SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ગઝલના છંદને બહેર કહેવામાં આવે છે. ગઝલમાં ૧૦૦૦ ઉપરાંત છંદોનો પ્રયોગ થયો છે. શેરની પહેલી પંક્તિને ઉલા અને બીજી પંક્તિને સાની કહેવાય છે. ' ટૂંકમાં કહીએ તો ગઝલમાં મલાથી રદીફ અને કાફિયા ઉપરાંત બહેર નક્કી થાય છે. ગઝલના બાહ્ય સ્વરૂપની ઉપરોક્ત માહિતી તેના વિશે પ્રકાશ પાડે છે. ગઝલ એ કાવ્ય છે તે દષ્ટિએ, તેમાં તેના બાહ્યદેહની સાથે આંતર કાવ્યનાં લક્ષણોવાળું હોવું જોઈએ. ગઝલમાં પ્રણયની અનુભૂતિ ફિલસૂફની માફક વ્યક્ત કરવામાં આવે છે. ગઝલના વિષયો જીવન અને મૃત્યુ પછીની પરિકલ્પનાઓ સુધી વિસ્તાર પામ્યા છે. પ્રણયની અનુભૂતિ, મિલન-વિરહ, તડપનની વૈવિધ્યપૂર્ણ અભિવ્યક્તિ એ ગઝલનું પરિબળ છે. સૂફીવાદની પ્રણય વિષયક વિચારધારાનો ગઝલમાં આવિર્ભાવ થયો છે. ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી એમ બે પ્રકારની અભિવ્યક્તિ કરનારી ગઝલો છે. ગઝલના આંતરદેહનો વિચાર કરતાં એમ કહી શકાય કે ગઝલ એ પ્રેમની જબાન છે. ગીત અને ઊર્મિકાવ્યના વિષયો ગઝલમાં સ્થાન પામ્યા છે. ગઝલકારની અભિવ્યક્તિ ભાવવાહી અને રસિક હોવાથી હૃદયસ્પર્શી બને છે. - પ્રણયભાવના કે પ્રેમ માનવ જીવનનું અતિપ્રેરક પરિબળ છે એટલે કવિઓએ તેનો મહિમા વિવિધ રીતે ગાયો છે. આ પ્રેમ ભૌતિક હોય કે આધ્યાત્મિક પણ હોય પરિણામે આવી ગઝલો શ્રોતાઓ – વાચકોને રસનિમગ્ન કરવાની ઊંચી ક્ષમતા ધરાવે છે. ગઝલમાં ગેયતા - લય તો હોય છે જ પણ તેની સાથે અલંકારો, પ્રતીક, કલ્પન ના પ્રયોગ, માનવ ચિત્તની સંવેદના – ભાવ જગતને વ્યક્ત કરવામાં ઉપયોગી બને તેવી રીતે વણાયેલાં હોવા જોઈએ. [૧૫] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy