SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ “ગઝલના કાવ્ય રૂપને સંયોજીને એક નવીન સંસૃષ્ટિરૂપ gross genere) સર્જવાના આશયથી ગઝલકાર પ્રયોગ તત્પર બને છે. આવાં સંયોજનો સૉનેટ-ગઝલ, દુહા-ગઝલ, ગઝલ-મુક્તક, ગીત-ગઝલ, ઠુમરી-ગઝલ, એમ થતાં રહ્યાં છે.'' (૭) ‘‘ગઝલમાં લય સાધ્ય કરવામાં સંગીતનું પ્રદાન વિશેષ મહત્વનું છે. તેના દ્વારા સ્વરતાલના સાતત્યને લીધે એકાગ્રતાનું વાતાવરણ સર્જી શકાય છે. આવી એકાગ્રતા જ સફળતાનું સૂચન કરે છે. ''(૮) ગુજરાતી ભાષામાં પ્રારંભની ગઝલો છંદ પૂરતી જ સીમિત હતી. બાલાશંક૨ કેથારિયાની ગઝલનું ઉદા. જોઇએ તો “ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.'' -મણિલાલ નભુભાઇ દ્વિવેદી ‘અહા ? હું એકલો દુનિયા બિયાબાંમાં સૂનો ભટકું રઝળતો ઇશ્કને રસ્તે, અહીંતહીં આંધળો અટકું' (૧૦) -કવિકલાપી “યારી ગુલામી શું કરું, તારી સનમ ગાલ ચૂમું કે પાનીએ તુને સનમ.' (૧૧) આ ગઝલો ભૈરવી રાગમાં ગવાતી હતી તે ઉપરથી ગઝલનું શાસ્ત્રીય રાગ સાથેનું સંયોજન થયેલું લાગે છે. (e) "" Jain Education International “ગઝલના છંદો માત્રામેળ છે. આ છંદો એટલાબધા સ્થિતિસ્થાપક છ `કે ચતુષ્કલ, પંચકલ, ષટ્કલ, સમકલ એમ ગમે તે રીતે વાંચી શકાય છે. અર્થાત્ કહ૨વા, માળી, ત્રિતાલપંજાબી, ઝપતાલ, દાદરા, એકતાલ, રૂપક કે દીપચંદી એમ જુદીજુદી માત્રાવાળા તાલમાં સહેલાઇથી બેસાડી શકાય છે. રાગોનું મિશ્રણ કાવ્યના ભાવમાં અતિસુદંર લાગે છે. ગઝલનું માધ્યમ [૨૩] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy