________________
શ્રી ગૌસ્તુભ
[ પાંચમી
• કરનાર યમાદિ,) નિજેરા, (તપ,) બંધ ને મેક્ષ એ નવ તત્ત્વનો
સ્વાદતિ, (કોઈક પ્રકારે છે, જે સ્થાનાસ્તિ, (કોઈક પ્રકારે નથી, ) સ્વાદસ્તિ, ચ નાસ્તિ ચ. (કઈક પ્રકારે છે, અને નથી, ) સ્યાદવક્તવ્ય (કાઈક પ્રકારે અવક્તવ્ય છે,) સ્વાસ્તિ ચાવક્તવ્ય%, (કોઈક પ્રકારે છે, અને અવક્તવ્ય છે,) સ્વાન્નતિ ચાવક્ત ૨ (ઈક પ્રકારે નથી. ને અવક્તવ્ય છે, ) ને સ્વાદતિ ચ નાસ્તિ ચાવક્તવ્ય (કોઈક પ્રકારે છે ને નથી, તથા અવક્તવ્ય છે કે એ સપ્તભંગી ન્યાયવડે વિચાર કરવાથી તથા મહાવ્રતનું ( અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહનું) યથાર્થ પાલન કરવાથી જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, આંતર્ય, વેદનીય, નામિક, ગેનિક ને આયુષ્ક આ આઠ પ્રકારનાં કર્મોથી અત્યંત રહિત થઈ સિદ્ધરૂપે લેશઝમાં સ્થિતિ કરવારૂપ મેક્ષને પામે છે, માટે પૂર્વોક્ત ઘાલી ને અઘાતી આઠ કર્મોને નિવૃત્ત કરવા ઉદ્યમી થવું એજ કર્તવ્ય છે, યોગા છાન કર્તવ્ય નથી.
સમાધાનઃ–પ્રમેયનો યથાર્થ નિર્ણય બુદ્ધિની અત્યંત નિર્મલતાવિના થઈ શકતો નથી, ને બુદ્ધિની અત્યંત નિર્મલતા કઈ પણ ઉચ્ચતમ પદાર્થમાં (અહીં આત્મસ્વરૂપમાં) તેની એક ગ્રતા સિદ્ધ થયા વિના થઈ શકતી નથી, ને તે એકાગ્રતા સિદ્ધ કરવામાં યોગજ મુખ્ય ઉપાય છે, એ વાર્તા નિવવાદ છે. વળી મહાવત પણ યમની પરિપકવ અવસ્થાનું નામ છે. એ યમ યોગની આઠ અંગોમાંનું એક અંગ છે માટે તે યમ સિદ્ધ થયા પછી બીજાં સાત અંગે સિદ્ધ કરવાનાં બાકી રહે છે તે સિદ્ધ કરવાં જોઈએ. એ પ્રમાણે
ગ સાધવાથી જ કૃતાર્થપણું કુરે છે, અન્યથા ફુરતું નથી. વેગનું અનુષ્ઠાન કરવાથી પ્રકૃતિ અને પ્રકૃતિનાં વિવિધ કાર્યોનું પુરુષને અત્યંત અદર્શન થાય છે. આમ સ્વરૂપમાં સ્થિતિ થયે સ્વસ્વરૂપને બ્રહ્મથી અભેદ અનુભવાય અને સ્થાદિ ઉપાધિની અત્યંત નિવૃત્તિ થઇ જાય તે મેક્ષ છે. લેકાગ્રમાં સિદ્ધશિલાના મધ્યભાગમાં ૩૩ ધનુષ પરિમાણુના પ્રદેશમાં સિદ્ધપુરુષે સ્થિતિ કરવી એ મેક્ષ નથી. સિહનું