SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાયવીરવિજયજીએ ભક્તિ - માર્ગની લોક પ્રચલિત સ્તવનોની રચનામાં “ગઝલ' નો પદબંધ સ્વીકાર કર્યો હતો. એમણે સ્તવન ચોવીસીને : અંતે કળશ રચનામાં રેખતાનો પ્રયોગ કર્યો છે. જૈન કવિઓની મોટા ભાગની કૃતિઓમાં દેશીઓનું અનુસરણ થયું છે. તેની સાથે સમકાલીન પ્રભાવથી ગઝલ-રેખતાનો પ્રયોગ થયો છે. કવિ હંસવિજયના પૂજા સાહિત્યમાં ગઝલોનો પ્રયોગ થયો છે તેમાં ગિરનારમંડન નેમિનાથ ભગવાનનાં ગુણગાન સાથે તીર્થમહિમા વર્ણવ્યો છે. આ વર્ણનમાં દેશીઓની સાથે ગઝલનો પ્રયોગ થયો છે. વિષયની દષ્ટિએ હંસવિજયનું નામ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. જૈન સાહિત્યની ગઝલોમાં મુખ્યત્વે તીર્થકર ભગવંતના જીવન પ્રસંગો દ્વારા ભક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે. ત્યાગ અને વૈરાગ્યની ભાવનાનું પોષણ અને આત્મસ્વરૂપ પામવા માટે અનિવાર્ય ગુણોનું સંવર્ધન થાય તેવા પ્રેરક વિચારો પ્રગટ થયેલા છે. માનવતાના દૃષ્ટિકોણને કેન્દ્રમાં રાખીને પણ કેટલીક ગઝલોનું સર્જન થયું છે. જેમાંથી વ્યક્તિના વ્યક્તિત્વને ઉદાત્ત બનાવવામાં ચિંતનાત્મક વિચારો સ્થાન પામેલા છે. ભક્તિ, યોગ કે જ્ઞાન ગમે તેનો આશ્રય લેવામાં આવે પણ તે સાધન છે, સાધ્ય નથી એવો દઢ સંકલ્પ કરીને સાધન દ્વારા સાધ્ય-આત્માની મુક્તિ છે તે લક્ષમાં રાખીને આત્માના શાશ્વત સુખની એક અને અવિચ્છિન્ન મહત્વકાંક્ષા પરિપૂર્ણ થાય તે માટેના વૈવિધ્ય સભર વિચારો ગઝલોમાં સ્થાન પામ્યા છે. ગઝલમાં જે મિલન-વિરહ જેવા ભૌતિક પ્રણયની અભિવ્યક્તિ હોવી જોઈએ તેને બદલે આ ગઝલોમાં અધ્યાત્મ પ્રેમ-વિરહ-મિલનની હૃદયસ્પર્શી ભાવવાહી પ્રાર્થના જેવી આધ્યાત્મિક વાણી વણાઈ ગયેલી છે. પ્રેમનાં સર્વ પ્રકારોમાં શ્રેષ્ઠ પ્રભુ પ્રેમ છે. એવો . પ્રધાન સૂર વારંવાર પ્રગટ થયો છે. ગઝલમાં વિષય વૈવિધ્યની દષ્ટિએ વિચાર કરતાં લબ્ધિસૂરિ પછી વલ્લભસૂરિનું સ્થાન આવે છે. એમણે પરંપરાગત વૈરાગ્ય-બોધવાળી ગઝલો [૨૦] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy