Book Title: Samarpanam
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 47
________________ વંદન કરવું તે, અથવા આંગળી વગેરેથી તર્જના કરીને વંદન કરવું તે. (૨૦) શઠ – “વંદન કરીશ તો સાધુઓમાં અને શ્રાવકોમાં વિશ્વાસનું સ્થાન બનીશ” એમ વિચારીને ભાવ વિના પણ માયા-કપટથી વંદન કરવું તે, અથવા માંદગી વગેરેનું બહાનું કાઢી વિધિપૂર્વક વંદન ન કરવું તે. (૨૧) હીલિત - “હે ગુરુ ! આપને વંદન કરવાથી શું ?' વગેરે અવજ્ઞા કરીને વંદન કરવું તે. (૨૨) વિપરિકુંચિત - વંદનમાં વચ્ચે આડી-અવળી વિકથા વગેરે વાતો કરવી તે. (૨૩) ઇષ્ટદષ્ટ – ઘણા સાધુઓ વંદન કરતાં હોય ત્યારે કોઇ સાધુની આડમાં રહીને વંદન કરવું તે, અથવા અંધારામાં ગુરુ ન જુવે ત્યારે વંદન ન કરે, ગુરુ જુવે એટલે તરત વંદન કરે તે. (૨૪) શૃંગ - આવર્ત વખતે બે હાથ મસ્તકના મધ્યભાગે અડાડવાની બદલે લમણાના બે ભાગોમાં અડાડે તે. (૨૫) કર – વંદન કરવું એ ભગવાનનો કે ગુરુનો કરે છે એમ માનીને વંદન કરવું તે. (૨૬) કરમોચન - “સાધુ થવાથી લૌકિક કરથી તો છૂટ્યા, પણ અરિહંતરૂપી રાજાના વંદન કરવા રૂપ કરથી હજી છૂટ્યા નથી' એમ વિચારી કર ચૂકવવા જેવું સમજીને વંદન કરવું તે. (૨૭) આશ્લિષ્ટ-અનાશ્લિષ્ટ – આવર્ત વખતે બે હાથ રજોહરણને અને મસ્તકને અડે ન અડે તે રીતે વંદન કરવું તે. અહીં ચાર ભાંગા છે – (૧) બે હાથ રજોહરણને સ્પર્શ અને મસ્તકને સ્પર્શે. (૨) બે હાથ રજોહરણને ન સ્પર્શ અને મસ્તકને સ્પર્શે. (૩) બે હાથ રજોહરણને સ્પર્શે અને મસ્તકને ન સ્પર્શ. (૪) બે હાથ રજોહરણને ન સ્પર્શ અને મસ્તકને ન રૂ. આમાં પહેલો ભાગો શુદ્ધ છે. બાકીના ભાંગા અશુદ્ધ છે. (૨૮) જૂન - વંદનસૂત્રના અક્ષર, પદ, વાક્ય વગેરે ઓછા બોલે, આવશ્યક ઓછા કરે તે. (૨૯) ઉત્તરચૂડ – વંદન ર્યા પછી ખાસ જણાવવા માટે મોટે અવાજે “મયૂએણ વંદામિ' ચૂલિકારૂપે કહેવું તે. ગુરુ ભક્તિ

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150