Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૨૩ શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩ જાગૃત રાખનારા એ જ સિદ્ધચક્રને દેવી ચક્રધરો છે. વાંચક ! તું એ પાત્રોના અનુયાયી છે અને તેથી જ એ સિદ્ધચક્રની દ્રઢ ઉપાસના કરવી એ તારું પરમ અને ગહન કર્તવ્ય છે. સિદ્ધચક્રને જ શરણે થવાની તારી પહેલી ફરજ છે.
સામાજીક ઉત્સવો વખતે આપણા હૈયામાં કેટલો પ્રેમ ! કેટલો ઉત્સાહ અને કેટલી પ્રીતિ હોય છે ! તેવો જ પ્રેમ અને ઉત્સાહ આપણે એ સિદ્ધચક્રની આરાધનામાં શા માટે ન રાખી શકીએ. “સિદ્ધચક્ર” આજે પોતાની ફરજ બજાવતા તેના સઘળા ગ્રાહકોને યાદ દેવાડે છે કે બંધુઓ ! સિદ્ધચક્રના એ પુણ્ય પનોતા ઉત્સવો આવી રહ્યા છે ! ઉઠો ! જાગૃત થાઓ ! અને ધર્મોત્સવોને ઉજવવાની ઘટતી તૈયારી કરો ! અને એ તૈયારીમાં જ તમારા જીવનની સફળતા અને આત્માનો આનંદ છે એ ન ભૂલો.
- -: સચિત્ર :
શ્રી બારસા સૂત્ર શ્રાવણ પૂર્ણિમાના દિવસે બહાર પડી ચુક્યાં છે.
મૂલ્ય.. ........ બાર.........રૂપિયા વર્ષો થયાં જૈન જનતા જેની રાહ જોઈ રહી હતી, તે કિંમતી ગ્રંથ જર અને જહેમતના મોટા ભોગે થઈ ગયો છે. આવો ગ્રંથ આજ સુધીમાં કોઈ પણ સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયો નથી
જાણો છો ? શ્રી સંવત્સરીના દિવસે આ બારસા સૂત્ર વાંચતી વખતે ચિત્રોવાળી પ્રતની જરૂર પડે છે અને કેટલેય સ્થળે મુશ્કેલી પડે છે. એટલે દરેક ગામમાં આ પુસ્તકની એક નકલ તો જરૂર જોઇશે ! અને આ તો
પુસ્તક શું પણ કળાનો અદભુત નમુનો છે ! તાડપત્રની પ્રાચીન પ્રત ઉપરથી રંગ-બેરંગી સોનેરી અને રૂપેરી ચિત્રોના ખાસ બ્લોક બનાવી આમાં છપાવ્યા છે. આખુંય પુસ્તક ઉંચી જાતના આર્ટ-પેપર ઉપર અને તે પણ નિર્ણયસાગર પ્રેસમાં છપાવ્યું છે. ૮૮ રંગીન ચિત્રો, આર્ટ પેપર અને આંખે ઉડીને બાઝે એવી છપાઈ, પછી વધારે શું જોઈએ? એથીજ આના તો
અગાઉથી જ ગ્રાહકો નોંધાયા હતા ! અગાઉથી થયેલા ગ્રાહકો જોતાં માત્ર ગણત્રીની પ્રતો બાકી રહેશે, માટે જેઓએ અગાઉથી ગ્રાહક તરીકે નામ નોંધાવ્યું હોય, તેમણે તુરતજ આ ગ્રંથ મંગાવી લેવા વિનંતિ છે. માટે પાછળથી
પસ્તાવું પડે નહિ તે માટે આજે જ નીચેના સરનામે એક પોસ્ટ કાર્ડ લખીને વી. પી. થી આપની નકલ મંગાવી લેશો!
-: ખાસ નોંધી લેશો કે :બારસા સુત્ર મંગાવતી વખતે પોતાનો એડવાન્સ નંબર લખી જણાવશો.
આ શ્રી કલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઈ પણ જાતનું કમીશન આપવામાં નહિ આવે, તેમજ કોઈને પણ ભેટ આપવામાં આવશે નહિ!
લખોઃશેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર ફંડ, ગોપીપુરા-સુરત.