________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
કરાયો. સ્નેહભાવ બતાવાયો=વૈશ્વાનર દ્વારા મંદિવર્ધનને સ્નેહભાવ બતાવાયો. અમારા બેનો સ્નેહભાવ અત્યંત થયો. મૈત્રી થઈ=વૈશ્વાનર સાથે મૈત્રી થઈ, તેથી જ્યાં જ્યાં હું ક્યાંય ઘરમાં કે બહાર જઉં છું ત્યાં ત્યાં આ=વૈશ્વાનર, એક ક્ષણ પણ મને મૂક્તો નથી. તેથી વૈશ્વાનરની સાથે મૈત્રી કરવાને કારણે નિજચિત્તની મધ્યમાં મારા ઉપર પુણ્યોદય રોષ પામ્યો. અને તેના વડે ચિંતવન કરાયું, ખરેખર મારો રિપુ આ વૈશ્વાનર છે, તોપણ આ રીતે અવિશેષજ્ઞ એવો આ નંદિવર્ધન=મારા સ્વરૂપને નહીં જાણનારો એવો આ નંદિવર્ધન, જે કારણથી અનુરક્ત એવા મને અવગણના કરીને સમસ્ત દોષરાશિરૂપ પોતાના પણ પરમાર્થવેરી એવા આની સાથે=વૈશ્વાનરની સાથે, મૈત્રી કરે છે અથવા આમાં શું આશ્ચર્ય છે ?=નંદિવર્ધન પોતાના વૈરી સાથે મૈત્રી કરે છે તેમાં શું આશ્ચર્ય છે ? મૂઢ જીવો પાપમિત્રના સ્વરૂપને જાણતા નથી તેની સંગતિની દુરંતતાને જાણતા નથી=અનર્થકારિતાને જાણતા નથી, તેના સંગના નિવારક સદ્ઉપદેષ્ટાને બહુ માનતા નથી. તેના માટે=પાપમિત્ર માટે, સારા મિત્રનો ત્યાગ કરે છે, તેના વશથી=પાપમિત્રના વશથી, કુમાર્ગનો સ્વીકાર કરે છે. તેઓ વળી દોડતા આંધળાની જેમ ભીંતઆદિમાં ગાઢ સ્ફોટના લાભથી પાપમિત્રના સંગથી નિવર્તન પામે છે, પરોપદેશથી નહીં. અને આ નંદિવર્ધન મૂઢ છે, જે આની સાથે પણ=વૈશ્વાનરની સાથે પણ, સંગપણાને કરે છે, તેથી આનાથી નિવારિત=વૈશ્વાનરથી નિવારિત, એવા મને શું ? હું આના સહચરત્વથી ભવિતવ્યતા વડે નિર્દેશ કરાયો છું. હું કરિરૂપતામાં વર્તતા આના દ્વારા=નંદિવર્ધનના જીવ દ્વારા, વેદના સમુદ્ઘાતમાં પણ નિશ્ચલપણાથી માધ્યસ્થ્ય ભાવના વડે આવર્જિત કરાયો છું. તે કારણથી જ પાપમિત્રસંગતિમાં તત્પર પણ નંદિવર્ધનકુમારનો અકાંડે જ ત્યાગ કરવો મને યુક્ત નથી. એ પ્રમાણે પર્યાલોચન કરીને આ પુણ્યોદય રુષ્ટ પણ=નંદિવર્ધન ઉપર રુષ્ટ થયેલો પણ, ત્યારે=મારી સાથે વૈશ્વાનરની મૈત્રી વર્તે છે ત્યારે, પ્રચ્છન્નરૂપપણાથી સદા વર્તે જ છે અને અન્ય પણ બહિરંગ મારા=અનુસુંદર ચક્રવર્તીના જીવરૂપ નંદિવર્ધનતા, ઘણા મિત્રો થયા.
पुण्योदयमाहात्म्येन वैश्वानरप्रभावः
ततस्तैः सार्द्धमनेकक्रीडाभिः क्रीडन्नहं प्रवर्द्धितुं प्रवृत्तः, प्रस्तुते च क्रीडने मत्तो महत्तमा अपि डिम्भाः प्रधानकुलजा अपि पराक्रमवन्तोऽपि मां वैश्वानराऽधिष्ठितमवलोक्य भयेन कम्पन्ते, गच्छन्ति च मम प्रणतिं कुर्वन्ति चाटुकर्माणि, प्रतिपद्यन्ते पदातिभावं, धावन्ति पुरतो, न प्रतिकूलयन्ति मद्वचनम्, किम्बहुना ? लिखितादपि मत्तो बिभ्यतीति । तस्य च सर्वस्यापि व्यतिकरस्याचिन्त्यमाहात्म्यतया प्रच्छन्नरूपोऽपि पुण्योदयः कारणम्, मम तु महामोहवशात्तदा चेतसि परिस्फुरितम् यदुत-तदेते बृहत्तमा अपि डिम्भा ममैवं कुर्वाणा वर्त्तन्ते, सोऽयमस्य वरमित्रस्य वैश्वानरस्य गुणः, यतोऽयं सन्निहितः सन्नात्मीयसामर्थ्येन वर्द्धयति मम तेजस्वितां, करोत्युत्साहं, प्रोज्ज्वलयति बलं, संपादयत्योजः, स्थिरीकरोति मनः, जनयति धीरतां, विधत्ते शौण्डीरतां, किम्बहुना ? समस्तपुरुषगुणैर्मामेष योजयति । ततोऽनया भावनया संजातो वल्लभतरो मे वैश्वानरः ततः संजातोऽहमष्टवार्षिकः,