Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૦૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૨-૩૩ શ્રી ઉત્તરાધ્યયનજીમાં કહ્યું છે કે જે જ્ઞાન સંસારને માટે થાય તેને અવિદ્યા કહેવી. જગતની વિદ્યા તે અવિદ્યા છે, અને કર્મની ઉત્પત્તિનાં સાધનરૂપ છે. ચોર વિગેરે લોકો એવી કળા શીખવે છે કે જેવી કળા સરકાર પણ શીખવી શકતી નથી તો શું ચોરો પાસે જ ખરેખર મોક્ષની વિદ્યા શીખી શકાય? માટે તેનું જ નામ જ્ઞાન કે વિદ્યા કે જે મોક્ષને માટે જ થાય. •
યા વિદ્યા ના વિમુક્ય લ્યો તો જ્ઞાન અજ્ઞાનનો ભેદ ક્યાં રહ્યો ? લોકોત્તરશાન, લિૌકિકલ્લાન, આશ્રવ ને સંવરનું જ્ઞાન એ વિગેરેમાં ભેદ ક્યાં રહ્યો ? “વા વિદ્યા ના વિમુક એવું કહેનારા ચોર કે જુગારીબજાર અથવા વેશ્યાબજારના નાયક પણ કેમ ન બને ? પાઘડી શાહુકારને કામની પણ ખવીસને નકામી, તેમ જ્ઞાન ઉપયોગી છે પણ કોને ?
જીવાજીવાદિ પદાર્થો જાણવા માત્રથી સરતું નથી, પણ જાણીને તેનાથી આરાધના કરવાની જરૂર છે. આરાધના કરો, જ્ઞાનનું બહુમાન કરો તે બધા નીચલાં પગથીયાં છે, રાજમાર્ગમાંથી બારણા આગળ આવી ઓટલે ચડવાનાં પગથિયાં છે, પણ મેડાની વાર છે. તેવા જ્ઞાનને શીખો કે જેથી ઓટલે ચઢો ને મેડો મળે. નૌકારવાળી ગણવી વિગેરે આરાધન નકામું નથી. રસ્તા ઉપરથી ઓટલા પાસે આવવાનું છે, પણ ઓટલો મળવા માત્રથી મેડે ચઢી ગયો એમ માનનારો ભૂલ કરે છે. જે ઓટલા આગળનો ભાગ તથા તે ઉપરના ભાગમાં ફરક ન સમજે તે મૂર્ખ છે. શીખવું તે જ ઉપર આવવા જેવું છે. એમ ગણે તે પગથિયાં ખસેડી નાંખીને ચઢવા માગે તેના જેવો મૂર્ખ કહેવાય. જ્ઞાન શીખવવામાં પગથિયાંરૂપ વિનય છે. વિનય ન હોય તો ચઢવાનું સાધન નથી. જ્ઞાન એ સર્વગુણોનું મૂળ છે. જ્ઞાન
સ્વતંત્ર આરાધ્ય નથી પણ એ પરાધીન છે. જ્ઞાન જો જ્ઞાન માટે શીખવાનું હોય તો તમે નીસરણી ચઢયા તેના પગથિયાં ગયાં છે ? જો જ્ઞાન જ્ઞાન માટે જ હોય તો પગથિયાં જરૂર ગણ્યાં હોત. હેય તથા ઉપદેયના વિભાગ પાડવામાં કામ લાગી અસારથી છોડાવે ને સારને મેળવવામાં ઉપયોગ લાગે તે પૂરતું જ જ્ઞાન ઉપયોગી છે. જેમ ખવીસને (માથુ ન હોવાથી) પાઘડી નકામી છે તેમ જેને મોક્ષ માર્ગે પ્રવર્તવું નથી, સંવર નિર્જરા આદરવાં નથી, આશ્રવ તથા બંધ છોડવા નથી તેને સર્વગુણના મૂળરૂપ જ્ઞાન શીખીને શું કામ છે ? પાઘડી નકામી નથી પણ ખવીસને નકામી છે, તેમ જ્ઞાન નકામું નથી પણ જેને બંધ, નિર્જરા મોક્ષ વિગેરેનો વિવેક કરવો નથી તેને માટે નિરૂપયોગી છે. સર્વગુણોના મૂળરૂપ જે જ્ઞાન તે 'વિનયથી શીખવું જોઈએ. જ્ઞાનપદની આરાધના એટલે નવપદમાંના સાતમા પદની આરાધના થઈ. હવે એનું ફળ શું? જ્ઞાન વિતિઃ જ્ઞાનનું ફલ વિરતિ છે-ચારિત્ર છે, તત્સંબંધી હવે પછી અગ્રે વર્તમાન.