SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરોક્ત ઉદાહરણો દ્વારા મધ્યકાલીન અને અર્વાચીન પ્રણાલિકા અનુસાર કવિના નામની સાથે અન્ય વિગતો ઉપલબ્ધ થાય છે. જૈન સાહિત્યની ગઝલોમાં બાહ્ય આકાર જોઈ શકાય છે પણ તેનો આંતર દેહ ગઝલના ભાવને સ્પર્શતો નથી. કેટલીક ગઝલો તો માત્ર માહિતી પ્રધાન છે તો વળી અન્ય ગઝલોમાં આકારની સાથે અંતસ્તત્વ પણ રહેલું છે. તેમાં રસ-ભાવ-ચિંતન જેવાં લક્ષણો જોઈ શકાય છે. જૈન સાહિત્યની ગઝલોનો અભ્યાસ કરતાં એમ લાગે છે કે લગભગ ૩૧૫ વર્ષ પહેલાં સ્થળ વર્ણનની માહિતીપ્રધાન અને વર્ણનાત્મક ગઝલો રચાઈ હતી ત્યાર પછી ક્રમશઃ વિષય વૈવિધ્ય અને રસ-ભાવ પૂર્ણ ગઝલો રચાઈ છે. સમકાલીન મુસ્લિમ શાસનના પ્રભાવથી ગઝલો રચી હોવાનું માનવામાં આવે છે, તેમ છતાં આ શાસનકાળ વીતી ગયો અને નવા વિષયોમાં ગઝલોની પરંપરા ચાલુ રહી છે. તેમાં સાંપ્રદાયિકતાનું લક્ષણ હોય તે તો સ્વાભાવિક છે છતાં તેમાં માનવતા પ્રેરક વિચારોનું નિરૂપણ થયેલ હોવાથી ગુજરાતી ભાષાની ગઝલોમાં પોતાની અસ્મિતા ટકાવી રાખે છે. જૈન સાહિત્યની ગઝલોમાં લગાગાગા ચાર આવર્તનોનો ૨૮ માત્રાનો હજ મુસખ્ખન સાલેમ છંદ કુશળતાપૂર્વક પ્રયોજાયો છે. ગુજરાતી ભાષાની પ્રારંભની ગઝલોમાં બાલાશંકર કંથારિયા, કવિ કાન્ત, મણિલાલ દ્વિવેદી વગેરે કવિઓએ તેનો જ પ્રયોગ કર્યો છે. ગુજરાતી ભાષાની ગઝલોમાં એનો રંગ, મિજાજ અને પ્રવાહિતામાં જરા પણ ઉણપ નથી. જૈન સાહિત્યનું વસ્તુ સાંપ્રદાયિક છે તેમાંથી પણ ગઝલની મસ્તી અને મિજાજ નિહાળી શકાય છે. પ્રારંભની ગઝલોમાં પ્રાસ મેળવવા માટે શબ્દોની તોડફોડ કરીને બાહ્ય રીતે ગઝલ છે એમ દર્શાવવાનો પ્રયત્ન થયો છે. ત્યાર પછીની ગઝલોમાં આવું વલણ જોવા મળતું નથી. કવિઓએ ગુજરાતી હિન્દી ભાષાનું મિશ્રણ કર્યું છે. [૩૦] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy