SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરોક્ત ઉદાહરણોને આધારે એવો નિષ્કર્ષ તારવવામાં આવે છે કે જૈન સાહિત્યની ગઝલો પદબંધ તરીકે મોટે ભાગે ગઝલના છંદશાસ્ત્ર કરતાં શાસ્ત્રીય રાગ-દેશીઓ અને ચાલને અનુસરીને સર્જાઈ છે. તે દષ્ટિએ ગઝલોનું મૂલ્યાંકન કરતી વખતે છંદશાસ્ત્ર (અરબી-ફારસીના) કરતાં કવિઓએ ગઝલના લય-રાગને અનુસરીને રચના કરી છે એ વાત ધ્યાનમાં લેવી અનિવાર્ય બને છે. સાહિત્ય સર્જનમાં પરંપરા અને પ્રયોગને પણ સ્થાન આપવામાં આવ્યું તે દષ્ટિએ વિચારીએ તો ગઝલોમાં પણ પ્રયોગો થયા છે. જૈન સાહિત્યની ગઝલોમાં આવા પ્રયોગનું વલણ જોવા મળે છે. છંદશાસ્ત્રના નિયમ પ્રમાણેની ગઝલો સિવાય અન્ય ગઝલો રચાય છે તે માટે જમિયત પંડ્યાના વિચારો નોંધવામાં આવ્યા છે. “છંદ શાસ્ત્રમાં ગઝલ અને તે સિવાય બંધારણપૂર્વકના અન્ય ઘણા પ્રકારો છે. વર્તમાન સમયની ગઝલોમાં પ્રાસાનુપ્રાસને કારણે ભાવસાતત્ય સાવંત જળવાઈ રહે તે પ્રકારે રચાયેલી ઘણી ગઝલો પ્રસિધ્ધ થતી રહે છે. આ પધ્ધતિને “નઝમ' પ્રકારની ગઝલો તરીકે ઓળખાય છે. ભાવ સાતત્ય જાળવી શકાય તેવી ગઝલ સિવાય અન્ય ચૌદ પ્રકારો છે. ૧ ગઝલ, ૨ મુક્તક, ૩ રૂબાઈ, ૪ નઝમ, ૫ પરંપરિત, ૬ આઝાદબહર, ૭ મુરબ્ધ, ૮ મુસલ્લસ, ૯ મુખમ્મસ, ૧૦ મુસલ્સ, ૧૧ મુસમ્મન, ૧૨ મુઅશર, ૧૩ તઝમીન, ૧૪ હિકાયાત, ૧૫. મસનવી. - ગુજરાત, દક્ષિણ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં જઈ વસેલા મુસ્લિમ વિદ્ધાનો અને સૂફીસંતોએ મસનવીઓ લખી છે. તેમજ હિમાયતો પણ લખાઈ છે. આ ગઝલની બહેરોમાં સળંગ કથાવસ્તુઓ, ઉપદેશો, પ્રેમકથાઓ તેમજ પ્રશસ્તિ કાવ્ય પ્રકારો ઉર્દુ, પંજાબી, સિંધી વગેરે ભાષાઓમાં લખાયેલ છે. વર્તમાન સમયમાં આ પ્રકારોનો ક્યાંય ઉપયોગ થતો નથી. ગુજરાતના કેટલાક સ્થળોએ વસેલા સંત કવિઓએ લાંબાં ખંડકાવ્યો, મસનવીઓ અને હિકાયત [૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy