરત મુક્તિ ભજ્યા ભાવે; બોધિથી તે થયું સઘળુ, એકાદશ ભાવના ભાવો. બોધિ બાધા હરે સઘરી, જનમ મરણો તણી અઘરી; ભજો બોધિ બધું વિસરી, એકાદશ ભાવના ભાવો. આતમ કમળ પ્રફુલ્લું છે, બધી લબ્ધિ ત્યાં ઝુલે છે; રહ્યો જ્યાં બોધિનો વાસો, એકાદશ ભાવાના ભાવો. પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૨૬ [૧૩૩] ॥ ૨ ॥ ॥ ૩ ॥ ॥ ૪ ॥ ॥ ૫ ॥ । ૧ ।। ॥ ૨ ॥ ॥ ૩ ॥ ॥ ૪ ॥ ॥ ૫ ॥ Page #137 -------------------------------------------------------------------------- ________________ | ૧ | ( ૨ | ૨૫. બારમી ધર્મદુર્લભ ભાવના (ગઝલ) ધરમ ધારો સદા યારો ! હૃદયમાં દુખ હરનારો; સદા શિવ-સુખ કરનારો, દ્વાદશ એ ભાવના ભાવો. જિનેશ્વર મુખથી નીકળ્યો, ધરમ રૂપ સુખ કર સૂરજ; જગત અંધેર હરવાને, દ્વાદશ એ ભાવના ભાવો. નયો રૂપ સાત આરાનું; ધરમ રૂપી જ્યાં ચક્ર છે; કરમ દલ છે દવા સારૂ, દ્વાદશ એ ભાવના ભાવો. ધરમ શુદ્ધના કથક અહંન, અતિ દુર્લભ પ્રભુ પારસ; ભજો ભાવે ભજો ભાવે, દ્વાદશ એ ભાવના ભાવો. ધરમ-સૂરજના સામે, રહે આતમ કમલ વિકસી; સુગંધી લબ્ધિની લેવા, દ્વાદશ એ ભાવના ભાવો. I ૩ ! | ૪ || ૫ ૫ છે પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૨૮ ૧ છે ૨૬. “મૈત્રી-ભાવના.” (ગઝલ) ભજો ભવી ભાવના મૈત્રી, મુક્તિનો માર્ગ દેનારી; ભજકનો ભાર હરનારી, સુંદર એ ભાવના ભાવો. સકળ જીવનું શ્રેયસ હોવે, સદા એ ધ્યાનમાં રહેતાં; કેવી એ ભાવના રૂડી, સુંદર એ ભાવના ભાવો. સદા એ શાંતિને આપે, અશાંતિ કંદને કાપે; આતમની યોગ્યતા સ્થાપે, સુંદર એ ભાવના ભાવો. માહાભ્ય મૈત્રીનું મોટું, સકલ સંકલેશ હરનારું; પવિત્ર પ્રેમ ધરનારું, સુંદર એ ભાવના ભાવો. [૧૩૪] 1 ૨ છે ૩ છે | ૪ | Page #138 -------------------------------------------------------------------------- ________________ | ૫ છે સકલ જીવોથી નહીં મૈત્રી, દિસે જેના હૃદય માંહી; સકલ ગુણો નથી ત્યાંહી, સુંદર એ ભાવના ભાવો. સત્તા છે ઔષધિરસમાં, તાંબાનું સોનું કરવાની; મૈત્રી એમ જીવ ઉદ્ધરતી, સુંદર એ ભાવના ભાવો. LEIL અનીતિ યુદ્ધ ને કહેરો, વળી વૅરો અને ઝેરો; અભાવે એહના હોવે, સુંદર એ ભાવના ભાવો. ૭ | કચેરી કોર્ટનું હોવું; અભાવે મત્રીના માનો; એમજ પરતંત્રતા બેડી, સુંદર એ ભાવના ભાવો. મહાવ્રત ને અણુવ્રતરૂપ, કમલ એ સૂર્યથી વિકસે; સામાયિક એહથી શોભે, સુંદર એ ભાવના ભાવો. llll કરો તપ જપ પડિકકમણું, સહિત એના સુખાકારી; મળે આતમ તણી લબ્ધિ, સુંદર એ ભાવના ભાવો. ૫ ૧૦ છે ( ૮ || પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૮૪ ૧ | ૨૭. પ્રમોદ ભાવના (ગઝલ). ગુણી ગુણગ્રાહી થઈ યારો, પ્રમોદ ભાવના દિલે ધારો; ભાવ એ શુદ્ધ છે સારો, સુંદર એ ભાવના ભાવો. ગુણી ગુણ જોઈ જો ખીજે, કદી અંતર ન તસ રીઝે; ગતિ નરકાદિકે સીઝે, સુંદર એ ભાવના ભાવો. અરે ! એ દિલ જાલિમનાં, સુખો ઇચ્છે ન આલિમનાં; બુરાં સાધન એ તાલિમનાં, સુંદર એ ભાવના ભાવો. માતા દ્રોહી પિતાદ્રોહી, ગુણી દ્રોહી વળી ભ્રાતા; નહી ત્યાં લેશ સુખશાતા, સુંદર એ ભાવના ભાવો. [૧૩૫] ૨ ૪ Page #139 -------------------------------------------------------------------------- ________________ || ૫ | ૬ . ૭ . સ્થિતિ એવી બધાંની જ્યાં, કહો કેમ બચ્ચાં સુધરે ત્યાં; વૃદ્ધ સુધરે લઘુ સુધરે, સુંદર એ ભાવના ભાવો. ગુણીના રાગે ગુણ પ્રાપ્તિ, વચન એ શાસ્ત્ર ફરમાવે; બનો તેથી ગુણગ્રાહી, સુંદર એ ભાવના ભાવો. ઈર્ષાળુ માનવી લોકે, પડે છે દુઃખના થોકે, કરે તપ જપ ક્રીયા ફોકે, સુંદર એ ભાવના ભાવો. બાળે તે દેહ પોતાનો, જાણે છે ગુણ અંતરના, ખાળે છે મોક્ષની લક્ષ્મી, સુંદર એ ભાવના ભાવો. વાળે છે પાપની નીકો, પોતાના ધર્મ નીક રોકી; અતઃ ઇર્ષા બળો બાળા, સુંદર એ ભાવના ભાવો. કલાકો કારમાં મૂકે, ગુણીપર ગુણથી બળતા; પડે દુઃખો પછી રડતા, સુંદર એ ભાવના ભાવો. ગુણોના રાગથી સ્વર્ગી, બન્યા કેઈ જીવ અપવર્ગી, પ્રમોદ ભાવે રહ્યા વળગી, સુંદર એ ભાવના ભાવો. આતમ કમલ સદા ખીલે, અગર એ ભાવના ઝીલે; સકલ લબ્ધિ તદા મિલે, સુંદર એ ભાવના ભાવો. | ૯ | ૧૦ ૧૧ છે ૧૨ ૫ પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૮૫ ૨૮. કારૂણ્ય-ભાવના - (ગઝલ) દયા દુઃખી તણી દિલમાં, ધરો તમે ધર્મના માટે; જવાશે મોક્ષની વાટે, સુંદર એ ભાવના ભાવો. દુઃખીને દુરથી દેખી, દિલાસો તેહને આપો; યથાશક્તિ દુઃખો કાપો, સુંદર એ ભાવના ભાવો. ૧ છે ૨ | [૧૩૬] Page #140 -------------------------------------------------------------------------- ________________ | ૪ | | ૬ દુઃખો દેખીને બીજાનાં, ન જેનું દિલ ઉભરાતું; કહો તે દિલ કે પત્થર, સુંદર એ ભાવના ભાવો. ૩ છે દયાની છાયામાં શીતલ, બને છે આતમા પ્યારો; દયા તેથી હદે ધારો, સુંદર એ ભાવના ભાવો. સિરિજિનરાજનું ફરમાન, જગતમાં જાગતું એ છે; બધા જીવોને જાળવજો, સુંદર એ ભાવના ભાવો. જગતના જે મતો દિસે, કળે છે તે દયા વિષે; આચરતું જૈનશાસન છે; સુંદર એ ભાવના ભાવો. એવું સુંદર લઈ શાસન, કરે અન્ય દુઃખ નહીં નાશન; યથાશક્તિ ન તે શોભન, સુંદર એ ભાવના ભાવો. દુઃખો ટાળે બીજાનાં જે, સુખો ભાળે જગતમાં તે; જેવું વાવે લણે તેવું, સુંદર એ ભાવના ભાવો. | ૮ | અમારા નામમાં જે છે, રહેલો જૈન તે શબ્દ; વગર એ ભાવના ફીકો, સુંદર એ ભાવના ભાવો. ( ૯ છે આતમ કમલ સદા વિકશે, હૃદય એ ભાવના નિકશે; મળે લબ્ધિ તદા પ્યારી, સુંદર એ ભાવના ભાવો. મે ૧૦ છે | ૭ પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. -૮૬ ૨૯. મધ્યસ્થ-ભાવના (ગઝલ) મધ્યસ્થ માનવી લોકે, વૃત્તિ વિપરીતતા દેખી; બીજાની નહીં કદી ખીજે, સુંદર એ ભાવના ભાવો. મધ્યસ્થ ભાવના સૂર્ય, હરે છે ટાઢ ને તડકો દહે મિથ્યાત્વ એ જડથી, સુંદર એ ભાવના ભાવો. ૧ છે ૨ છે [૧૩૭] Page #141 -------------------------------------------------------------------------- ________________ | ૩ | છે ૪ . I ૫ II I ૬ | સકલ કલ્યાણ શશ્યોની, થશે ઉત્પત્તિ એનાથી; કરમ કાદવ સવિ મટશે, સુન્દર એ ભાવના ભાવો. જિનેશ્વરધર્મની શ્રદ્ધા, સહિત એ ભાવના સારી; પહોંચાડે મુક્તિ તક યારો ! સુન્દર એ ભાવના ભાવો. મધ્યસ્થ ભાવના ભાવે, કદી સંતાપ નહીં થાવે, ચિત્ત નહીં કલેશમાં જાવે, સુંદર એ ભાવના ભાવો. નથી એ ભાવના જેમાં, દુઃખોનો પાર નહીં તેમાં; બીજાની બળતરા એમાં, સુંદર એ ભાવના ભાવો. ફલાણો આમ પાપી છે, ફલાણી તેણે રાખી છે; નહીં એમ દ્વેષથી કહેવું, સુંદર એ ભાવના ભાવો. કર્યું જેણે તે અનુભવશે, જરીક નિંદકને મળશે; પુરાણું પુણ્ય પણ ટળશે. સુંદર એ ભાવના ભાવો. જીવનનું ફળ સદા સેવો, મધ્યસ્થ ભાવના મેવો; સમય નહીં ફેર મળે એવો, સુંદર એ ભાવના ભાવો. સદા આતમ કમલ સૂરજ, અગર એ ભાવના પ્રગટે; સકલ વિનો તદા વિઘટે, સુંદર એ ભાવના ભાવો. ૭ | ૮ || | ૯ || ૧૦ મા પૂજા સ્તવનાદિ સંગ્રહ – પા. ૮૭ ૩૦ “જીવનનું એજ સાર્થક છે.” - (ગઝલ-૧) જનમ ધારીને માનવનો, ધરો ધુર ધ્યાન જિનવરનું; પરમપદ પામવા પ્યારો, જીવનનું એજ સાર્થક છે. જીત્યા છે રાગ ને રોષો, નસાડ્યા છે બધા દોષો; ભજો ભવદુઃખ દળવાને, જીવનનું એજ સાર્થક છે. | ૧ | ર [૧૩૮] Page #142 -------------------------------------------------------------------------- ________________ | ૮ | ભજનનો ભંગ કરનારી, ખરેખર જાણજો નારી; પ્રભુએ તે દીધી ટારી, જીવનનું એજ સાર્થક છે. | ૩ | જગતની કારમી માયા, પ્રભુ એમાં ન ભરમાયા; હરિહર બ્રહ્માની જેમ, જીવનનું એજ સાર્થક છે. ૪ | તારામાં સૂર્યના સરખા, સકલ દેવોમાં શ્રી જિનવર; જપો જિન રાગ રંગાવા, જીવનનું એજ સાર્થક છે. ૫ | વિકારના વારને વારી, નિજાતમ રૂપને ધારી; જગાવી જ્ઞાનની જ્યોતિ, જીવનનું એજ સાર્થક છે. ૬ છે કહે કોઈ દેવ સ્ત્રી રાખે, પરંતુ જ્ઞાન રસ ચાખે; એવા મિથ્યાત્વને મેટો, જીવનનું એજ સાર્થક છે. Il oll જેનામાં જ્ઞાનરસ વ્યાપ્યો, તેને છે સ્ત્રીની શી પરવા; ભજો એ ભાવના ભાવે, જીવનનું એજ સાર્થક છે. લીલા ધારી કરે લીલા, લાગ્યા જ્યાં કર્મના ખીલા; દેવત્વ ત્યાં નહીં સમજો, જીવનનું એજ સાર્થક છે. | ૯ | તેથી શ્રીજિન ક્રમ કમલે, બેઠો છે મારો મન ભમરો; મધુર મકરંદ પીવાને, જીવનનું એજ સાર્થક છે. ૫ ૧૦ છે હા હા ! મિથ્યાત્વ છે ખોટુ, જગત એમાં છે ભરમાણું; પ્રબોધો આત્મ લબ્ધિથી, જીવનનું એજ સાર્થક છે. પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૧૮૦ ૩૧. જીવનનું એજ સાર્થક છે. (ગઝલ-૨ ) ગુરૂ ગુણ જ્ઞાન ગંગામા સદાશ્યનાને શુચી થાજો; ગુરૂપદ પૂજજો પ્રીતે, જીવનનું એજ સાર્થક છે. • ૧ | ૧૧ [૧૩૯] Page #143 -------------------------------------------------------------------------- ________________ ન રાખે પાસ જે પૈસા, બીજાને બોજ નહીં જેનો; ના રાખે નારીની યારી, જીવનનું એજ સાર્થક છે. ૨ | ન કોઈ જીવને હણતા, નથી જાવું કદી ભણતા; ચોરીથી ચેતતા ચાલે, જીવનનું એજ સાર્થક છે. ૫ ૩ ૫ ગુર આધાર છે જેવો, બીજો આધાર નહીં એવો; સદા સુખ સગુરૂ સેવો, જીવનનું એજ સાર્થક છે. કે ૪ છે લેવાશે “ગુ' થકી અંધેર પ્રકાશી અર્થ છે રૂ' નો; પ્રકાશે અંધકારે એ, જીવનનું એ જ સાર્થ છે. | ૫ | ગુરૂ વિના જ્ઞાન નહીં આવે, દીપક વિણ ઘોર અંધારું; સદા સાચા ગુરૂ સેવો, જીવનનું એ જ સાર્થક છ. ૬ છે ગમે તેવા ગુરૂ ધારો, કહે છે એમ કોઈ પાર; કુતારૂ તેમ તે તજવા, જીવનનું એ જ સાર્થક છે. | ૭ | ગૂરૂ થઈ રાખતા ગાડી, વલી વાડી અને લાડી; એવાને નહીં ગુરૂ ગણવા, જીવનનું એજ સાર્થક છે. ૮ છે આહા ! શુભ ગુરૂ કરકમલે, અત્યંતર લક્ષ્મીનો વાસો; લુંટો એ લક્ષ્મીનો લાહો, જીવનનું એજ સાર્થક છે. જે ૯ છે જમાવી જાળ કુગુરૂએ, જગત એમાં ફસાણું છે; બચાવો આત્મ લબ્ધિથી, જીવનનું એ જ સાર્થક છે. ૧૦ પૂજા સ્તવનાદિ સંગ્રહ – પા. ૮૨ ૩૨. જીવનનું એજ સાર્થક છે. (ગઝલ-૩) ધંરમ ધન ધારજો ધીરો મુસીબત મોહની હરવા; ધરમધ્યાને રહો રાચી, જીવનનું એજ સાર્થક છે. જે ૧ | [૧૪] Page #144 -------------------------------------------------------------------------- ________________ છે ૭ સ્વર્ગ અપવર્ગને આપે, કરમના કષ્ટને કાપે; ઉંચે કુલે જનમ સ્થાપે, જીવનનું એજ સાર્થક છે. પ ર ા સાગરમાં સાહાધ્ય ડુબ્યાને, કરે છે અગ્નિમાં રક્ષા; બચાવે પહાડથી પડતાં, જીવનનું એજ સાર્થક છે. ૪ છે એનાથી કઈ ગયા સ્વર્ગે, ગયા વલી કેઈ અપવર્ગે; નરક તિર્યંચ ગતિ ટાલે, જીવનનું એજ સાર્થક છે. જે પ છે ધરમ સુરવૃક્ષ છે સાચો, સકલ દારિદ્ર દળવાને; અતિ સત્કારથી સેવો, જીવનનું એજ સાર્થક છે. ૫ ૬ છે અહિંસા મૂળ છે તેનું, સંયમ રૂપ સ્કંધ સુંદર છે; શાખા તપ તાપ હરવાને, જીવનનું એજ સાર્થક છે. જ્ઞાનાદિક ત્રિ કુસુમ જેનાં, મીઠું મુક્તિનું ફળ આપે; છાયા સંસારનાં સૌખ્યો, જીવનનું એજ સાર્થક છે. છે. ૮ જિનેશ્વર દેવે દર્શાવ્યો, એમાં આ જીવ લલચાયો; બીજાં પાખંડ પરિહરતો, જીવનનું એજ સાર્થક છે. એ ૯ છે વદે કઈ વેદીયા લોકો, ધરમ યાજ્ઞિક હિંસામાં; વચન તે સત્ય નવિ માનો, જીવનનું એજ સાર્થક છે. આ ૧૦ સુગંધી સૌખ્યની સારી, ધરમરૂપ પવમાં પ્યારો; ભજો વીતરાગની વાણી, જીવનનું એજ સાર્થક છે. જે ૧૧ | મહામિથ્યાત્વના મોહે અધર્મ ધર્મ કઇ માને; સુધારો આત્મ લબ્ધિથી, જીવનનું એજ સાર્થક છે. જે ૧૨ ની પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૮૩ ૩૩. જાગાર નિષેધક (ગઝલ) ન બાંધો પ્રેમ જાગટાથી, જાગટીઓ દુઃખ પામે છે. ન દેખે સૌખ્ય અંતરમાં, બધા ગુણો તે વામે છે. [૧૪૧] જે ૧ | Page #145 -------------------------------------------------------------------------- ________________ અનીતિ માર્ગમાં ચાલે, અતિ ઝગડા કરી મ્હાલે, અતિ દુષ્કર્મને પામી, સકલ ગુણ વર્ગને ખાળે. ગુમાવ્યું શ્રીનલે રાજ્ય, હતું જે જગ વિષે પ્રાજ્ય, જુગારે પાંડવે હારી, પોતાની દ્રૌપદી નારી. ઘણા જુગારીઆ જોયા, અન્ને બધું ખોઇને રોયા; મફતનો માલ ન પચવાનો, નક્કી અંતે ન બચવાનો. પછાડે ભૂવિષે પાશા, ને રાખે દ્રવ્યની આશા; નથી ત્યાં દ્રવ્ય મળવાનું, મળ્યે વિશેષ ટળવાનું. જુગારી જાનથી મારે, બીજાનાં બાળકો પ્યારે; ગ્રીવા મરડી ગ્રહે ભૂષણ, ખરેખર એ મહાદૂષણ. જાણી એમ છોડજો જુગટું, દુષણ એ છે મહા મોટું; આતમ કમલ વરે લબ્ધિ, લહે એ ત્યાગથી સિદ્ધિ. પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૮૮ ૩૪. “માંસ-નિષેધક’ (ગઝલ) ખાવું હાય ! માંસનું ખોટું, જગતમાં પાપ એ મોટું ! વેજીટેરિયન બનો વ્હાલો!,આહાર એ મનથકી ટાલો. વિના મારે બીજા જતું, કદી નહીં માંસ નિષ્પત્તિ; ક્ષણે ક્ષણ માંસમાં હોવે, બીજા જીવોની ઉત્પત્તિ. અરે ! એ માંસનું ખાવું, અને નરકે સીધા જાવું; નથી જ્યાં દુઃખનો આરો, નથી ત્યાં સુખનો ક્યારો. જેને હું ખાઉં છું તે તો, બીજા જન્મે મને ખાશે; કરી એ માંસ નિર્યુક્તિ, અરથ એ ચિત્તમાં ધારો. [૧૪૨] ॥ ૨ ॥ ॥ ૩ ॥ ॥ ૪ ॥ ॥ ૫ ॥ ॥ ૬ ॥ ૫ ૭ ૫ um ારા ul exu Page #146 -------------------------------------------------------------------------- ________________ ખાનારને થાય ક્ષણ તૃપ્તિ, બીજાનું જીવતર જાય; કરમ એ નીચ કરવાથી, નરંકમાં પાપી પસ્તાય. કહે કોઈ હું ન મારૂં છું, કસાઇને ત્યાંથી ધારૂં છું; તેને પણ હું તો વારૂં છું. અને એ કામ ધિક્કારૂં છું. ખાનારા હોય તો ઉઘડે, દુકાનો ભાઇ ! ઘાતકની; તેથી ખાનાર પણ ઘાતક, વિચારો વાત અંતરથી. લાગે જો પગ વિષે કાંટો, અરેરે ! ત્યાં કરી પડતો; બીજાને મારતો ત્યારે, શું દુઃખ તે કેમ વિસરતો. અમારૂં બળ વધે એથી, અમે કરીએ છીએ હિંસા; અરે એ યુકિત નહીં સાચી, કરો બળ હાથી મીમાંસા. શ્રેણિકે માંસના કારણ, નરકનું આઉખું બાંધ્યું; ગયા નરકે થયા દુઃખી, અગર સમ્યકત્વ પણ સાધ્યું. અગર આતમ ભલું ઇચ્છો, પ્રકાશો તો વિવેધ કજને; મેળવશો સવથા લબ્ધિ, ગ્રહી હાથે ધરમ ધ્વજન, પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. પા ॥ ૬ ॥ ॥ ૩ ॥ ૫ ૮ ।। ૫ ૯ ॥ ૫ ૧૦ ॥ ૩૫. દારુ-નિષેધક (ગઝલ) તજો દારૂ પીવો પ્યારો, ! દારૂ છે ધર્મનો નાશક; સકલ નીચ કર્મનો નેતા, અખિલ પાપોનો ઉપાસક ॥ ૧ ॥ ।। ૧૧ । પીએ છે દારૂને જ્યારે, મતિ નાશે સકલ ત્યારે; પડે બેહોશ રસ્તામાં, મુતરતા શ્વાન મ્હોઢામાં ।। ૨ ા ખરાબો દ્રવ્યનો થાય, વળી બુદ્ધિ બિગડ જાય; કરમ એ નીચ નહીં કરશો, બીજા હાથે કદી મરશો ॥ ૩ ॥ [૧૪૩] Page #147 -------------------------------------------------------------------------- ________________ નશામાં માતને જોઇ, કરે છે સ્ત્રીની સમ ચેષ્ટા; બકે છે જેમ મન ફાવે, ગમે તેવી મળે જયેષ્ટા ॥ ૪ ॥ પિતા માતા અને ભ્રાતા, તણો વિવેક નાશે છે; લવે લવરી ઘણી ત્યાં તો, બધા દુર્ગુણ પાસે છે. દારૂથી માંસ પણ ખાતાં, સીખે લેઇ પાપનાં ભાતાં; વેશ્યા પરનારીની સંગત, બધું એ દારૂનું અંગત. પૈસા આપી મૂરખ બનવું, કેવું એ કામ નઠારૂં છે ?; એથી ચેતી ચલો ચેતન !, પ્રવર્ત્તન એજ સારૂં છે. સડેલાં પાણી દારૂમાં, જીવોનો પાર નહીં દીસે; બધાં શાસ્ત્રો નિષેધે છે, કથી પાપો એના વિષે. યદુના કુલ સહિત કૃષ્ણ, થયો વૈરાન દારૂથી; તજો તેમ જાણીને દારૂ, કહ્યું ઓ ! માનીલો મારૂં. અગર આતમ ભલું કરવું, હશે તો છોડતાં થાશે; મળે વીતરાગના ધરમે, કરમ જડ મૂળથી જાશે. પૂજા–સ્તવનાદિ સંગ્રહ - પા. ૯૦ ૩૬. “વેશ્યા-નિષેધક” (ગઝલ) ન જોવું મુખ પણ સારૂં, જગતમાં વારનારીનું; બધું વંઠેલ છે વર્ઝન, ધરમની ખાસ કટારીનું ન છોડે ઢેડને ભંગી, રાખે વૃત્તિ વિવિધ રંગી; કોઢીના સંગમાં રાચે, સદા તે દ્રવ્યમાં માચે એહથી રોગને ઝેલી, બીજામાં જે મૂકે ઠેલી; તજી દો દુષ્ટ તે નારી, જગત્માં જે કરે ખ્વારી [૧૪૪] ॥ ૫ ॥ ॥ ૬ ॥ ॥ ૩ ॥ ।। ૮ । ॥ ૯ ॥ ૫ ૧૦ ॥ । ૧ ।। ॥ ૨ ॥ ॥ ૩ ॥ Page #148 -------------------------------------------------------------------------- ________________ વેશ્યાના પાસમાં પડતાં, જરા લો એમ વિચારી; ગતિ હાય ! શી થશે મારી ? એવું પાપની ક્યારી છે ૪ | નીચ જાતિ બધી થુંકે, જેમાં એ જોઇને પ્યાલો; ધૃણાથી થુંકતાં અટકો વેશ્યા તન કેમ લગે હાલો ૫ ૫ | વેશ્યાના રંગમાં રસીયા, ગતિ નરકાદિકે ફરીયા; દુઃખોમાં હાય! ત્યાં વસીયા, જરા નહીં ત્યાંથી છે ખસીયા કરમ બદલો પર પાણી અને નીચ ગોત્રને વામી; પૂરણ પુજે જો નિકળશે, અને જિનધર્મને ધરશે છે ૭ | તદા તસ મુક્તિ ભ મળશે, અને દુખડાં બધાં ટળશે; કદી જો વ્યવસને મળશે, ફરી નરકે જઈ ઠરશે કે ૮ છે ચચો કૃત પુણ્ય ઉછરંગે, ગયું ધન એહના સંગે; કાઢી મૂક્યો તદા ઘરથી, અને દુઃખી થયો ડરથી કહે લબ્ધિ સુખી થાશે, પડ્યા ન જે એહના પાસે; વેશ્યાની વાસના ત્યાગો અગર જો સુખડાં માગો છે ૧૦ છે || ૯ | પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૯૧ ૩૭. “શિકાર-નિષેધક” ગઝલ શિકારી સર્વથી ભુંડો, ધરે શિર પાપનો ઝંડો; જીભના સુખને માટે, બિચારા જીવને કાટે ૫ ૧ | પોતાનાં છોકરાં સાથે, લડે તો મારવા ઉઠે; પડે છે પ્રાણ હરવાને, બીજાનાં છોકરાં પૂઠે છે છે અરે ! તે દિલ થાયાં પત્થર તરફતાં પ્રાણી જે મારે ચૂકી તે ધર્મ સ્વસ્વ, રૂપાળી જીંદગી હારે | ૩ | [૧૪૫ Page #149 -------------------------------------------------------------------------- ________________ | હું મા પડી પરમાદમાં પાગલ, માને એ કામને રૂડું જ્યારે દુઃખ દાવથી બળશે, ત્યારે તે લાગશે ભુંડું. છે ૪ બીજાને દુઃખ નહીં આપો, દુઃખીની આહ નહીં સારી, મરેલા ઢોરની ચામડી, કરે છે લોહની ખ્યારી. | ૫ | રાજા દશરથની સ્થિતિ, દેખો શિકારથી શી થઈ ? વિયોગે રામના તનથી, એકિલી જાન ચાલી ગઈ. શિકારી રાજ દરબારી, શીકારી કોળી ને નાળી; જશે નરકે ભૂખે મરશે, ભડકશે દુઃખડાં ભાળી. ! ૭ | ચેતો તો અહીંથી ચેતો, પછી પૂંઠે પડે બેંતો; રડે કંઈ કામ નહીં આવે, બળદ થઈ ખેડશો ખેતો. ૮ છે ચાહો જો જીવ ઉદ્ધરવો, નહીં શિકાર તો કરવો; કટુક એ પાપનો મરવો, તેથી એ ઉગતો હરવો. ૯ છે પૂજા સ્તવનાદિ સંગ્રહ – પા. ૯૨ ૩૮. “ચોરી નિષેધક; (ગઝલ) કરો નહીં કોઈ ભાઈ! ચોરી, ચોરીથી સારું નહીં થાશે; કરેલું પાછલું ભેગું, મળી એ માલમાં નાશે. ચોરીના રંગમાં પડિયા, તેના પગ લોહથી જડિયા; અંધેરી કોટડીમાં જઈ, મહામહેનત ઉપર ચડિયા. ચોરને ચૌગુણી ચિંતા, રહે નિશદિન અંતરમાં; જરા પણ સુખ નહીં એમાં, રહે ચિત્ત નિત્ય દુઃખોમાં. મફતનો માલ ખાવાથી, તમારા દિલને વારો; નથી તે માલ પચવાનો, સમજજો કાચો તે પારો. ૨ ૩ | ૪ છે [૧૪] - Page #150 -------------------------------------------------------------------------- ________________ I . | ૮ | કરી ચોરી ચઢયા શૂળી, એમ શ્રી શાસ્ત્ર ફરમાવે; તજો ચોરી તણો ધંધો, જેથી જીવ સદ્ગતિ જાવે. યદિ નહીં અહીં પકડાવે, તદા પરલોકમાં પાવે; પોતાના પાપનો બદલો, શ્રી શાસ્ત્ર એમ ફરમાવે. ગમે તેવી ચોરી કરતા, પરંતુ ભૂખથી મરતા; દિસે છે એવા કંઈ ચોરી, જુઓ એ પાપનો પહોરો. આતમ કમલ પ્રફુલે છે, ચોરી જો મનથી ભૂલે છે; કરે છે લબ્ધિથી દાવો, ચોરીથી દૂર કરી ભાવો. પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૯૩ ૩૯. “પરસ્ત્રી-નિષેધક;” (ગઝલ) ન હાલો મન થકી હાલો ! બીજાની જોઇને નારી; નરકનાં દુઃખ દેનારી, આશકના પ્રાણ લેનારી. કુટિલા ઝહેર દેનારી, આશકના પ્રાણ લેનારી; અનેકરૂપો ભજવનારી, નરક નિગોદની બારી. રડે છે ને હશે છે એ, પોતાનું કાર્ય કરવાને, કરે વિશ્વાસુ છે તમને, તમારું દ્રવ્ય હરવાને. નથી વિશ્વાસ તે કરતી, સમસ્ત દુઃખ તરૂ ધરતી; ઉપરથી પ્રેમ દિખલાતી, ચિત્તથી ચાકડે ચડતી. સકલ ધન ધાન્યને હારી, જીવન નીચ શ્વાના સમ ધારી; પરાઇ નારના ભોગી, થયા કઈ કારમા રોગી. બુરી નારી મહા નાગણ, તન મન ધન હરે બિન ફણ; હસતી કરડતી એવું, ભવોભવ ઝેર પડે સહેવું. છે ૧ | ( ૨ ના ૩ | ૪ ા | ૫ | | ૬ | [૧૪૭] Page #151 -------------------------------------------------------------------------- ________________ | ૭ | નદી સમ નીચ થઈ ચાલે, તરંગો મોહ ઉછાળે; ઉભય કુલ સ કરનારી, તજો હા ! પારકી નારી. રાવણે શ્રી સીતા હરિયાં, મહા દુઃખ તેહથી ધરિયાં; લક્ષ્મણના હાથથી, મરિયો, ગતિ નરકે તે સંચરિયો. પરી ભોગનાં પાપો, મહાશાસો કહ્યાં કાપો; આતમ શક્તિ વધે એથી, મળે શિવ સંપદા તેથી. | ૮ || . ૯ પૂજા સ્તવનાદિ સંગ્રહ - પા. ૯૪ ૪૦. વૈરાગ્ય બોધક (ગઝલ - ૧૫) બની મિટ્ટીકી સબ બાજી; ઉસમેં હોત કયોં રાજી. એ અંચલી મિટ્ટીકા હૈ શરીર તેરા, મિટ્ટીકા કપડાં પહેરા; મિટ્ટીકા હેલ રહા છાજી, ઉસી મેં હોત ક્યોં રાજી. પ બની. ૧ | ઘરેણા મિટ્ટીકા તેરા હૈ, મિટ્ટીકા પલંગ પ્યારા; તેરા મિટ્ટીકા હૈ વાજી. ઉસીએ. એ બની. ૨ | જગતમેં વસ્તુ હૈ જો જો, મિટ્ટીમેં સબ મિલે વો વો, ઇસીમેં ક્યોં બના પાજી, ઉસીમેં. એ બની. ૩ છે દશા નિજ આત્મકી શોધો, જગત માયાસે મન રોધો, યહી એક બાત હૈ તાજી, ઉસી. બની. ૪ છે કહે લબ્ધિ સદા સેવો, જિનાધિરાજ શુધ્ધ દેવો, બનો શિવ સુખકે ભાજી, ઉસીમેં. જે બની. ૫ છે પૂજા સ્તવનાદિ સંગ્રહ – પા. ૯૫ [૧૪૮] Page #152 -------------------------------------------------------------------------- ________________ ૪૧. વૈરાગ્ય કારક સઝાય. રેખતા છે તનિક તું સોચ લે ચેતન ! નહીં દમકા ઠિકાના હૈ; ટુટત હૈ એક પલ બિચમેં, જાડા વો નહીં કીસીસે હૈ. . ટેક છે બસેરા ચાર રોજોંકા, બના તેરા હૈ ઇસ જાં પર, જરા તું બંદગી કરલે, પ્રભુકી વો ખરા દિલવર. તનિક | ૧ સતારા તેજ તેરા હો, અગર તું બંદગી કરલે; અકારજ જીંદગી નો મત, જહાં ઈસ નામસે તરલે. . તનિક | ૨ | આતા હૈ ઔર પુનર જાતા, ઐસા હૈ શ્વાસકા નાતા, પતા નહીં હૈ હમેં ઇસકા, છિનકને છેહ બતલાતા. તનિક | ૩ | વખત જો હાથસે જાતા; નહિ વો લૌટ આતા હૈ, સમજ કર તાકતેં સઘરી, ધરમમેં જો લગાતા હૈ. તનિક છે જ છે ઉસીકાહી જીના યારો, સમજ લો હૈ સફલ પ્યારો, અગર શિવ “લબ્ધિ” કી આશા, રખો તો ધર્મ ધન ધારો. . તનિક પા પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૭૨ ૪૨. કલશ (રેખતા) આજ જિનરાજ ગુણ ગાયા, માનું અમૃત ઘટ પાયા; કરી અજરામર આયા, લહેંગે શીધ્ર શિવ છાયા. છે આજ. ૧ છે પૂજન કર અષ્ટ દ્રવ્યોસે, મિલાઈ અષ્ટ સિદ્ધિ હૈ; કરમ કે ફંદકો તોડી, ધરી નિજ આત્મ ઋદ્ધિ હૈ. છે આજ. . ર ા દ્રવ્ય ઔર ભાવસે પૂજો, ઇન્હસે સ્થાન નહીં દૂજો; હીરા પન્ના નિલમ પુખરાજ, ચઢાકર નાથકો પૂ. છે આજ. . ૩ [૧૪૯] - - Page #153 -------------------------------------------------------------------------- ________________ સદાચાર ભાવ શુચિકર, જિનંદ પૂજી મહાવ્રત ધર; વરો શિવ સંપદા સુખકર, અતિ નીચ અષ્ટ કર્યો હર. ॥ આજ. ૫ ૪ ૫ વિજયાનંદ સૂરિ રાયા, અતિ ગુણવાન ગુણી ગાયા; અતિ ઉપકાર જગ કરકે, અમરપુરીમેં હૈ ઠાયા. ૫ આજ. ૫ ૫ ૫ ઉનો પટ્ટકે સ્વામી, સૂરિકમલ હૈ ગુણધામી; દયાલુ દેશ હિત કર્તા, ગુરૂ મેરે હૈ નિષ્કામી. ૫ આજ. ॥ ૬ ॥ રાધનપુરમેં રહી ચઉમાસ, ઉન્નીસો એંસી માગસર માસ; બનાકર સંઘકો દેકર, પ્રતિકારે ધરૂં શિવ આસ. ॥ આજ. ૫ ૭ u પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૧૪૩ શ્રી અક્ષયનિધિ તપનું સ્તવન. (રાગ-પદમ પ્રભુ પ્રાણસે પ્યારા.) અક્ષયનિધિ શ્રેષ્ઠ તપ પ્યારા,સેવો વધે ભાવની ધારા. (અંચલી) પર્યુષણ પર્વ સુખકારી, અક્ષયનિધિ તપના દ્વારા, આરાધો ભાવે શિવકારા, દેખાડે મોક્ષના દ્વારા. શ્રાવણ વદી ચોથથી જાણો, સંવત્સરી કાલ પરિમાણો, પરમ પદ અક્ષયા ધારા, મળે શિવ લક્ષ્મી સુખભારા. પૂજા વર જ્ઞાનની કીજે, શ્રુત કાઉસગ્ગ ચિત્ત દિજે, રચો કુંભ શક્તિ અનુસારા, કરો સ્વસ્તિકે મનોહારા. નમો નાણસ્સનું ગણણું, ગણો ભવી દો સહસ વારા, વર્ષ એમ ચાર તક કરજો, થવા ભવી ભવથકી પારા. . અક્ષય. ૧ અક્ષય. ૨ અક્ષય. ૩. કરમ બંધ જેહ મત્સરથી, થયો તે જાસે એ તપથી, કરી મહોચ્છવ અતિ સારા, પારણ દિન ઉજવો પ્યારા. અક્ષય. ૫. [૧૫૦] અક્ષય. ૪, Page #154 -------------------------------------------------------------------------- ________________ આતમ-કમલ હિતકારા. તપો એ તપ કરમ વારા, નિધિ નવ લબ્ધિ આધારા, થશે જીવ કર્મથી ન્યારા. અક્ષય. ૬. નૂતન સ્તવનાવલી - પા. ૧૭૩ “૧. શ્રીચન્દ્રપ્રભજિન-સ્તવનમ્” (ગઝલ) જિન ચન્દ્રપ્રભ વન્દ, નિત્તકર્માવલીકદમ; કલેકહીનશાનયોસ્નાભિ, - નિરસ્તપૂર્ણિમાન્દ્રમ્ ૧ ૧ છે વિદર્શાવઘવિસ્તાર, કૃતાખિલભવ્યનિસ્તારમ; સમસ્તદેવતાસાર, સપૂર્ણાત્મિકગુણાધારમ્ | ૨ | કશ્ચિદ્ધોધી કશ્ચિન્માની, કશ્ચિદ્ માથી કશ્ચિલ્લોભી; વિધ્વસ્તરાગદ્વેષોડસિ, હ્યતસ્તવું તેભ્યઃ સુશોભી ને ૩ છે અને હોડન-તમભ્રામ્ય, સોઢ મહાકષ્ટમપામ્યમ્; અદાકર્મણાડતું હા! વિના પ્રભો ! વચ્ચરણશરણમ્ | ૪ દેહિ શરણે નિરાધાર, મજૉ મામકૂપારે; ભયંકરસંકૃતિપ્રખે, નિહિત ચિત્ત ત્વદાધારે છે ૫ છે આચાર્યેઃ શ્રીવિજયકમલૈઃ સમ્યકત્વ ચાર્ષિત મહ્યમ તતો લબ્ધિરાય નમતિ, સદા શુભભાવત સ્તુભ્યમ્ | ૬ | પૂજા સ્તવનાદિ સંગ્રહ – પા. ૨૧ ભાવાર્થ કર્મની શ્રેણીઓના મૂળને જેણે છેદી નાખ્યું છે, કલંકરહતિ એવી જ્ઞાનની કાંતિ વડે હરાવ્યો છે પૂર્ણિમાનો ચંદ્ર જેણે, પાપના વિસ્તારનો પણ નાશ કર્યો છે, બધા ભવ્યોનો જેણે વિસ્તાર (ઉધ્ધારો કર્યો છે, સમસ્ત દેવાતાઓ જે શ્રેષ્ઠ છે, સંપૂર્ણ આત્મિક ગુણોનો જે આધાર છે, તેવા [૧૫૧] Page #155 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રપ્રભુ ભગવાનને હું વંદુ છું. ૫૧-૨૫ કોઇ ક્રોધી છે, કોઇ માની છે, કોઇ માયાવી છે, તો કોઇ લોભી છે, કર્યા છે રાગ દ્વેષ નાશ એવો તું છે. તે જ કારણથી તેઓ કરતાં સારી રીતે શોભે છે. ગા હે પ્રભુ ! તારા ચરણના શરણના શરણ વિના ભમ્યો, માફ ન થઇ શકે તેવા મહાન કષ્ટોને સહ્યાં. હે પ્રભુ ! તારા ચરણના શરણ વિના કર્મો વડે બળી રહ્યો છું. જા ભયંકર સંસારરૂપી કુવામાં ડૂબતા એવા અને તારા આધારને વિશે સ્થાપ્યું છે ચિત્ત એવા નિરાધાર મને તું શરણ આપ. ાપા શ્રી વિજયકમલ આચાર્ય વડે મને સમકિત અપાયું તે કારણથી શુભભાવથી તને હંમેશાં આ લબ્ધિ નમે છે. દા “શ્રી પાર્શ્વનાથજિન-સ્તવનમ્” (ગઝલ) સેવેડ ં સજ્જનાનન્દૂ,જગજ્જલમજ્જનાભીતઃ વામાયા નન્દનં ભુજગ, ઇન્દ્રપદવી યતો નીતઃ ॥ ૧ ॥ પ્રભો ! નાન્તસ્ય લબ્ધાડહં, ગુણાનાં તાવકીનાનામ્; દયાળો ! દુર્ગુણાનાં હા !, તથૈવ મામકીનાનામ્; ॥ ૨ ॥ કુરુ ત્વાદગુણાધાર નિજં દીનસેવર્ક સ્વામિન્ !; દદસ્વ માં મહાલક્ષ્મીં, શ્રીમોક્ષસ્થાં શિવંગામિન્ ! ॥ ૩ ॥ કૈવલ્યપ્રાપ્તિતઃ સ્વસ્મિ-નંદાને માદશો જન્તો; પ્રસન્નો ભો ! ભવેશ્વેત્ ત્વ, તદા તે નાથ! નૌચિત્યમ્ ॥ ૪ ॥ સમીહે પંકજઃ સૂર્ય, યથા ત્વામિચ્છતિ લોકે, પ્રકાશાયાત્મલબ્ધર્મે, પતિતોડહં ચરણસ્તોમે LL ૫ પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૨૨ [૧૫૨] LL Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન ભાવાર્થ (૧) સજ્જનોને આનંદ આપનારા સર્પને જેણે ઇંદ્રની પદવી અપાવી એવા વામાનંદન (પાર્શ્વનાથ) જગતરૂપી જલમાં ડુબવાથી ભય પામેલો એવો હું તમારી સેવા કરું છું. (ભક્તિ-ઉપાસના). (૨) હે પ્રભુ! તારા ગુણોના અંતને હું પામ્યો નથી. હે દયાળુ! તેજ પ્રમાણે મારા દુર્ગુણોના અંતને પણ પામ્યો નથી. (૩) હે સ્વામી ! તારા દીન સેવકને તારા જેવા ગુણધારી બનાવ. હે શિવગામી પ્રભુ! મોલમાં રહેતી મહાલક્ષ્મી મને આપ. (૪) પોતાનામાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી મારા જેવા પ્રાણીને નહિ આપવામાં તું જો પ્રસન્ન હોય તો હે નાથ ! તે ઉચિત નથી. (૫) કમલ જેમ સૂર્યને ઇચ્છે છે તેમ લોકને વિશે હું તને ઇચ્છું છું. મારી આત્મલબ્ધિને પ્રકાશ કર. તારા ચરણોએ હું પડ્યો છું. “શ્રી મહાવીરજિન-સ્તવનમ્” (ગઝલ) પ્રભોડહં દીનતાધારી, સમાયાતશ્ચરાયોસ્ત; જન્મમૃત્યુનિ લગ્નાનિ, રક્ષાંસિ નાથ ! પૃષ્ઠ મે. ૧ મોચય માં મોચકોડસિ ત્વ, અદ્રાક્ષ નૈવ ત્વત્તોડ મ્; સકલગુણશાલિન દેવ, સુરેશ્વરકૃતપદસેવમ્ છે ર છે તારિતો હિંસકો થોડભૂત, ત્વયાડત્યર્જુનમાલી સર; તથા ચડકૌશિકોડપિ સઃ દર્દશ યો ભવરણમ્ . ૩ ઈન્દ્રજાલિકમિત્યાખ્યાં, લલૌ યસ્તવ મહામાની; ઉદ ગૌતમોપિ સર, ત્વયા સ્વામિન્ ! કૃપાલુના છે ૪ છે [૧૫૩] Page #157 -------------------------------------------------------------------------- ________________ અહં તવ રાગરકતોડસ્મિ, ઉપેક્ષસે માં કર્થ નાથ !; અનાથો દીનનાથાય, જનતાર્યઃ કૃપામ્ભોધે! છે ૫ છે વસતી તે ચરણકમલે, માયા લબ્ધિઃ શ્રુતા સર્વા; શ્રિત ચેત્ત્વ ન ઉદ્ધરસિ, તદા મહતી ક્ષતિસ્તે સ્યાત્ છે ૬ છે પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૨૩ ભાવાર્થ : હે પ્રભુ દીનતાને ધારણ કરનાર હું તારા ચરણોમાં આવ્યો છું. હે નાથ મારી પાછળ જન્મમરણ લાગ્યાં છે તેનું તું રક્ષણ કર. દવા જન્મ મરણથી તું મૂકાવનાર છે, મને તું મુકાવ. સકલ ગુણોથી શોભતા અને ઇંદ્રએ કરી છે ચરણ સેવા એવા તારા વિના બીજા દેવને મેં જોયા નથી. મારા હિંસક હતો તે અર્જુનમાળી તારા વડે ભવપાર ઉતારાયો. વળી જે આપણા ચરણે ડસ્યો તે ચંડકૌશિક પણ તારા વડે ભવમુક્ત કરાવાયો. ૩ જેણે તને ઇંદ્ર જાલિક એવું નામ આપ્યું તે મહામાની ગૌતમ પણ, હે સ્વામી, કૃપાળુ એવા તારા વડે ઉધ્ધરાયો. રાજા હું તારા રાગમાં રક્ત છું, હે નાથ મારી ઉપેક્ષા કેમ કરે છે. ! હે કૃપા સાગર ! હે દીનાનાથ ! આ અનાથ જનને તાર. પાપા તારા ચરણકમળમાં વસતી સર્વ લબ્ધિઓ મારા વડે સંભળાય, જો તું આશ્રિતને ન ઉધ્ધરે તો તારી મોટી ક્ષતિ થાય. દા [૧૫૪] Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧. આગમ પ્રભાકર પુણ્યવિજયજી (સં. ૧૯૫૨ થી ૨૦૨૭) નવાંગી ટીકાકાર અભયદેવસૂરિનાં પુનિત પાદ સ્પર્શથી અલંકૃત પં.શ્રી મણિવિજયજી દાદા અને આગમોધ્ધારક આનંદ સાગરજીની જન્મભૂમિ કપડવણજ નગરી નું રત્ન, મુનિ પુણ્યવિજયજી. તપ, ત્યાગ અને વૈરાગ્ય ભૂમિ કપડવણજમાં સંવત ૧૯૫૨માં જન્મ સંસારી નામ મણિભાઇ. માતા મણિબહેન અને પિતા ડાહ્યાભાઇ. કુટુંબના ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત કરી પ્રતિ દિન વૃધ્ધિ કરી. અનેક આપત્તિઓમાંથી પસાર થઇ જીવન વીતાવ્યું પિતાશ્રીના અવસાનથી ઉપાધિમાં વધારો થયો. સંસ્કારોની પ્રબળતાથી માતા-પુત્ર બન્ને જણનો એકજ માર્ગ “સંયમ જીવન” ૧૪ વર્ષની વયે ચતુરવિજયજી પાસે છાણીમાં દીક્ષા મણિલાલ સાધુ વેશમાં પુણ્યવિજયજી બન્યા માતા મણિબહેન પાલીતાણામાં ચારિત્ર સ્વીકારી રત્નાશ્રીજી સાધ્વી થયાં પ્રવર્તક મુનિ કાંતિવિજય અને [૧૫૫] Page #159 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી પાસે શાસ્ત્રાભ્યાસ. જ્ઞાન પિપાસા વધુ પ્રબળ થતાં આગમનો અભ્યાસ અને સંશોધન કાર્ય પરિણામે પામ્યા બિરૂદ “આગમ પ્રભાકર”. જૈનધર્મ અને ભારતીય સંસ્કૃતિના ભોજજ્વલ વારસાને પ્રકાશમાં લાવી શ્રુતજ્ઞાનની ક્ષિતિજ વિસ્તારી, અભિનવ માર્ગ ચીંધ્યો. એમની જ્ઞાનભક્તિ અને સંશોધન પ્રવૃત્તિ અનુમોદના પાત્ર ને અનુકરણીય બની. એમની કર્તવ્યપરાયણતા સૌ કોઇને નતમસ્તક કરી પૂજ્યભાવ પ્રગટાવે છે. જીવનના અંતિમ વરસે મુંબઈમાં હરસ-મસા ને પ્રોસ્ટેટની પીડા. સાધુઓ અને શ્રાવકોની દષ્ટાંતરૂપ વૈયાવચ્ચ ભક્તિ. જીવનની અંતિમ ક્ષણ આવી. સંવત ૨૦૨૭ના જેઠ વદ ૬ રાત્રિના ૮-૧૦ કલાકે સથારા પોરસી ભણી કરી કાયમ માટે સંથારો કર્યો. એમનો પાર્થિવ દેહ નથી પણ એમની શ્રુતજ્ઞાન સેવાથી અમર છે આગમનું સંશોધન, અનુવાદ, હસ્તપ્રતોનું સંશોધન-વ્યવસ્થાથી આજે પણ પુણ્યવિજયજીનું [૧૫] Page #160 -------------------------------------------------------------------------- ________________ પુણ્યસ્મરણ પુણ્યાત્માઓ માટે પ્રેરક છે. - ધન્ય હો ! ધન્ય હો ! પુણ્યવિજયજી. અમોને દિશા સૂચન કરીને શ્રુતજ્ઞાનના કાર્યોમાં નિમિત્તરૂપ બન્યા. આવા હતા મુનિ શ્રી પુણ્યવિજયજી સ્વનામ ધન્ય સજ્જન. મૂર્ધન્ય આગમ પ્રભાકર. અખંડ શ્રુતજ્ઞાનોપાસક મુનિ પુણ્યવિજયજી એટલે જિનશાસન અને જૈન સાહિત્યના ઇતિહાસનું એક સુવર્ણપ્રકરણ. કોટિ કોટિ વંદન હો એ રત્નત્રયીના આરાધકશ્રીને જ્ઞાનોપાસનાના ધુરંધર મહામુનિને. ગુરૂ મહારાજજીના અવસાનનું પદ મુનિ ગુણે મહદ્ આત્મા, શાંત્તાત્મા અસ્ત શું થઈ ગયા. દાદા ગુરૂ અમારા શું, અમોને છે કે ભૂલી ગયા અમોને લાડમાં લાલી પઢાવ્યા પુત્રવત્ પાળી. અચાનક શું ગયા ચાલી, અમોને છેક ભૂલી ગયા. હતા માણસ હજારો ત્યાં, પળાં સુવાની બજારોમાં સંકોચન પડત અમ હોતા અમોને. આખર બાજી સુધારીને, શાસન શોભા વધારીને, શિબિકામાં પધારીને દાદા ગુરૂ, અસ્ત શું થઈ ગયા. હજારો મેદની જામી, મલી ગુરૂ ભક્તિની કાજે - વીરહ અમોને થયો આજે દાદા ગુરૂ. [૧૧૭] ૧ાા પર ૩ ૪ . પાપા Page #161 -------------------------------------------------------------------------- ________________ સમાધિમાં લહી શરણાં, કરી બહુકર્મ નિર્જરણાં. તોડી કેઇ જન્મને મરણાં દાદા ગુરૂ. નમણ વેલા એક ન બિંદુ નકામું ભોંય પર પડીયું અરિજ આપનું જડીયું દાદા ગુરૂ. માથાના વાળ પણ કોઇને ન પુરા ભાગમાં આવ્યા. એવા ભક્તો હજારોમાં દાદા ગુરૂ. ચીતાની ભસ્મ સૌ લેતા છેવટ ખાડો પડચો ભારી. કેઇને ભાગ પણ નાવી દાદા ગુરૂ. પળાં સ્વારાજાને રાણી કુંવર લીએ છબી તાણી માનતાઓ ઘણી માની દાદા ગુરૂ. શિબિકામાં સોવન સરખી સુશોભીત સુરત નીરખીને વંદન જન વૃંદ હરખીને દાદા ગુરૂ. આડી અસર કારભારીએ, પુનઃ શિબિકા ધરી બંધે ગુરૂભક્તિ કરી રંગે દાદા ગુરૂ. સેકડો ધાન્યની કળશી, હજારો કોરીઓ વ૨સી હજારો ગુરૂચરણ ફરસી દાદા ગુરૂ. કરી જીત કર્મની ભારી, કરાંબુજ ધર્મધ્વજ ધારી ક્રિયા શુધ્ધ પાત્રતા ધારી દાદ ગુરૂ. ગુરૂ જીતવિજયજી દાદા સ્વર્ગમાં જીવજો ઝાઝા કરી સહુ ધર્મના કામો દાદા ગુરૂ. પંચમ કલી કાલને આજે પ્રતાપી સૂર્ય આથમતે પડીખોટ જૈનને ભારે દાદા ગુરૂ. પ્રતાપી પૂજ્ય રત્નોથી જગતમાં ધર્મ રહે જાગૃત કલીના દર્પના ટાલક દાદા ગુરૂ. [૧૫૮] પ્રકા શા "ટા ઘણા ૫૧૦ા ૫૧૧૫૫ ૫૧૨ ૫૧ાા ૫૧૪ા શા૧પાા ૫૧દાા ૫૧૭ગા Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આશિષ્યો આપનાબને બુધ્ધિતિલક વિજય નામે ચાર્તુમાસ છેટાણાગામે નગર હૃદયે ગુરૂ રહિ ગયા ઓગણીસે અગણ્યાસીવરસે અષાઢ વદી ૬ ના દિવસે પ્રાતા. સમય કરી અણસણ દાદા ગુરૂ. પ્રાચીન સ્તવનાદિ પા. ૩૫૪ ૧લા શ્રી જિતવિજયજી મહારાજજીના અવસાન વખતે બોલાયેલી કવાલી વિધિના વાયરા વાયા શીતળ આવી ખરી છાયા ગમાયા હાથમાં આવ્યા અરે એ ક્યાં ગયા ઉડી. ૧ાા કારી ઘા કાળનો લાગ્યો ભેદીને ભાગમાં વાગ્યો. ઉત્તમ આ આત્મા ભાગ્યો, કાળે ન કોઈને છોડડ્યા. પરા ધીંગો એ ધર્મનો ઘોરી, મૂકી અંતે થયો મોહોરિ, સદાના સંગને છોરી મહદ એ આત્મા મોટો. ૩ાા મહાદુઃખ આ થયું માથે ગમાયો હિરલો હાથે, નિર્માવ્યું તે વિધિ નાથે ભાવિનો ભાવ ભજવાયો. ૪ બલ્યુ આ ક્યાં ગયો બેલી મુંઝાતા સંઘને મેલી, જડેલા જો ગને ઠેલી ગુણીએ ક્યાંહિ થાયા. પાા જિત વિજય ગયા જિતિ સદા શું સંતની રિતિ; પુરણ સૌ લોકમાં પ્રીતિ જગતમાં જાગતો જોગી. દા ગુણો જગ આપના જાગે અરે આ શું કર્યું આજેઃ એવું તે આમ શું છાજે ગુણીને કયાં હવે શોધું. હા ગુણો જ્યાં આપના ગાવું સખેદિ સાંભળી થાવું? પરમ જન ક્યાં હવે પાવું મહાત્મા ક્યાં હવે મલશે ૧૮ [૧૫૯] Page #163 -------------------------------------------------------------------------- ________________ મુનિ ગણામાં થયા મોટા જડે ન આપના ઝોટા તમો વિણ આ તકે તોટા ગયા ક્યાં ગુણથી ગિફવા પહેલા વાલા અમ જોગમાં વાલી, પઢાવ્યા પુત્રવત પાલી જયાં તુમ જગત આ ખાલી જોવું ક્યાં તે હવે જડશે ૧૦ના હતા માણસ હજારો જયાં પળાં સુવાની બજારોમાં શોકાતુર સૌ બન્યા છે ત્યાં જોગી અબ ન જડે એવો ૧૧ છે લી બીજી સુધારીને શાસન શોભા વધારીને મનુષ્યના મુખ ઉતારીને અચાનક શું ગયા ચાલી ૧૨ મનુષ્ય મેદની ગાજે, મલ્યા સૌ ભક્તિના કાજે વિયોગી તે બન્યા આજે, વાલાના વિરહની વાતો ૧૩ સમાધિ એ લહિ સરણાં કયાં બહુકર્મ નિર્જ રણ મીટાવ્યાં જન્મ ને મરણાં થયું આ કામ એ ફરે ૧૪ નમણનું એક પણ બિંદુ નકામું ભોંય ન પડિવું, અચરિજ એહ ત્યાં જડીયું ગુણીના ગુણની વાતો. ૧પના માથાના વાળ મુડાવ્યા લોક સૌ લેવે લોભાયા, ભવિને ભાગ ન આવ્યા ભવિની ભાવના ભારે. ૧૬ ચિતાની ભસ્મને ચાહતા. મનુષ્યો મોકળા જાતા, હૈયે સૌ લેઈ હરખાતા, ભક્તિથી લઈ સૌ હાથે. ૧૭ શિબિકામાં સોહે સારી, મુનિશ્વર મુરતિ ભારિ, નમે ત્યાં નેહે નરનારી ભક્તજન ભક્તિ ન ભુલે. ૧૮ રોકાયા રાયને રાણી છેવટની તે છબી તાણી, જોગી જાગતો જાણી જગતથી જોગીઓ ન્યારા. ૧૯ આડી સરકાર ભારી જ્યાં શિબિકા ખંભમાં ધેયાં, મનાતિ માનતા ઓ જ્યાં જો ગીના જોગની વાતો. પરવા | [૧૬] Page #164 -------------------------------------------------------------------------- ________________ સેંકડો ધાનની કળશી હજારો કોરીઓ વરસી, શિબિકા સર્વ તે ફરસી, ભક્તીની ભક્તિ શું ન્યારી. ર૧ અદ્રશ્ય ઈહાં થયો દીવો જાઝુ તે સ્વર્ગમાં જીવો, પરમ રસ ધર્મનો પીવો પુરણ સુખ શાંતીને પામી. પર રા અરે કળીકાળનો આતો સદાનો સૂર્ય આથમતો, તેનો ઘા જૈનોને થાતો જોતા ક્યાં ખોલ્યો ન જડશે. મારા પ્રતાપી પૂજ્ય હોવાથી અધર્મી જાય એનાથી, જાગે શુધ્ધ ધર્મ જેનાથી મને એ ક્યાં હવે મળશે. ૨૪ ઓગણીશ એંસીની સાલે વદ -૬ અશાઢી ચાલે, કરી અણસણ પ્રાતઃકાળે અમર એ આત્મા થાઓ. પાપા ગયા ગુરૂ આપ જે ટાણે, બુધ્ધિ તિલક નવી જાણે, ચોમાસુ બેહુ હતા ટાણે, દેખુ ન તે હવે દાદા. પરા ગુણીના ગુણાની વિધિ, પૂજય પુન્ય વિજયે કીધી, કવાલી શુધ્ધ એ કિધિ, દયાળુ મે નથી દીઠા. પારકા ગુણીના ગુણેને ગાવા, લલીત શીશુ લીજે લાવા, ભવાબ્ધિ તે ભલી નાવા, નજરથી મે નથી જોયા. ૨૮ સંવત સત્યાશીની સાલે આસો વદ ૧૧ સાલે કરી, અણસણ પ્રાત:કાળે અમર એ આત્મા થાઓ. પારકા પ્રાચીન સ્તવનાદિ પા. ૩૫૫ ૧૨. આચાર્ય દક્ષસૂરિ (સંવત ૧૯૬૮થી ૨૦૪૯) શાસન સમ્રાટ આચાર્ય વિજયનેમિસૂરિના પટ્ટાલંકાર આ. લાવણ્યસૂરિના શિષ્ય રત્ન • આચાર્ય દક્ષસૂરિ. ચાણસ્મામાં જન્મ સંવત ૧૯૬૮ [૧૬૧] Page #165 -------------------------------------------------------------------------- ________________ માતા ચંચળબહેન પિતા ચતુરભાઇ ૧૩ વર્ષની વયે વિવિધ ગામોમાં પર્યટન કરી અનેક કષ્ટ સહન કરી અંતે ૧૯૮૭માં કરેડા તીર્થમાં આ. અમૃતસૂરિના વરદ હસ્તે સંયમ અંગીકાર કરીને આ. લાવણ્યસૂરિના શિષ્ય આગમ, વ્યાકરણ, ન્યાય, સાહિત્ય અને સંગીતના તજજ્ઞ ઉપધાન, પ્રતિષ્ઠા મહોત્સવ, તીર્થોધ્ધાર, છેરી પાલિત સંઘ આદિ કાર્યોથી શાસન પ્રભાવના શાસન સમ્રાટના સમુદાયના આ. દક્ષસૂરિ કવિ અને સર્જક તત્ત્વજ્ઞાનના રસિયા. જીવવિચાર, નવતત્ત્વ અને કર્મ ગ્રંથનો પદ્યાનુવાદ કર્યો, વ્યાકરણ ગ્રંથોનું સંપાદન, મૌલિક લેખન કરી અર્વાચીન જૈન સાહિત્યમાં પ્રદાન એમનું નમૂનેદાર સર્જન શાસન સમ્રાટ જીવન સૌરભ, સંસ્કૃત અને ગુજરાતીમાં કાવ્યો રચીને જ્ઞાન ભક્તિ અને તત્વજ્ઞાનના વારસાને સર્વ સાધારણ જનતા સુધી પ્રત્યાયન કરાવવા [૧૬૨] Page #166 -------------------------------------------------------------------------- ________________ કલમ ચલાવી. આશ્ચર્ય તો એજ કે તત્ત્વજ્ઞાન અને વ્યાકરણના શુષ્ક વિષયના નિષ્ણાત કવિએ લલિત મધુર પદાવલી, ભાવવાહી ગીતો ને સ્તવનો રચીને ભક્ત હૃદયની ભાવના ને મૂર્તિમંત આલેખી. કાવ્ય અને સંગીતના સમન્વય વાળી એમની ગીત સૃષ્ટિ સહૃદયી કવિ તરીકે ગૌરવ પ્રદ ભીવંડીના અંતિમ ચાર્તુમાસ પછી શરીરમાં વ્યાધિનો ઉપદ્રવ આયુષ્યનો બંધ પળમાત્રમાં તૂટી ગયો. એ કરૂણ દિવસ ઈ.સ. ૧૯૯૩, માર્ચની છઠ્ઠી તારીખ એમની સ્મૃતિ એમનાં કાર્યો અને સાહિત્ય ચિરંજીવ છે. શ્રી કેસરિયા આદિ જિન સ્તવન (ગઝલ) કેસરિયા નાથ કોવિંદન, અનાદિ પાપ નિકંદન, ધુલેવા ગાંવ કે મંડન, મરૂદેવજી કે નંદન. કેસરિયા. ૧૫ [૧૬૩] Page #167 -------------------------------------------------------------------------- ________________ แ3 કેસર કે ઢેરસે પૂજિત, કેસરિયા નામ હૈ પુનિત, અઠારહ વર્ણસે વંદિત, ભૂપાલોંસે સદા સેવિત, કેસરિયા. પ્રતિમા હૈ ચમત્કારી, જિસે હૈ તીર્થ યહ ભારી, સભી દેશો કે નરનારી, પૂજન સે લાભ લે ભારી. કેસરિયા. પતિત પાવન, તરનતારન, દુઃખી કે દુઃખ નિવારણ, અનાથોકે સદા પાલન, કરો ભવ પાર ઉતારન કેસરિયા. તું હીં હૈ આદિ ભૂપેશ તું હી હૈ આદિ યોગીશ, તું હી હૈ આદિ તીર્થેશ, તું હી હૈ આદિ દેવેશ, કેસરિયા. નેમિ લાવણ્ય ચરણોંકા, ઉપાસક દ ગાવત હૈ, જિગંદકી ભક્તિ નૌકા સે, ભવોદધિ પાર પાવત હૈ, કેસરિયા. I૪ પાપા પાદરા વિધિયુક્ત પંચપ્રતિક્રમણાદિ પા. ૩૨૦ સુપાર્શ્વનાથ જિન સ્તવન (ગઝલ) જગતમાં દેવ સાચો તું, તુંહિ જગતાજ મોટો છે, તું હિ જિનરાજ તુટે ત્યાં, જીવન આદર્શ મોટો છે. . ટેક મોટાનો આશરો મોટો, ખજાને કો નહિ તોટો, અનેરો આશરો ખોટો, તેહિ ભવઝાજ મોટો. જગ. ૧ તેહિ ત્રાતા તુંહિ ભ્રાતા, તુંહિ શિવ શર્મનોદાતા, તેહિ તીન કાળનો જ્ઞાતા, તુંહિ શિરતાજ મોટો છે. જગ. પરા ચખાડી પ્રેમના ભ્રાતા, ભવિક મન આપતા શાતા, ખપાવો કર્મના ખાતા, તું હિ જગતાત મોટો છે. જગ. ૩ વિધિયુક્ત પંચ પ્રતિક્રમણાદિ પા.-૩૨૪ [૧૬૪] Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી આદિજિન સ્તવન (ગઝલ) જીવન આધાર જિનવરને, ભજી જીવ લાવો લેતો જા, દિવાકર આદિ જિન ભજને, જિગર જ્યોતિ જગાતો જા. વિકસ્વર બોધથી કીધાં, જેણે યુગલિક મન કમળો નિવારક કર્મ રજનીથી, ઉદય પ્રભાત જોતો જા. જીવન. ભરતને સૌ કળા શીખવી, વળી બાહુબળીજીને, કહ્યા લક્ષણ તણા અર્થો, ચતુર સુશાની ગાતો જા. જીવન. લિપિ વિજ્ઞાન બ્રાહ્મીને, ગણિતનું જ્ઞાન સુંદરીને, સમર્યું વામ હસ્તેથી, અંતર વિજ્ઞાન લેતો જા. જીવન. અઢાર કોડાકોડી સાગર,-થકી જે બંધ મુક્તિ દ્વાર, ભરતમાંહિ પ્રથમ ખોલ્યું, પ્રથમ જિનરાજ ભજતો જા. જીવન. મૈયા મરૂદેવીના હસ્તે, જગત ઉપકારને વાસ્તે, નેમિ લાવણ્યનો દક્ષ, કહે જિન ધ્યાન ધરતો જા. જીવન. વિધિયુક્ત પંચ પ્રતિક્રમણાદિ. પા. ૨૯૩ ૧૩. કવિ ધુરંધર વિજય (સં. ૨૦૦૦) અર્વાચીન જૈન સાહિત્યના આશાસ્પદ નવોદિત ગઝલકાર મુનિશ્રી ધુરંધર વિજય જુના ડીસામાં સંવત ૨૦૦૦ના શ્રાવણ સુદિ-૧૩નો જન્મ. માત્ર ૮ વર્ષની નિર્દોષ ને નિર્મળ બાલ્યવયમાં પિતા-પુત્રનું [૧૬૫] um "રા mu usu પાા Page #169 -------------------------------------------------------------------------- ________________ સંયમ પંથે પ્રયાણ, પિતાશ્રી પૂ. મહાયશવિજય અને પુત્રશ્રી ધુરંધરવિજય- પિતા પુત્રનો દુન્યવી સંબંધ મુમુક્ષુ માટે ગુરુ-શિષ્યનો બન્યો. શાસ્ત્રાભ્યાસની સાથે સ્વયં ફુરણાથી એમનું કવિ હૃદય કાવ્ય સર્જન તરફ પ્રવૃત્ત થયું એમની કલમની પ્રસાદી એટલે જૈન સાહિત્યની અર્વાચીન ગઝલો. ભક્તિ રસ ને ગઝલના રંગમાં રંગી લે તેવી ક્ષમતા ધરાવતા કવિ ધુરંધરવિજય. ગઝલ દિન રાત ગૂરૂં તો વહાલા, કેમ રીઝાતો નથી? અવિરત ઝરે આંસુ નયનથી તોય ભીંજાતો નથી? મારી નજર તુજથી મળીને ભાન હું ભૂલી ગયો પ્રેમમાં એવો પડ્યો કે રંગ એ જાતો નથી.....? હું ખેલ ખેલું ખલકના ને પલકમાં રીઝવું જગત પણ થયો છું લાચાર તુજથી તું જ સમજાતો નથી બોલને ઓ! બોલ વહાલા! કેમ મૌન ધરી રહ્યો ? તારે મારે ખરેખર કાંઈ પણ નાતો મળે ? દીલ દઈને દર્દ લીધું દેવ તારી પાસેથી તોય શું આ દીન પર તું રહમદિલ થાતો નથી ? તારા વિરહની આગમાં શેકાઈને તડપી રહ્યો પ્રેમની વર્ષા કરીને કેમ મલકાતો નથી. [૧૬] કાકા '—'' ના - ' ક Page #170 -------------------------------------------------------------------------- ________________ ખૂબ હું ભોળો પડું છું નાથ તારી આગળે જાત હોકું તોય વ્હાલા સ્હેજે ખેંચાતો નથી ? પણ પ્રભુ મુજ પ્રેમનો વિજય થાશે એક દી હું અને તું એક થઇશું વિશ્વાસ એ વાતો નથી. ન મને તારું 5 દિવાનો દિવાનો બન્યો તમારો પ્રભુજી બીજા કોઇને ના કુદી તમારી જ પાછળ હું તો દોડવાનો નથી જોઇતી મારે દુનિયાની દોલત અને રૂપસી મહેબૂબાની મહોબ્બત મળે તું પછી કોઇના માંગવાનો નવાલી મને કોઇ દુનિયાની વ્યક્તિ વ્હાલી અરે કોઇ સર્વોચ્ચ શક્તિ તું જ વ્હાલો તને ભેટવાનો ઝરે જ. ઝરે છે. ખરે નામ લેતો જ આસું વદનમાંથી તમારા ફૂલો બની ઝીલવાનો લીન એને સદા ભલે તું નજર ના કરે એય દિલબર હમસફર ભલે ના બને છતાં હું તને જગતને બનાવે તુંય પળભર ના કદી છોડવાનો બની વીતરાગી કરી કેદ કિંતુ હું રાગી તને પ્રીતના ફ્રાંસવાનો ભલે તું ખસે ના જા કેમ જક્કી બન્યો હૈયામાં ફ્રાંસલે દિવાનો દિવાનો ચાહવાનો [૧૬૭] છે. ૫ ૧૫ ઘણા .જા પા Page #171 -------------------------------------------------------------------------- ________________ પરંતુ થશે આપણો મેળ નક્કી પછી ભેદનો છેદ ઉડી જવાનો દિવાનો દિવાનો બન્યો હું દિવાનો તમારે ઇશારે જગતમાં બધુંયે તમારી કૃપાથી જગતમાં બધુંયે ન માનેલું માલિક બને છે બને છે. તમારી ઝલકતા ખલકના અણુએ અણુએ ગજબની ઝગે ઝગે છે. પેલા ચાંદ સૂરજ સિતારા ગગનમાં તમારાજ તે જે ચમકતાં અગનમાં તડકતી તડિતને ભભકતા અગનમાં બધે જયોત તારી જલે જલે છે. વસંતી હવામાં ખીલેલા ચમનમાં પહાડો ખીણો વા ને મુંજવનમાં સરોવર કૂવાઓ, નદી ને ઝરણામાં બધે હાલ તારું ઝરે ઝરે છે. ગરજતો પયોધર ઘુઘવતો સમંદર સૂસવતી હવાઓ પહાડોની કંદર નસેનસ મહીં દોડતા લોહી અંદર બધે નાદ તારો રમે રમે છે. પ્રભો તારી પાછળ બન્યો હું દિવાનો તને છોડીને ક્યાંય હું ના જવાનો મને મૂકીને તુંય ક્યાં ભાગવાનો ? નજર તારી પાછળ ફરે ફરે છે. જગતના અણુએ અણુનો ઓ રાજા પુકારૂં તને મારી ભીતર તું આજા [૧૬૮] Page #172 -------------------------------------------------------------------------- ________________ મને છોડીને નાથ તું ક્યાંય ના જા મિલનમાં વિઘન શું નડે છે નડે છે તમે છો શિવમ્ ને તમે સુન્દરમ્ છો જગતમાં બધાનું તમે છોજ સોહમ્ અહમ્ મારું તુજમાં ગળે છે ગળે છે. તમારી નજરનો બન્યો હું દિવાનો જરાક નજરતો પ્રભુ નાંખતો જા, ભલે ભક્ત ક્રોડો પ્રભુ છે તમારા, જરાસી જગા મારી પણ રાખતો જા. બડા યોગીઓ પણ તમારી નજરને કરે પામવા ઘોર તપની સફરને, છતાંયે તમારી મળે કે મળે ના નજર તે જરા દીનપર પાડતો જા. તમારી નજરની જરા ઝાંખી લેવા મથે છે ઘણા દેવ પણ છે જેવા, અને તો તમના ભરેલા તિમિરને નજરના કિરણથી પ્રભુ ઝાડ તોજા. તમારી નજર તો અમૃત કેરો સિંધુ ભર્યા દિવ્યરસથી પૂનમ કેરો ઇંદુ, અમારા સૂકાતા જીવનના ચમનને, નજરની અમીથી જરા સિંચતો જા. તમારી નજરથી બને દુષ્ટ સજ્જન મહાભોગી યોગી તૂટે મોહબંધન, ગુણ શ્રેણીના એકથી એક ઠાણે, નજર દોરથી તું મને ખેંચતો જા. નજર તારી શીતળ અને નિર્વિકારી, સદા સર્વસંતાપ સંહારનારી, નજરના ઈશારે કરે પાર સહુને, જરા મારું પાર ઉતારતો જા. નજરથી જગતમેં તું તો શાંતિ આપે, અને ભક્તની સર્વથા ભ્રાંતિ કાપે, નજરથી તર્યા ભવ્ય જીવો અનંતા, એતો મને પણ જરા તારતો જા. તમારી તો સોબત અમોને ગમે છે. અમારી મહોબતની મંઝીલ તમે છો [૧૯] Page #173 -------------------------------------------------------------------------- ________________ તમે તો અમારા અમે પણ તમારા અમે બે સહારા સહારા તમે છો.... તમે ક્યાં છૂપાયા ન માલૂમ અમોને હવે ઢંઢવા ક્યાં અમારે તમોને ? અમારી નજરમાં તમારી છે તડફન નજરો કરીને નજરને ભરી દો નજર તો મળે ના મળી ત્યાં ખસો ઝટ કરી વીતરાગી પણાની બનાવટ ન આવું કરીને અમોને સતાવો સૂકાતાં ચમનને અમનથી ભરી દો અમે ખૂબ માસૂમ તમે છો રહમદીલ છતાંયે બનો છો તમે કેમ કાતિલ ? વિરહનાં જખમ શું કરો છો જીગરમાં મિલનના મલમથી જખમને ખરીદો ન છેટું અમારે તમારે જરાયે છતાં કેમ હાલા તું ભેલો ન થાય ? જુદાઇનો પડદો હવે તો હટાવી કરી એકતા શૂન્યતાને ભરી દો. ૧૪. આચાર્ય યશોભદ્રસૂરિ શાસનસમ્રાટના પરિવારના અર્વાચીન કવિ સુપ્રસિધ્ધ વક્તા અને રત્નત્રયીના આરાધક આ. યશોભદ્રસૂરિ માતા સોનબાઈ ને પિતા શામજીભાઈના કુળદીપક શિવજીભાઈ સંવત ૧૯૬૪માં સુથરીમાં જન્મ્યા સત્તર વર્ષની વયે લગ્ન થયાં. [૧૭૦] Page #174 -------------------------------------------------------------------------- ________________ એકજ વર્ષમાં પતીનું અવસાન વેપારાર્થે અમદાવાદમાં પાંજરાપોળના ઉપાશ્રય પૂ.આ.શ્રી કસ્તુરસૂરિનો પરિચય વૈરાગ્યવાસિત બની સં. ૧૯૮૭માં છત્રાલ મુકામે સંયમ સ્વીકારી યશોભદ્રવિજય બન્યા. ગુરુ કસ્તુરસૂરિના શિષ્ય ગુરૂનિશ્રામાં અગિયાર વર્ષ રહી શાસ્ત્રાભ્યાસ કરી સંયમને અનુરૂપ દર્શન જ્ઞાન ને ચારિત્રના સંસ્કારોનું સંવર્ધન થયું વાપીના ચાતુર્માસમાં શાસનપ્રભાવના કરી. તપના સંસ્કાર પાડ્યા અદ્ભુત પ્રભાવશાળી વસ્તૃત્વ શક્તિ સ્વયં ફુરણાથી કાવ્યો રચીને કવિ બન્યા જિનગુણ સ્તવનમાળા આદર્શ સઝાય માળા અને મહાવીર જિનપંચકલ્યાણક પૂજા એમની કવિતા સૃષ્ટિમાં ભક્તિ જ્ઞાન ને ઉપદેશાત્મક વિચારોનું નિરૂપણ. બોટાદનગરીમાં સં.૨૦૦૧માં મહોત્સવ દ્વારા પંન્યાસ પદવીથી અલંકૃત થયા. સં. ૨૦૨૦માં આચાર્યપદથી [૧૭૧] Page #175 -------------------------------------------------------------------------- ________________ વિભૂષિત થયા. અમદાવાદ પાસે બારેજામાં સ્કુટરની ટક્કર લાગતાં ગંભીર ઇજાથી મહાસુદ-ચૌદશની સંધ્યાએ કાળધર્મ પામ્યા. પૂ. શ્રીનાં શાસન પ્રભાવનાના કાય આજે ચિરંજીવ સ્મૃતિ રૂપ છે. એમની કાવ્ય પ્રસાદીની વિવિધતા જૈન સાહિત્યની ગઝલ સૃષ્ટિમાં સહયોગ સાધે છે. એમની જીવન સિધ્ધિનું પ્રતીક તો દક્ષિણ ભારતની સુષુપ્ત ધર્મ ભાવનાને જાગૃત કરીને ચેતનવંતી બનાવવાની હતી. આ. યશોભદ્રસૂરિની ગઝલો આદર્શ સક્ઝાયમાળામાંથી પ્રાપ્ત થાય છે. ચંદરાજાની સઝાય ૧૦ ઢાળમાં રચી છે તેમાં અંતે કળશની રચના ગઝલમાં કરી છે. કળશ મુનિસુવ્રત જિન રાયા, નમો શીવસુખ ફળદાયા, સ્તવ્યામેં ચંદ રાજર્ષિ, ત્યજ્યા જે જગતની માયા. ૧ તપાગચ્છ વિષે સોહે સૂરીશ્વરસિંહ ગંભીરા, ગણીવર સત્યવિજય પાટમાં, મણીવિજય ધીરા. રા [૧૭] Page #176 -------------------------------------------------------------------------- ________________ થયા બુધ્ધિવિજય તસ પટ્ટધર, જિનધર્મના જ્ઞાતા, મુનિ વૃધ્ધિવિજય તસ શિષ્ય, સંયમ શાંત સુખ દાતા. મકા સુશિષ્ય તસ સુરિસમ્રાટ, તીરથ ઉધ્ધાર કરનારા, વિજયનેમિસૂરીશ્વર અષ્ટ, સૂરિ શિષ્ય ધરનારા. ૪ પરમ ગીતાર્થ શાંત સદા, વિજયવિજ્ઞાન સૂરિધર, સૂરિ કસ્તુર પટ્ટધર તાસ, શાસ્ત્ર પ્રવીણ ગુરૂવર. પપા કિધું ચોમાસું સ્થંભ તીર્થે, વિક્રમ બે હજાર ત્રણમાંય, પ્રશિષ્ય-જય-સૂર્યોદય કાજ, રચી રચના ભવી સુખદાય. દા ગુરૂ આશિષના ફલથી, સદા આનંદ રસ પાયા, ચરિત્રો ચંદના પ્રીતે, યશોભદ્ર વિજય ગાયા. છા શ્રી સ્થૂલિભદ્ર મુનિની સઝાય પ્રશ્નોત્તર રૂપે રચી છે તેમાં રાગ ગઝલનો આશ્રય લીધો છે. સ્થૂલિભદ્રની સઝાય (પ્રશ્નોત્તર રૂપે-રાગ-ગઝલ) વેશ્યા આજ મલીયા પ્રાણ પ્યારા, આવ્યો અવસર શુભ સારો, સ્થૂલિભદ્ર ભુલી જા તુંવાત જાની, આજે મારો પંથ ન્યારો. વેશ્યા વર્ષ બાર વીત્યાં છે રંગે, આજ રંગો પ્રેમ રંગે દીન દાસીને સ્વીકારો, આવ્યો અવસર શુભ સારો. શાળા સ્થૂલિભદ્ર સંયમ રંગે રંગ્યું જીવન, પ્રભુ ચરણે અરડું તનમન અન્યવાણી નવ ઉચ્ચારો, આજ મારો પંથ ન્યારો. મારા વેશ્યા રૂપ સુધાની છલકે પ્યાલી, લતા યૌવનની છે ફાલી સત્ય સુખ શાને નકારો, આવ્યો અવસર શુભ સારો. ૩ [૧૭૩] Page #177 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર ગણે અમૃત છે હલાહલ, યુવા જાશે બની વાદલ, છોડ તું ખોટા વિચારો, આજ મારો પંથ ન્યારો. જા વેશ્યા અગ્નિ સાથે રૂ બળે છે, નારસંગે મન ચળ છે, ટેક અહિં જાશે તમારો, આવ્યો અવસર શુભ સારો. પાપા સ્થૂલિભદ્ર કમળ પાણીમાં રહે છે, પણ કદાપી નવ ભીંજે છે, એવો છે નિશ્ચય હમારો, આજ મારો પંથ ન્યારો. દા. વેશ્યા બની વેશ્યા જીવન ગાળ્યું, આજ સાચું રૂપ નીહાળ્યું, પાપ પંથેથી ઉગારો, આવ્યો અવસર શુભ સારો. છા સ્થૂલિભદ્ર ઉચ્ચરો વ્રત બાર પ્રીતે, ધરી સમકિત શુધ્ધ ચિત્તે, થઈ જશે ઉધ્ધાર તારો, આજ મારો પંથ ન્યારો. ટા ગયા સ્યુલિભદ્ર જ્યારે, ગુરૂ બોલ્યા હર્ષે ત્યારે, ધન્યા સંયમ ! આજ તારો, આવ્યો અવસર થુલી સારો. પલા નેમિ વિજ્ઞાનસૂરિ શરણે, ગુરુ કસ્તુર પુણ્યચરણે યશોભદ્રવિજય બોલે, આવ્યો અવસર શુભ સારો. ૧૦ના ૧. ઔપદેશિક સઝાય (રાગ-ગઝલ) આ જીવન એળે જાય છે, ભગવાનને ભજશો ક્યારે આયુષ્ય ઓછું થાય છે, ભગવાનને ભજશો ક્યારે? ઘરની સ્ત્રી ઘરેણાં માગે, નાનો કીકો છાતીએ લાગે, સૌ સ્વાર્થમાં રાચે છે ભગવાનને. ૧ાા નોકર ચાકર સેવા કરતાં, હોઠે એનાં નામો રમતાં, એ રામો ઘાટી ભૂલીને, ભગવાનને મારા રંક જનો પર છુરી ચલાવી, શેઠ બન્યો તું શક્તિશાલી, એ નિર્દયતાને છોડીને, ભગવાનને. યા [૧૭૪] Page #178 -------------------------------------------------------------------------- ________________ ઝટપટ દોડમોટર તારી, લક્ષમી છે વૈભવ છે ભારી, પણ ખાલી હાથે જાવું છે. ભગવાનને. ' જા કપડાં સફાઈવાલાં છે, પણ અંતરમાં કાળાં જાળાં છે, નિર્મલ અંતરને કરવાને, ભગવાનને. પાા સુખ શાંતિ સદાયે માગો છો, પણ ધર્મધ્યાનથી ભાગો છો, અનુપમ સુખ મેળવવાને, ભગવાનને. દા નેમિવિજ્ઞાનસૂરિ સારા, વાચક કસ્તુર ગુરુ સુખકારા, યશોભદ્ર કહે છે ચેતન, ભગવાનને પછા ૨. ઔપદેશિક સઝાય (રાગ ગઝલ). ફોગટ ફુલણજી તું, ફુલાય છે શાને? છે જુઠી જગની બાજી હરખાય છે શાને? લક્ષમીના મદમાં તું ફરતો, સત્ય કથા ના અનુસરતો, અજ્ઞાની અંધારે, અટવાય છે શાને? ફોગટ. વૈભવમાં મહાલે તું કેવો, નથી ઉતાર્યો તે પરસેવો, બીજાની મહેનતથી, મલકાય છે શાને? ફોગટ. મેરા સદા વિહરતો નારી સંગે, પડતા બોલ ઝીલે ઉમંગે, એ મોહતણી જંઝીરે, જકડાય છે શાને? ફોગટ. મીલના ભૂંગળા વાગે તારા, કંઈક જીવો થાય છે દુરબીયારા, હિંસાથી હાથો તારા, રંગાય છે શાને? ફોગટ. પલમાં ઉડી જાશે ગાડી, સંગ ન આવે લાડી, વાડી, અન્ય તણા વિશ્વાસે, અથડાય છે શાનો? ફોગટ. . પાપા મુરખ શાની રંક તવંગર, બળતા એક ચીતાની અંદર, મોટાઈમાં મૂરખ તું, છલકાય છે શાને? ફોગટ. દા [૧૭૫] I૧ાા t૩ાા I૪મા Page #179 -------------------------------------------------------------------------- ________________ I૧ા ૩ાા કરી નેમિ વિજ્ઞાનને વંદન, યશોભદ્ર કહે ચેત તું ચેતન, પ્રભુ ભક્તિ વીણ ભવમાં, ભટકાય છે શાને? ફોગટ. ૩. ઔપદેશિક સક્ઝાય (રાગ-ગઝલ-ભૈરવી) ચાલી જશે પલકમાં, મદમસ્ત આ યુવાની, ચેતો જરા યુવાનો, દિલમાં વિચાર આણી. ચાલી. બચપણ રહે રમતમાં, વૃદ્ધત્વ રોગ માંહી, સધર્મ કાજ જગમાં, અવસર ખરો યુવાની. ચાલી. નાટક સીનેમા જોતો, હોટલ નહીં વિસરતો, વિષયોની જવાલાઓમાં, હોમાય જીંદગાની. ચાલી. દર્શન પ્રભુના કરવા, તુજને વખત ન મલતો, નટીઓમાં નીરખવાને, ભૂલે તું અન્નપાણી. ચાલી. સધ્ધર્મ કાજ રૂપીઓ, વાપરતાં મન મુંઝાયે, થાયે હજારો કેરી, ફેશનમાં ધૂળ ધાણી. ચાલી. પાપા આજે ભલે હસે તું, પાછળથી રોવું પડશે, કહે યશોભદ્ર સમજીને, ઉજાલો આ યુવાની. શા ૪. ઔપદેશિક સઝાય (રાગ-ગઝલ) માયામહીં લપટાયેલા, ભવપાર શું કરે! ચરણો ખુવે તાકાત જ્યાં, પગથાર શું કરે માયા. ૧૫ જેણે ધર્યું છે તન પર, જિન ભક્તિ કેરૂ બખતર, ત્યાં જાદુ ભરી મોહની, તલવાર શું કરે ! માયા. મારા I૪ti નાપા [૧૭૬] Page #180 -------------------------------------------------------------------------- ________________ છે દંભ ને કપટથી, જેનું જીવન ભરેલું, પ્રભુ પ્રેમ તેના દીલમહીં, સંચાર શું કરે ! માયા. ૩ માણેકમોતી કેરાં, ભંડાર વ્યર્થ થાશે, મૃત્યુનો ફાંસો જ્યાં, હીરાના હાર શું કરે! માયા. ૫૪ જ્યારે જશે જીવન આ, પળનો નથી ભરોસો, કહે યશોભદ્ર ચેતી લે, તું વાર શું કરે ! માયા. પાપા ૫. વાચક શ્રી ક્ષમાકલ્યાણજીએ સંવત ૧૮૨૮ ના મહા વદ ૨ ના રોજ ગિરનારની ગઝલ-૫૯ કડીમાં લખી છે. તે પણ ઉપરની ગઝલો સાથે સામ્ય ધરાવે છે. [૧૭૭] For Private & Personal use. Only Page #181 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - ૪ વિભાગ - ૨ પ્રકીર્ણ ગઝલો આ વિભાગમાં કેટલાક કવિઓની ઉપલબ્ધ ગઝલોનો સંચય કરવામાં આવ્યો છે. તેમાં ગઝલના પદબંધ દ્વારા તીર્થકર ભગવાનના જીવનના પ્રસંગો, વૈરાગ્યભાવ, ગુરુ વિરહ, પ્રભુભક્તિ, આત્મસ્વરૂપ ચિંતન જેવા વિષયોને કેન્દ્રમાં રાખીને અભિવ્યક્તિ થઈ છે. હિન્દી-ગુજરાતી ભાષાના મિશ્રણની સાથે શુધ્ધ ગુજરાતી ભાષામાં ગઝલો રચાઈ છે. ગઝલોનો પ્રધાન સૂર અધ્યાત્મવાદની વિચાર ધારાને સાકાર કરવાનો છે. કવિ નાગર, જદુરાય, ખાન્તિવિજય, વિનયમુનિ, અમૃતચંદ્ર આચાર્ય, કવિ પંડિત વીરવિજયજી, મુનિ ચતુરસાગર, માણિકયચંદ્રસૂરિ, પં.શ્રી હંસસાગરજી, સંતોકચંદજી, કસ્તુરીબહેન, અને અજ્ઞાને કવિની ગઝલોનો સમાવેશ થાય છે. આ ગઝલો ત્રણ પ્રકારની છે. પ્રથમ પ્રભુ ભક્તિ વિષયક ગઝલોમાં સાકાર ઉપાસનાના પ્રતીક સમાન પ્રભુમૂર્તિ અને જીવનના પ્રસંગોને સ્થાન આપવામાં આવ્યું છે. બીજા પ્રકારની ગઝલોમાં આત્મા પરમાત્મા બને તેનું ચિંતન કરવા લાયક વિચારો વ્યક્ત થયા છે. નરસિંહ જેવો ભક્ત શિરોમણિ કવિ પણ ભક્તિ સાગરમાં તરતો હતો છતાં અંતે તો કહે છે કે – [૧૭૮] Page #182 -------------------------------------------------------------------------- ________________ “જ્યાં લગી આતમા તત્વ ચીન્યો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી” એટલે અધ્યાત્મ માર્ગમાં આત્મતત્વની વિચારણાય કેન્દ્ર સ્થાને છે. આત્મસ્વરૂપ પામવા જ્ઞાન ઉપયોગી છે. તે વિશે કસ્તુરીબાઇની ગઝલના શબ્દો છે. “અનંતાન સુખ નિધાન, આત્મ શુધ્ધ ધ્યાએ લખિ નિજ સ્વરૂપ શુધ્ધ રૂપ આપજો રમાઈએ. ૫૧ બુધ્ધ બોધતત્વ શોધ નય પ્રમાણ પાઈએ, નિપધાર જૈની સાર, શૈલીમેં કહાઇએ.” રા આત્મસ્વરૂપ પર પ્રકાશ પાડતી જિનવાણી મહાન ઉપકારી છે તે વિશે સંતોકચંદની ગઝલનું ઉદા. છે. “શ્રી જૈન બેન મુક્તિ દૈન, સુગુરૂ સે લહા, અસૂર ભૂ૨ દુર દૂર ભગ ગયા.” ૧૫ સુગુરૂ અમૃત સમાન જિનવાણીનું પાન કરાવે છે. એટલે ભવ સમુદ્રથી પાર પામી શકાય છે. “સુગુરૂ ચરણ શરણ, ભવ વિકટ ભય ગયા સંતોષ પોષ સુગુણ પોષ સુગુરૂ ભજ સયા.” દા અમૃતચંદ્ર આચાર્યની ગઝલમાં શુધ્ધ આત્મલક્ષી વિચારો વ્યક્ત થયેલા છે. કરો એકાગ્ર મન કરકે પ્રભુકા રાત દિન સુમિરન દૂધ કો દૂર કર દિલસે, કરો નિજ રૂપકા ચિંતન ૫૧ “નભૂલો રૂપ અપને કો વહ સુખ સાગર અનુઠા હૈ. સદા હિ શાંત ચિત હોકર, કરો નિજ રૂપકા ચિંતન.” UELL [૧૯] Page #183 -------------------------------------------------------------------------- ________________ આત્માની સ્થિતિ દર્શાવતાં કહ્યુ છે કે – જૈ. “રહે છે દૂર પરથી આ, અમારો એકલો આત્મા, સ્વભાવોને ધરીને તે, રહ્યો છે નિજ ગુણોમાં. ખરું હું તત્વ સમજીને, રહું ચેતનતણા રસમાં ચિદાનંદી સ્વરૂપ મારું, નિહાળુ આજ ભીતરમાં.’ "જા ત્રીજા પ્રકારની ગઝલો વૈરાગ્યપ્રધાન હોવાની સાથે આત્માને ઉપદેશ આપતી વિગતો દર્શાવે છે. સંસારની માયાજાળ, સંબંધોની નિષ્ફળતા સ્વાર્થ કર્મબંધન વગેરે વિષયોને સ્પર્શે છે. અધ્યાત્મ સાધનામાં વૈરાગ્ય ભાવને પોષક રચનાઓ મૂલ્યવાન ગણાય છે. સાધનાનો પંથ વૈરાગ્ય અનાસકિત અને નિસ્પૃહ ભાવ સાથે ગાઢ સંબંધ ધરાવે છે એ દૃષ્ટિએ આ ગઝલો સૌ કોઇને સનાતન સત્ય સમજાવવામાં માર્ગદર્શક બને છે. ૧. ગઝલ શાંતિજિન શાંતિના દાતા, તુજાગમ બિંબ જગત્રાતા, દુઃખિત ભરતે ક્ષમા દાતા, ગુરૂ નિગ્રંથ વિચરતા. શાંતિ. દેવો બહુ જાતના દેખું, ગુરૂ પણ એટલા પેખું, મતાંતરનું નહિ લેખું, કોણ ? કોણ ? ઉવેખું. શાંતિ. અશરણ ? નાથ ક્યાં જઇને, કરૂં વિનતિ નરમ થઇને, ભવોદધિ ભાર ખૂબ વહીન, ગયો મુંઝાઇ દુઃખ સહીને. શાંતિ. અનાદિ પાપ પુંજ લયથી, ઉત્તમ તું ઓળખ્યો નયથી, પૂરવના પુણ્ય ઉદયથી, હવે નિશ્ચય બચ્યો ભયથી. શાંતિ. મિથ્યા તિમિર તો ભાગ્યું, કુદેવાદિ સહું ત્યાગ્યું, સદ્ સાન પણ જાગ્યું, ખરી તુમ સેવ મન લાગ્યું. શાંતિ. ત્રિકરણ યો ગતો સ્વામી ! ક્ષાયિક માગું સુરત પામી, સ્વીકારો પૂર્ણાનંદ કામી, અરજ હંસ દલં વિશરામી. શાંતિ. કવિરતો ભા.૨ - પા. ૩૫૪ ગુ. [૧૮૦] ॥૧॥ mu મારા um uxu "પા usu Page #184 -------------------------------------------------------------------------- ________________ ૨. ગઝલ રાજુલ કહે નાથ ગએ, સાથે પરહરી, u નહીં અર્જુ મેરી ગર્જ, કછુ દીલમે ધરી. ૫ રાજુલ. ॥ ૧ ॥ તેરે દર્શકી મેં તરશી, દેખુ મહેલ પર ચઢી, ॥ દેખી નાથ સાથ જાન, મેરી અખીંઓ ઠરી. ॥ રજુલ. ॥ ૨ ॥ આયો તોરનસે ફિરાયો, રથ શામને ફરી, ॥ કીની પશુવન મેં મેહેર ફેર, આપે ક્યા કરી. ૫ રાજુલ. ॥ ૩ ॥ આઠ ભવકી જાણી પ્રીત, રીત દીલ મે નરી, આએ નવમે ભવજોગ, ભોગ ગયે બિસરી. ! રાજુલ. ॥ ૪ ॥ છોડી રાજુલનાર, લીની શિવવધૂ કહે સુત પ્રભુદાસ, ચિત્ત ચરણ સે જૈન કાવ્ય પ્રકાશ ભાગ- ૧ પા.-૩૦૯ વરી, ા ધરી. ।। રાજુલ, ૫ ૫ ॥ ૩. કવ્વાલી વીરજિણંદ જયકારા જયકારા, માયા મમતા મારી શમ-દમ-સંજમ ધરમ સ્વીકારી, અલગ બન્યા અણગારા અણગારા. સમિતિ ગુપ્તિ શોભિત સોભાગી, નિરૂપલેપ નિસ્નેહ નિરાગી પ્રતિબંધ ચઉ તજનારા, તજનારા. ભવિ ॥૧॥ પરમ જ્ઞાન દર્શન વ્રતધારી, પરમાલય પ્રભુ પરમ વિહારી વીર્ય પરમ વરનારા, વરનારા. વિ. અજ્જય મા લાઘવ પુષ્ટિ, શાંતિ મુક્તિ ગુપ્તિ સૃષ્ટિ સત્ય પરમ સેવનારા, સેવનારા. વિ. રા નિંદ શયન જાગરણ નિવારી ઉજ્જાગરણ દશા અવધારી, ધ્યાન શુકલ ધરનારા, ધરનારા, વિ. [૧૮૧] Page #185 -------------------------------------------------------------------------- ________________ શક્તિ અપૂરવ યોગે સ્વામી, ક્ષપક શ્રેણિ ચઢી આતમરામી, ઘાતી કરમ હણનારા હણનારા. વિ. પા માઘવ શુદિ દશમી, મનોહારી, ચંદ્ર ઉત્તરા ફાલ્ગુની ચા૨ી વિજય મુહૂર્ત શુભકારા, શુભકારા. વિ. સાલ તર્ફે તલે છટ્ઠ તપ સાલિ, વરિયા કેવલશ્રી રૂપાલી સૂરિમાણેક પ્રભુ પ્યારા, પ્રભુ પ્યારા, ભવિ જન પૂજો ભાવશું, વીર જિણંદ જયકારી. ૫૪u વિવિધ પૂજા સંગ્રહ - પા.૫૬૫ ૪. કવ્વાલી સાંઇશું દિલ લગા પ્રાની, નિસાનું પર નવા બાની, કચે ઘટ જલ તીરા જૈસા, ભરૂસા પિંડકા તૈસા. ઓરત ઓર મહેલ કયા કરના, છોર કર એક દિન મરના, તેરા કોઇ નહીં કિસી બાતે, ચલેગા એકિલા રાતે. સાંઇકું યાદ કર હરદમ્મ, પ્રભુ સે યું મિલોગે તમ્મ, સાંયુ હર રોજ દિલ પેઠે, સદા શુભવીર ઘર બેઠે. ઉત્તમ સ્તવનાવલી-પા. ૫૫ ૫. શાસનપતિ પૂજા કવ્વાલી આજ મૈં આયા શરનમેં, નાથ કરૂણા કીજીયે, કઠિન કર્યો મે પડેકો, લાજ અબ રખ લીજીયે. જાતિકી એક બાહ્મણી થી, દેવાનન્દા નામ થા, રૂષભદત્તકી વધૂ થી, વિપ્રફુલ ઉજલા દિયા. [૧૮૨] સાં. ॥૧॥ સાં. ॥૨॥ સાં. ઘણા ગા Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮માં શુકલ છઢ આસાઢકી, રાત્રિ પટલ સે છા રહી, દેવાનન્દા બ્રાહ્મણીને, અલ્પ નિદ્રા લે લઈ, માતા બનાઇ આપને ઉસકે ઉદર અવતાર લે, દિવસ વ્યાસી રહે ઉનકે, મનોરથ સબ ફલ ચલે. ઇન્દ્રકે આદેશ સે, હરને ગમેષી આય રે, ઉસ બ્રાહ્મણીકી કોખ સે, સિધ્ધાર્થ કે ધરમેં ઘરે. શાસ્ત્ર ઇસકો ગર્ભહર, કલ્યાણ કહે અપના લિયા, આપને ઉસ બ્રાહ્મણીકા, નામ અજરામર કિયા. ૧૦ I૧ ૧ાા પૂજા સંગ્રહ – પા. ૧૬૨ ૬. સુખની છાયા શોધી રહ્યો છું સુખની છાયા શોધી રહ્યો છું માયા નથી મૂકાતી (૨) મૃગજળ જેવું સુખ છતાં પણ, તૃષ્ણા નથી છૂપાતી. ખારો છે સંસાર છતાં પણ, એને ગણું છું યાર, ભવોભવ સાગર ભટકું તો પણ ક્યાંય જડે ના કિનારો, ભૂલ ભરેલી ભ્રમણાઓ છે, તોય નથી ભૂલાતી. સુખની. ૧૫ ક્યારેક રાગ આવી મુજને, ભાન બધું ભૂલાવે, ક્યારેક તે જ આવી દિલમાં, દાવાનળ સળગાવે, એક ઘડી પણ સુખની છાયા, ક્યાંય નથી દેખાતી. સુખની. રા અલ્પ માન મુજને મલકાવે, અપમાન અતિ અકળાવે, વેરઝેરના વિષમ વાયરા, જીવનને અથડાવે, અર્થ વિહોણાં હાસ્ય રુદનથી, જીંદગી એળે જાતી. સુખની. એવા હજાર મળે ત્યાં લાખ મેળવવા, મુજ મનડાના કોડ, લાખ મળે ત્યાં મનડું બોલે, ક્યારે મળશે ક્રોડ, ક્રોડપતિ થઈ સૂતો સેજમાં, આંખ નથી મિજાતી. સુખની. જા [૧૮૩] Page #187 -------------------------------------------------------------------------- ________________ પાપના પડછાયા પડે પ્રભુ પુન્યની પાળો તૂટે, જાણીને જોડાયો છું તો, બંધન ક્યાંથી છૂટે, મોહની જાળમાં ફરી રહ્યો છું, આશા નથી મૂકાતી. સુખની. ાપા દ્વેષ ભર્યા છે આ દિલડામાં રાગમાં છું અનુરાગી, મારૂં મારૂં કરી વેર વધારું વિસારું વીતરાગી, રાગ રંગમાં ડૂબી રહું પણ, આગ નથી બુઝાતી. સુખની. પ્રદા દાદાને દરબાર - પા. ૨૮૧ = ૭. ગમે તે સ્વરૂપે ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. ભલે ના નિહાળું નજરથી તમોને, મળ્યા ગુણ તમારા સફળ મારું જીવન. ગમે તે સ્વરૂપે, ૫૧૫ જન્મ જે અસંખ્ય મળ્યા તે ગુમાવ્યા, ના ધર્મ કર્યો કે ના તમો ને સંભાર્યા, હવે આ જનમમાં કરું હું વિનંતી, સ્વીકારજો તમે તો તૂટે મારા બંધન. ગમે તે સ્વરૂપે. ા૨ા ભર્યાં આ ભૂમિમાં છલોછલ અંધારા, કદમ ક્યાં ઉપાડે, જીવો આ બિચારા, થતો જાય ઝાખો પ્રતિદિન પ્રભુજી, બતાવ્યો હતો જે તમે પંથ પાવન. ગમે તે સ્વરૂપે. ઘણા મને હોંશ એવી ઉજાળ જગતને, કિરણ મળે જો મારા, મનના દીપકને, તમે તેજ આપો, જલે એવી જ્યોતિ, અમરપંથે સૌને, કરાવજે તું દર્શન. ગમે તે સ્વરૂપે. પ્રજા દાદાને દરબાર - પા. ૨૭૧ [૧૮૪] . Page #188 -------------------------------------------------------------------------- ________________ ૮. અબ સોંપ દિયા ઇસ જીવનકો અબ સોંપ દિયા ઇસ જીવનકો, ભગવાન તુમારે હાથોમેં, હૈ જીત તુમારે હાથોં મેં ઔર હાર તુમારે હાથો મેં. અબ. ૫૧૫ મેરા નિશ્ચય બસ એક યહી, ઇસ બાર તુમે પા જાઉં મેં, વીતરાગ તુમારે દર્શન સે, યહ જીવન મેરા ધન્ય બને. અબ. રા જો જગમેં રહું તો ઐસે રહું, જયું જલમેં કમલ કા ફુલ રહે, મેરે ગુણ દોષ સમર્પિત હો વીતરાગ તુમારે ચરણો મેં. અબ. ઘા જબ જબ સંસાર કા કૈદી બનું, વીતરાગ તુમ્હારી ભક્તિ કરૂં, ફિર અંત સમય મેં પ્રાણ તજું ભગવાન તુમ્હારે ગાનોં મે. અબ. ૫૪૫ યદિ મનુષ્ય કા મુઝે જન્મ મિલે, તો તુમ ચરણોં કા પૂજારી બનું, પૂજક કી ઇક ઇક ૨ગકા, સબ ભાર તુમારે હાથોં મેં. અબ. પા ઇસ મુઝમેં તુઝમેં બસ ભેદ યહી, મેં આતમ તુમ પરમાતમ હો, મે હું સંસાર કે હાથો મેં, સંસાર તુમારે હાથોમે. અબ. ॥૬॥ દાદાને દરબાર- પા.-૨૭૮ ૯. રક્ષા કરજો કે ભગવાન ભૂલો પડ્યો છું ભવ મહીં, ભગવાન રાહ બતાવજો, જનમો જનમ ને મરણના, સંપાપથી ઉગારજો, સંસારના સુખ દુઃખ તણા ચક્રોમહીં પીડાઉં છું, પગલે પગલે પાપના, પંથે વિચરતો જાઉં છું. કરૂણા કરજો હે કિરતાર, રક્ષા કરજો હે ભગવાન, જિનરાજ તુજ આદેશને હું ધ્યાનથી સૂનતો નથી, તારી મધુરી વાણીને હું અંતરે ઝીલતો નથી, ભગવાન ભક્તિ ભાવથી દૂર હું જાતો નથી. [૧૮૫] un Page #189 -------------------------------------------------------------------------- ________________ ૨ાા માન અને અભિમાનમાંથી દૂર હું જાતો નથી, તું એકજ છે આધાર, રક્ષા કરજો હે ભગવાન, તારા બતાવ્યા સત્યના, પંથો એ સમજાતા નથી, તાર દીધેલા જ્ઞાનના ગ્રંથો એ વંચાતા નથી. લમી મળી પણ લક્ષ્મીનો, સદ્વ્યય કરી જાણ્યો નહિં, ભાઇભાઈમાં કદિયે, સંપ કરી જાણ્યો નહિ, મારે તરવો છે સંસાર, રક્ષા કરજો હે ભગવાન, કરૂણાસાગર છો તમે, દયાના ભંડાર છો. પતિતોને તારનારા વિશ્વના આધાર છો. તારા ભરોસે જીવન નૈયા, આજ મેં તરતી મૂકી, લાખ લાખ વંદન કરું, જિનરાજ તુજ ચરણે મૂકી, મારે જાવું છે ભવપાર, ૨ક્ષા કરજો હે ભગવાન, હું આવ્યો તારે દ્વાર, રક્ષા કરજો હે ભગવાન. T૩ાા દાદાને દરબાર – પા. ૨૮૦ ૧૦. તથાપિ બાલ તારો છું. પ્રભુ જેવો ગણો તેવો, તથાપિ બાલ તારો છું, તને મારા જેવા સમા લાખો પરંતુ એક મારે તું નથી શક્તિ નિરખવાની, નથી શક્તિ પારખવાની, નથી તું જ ધ્યાનની લગની, તથાપિ બાલ તારો છું. મારા નથી જપ તપ કદી કોંધા, નથી કાંઈ દાન પણ દીધા, અધમ રસ્તા સદા લીધા, તથાપિ બાલ તારો છું. પલા અરિહંત દેવ છો પ્યારા, ગુના ના કર માફ મારા, ભૂલ્યો ઉપકાર હું તારા, તથાપિ બાલ તારો છું. ૪ [૧૮૬] Page #190 -------------------------------------------------------------------------- ________________ પા દયા કર દુઃખ સહુ કાપી, અભયને શાંતિ પદ આપી, પ્રભુ હું છું પૂરો પાપી, તથાપિ બાલ તારો છું. કૃપા કર હું નિભાવું છું. સદા હૈયે રિબાઉં છું, પ્રભુ તુજ ધ્યાન ઉર લાઉં, તથાપિ બાલ તારો છું. વીતરાગને ચરણે. દા જ છે ? ૨ ૧૧. ગઝલ રહે છે દૂર પરથી આ, અમારો એકલો આત્મા, સ્વભાવોને ધરીને તે, રહાો છે નિજ ગુણોમાં. કદિ સંકલ્પ વિકલ્પો તણી, નહિ જાળ છે એમાં, અનેરું તત્વ રૂડું આ, વસે છે નિત્ય ભાવોમાં. રસે રૂપે અને ગંધે, સદા ભિન્ન છે આ આત્મા, જરાએ મોહ માયાના, નહીં છે ભાવ કઈ એમાં. ખરું હું તત્વ સમજીને, રહું ચેતન તણા રસમાં, ચિદાનંદી સ્વરૂપ મારું, નિહાળું આજ ભીતરમાં. (૪) સમેટી શક્તિઓ સર્વે, રમુ હું આત્મ ક્રિીડામાં, પ્રકાશે વિશ્વ આખું અહા ! સ્વાભાવિક દિવ્ય તેજોમાં. (૫) -અમૃતચંદ્ર આચાર્ય આત્મોત્થાન ભાગ્ય સર્જક - પા. ૨૪૦ ૧૨. ચિંતન કરો એકાગ્ર મન કરકે, પ્રભુકા રાતદિન સુમરિન, દૂધ કો દૂર કર દિલસે કરો નિજ રૂપકા ચિંતન. - ટેક. હટાકર વાસના સારી મિટાકર દ્વેષ ભય ચિંતા, ત્યાગ કર મનકે સબ છલબલ કરો નિજ રૂપકા ચિંતન. ... [૧૮૭] Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રભુકા નામ નિત જાપકર, ઉનડી કે રૂપમેં ચિત્ત ધર, મિટાકર ઈર્ષા ઉરસે, કરો નિજ રૂપકા ચિંતન. ..... (૨) સભી આકાશાદિ સે, રહિત જો વિશ્વ ભર્તા હૈ, વામી હૈ રૂપ તુમ સબકા, કરો નિજ રૂપકા ચિંતન. (૩) વહી હૈ વિશ્વમેં છાયા, વહી ઘટ ઘટ સમાયા વહી જડ ઔર ચેતનમેં, કરો નિજ રૂપકા ચિંતન. ...(૪) જો ભૂલે રૂપ અપને કો, વહી દર દર ભટકતે હૈ, અતઃ તજ દેહ દર્શન કો, કરો નિજ રૂપકા ચિંતન. .....(૨) ન ભૂલો રૂપ અપને કો , વહ સુખ સાગર અનુઠા હૈ, સદા હિ શાંત ચિત્ત હો કર કરો નિજ રૂપકા ચિંતન. . તુમ્હી હો સત્ય ઔર ચેતન, તુમ્હી હો નિત્ય આનંદઘન, અગર હો શાંતિ પાના, કરો નિજ રૂપકા ચિંતન. .. આત્મોત્થાન ભાગ્ય સર્જક-પા. ૨૪૦ : ૧૩. સંતોકચંદજી કૃત (ગઝલ) શ્રી જૈન વેંન મુગતિ દેન સુગુરૂસે લહ્યા, અસૂર ભૂર દૂર દૂર ભગ ગયા. શ્રી. જૈન. ૧. ' ભવ વાસ ત્રાસ નાશકા ઉપાય હમ લહ્યા, સુદેવ સુગુરૂ ધર્મકા, વિવેક ઉર ભયા. શ્રી જૈન. પારા કુદેવ કુગુરૂ જૂઠ ધર્મ લેશ ના રહ્યા, સમકિત સૂર અતિ સનૂર, પ્રગટ ઘટ ભયા. શ્રી જૈન. ૩ ચિવિલાસ ગુણ રાશ, આત્મમય લહ્યા, નવ તત્ત્વકે યથાર્થભાવ, સુનય સદહા. શ્રી જૈન. ૪ [૧૮૮] Page #192 -------------------------------------------------------------------------- ________________ આદેય જોય હેય જાણ, સ્વપર ભિન્ન કિયા, વિભાવ રાગ ત્યાગ, શુધ્ધ આત્મકો ચહ્યા. શ્રી જૈન. પા સુગુરૂ ચરણ શરણ ભવ વિકટ ભય ગયા, સંતોષ પોષ સુગુણ પોષ, સુગુરૂ ભજ સયા. શ્રી જૈન. ૬ નવપદ પૂજાદિ સંગ્રહ - પા. ૨૯૩ ૧૪. કસ્તુરીબાઈ (ગઝલ) અનંત જ્ઞાન સુખ નિદાન, આત્મ શુધ્ધ ધ્યાઇએ, લખિ નિજસ્વરૂપ શુધ્ધ રૂપ, આપમેં રમાઇએ. અનંત. ૧ાા બુધ્ધ બોધ તત્વ શોધ, નય પ્રમાણે પાઈએ, નિક્ષેપ ધાર જૈન સાર, શૈલીમેં કહાઇએ. અનંત. પર કામ હામ નહિ વિરામ, વિષય વિષ ન ચાહિએ, શુધ્ધ રૂપ ત્રિજગ ભૂપ, અલખ યા લગાઇએ. અનંત. ૩ાા ચિત્ પૂરત થાય હૃદય આપ, જાપ યું જપાઈએ, સુથિર અમાન ગુણ નિધાન, તત્ત્વ ત્રય નિપાઈએ. અનંત વાજા અબોધ જાય દુઃખ નસાય, અમિત તૃપ્તિ પાઈએ, કષાય અનંત ભવ બુઝાય, મૃગમદ સુશાંતિ પાઈએ. અનંત. પાા નવપદપૂજાદિ સગ્રહ - પા. ૪૭૮ ૧૫. ઉપદેશક પદ - (ગઝલ) અરે ઓ ભાઈ જંજાળી, રહ્યો છું મોહમાં માલી, ન જોયું આપ નિહાળી, રહ્યો જડ ભાવને ઝાલી. છે ૧ | [૧૮૯] Page #193 -------------------------------------------------------------------------- ________________ || ૨ || ( ૩ ) | ૪ | | ૫ | કંઈક નિજ હિત સંભાળી, પકડયને પુન્યની ડાળી, કરી માયાજ તે વાહલી, ગુમાવી જીંદગી ખાલી. વરસ પચાસ તો વિત્યાં, કરી ન આત્મની ચિંતા, ન ગાઈ ધર્મની ગીતા, પકડશે કાળ ઓચિંતા. મળીઓ દેહ બહુ મૂલી, ગયો દેવા વિષે ડુલી, પકડી તે પાપની પુળી, કનક મૂકી ધએ ધુલી. મુસાફર બે દિવસનો તું, મુસાફરી બંગલે આવ્યો, નથી આ બંગલો તારો, વૃથા તું બોલમા મારો. કહું છું પ્રેમથી વાહલા, હવે લે હાથમાં માળા, ઉપાધિના તજી ભાલાં, હૃદયનાં ખોલને તાળાં. ઉમર આ રાખમાં રોળી, ન જોયું ચિત્તમાં ખોળી, ગળી તે પર્વની ગોળી, ઉદકમાં જીંદગી બોળી. નથી ઘરબાર આ તારા, નથી સુત દ્રવ્ય કે સારા, ધરિ લે ધર્મની ધારા, કહ્યું તું માની લે મારા. હવે લે ચિત્તમાં ચેતી, ધરમની ખેડને ખેતી, શીખામણ હું કહું કેતી, વૃથા તું પીલ મા રેતી. વિનય મુનિ વદે ભાવે, ગઝલ એ પ્રેમથી ગાવે, સુબોધે સત્ય સમજાવે, સમય આવો ફરી નાવે. I E ! | ૭ | ૧૦ છે પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ - પા. ૩૬૬ ૧૬. રડવા કુટવા વિષે (કવાલી) મૃતક માટે રડી કુટી, કર્મથી શું કરી ભારી, હતો તમને બહુ વહાલો, કરો શું તેહની ખુવારી. [10] Page #194 -------------------------------------------------------------------------- ________________ I ૨ ! ( ૦ ૪ ા | ૫ કર્યું ભેગું તમો કાજે, અનંતી આપદા વેઠી; આવ્યો ખાલી ગયો ચાલી, ભરી પુન્ય પાપની પેટી. અરેરે તેહને ભાતું, દિયો શું છાતીઓ કુટી; હૃદયની રક્ત ધારાઓ, નયનનાં નીરને ચુંટી. | ૩ | આ શીદને રૌદ્ર સ્થાનેથી, કરો ઉભય તણું બુરું; જગત મર્યાદને છોડી, રડી કુટી કરો પુરૂં. મરેલાની પડી કેડે, પછાડા ખાય બહુ ભાવે; મુકી મર્યાદને લજ્જા, લીએ સૌ રાજીઆ સાથે. પડી કેઈ ભર બજારોમાં, શરીરનું ભાન પણ ચૂકે; સંભાળી કેક કાંણોને, ગજાવી ચોક ત્યાં મૂકે. ૫ ૬ છે રાજીઆ ગાતાં કરે મોરો, પછાડીમાં નહિ પોરો; નયનમાં નીર વરસાવી, અંધાપાને કરે ઓરો. ૭ | છાતીમાં મુઠીઓ મારી, કરે છે જાતની ખુવારી; નથી આ રીત કંઈ સારી, બનો કાંઈ મૂરખના યારી. મૃતકની ખોટ રડવાથી, કુટયાથી શું થશે પુરી; દેખાડો બહાર કરવાને, આદત માંડી ખરે બુરી. મરેલાને તમે મારો, નહી ઓ તેહના વાલી; કઢંગા કુરિવાજો થી, ફજેતી થાય છે ઠાલી. || ૧૦ | ખરૂં હિત જો ધારો તેનું, કરો પરમાર્થના કામો કહો શું લઈ ગયો સાથે, વિચારી રાખજો નામો. ખુણા પાળી બહુ લાંબા, નિસાસા મોકલે મૃતને; આ શિષ્યોને ધ્યાને સદા રડતાં; તજે નહિ તપ જપ વ્રતને. ૧૨ : દેખાડો શોગનો રાખી, ખાવામાં શું મૂકો બાકી; ધર્મમાં શોગને રાખી, કરો શું મૃતકને ભારી. ૧૩ | ૮ | I ૯ ! || ૧૧ ના [૧૯૧] Page #195 -------------------------------------------------------------------------- ________________ કઢંગા કુરિવાજો થી, અને આત્મા બહુ ભારી; ગુરુ ઉપદેશ ઉરધારી, લીયો સૌ આત્મ સુધારી. નાગરની અરજ ઉર ધરજો, કુરિવાજોને પરીહરજો; જીનાશાને અનુસરજો, જેથી હો સ્વલ્પ સંસારી. છે ૧૫ પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ - પા. ૩૬૭ + ૧ || ૨ | ૩ | ૧૭. કર્મરાયની વિચિત્રતા અરે કિસ્મત તું ઘેલું, રડાવે તું હસાવે તું; ઘડી ફંદે ફસાવીને, સતાવે તું રીબાવે તું. ઘડી આશામહી વહેતું, ઘડી અંતે નિરાશા છે; વિવિધ રંગો બતાવે તું, હસે તેને રડાવે તું. કેઈની લાખ આશાઓ, ઘડીમાં ધુળધાણી થઈ; પછી પાછી સજીવન થઈ, રડેલાને હસાવે તું. રહી મશગુલ અભિમાને, સદા મોટાઈ મન ધરતા; નિડરને પણ ડરાવે તું, ન ધાર્યું કોઇનું થાતું. વિકટ રસ્તા અરે તારા, અતિ ગંભીર ને ઊંડા; ન મર્મ કોઈ શકે જાણી, અતિ જે ગૂઢ અભિમાની. સદાચારીજ સનતોને, ફસાવે તું રડાવે તું; કરે ધાર્યું અરે તારૂં, બધી આલમ ફના કરતું. અરે આ નાવ જીંદગીનું, ધર્યું છે હાથ મેં તારે; ડુબાવે તું ઉગારે તું, શ્રી શુભવીર વિનવે તુજને. | ૪ | | ૫ | I ૬ ા || ૭ | પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ પા. ૩૬૯ [૧૯૨]. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮. રેફતા જગત હૈ રયણનકા સુપના સમઝકર દેખો કો નહિં અપના, a કઠિન આ લોભની ધારા વહા સબ જાત સંસારા. ઘડા એક નીરકા ફૂટા પત્તા જૈસે ડારસે તૂટા ! જગત. ૧૫ ઐસી નરજાત જિંદગાની અબિ તું ચેત અભિમાની, છે ભૂલો નર દેખ તન ગોરા, જગતમેં જીવના થોરા. .. જગત. એ રા સજન સુત દારા પરિવારા, સબે ઊશ રોજ હૈ ન્યારા, નિકલ જબ જાન જાયેગા, નહિ કોઈ કામ આવેગા.. જગત.૩ સદા મત જાણ આ દેહા, લગાવો જિન રાજશું નેહા, છે કટે યા જન્મથી ધારા, કહે જદુરાય મોહિ તારા. .જગત. એ જ ભા.-૧ - પ. ૩૪૧ ૧૯. સઝાય - ગઝલ જગતે હૈ સ્વાર્થકો સાથી, સમજ લે કૌન હૈ અપના, એ કાયાકાચ કા કુંભા, નાહક તું દેખ કે ફુલતા. જગત. ૧ મનુષ્ય કી ઐસી જિંદગાની, અબિતું ચેત અભિમાની, જીવન કા ક્યા ભરોસા હૈ , કરી લે ધર્મકી કરણી. જગત. મારા ખજાના માલ ને મિલકત, તું કર્યું કહેતા મેરા મેરા, ઈહાં સબ છોડ જાના હૈ, ન આવે સાથ અબ તેરા. જગત. આવા કુટુંબ પરિવાર સુતદારા, સુપન સમ દેખ જગ સારા, નિકલ જબ હંસ જાયેગા, ઉસી દિન હૈ સભી ન્યારા. જગત. ૪ ઇસી સંસાર સાગરમેં, જપે જો નામ જિનવરકો, કહે ખાતિ એહી પ્રાણી હઠાવે કર્મ જંજીરકો. જગત. પા ઉત્તમ સજઝાયમાળા. પા.-૩૩૯ [૧૯૭] Page #197 -------------------------------------------------------------------------- ________________ ૨૦. સજ્ઝાય - ગઝલ કરો ના ક્રોધ રે ભાઈ, પછી મન ખૂબ પસ્તાશે, કરેલી છે કમાણી જે, પલકમાં તે ડૂબી જાશે . દિવસભર જે જમ્યા મેવા, શરીરમાં લોહીને ભરવા, ઘડીભર ક્રોધ કરવાથી, બધું પાણી થઈ જાશે. જીવનભર ભોગ દેવાથી, બન્યા છે જે સ્વજન સાથી, ઘડીભર ક્રોધ કરવાથી, બધા દુશ્મન બની જાશે. ભવોભવમાં તપશ્ચર્યા, કરીને જે કરમ બાળ્યાં, ઘડીભર ક્રોધ કરવાથી, ફરી પાછાં વધી જાશે. દાદાને દરબારા - પા. ૨૯૦ ૨૧. ગુરુ સ્તુતિ-ગઝલ તમે હાજર નથી તો આ, બધું સુનકાર લાગે છે, અહીં છે રોશની તો એ, મને અંધકાર લાગે છે. નેનના પાત્રમાં ભરીને, પખાળું પાયને એના, પુનિત આત્મા તણી મુજને, હવે તો ખોટ સાલે છે. તમે શાસનની સેવામાં, નવી જ્યોત જલાવી છે, સાચો રાહ ચીંધીને હમારી આશા દીપાવી છે. સમર્પણ ભાવ લાવી, વિનવીએ આપને આજે, જરા દર્શન તો આપો દેવ, શાસન સેવના કાજે. પૂ.સા.શ્રી. વીરેશાશ્રીજી શ્રી હેમેન્દ્ર સૌરભ તત્વકણિકા - પા. - ૩ [૧૯૪] ul રા ઘણા જા Page #198 -------------------------------------------------------------------------- ________________ અત્યંત - અક્ષયનિધિ - પર્યુષણની આરાધના કરવા માટેનું ૧૫ દિવસનું તપ. પ્રભુ પૂજા માટે આઠ દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે. જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ અષ્ટદ્રવ્ય - આર્તધ્યાન - આધિ, વ્યાધિ અને ઉપાધિની સતત ચિંતાવાળી મનની પરિણતી-પરિણામ. કલ્યાણક - શબ્દ નોંધ અરિહંત, વીતરાગ, જિનેશ્વરનો પર્યાયવાચી શબ્દ. આંતરબાહ્ય શત્રુઓ પર વિજય મેળવનાર હોવાથી અરિહંત કહેવાય છે. રાગ અને દ્વેષથી સર્વથા મુક્ત થયા હોવાથી વીતરાગ અને ઇંદ્રિયોના વિષય-વિકાર પર વિજય મેળવ્યો હોવાથી જિનેશ્વર કહેવાય છે. ધર્મધ્યાન - ગુણસ્થાનક - આત્માનો વિકાસક્રમ દર્શાવતી અવસ્થાઓ The evolution of Soulor the Spiritual development of the Soul ગુપ્તિ - સમ્યક્ પ્રકારે ઉપયોગપૂર્વક નિવૃત્તિ-પ્રવૃત્તિ કરવી. તેનું નામ ગુપ્તિ. જે ત્રણ પ્રકારની છે. મન તૃપ્તિ-આર્ત અને રૌદ્ર ધ્યાનમાંથી મનને નિવૃત્ત કરવું, વચન ગુપ્તિ – નિર્દોષ વચનવાણીનો ઉપયોગ કરવો. કાર્યગુપ્તિ - કાયાને સાવધ વ્યાપારમાંથી રોકીને નિરવધ વ્યાપારમાં જોડવી ઘનઘાતી - ભગવાનના જીવનના મહામંગલકારી પાંચ દિવસો, ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ. જેના ચિંતન અને મનનથી આત્માની મોહનીય કર્મની સ્થિતિ ક્ષીણ થાય. આત્મરમણતા કેળવાય. ધર્મભાવનામાં વૃધ્ધિ થાય તેવી મનની એકાગ્ર સ્થિતિ. જૈન દર્શનમાં આઠ કર્મની માન્યતા છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર, [૧૯૫] Page #199 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ - ત્રિકરણ - તત્ત્વત્રયી - ત્રિપદી - નય - નિક્ષેપ - નિગોદ - નવતત્ત્વ · રતત્રયી - રૌદ્રધ્યાન - અને અંતરાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મો આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણના વિકાસમાં વધુ અવરોધક હોવાથી ઘાતીકર્મ કહેવાય છે. આ ચારનો સમૂહ તે ઘનઘાતી. કુદેવ, કુગુરુ અને કુધર્મની શ્રદ્ધા અને ઉપાસના મન, વચન અને કાયાના શુભ પરિણામથી પૂજા-ભક્તિઉપાસના, ક્રિયા, તપ આદિ ક૨વું. તેવી મનની એકાગ્ર સ્થિતિ. દેવ ગુરુ અને ધર્મ ‘ઉપશેઇવા વિગમેઇવા, ધ્રુવેઇવા’’ પ્રભુજીના મુખે બોલાયેલાં ઉપરોક્ત ત્રણપદ. આ વચનો સમુદ્ર સમાન ગંભીર રહસ્યમય છે. ભગવાન પોતાના ગણધરને ત્રિપદી દ્વારા ઉપદેશ આપે છે. વસ્તુ કે તત્ત્વના સ્વરૂપને જાણવાની દૃષ્ટિ. વિવિધ ધર્માત્મક વસ્તુમાં ઇતર ધર્મોના અપલાપ વિના દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિના કારણે એક ધર્મની પ્રધાનતા. વસ્તુ તત્ત્વનો સાપેક્ષ પણે વિચાર કરવાની પધ્ધતિ. કોઇ પણ પદાર્થ કે વસ્તુને સમજાવવા માટેનો માર્ગ, તેના ચાર પ્રકાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. અનંતાનંત જીવવાળી વનસ્પતિમાંની એક અવસ્થા, એક શરીરમાં અનેક જીવો છે તેવી સ્થિતિ. જૈન દર્શનની દષ્ટિએ વિશ્વ સ્વરૂપ સમજવા માટેની વ્યવસ્થા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ નિર્જરા, મોક્ષ. સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર. કાયિક, વાચિક, અને માનસિક રીતે હિંસા, અસત્ય, ચોરી અને દ્રવ્યોપાર્જનમાં આસક્ત માણસના ક્રૂર વિચારો, અતિઅધમ પાપાચાર સેવનની સ્થિતિ. [૧૯૬] Page #200 -------------------------------------------------------------------------- ________________ વિભાવ - આત્મા કર્મોના આવરણથી સંસારમાં પરિભ્રમણ કરે છે. આત્મા પૌત્રલિક-જડ પદાર્થોમાં મમત્વ ભાવ રાખે છે એટલે પોતાના શુદ્ધ સ્વરૂપને પામી શકતો નથી. જીવાત્માની આવી સ્થિતિ-દશાને વિભાવ કહેવામાં આવે છે. સમિતિ - એકાગ્ર પરિણામવાળી શુભ ક્રિયા-પ્રવૃત્તિ, ઇર્યાસમિતિ માર્ગમાં જતાં આવતાં ઉપયોગ- જયણા રાખવી. ભાષાસમિતિ - શાસ્ત્ર વિધિ અનુસાર આહાર-ગોચરી પ્રાપ્ત કરવી. આદાન સમિતિ - વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણો પ્રમાર્જના કરીને લેવાં. ઉત્સર્ગ સમિતિ - લઘુશંકા-ગુરુશંકા-વસ્ત્ર-પાત્ર આદિનો શાસ્ત્રવિધિ અનુસાર ત્યાગ કરવો. ક્ષાયિક સમકિત - દર્શન મોહનીય કર્મના સપ્તકના સર્વથા ક્ષયથી પ્રાપ્ત થયેલું સમકિત. ક્ષપકશ્રેણિ - મોહનીય કર્મનો નાશ કરતાં કરતાં ગુણ સ્થાનકમાં આગળ વધવું ૮થી૧૧ ગુણસ્થાનક સુધી આવી સ્થિતિ હોય છે. સંદર્ભ ગ્રંથસૂચી આત્મોત્થાન યાને ભાગ્ય સર્જક નવનિર્માણ. સંપા. આ. ચિદાનંદમુનિ પ્રકા. પદ્માવતી પ્રકાશન ઝવેરી સ્ટોર્સ ગોપીપુરા, સુરત. સં.૨૦૫૪ આદર્શ સઝાયમાળા ! પ. પૂ.પં. યશોભદ્રવિજયજી પ્રકા. શાહ જાદવજી લલ્લુભાઈ ૨૪૫, કાલબાદેવી રોડ, મુંબઈ - ૨. સંવત ૨૦૧૦ આવૃત્તિ બીજી ઉત્તમ સ્તવનાવલી સંપા-કુંવરજી આણંદજી ભાવનગર ઈ.સ. ૧૯૯૬ [૧૯૭] Page #201 -------------------------------------------------------------------------- ________________ છીપનો ચહેરો સંપાદકો- અમૃત ઘાયલ, મકરંદ દવે પ્રકા. સાહિત્ય ભારતીય ટ્રસ્ટ ૭૮ નવયુગ સો. વિલેપાર્લે (વેસ્ટ) મુંબઈ-૫૬ દાદાને દરબાર સંપા. ગણિ મુક્તિચંદ્રવિજય પ્રકાશક- મોતીલાલ બચુભાઈ સાવલા મનફરા (કચ્છ) સં. ૨૦૫૩ પ્રથમ આવૃત્તિ નિત્ય જિન ગુણ મણિમાળા સં. ગ્રા. મુનિ મેરૂવિજય પ્રકાશક- ન્યાલચંદ ઠાકરશી લીંચ – જ્ઞાન મંદિર – સં. ૧૯૯૬ (૨) નૂતન સ્તવનાવલિ ચોથી- આવૃત્તિ પ્રકાશક- મીઠાભાઈ ગુલાબચંદની પેઢી કપડવણજ ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો પદ્ય વિભાગ પ્રો. મંજુલાલ મજમુંદાર પ્રકા. આચાર્ય બુક ડેપો વડોદરા ગુજરાતી પ્રતિનિધિ ગઝલો સંપા. ચિનુ મોદી પ્રથમ આવૃત્તિ-૧૯૯૬ પ્રકા. સાહિત્ય અકાદમી - ન્યુ દિલ્હી ગુજરાતી ગઝલની સૌન્દર્યમીમાંસા લે. ડો. રશીદમીર પ્રથમ આવૃત્તિ-૧૯૯૨ પ્રકા. ડો. રશીદમીર ૧૫૫, સબીના પાર્ક, આજવા રોડ વડોદરા - ૩૯૦૦૧૯ [૧૯૮] Page #202 -------------------------------------------------------------------------- ________________ ગઝલનું છંદશાસા બીજી આવૃત્તિ લેખક-જમિયત પંડ્યા ઇ. સ. ૧૯૭૮ શિરીષચંદ્ર જે. પંડ્યા, ૭/૪ર૧૩, ગલેમંડી પસ્તાગીયા હાઉસ સુરત. જૈન ગુર્જર સાહિત્ય રત્નો ભા.ર - સં. ૨૦૧૯ પ્રકા. નગીનદાસ મધુભાઈ - સુરત. ગઝલ: કલા અને કસબ લે. અમૃત ઘાયલ પ્રકા. પ્રવીણ પુસ્તક ભંડાર ઢેબર રોડ, રાજકોટ, પ્રથમ આવૃત્તિ-૧૯૯૭ શ્રી પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ પં. શ્રી તિલકવિજયજી ગણિવર પ્રકા.- ભાભેર જૈન સંઘ પુસ્તકાલય . સં. ૧૯૯૩ પૂજા સંગ્રહ પ્રકા. દીપચંદ નાહટા શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ ૧૨૫, મુક્તારામ બાબુ સ્ટ્રીટ, કલકત્તા. ઈ.સ. ૧૯૮૭ પૂજા તથા સ્તવન સંગ્રહ લે. વલ્લભવિજયજી પ્રકા. સંઘવી શાહ ખીમચંદ દીપચંદ વડોદરા. સંવત ૧૯૬૭ ભાવના સંગ્રહ લે. શ્રીમદ્ રાજચંદ્ર પ્રકા. શાહ મોહનલાલ ચીમનલાલ શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ વડવા- ખંભાત. . સ. ૧૯૪૮ આવૃત્તિ ત્રીજી ભાવના ભવનાશિની મુનિશ્રી અરૂણવિજયજી પ્રકા. શ્રી વડોદરા શહેર સમસ્ત જૈન સંઘ - વડોદરા સંવત-૨૦૩૯ યોગશાસ્ત્ર - ભાષાંતર સંપા. વિજયકેશર સૂરિ મ.સા. ગિરિવિહાર, તળેટી રોડ, પાલિતાણા : આવૃત્તિ - છઠ્ઠી સંવત-૨૦૩૩ [૧૯૯] Page #203 -------------------------------------------------------------------------- ________________ વીતરાગને ચરણે સંપા. પં.શ્રી પ્રબોધચંદ્ર વિજયગણિ પ્રકા.- વડાચૌટા સંવેગી જૈન ઉપાશ્રય સુરત - ઇ.સ. ૧૯૮૩ વિવિધ પૂજા સંગ્રહ પ્રકા. જેશીંગભાઇ છોટાલાલ સુતરીયા લુણસાવાડા-અમદાવાદ ૧૧મી આવૃત્તિ ઇ.સ. ૧૯૨૮ વિવિધ પૂજા સંગ્રહ પ્રકા. જૈન પ્રકાશન મંદિર ડોશીવાડાની પોળ, અમદાવાદ. ચોથી આવૃત્તિ - સંવત-૨૦૨૬ શ્રી શાંતિનાથ પંચકલ્યાણક પૂજા પૂ.આ. વલ્લભસૂરિ મ.સા. શ્રી આત્માનંદ જૈન સભા અંબાલા. (પંજાબ) ઇ.સ. ૧૯૨૫ સ્તવનાવલિ. આ. વલ્લભસૂરિ મ.સા. પ્રકા. વિજયવલ્લભસૂરિ સેવા સમિતિ શાહ ઉત્તમચંદ લીખાચંદ, સરદાર પટેલ પૂના - ૫૨૧, સંવત ૨૦૪૪ - સુભાષિત પદ્ય રત્નાકર ભાગ-૨ સંપા.- મુનિરાજ શ્રી વિશાલવિજયજી પ્રકા. દીપચંદ બાંઠીયા શ્રી વિજયધર્મસૂરિ ગ્રંથમાળા છોટા સફારા, ઉજ્જૈન. પ્રથમ આવૃત્તિ સંવત ૧૯૯૨ શ્રી હેમેન્દ્ર સૌરભ તત્ત્વકણિકા સંપાદિકા. પૂ. વીરેશાશ્રીજી સા.મ.સા. પ્રથમ આવૃત્તિ. સંવત ૨૦૫૨, સમાપ્ત, [200] Page #204 -------------------------------------------------------------------------- ________________