________________
ગુરુવંદતમાં છોડવાયોગ્ય દોષો.
ગુરુવંદન કરતી વખતે ૩૨ દોષોનો ત્યાગ કરવો. તે ૩૨ દોષો આ પ્રમાણે છે -
(૧) અનાદત - અનાદરપણે-ચિત્તની ઉત્સુકતા વિના વંદન કરવું તે. (૨) સ્તબ્ધ - જાતિમદ વગેરે મદો વડે અભિમાની થઇને વંદન કરવું તે. શરીર અક્કડ રહેવું તે દ્રવ્યસ્તબ્ધ. અભિમાન રાખવું તે ભાવસ્તબ્ધ. આ બેના ચાર ભાંગા છે - ૧) દ્રવ્યસ્તબ્ધ, ભાવસ્તબ્ધ.
૨) દ્રવ્યસ્તબ્ધ, ભાવઅસ્તબ્ધ.
૩) દ્રવ્યઅસ્તબ્ધ, ભાવસ્તબ્ધ. ૪) દ્રવ્યઅસ્તબ્ધ, ભાવઅસ્તબ્ધ.
આમાં ચોથો ભાંગો શુદ્ધ છે. પહેલો અને ત્રીજો ભાંગો અશુદ્ધ છે. બીજા ભાંગામાં રોગ વગેરે કા૨ણે દ્રવ્યસ્તબ્ધ હોય તો શુદ્ધ છે, કારણ વિના દ્રવ્યસ્તબ્ધ હોય તો અશુદ્ધ છે.
(૩) પ્રવિદ્ધ - વંદન કરતા કરતા અધુરું રાખીને ભાગી જવું તે. (૪) પરિપિંડિત - એક જ વંદનથી ઘણાને વંદન કરવું તે, અથવા અક્ષરો-આવર્તોને છૂટા ન કરવા તે, અથવા બે હાથ કેડ ઉપર રાખીને આવર્ત કરવા તે.
(૫) ટોલગતિ – તીડની જેમ કૂદતા કૂદતા પાછળ જાય, આગળ આવેએ રીતે વંદન કરવું તે.
(૬) અંકુશ - વંદન કરવા માટે ગુરુને કપડુ પકડીને વંદન કરવા તે, અથવા અંકુશથી આક્રાન્ત હાથીની જેમ મસ્તક ઊંચ-નીચું કરી વંદન કરવા તે. (૭) કચ્છપરિંગિત - વંદન કરતી વખતે ઊભો હોય ત્યારે કે બેઠો હોય ત્યારે કાચબાની જેમ શરીરને આગળ-પાછળ હલાવે તે.
(૮) મત્સ્યોવૃત્ત - વંદન કરતી વખતે બેસતાં કે ઉઠતાં માછલાની જેમ એકદમ ઉછાળા મારતો બેસે કે ઊઠે તે, અથવા એક સાધુને વંદન ર્યા પછી બીજા સાધુને વંદન કરવા માટે બેઠા બેઠા જ શરીર ઘુમાવે તે.
(૯) મનઃપ્રદુષ્ટ - વંદનીયના દોષ મનમાં લાવી અસૂયા-અરુચિપૂર્વક વંદન કરવું તે, અથવા સ્વપ્રત્યય કે પરપ્રત્યયથી થયેલા મનોદ્વેષપૂર્વક વંદન
ગુરુ ભક્તિ
૩૦