SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૨ જૈન સાહિત્યની ગઝલો જૈન સાહિત્યમાં ગઝલોનો પ્રારંભ સ્થળવર્ણનથી થયો છે. વડોદરા, સુરત, ચિત્તોડ, ઉદેપુર, પાલનપુર જેવાં શહેરોનું વર્ણન કરતી ગઝલો પ્રાપ્ત થાય છે. જૈન સાધુ કવિઓએ યુગધર્મને ઓળખીને સમકાલીન પ્રવાહ સાથે એકરૂપ થવા માટે ગઝલોનું સર્જન કર્યું હોય એમ માનવાને કારણ મળે છે. રાજદરબારની ફારસી ભાષા સાધુઓએ શીખી લીધી અને તેનો ગઝલોમાં પ્રયોગ કર્યો હતો. સિધ્ધિચંદ્ર ગણિને અકબર બાદશાહ તરફથી ખુશફહમ” નો ઈલ્કાબ મળ્યો હતો. સ્થળવર્ણનની ગક્લોનો પ્રારંભ ૧૮મી સદીમાં થયો છે. જૈન સાધુઓએ તીર્થ માહાભ્યને લગતાં કાવ્યો રચ્યાં હતાં. પુરાણોમાં જેમ કાશી માહાભ્ય, ગયા માહાભ્યની સમાન જૈન તીર્થોનો મહિમા ગાયો હતો. જૈન સાહિત્યમાં જિનપ્રભસૂરિની રચના “વિવિધ તીર્થકલ્પ' આ પ્રકારની કૃતિ છે જેમાં તીર્થોની ઐતિહાસિક ધાર્મિક અને ભૌગોલિક માહિતી ગૂંથી લેવામાં આવી છે. સંસ્કૃતપ્રાકૃત ભાષાની આ કૃતિઓનો પ્રભાવ સ્થળવર્ણનની ગઝલો પર પડ્યો હોય એમ અનુમાન કરવામાં આવે છે. આ પ્રકારની ગલ્લો મનોરંજન તથા માહિતી પ્રધાન હોઈ તેમાં કવિત્વના અંશોનું પ્રમાણ અલ્પમાત્રામાં છે. વર્ણન કૌશલ્ય ને માહિતી સભર હોવાથી તેનો બાહ્ય આકાર ગઝલનો છે પણ આંતરદેહમાં કવિત્વનાં લક્ષણો નહિવત્ જણાય છે. જૈન સાહિત્યમાં સ્થળવર્ણનની ગઝલો એ ગઝલની પ્રાથમિક અવસ્થા દર્શાવે છે. આ ગઝલોને લોકસાહિત્યના એક અંગરૂપે મૂલવવામાં આવે તો યથાર્થ લેખાશે. ઐતિહાસિક માહિતી મેળવવા માટે આવી ગઝલોને આધારભૂત સાધન ગણાય છે. મુસ્લિમ શાસનના પ્રભાવથી રેખતા અને ગઝલ પદબંધનો આશ્રય [૧૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy