________________
(૪) પાંચ મહાવ્રતોનું પાલન કરનારા - આચાર્ય ભગવંતો પૂર્વે કહેલા પાંચ મહાવ્રતોનું પાલન કરે છે.
(૫) પાંચ પ્રકારના આચારનું પાલન કરનારા - આચાર્ય ભગવંતો પૂર્વે કહેલા પાંચ પ્રકારના આચારોનું પાલન કરે છે.
(૬) પાંચ સમિતિનું પાલન કરનારા - શાસ્ત્રમાં કહેલી વિધિ મુજબ સારી પ્રવૃત્તિ કરવી તે સમિતિ. તે પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે -
૧) ઇર્યાસમિતિ - લોકોથી ખૂંદાયેલા, પ્રકાશવાળા રસ્તા ઉપર જીવોની રક્ષા માટે સાડા ત્રણ હાથ જેટલી ભૂમિને જોતા જોતા ઉપયોગપૂર્વક ચાલવું તે.
૨) ભાષાસમિતિ - મુહપત્તિના ઉપયોગપૂર્વક નિરવ (પાપ ન લાગે તેવા) વચનો બોલવા તે. આરંભની અનુમોદનાના વચનો, અસત્ય વચનો, આદેશના વચનો, જ-કારપૂર્વકના વચનો એ સાવદ્ય (પાપ લાગે તેવા) વચનો છે. તેનાથી વિપરીત વચનો તે નિરવદ્ય વચનો.
૩) એષણા સમિતિ - બેતાલીસ દોષ રહિત આહાર, પાણી વગેરે ગ્રહણ કરવા તે.
૪) આદાનભાંડમાત્રનિક્ષેપણાસમિતિ - વસ્તુ લેતા-મૂકતા, બારીબારણા ખોલતા-બંધ કરતા, પાટ-પાટલા ખસેડતા, બેસતા-ઊઠતા જોવું તથા પ્રમાર્જવું તે.
૫) પારિષ્ઠાપનિકાસમિતિ - મળ, મૂત્ર, કફ, થુંક, વમન, પરુ, લોહી, નાકનો મેલ, અશુદ્ધ આહાર-પાણી, નિરુપયોગી વસ્ત્ર વગેરેને વિધિપૂર્વક જીવરહિત ભૂમિમાં પરઠવવા (ત્યાગ કરવો) તે.
આચાર્ય ભગવંતો પાંચ સમિતિનું પાલન કરે છે.
(૭) ત્રણ ગુપ્તિનું પાલન કરનારા - મન-વચન-કાયાનું રક્ષણ કરવું તે ગુપ્તિ. તે ત્રણ પ્રકારે છે –
૧) મનગુપ્તિ - મનને અશુભ વિચારોથી રોકવું અને શુભવિચારોમાં પ્રવર્તાવવું તે.
૨) વચનગુપ્તિ - મીન રાખવું અથવા સાવદ્ય વચનનો ત્યાગ કરી મુહપત્તિના ઉપયોગપૂર્વક નિરવદ્યવચનો બોલવા તે.
(૩) કાયગુપ્તિ - કાયાને સાવદ્ય પ્રવૃત્તિથી અટકાવવી અને નિરવદ્ય પ્રવૃત્તિમાં પ્રવર્તાવવી તે. બીજી રીતે પણ આચાર્યના છત્રીસ ગુણો છે. તે આ પ્રમાણેસમર્પણમ્