Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 696
________________ ૫૩૨ શ્રી સિદ્ધચક્ર તા.૪-૯-૩૩ પ્રાણ, પરિવાર અને પૈસો. આવી પરિસ્થિતિ ન પરિણમે તે માટે એટલો નિશ્ચય તો થવો જ જોઈએ કે ભલે પ્રાણ જાય, પરિવાર જાય કે પૈસો જાય ! પણ ધર્મ તો ન જ જવો જોઈએ ! જ્યારે આવી દઢતા આવે ત્યારે જ તમારામાં થયેલો વિચાર-પલટો સાર્થક છે તે સિવાય તમારા વિચારોમાં થયેલો પલટો સાર્થક નથી. વિચાર પરિવર્તન થાય તે પછી આવી સ્થિરતા જરૂરી છે. સ્ત્રીને માટે જેવું પતિવ્રતપણું છે, શીયળ એ તેને માટે જેવું આભૂષણ છે, તે જ પ્રમાણે સ્થિરતા એ સમ્યકત્વનું પણ પહેલું આભૂષણ છે અને એ આભૂષણ જ્યાં તમે સમ્યકત્વ સાથે જોડો છો ત્યાં જ સમ્યકત્વ શોભે છે ! શ્રીમતી સુલસાની સ્થિરતા. સુલતાનું આખ્યાન તો તમારા બધાના જ ખ્યાલમાં હશે. સુલસા તો એક બાઈ છે ! એ બાઈની આગળ તો અખંડ પરિવ્રાજક ખુદ બ્રહ્માના સ્વરૂપમાં હાજર થાય છે, બીજે દહાડે તે મહાદેવનું સ્વરૂપ ધારણ કરે છે, અને ત્રીજે દહાડે તીર્થકરનું સ્વરૂપ ધારણ કરે છે તે છતાં એ બાઈનો આત્મા ચળતો નથી કે તેના વિચારોમાં વિકારો ઉદ્ભવતા નથી ! એક બાઈ-એક સ્ત્રી પોતાના વિચારોને દૃઢ રાખે છે તો પછી આપણામાં સ્થિરતા કેવી હોવી જોઈએ તેનો ખ્યાલ કરો ! પણ તેને બદલે આજે શી દશા છે ! આજે તો સવારે કાંઈ વિચાર, બપોરે બીજો, રાત્રે ત્રીજો અને વળી બીજે દહાડે પાછો નવો બુટ્ટો હોયને હોય જ ! આને તમે સમ્યકત્વ ન જ કહી શકો. સમ્યકત્વ પામ્યા પછીનું ભૂષણ તે તો વિચારોની સ્થિરતા જ છે. મોઢેનો ધન્યવાદ નકામો ! તમે મોઢે મોઢે એમ કહો કે અહો ! તીર્થકરના જીવનને ધન્ય છે ! તીર્થંકરદેવોએ કહ્યું તે ધન્ય છે ! આવા ખોટા ધન્યવાદથી સ્વાર્થ સરવાનો નથી. શ્રી જીનેશ્વર મહારાજાના વચનો ઉપર જ જીવન અવલંબેલું હોવું જ જોઈએ, તે હોય તોજ તમે “ધન્ય” કહ્યું તે પ્રમાણ છે ! તમે ઘડીમાં તીર્થકરના રાગી થાઓ. ઘડીમાં ત્યાગ વખાણો, ઘડીમાં તેનો દ્વેષ કરો એ સઘળાનો કાંઈ અર્થ જ નથી. જેમ નમ્ર માણસ પ્રાણ અને ઇન્દ્રિયોવાળો છે તે છતાં તે નગ્ન છે તેટલા માટે કાઢી મૂકવા લાયક છે તેવીજ દશા અહીં વારેવારે વિચાર ફેરવનારાની પણ છે એ ભૂલશો નહિ ! તમારા આત્મામાં સમ્યકત્વ આવ્યું હોય તો હવે વિચારોની સ્થિરતા મેળવો. તમારા એ વિચારોમાં સ્થિરતા આવવી જોઇએ. તમને એમાં રસ પડવો જોઈએ અને જ્યાં તમોને એમાં રસ પડયો કે ત્યાં તમારે બીજાઓને એ માર્ગે દોરવા જોઈએ. આત્માનો ઝવેરી. શ્રી મહાવીર મહારાજના સમયનું એક ઉદાહરણ લ્યો એ સમયે એક જૈન ઝવેરી છે. એક અનાર્ય દેશનો રાજા આ ઝવેરીની પાસે આવે છે. આ રાજા ઝવેરાતનો ભારે શોખીન છે. અનાર્ય રાજા પુરજનોને ગામ બહાર જતા જોઇને ઝવેરીને પૂછે છે કે આ બધા લોકો ક્યાં જાય છે? લોકો તો ભગવાન એ ગામમાં પધાર્યા છે તેમના દર્શન કરવાને જાય છે પરંતુ જૈન ઝવેરી અનાર્યનરેશને કહે છે કે ગામ બહાર એક મોટો ઝવેરી આવ્યો હોવાથી લોકો મળવાને જાય છે ! હવે અહીં સમજો ! જૈન ઝવેરી અનાર્ય નરેશને એમ શા માટે નથી કહેતો કે “ગામ બહાર ભગવાન પધાર્યા છે? જો ભગવાન પધાર્યા છે એમ કહે તો એ અનાર્યરાજ ત્યાં જાય નહિ અને પ્રભુના સંસર્ગમાં આવે પણ નહિ ! અને આ જૈન

Loading...

Page Navigation
1 ... 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744