________________
(૬) ધર્મરત્નપ્રકરણમાં કહ્યું છે'विणओ सव्वगुणाणं मूलं, सन्नाणदंसणाईणं । मोक्खस्स य ते मूलं, तेण विणीओ इह पसत्थो ||२५।।'
અર્થ : સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન વગેરે બધા ગુણોનું મૂળ વિનય છે. મોક્ષનું મૂળ તે ગુણો છે. તેથી અહીં વિનીત જીવ સારો (પ્રશંસાપાત્ર) છે.
(૭) દ્વાન્નિશદ્ધાત્રિશિકામાં કહ્યું છે :'विनयेन विना न स्याज्जिनप्रवचनोन्नतिः । पयःसेकं विना किं वा वर्धते भुवि पादपः ।।१७।।'
અર્થ : વિનય વિના જિનપ્રવચન (જિનશાસન)ની ઉન્નતિ ન થાય. શું ભૂમિમાં પાણી સિંચ્યા વિના વૃક્ષ વધે છે ? અર્થાત્ નથી વધતો.
'विनयस्य प्रधानत्व-द्योतनायैव पर्षदि । તીર્થ તીર્થપતિર્નવા, તાfપ વગ્યા નો રૂ||
અર્થ જેમના બધા પ્રયોજન પૂર્ણ થયા છે એવા કૃતાર્થ તીર્થકર ભગવાને પણ વિનયની પ્રધાનતા બતાવવા માટે જ પર્ષદામાં તીર્થને નમીને દેશના
આપી.
'छिद्यते विनयो यैस्तु, शुद्धोञ्छादिपरैरपि । तैरप्यग्रेसरीभूय, मोक्षमार्गो विलुप्यते ||३१।।'
અર્થ : નિર્દોષ ગોચરીમાં તત્પર એવા પણ જેઓ વિનયને છેદે છે તેઓ પણ અગ્રેસર થઇને મોક્ષમાર્ગનો વિલોપ (નાશ) કરે છે.
'नियुङ्क्ते यो यथास्थान-मेनं तस्य तु सन्निधौ । स्वयंवराः समायान्ति, परमानन्दसम्पदः ||३२||'
અર્થ : જે ઉચિત સ્થાનમાં વિનય કરે છે, તેની પાસે પરમાનંદની સંપત્તિઓ સ્વયં વરવા આવે છે.
(૮) ઉપદેશકલ્પવલ્લીમાં કહ્યું છે :'विद्या-विज्ञान-विश्वास-विभूति-विभुतादिकम् । ગુખાનામગ્રી: સર્વ, વિધર્ત વિનય વિશાત્ II૧૧રપા'
અર્થ ગુણોમાં અગ્રેસર એવો વિનય મનુષ્યોને વિદ્યા, વિજ્ઞાન, વિશ્વાસ, ઐશ્વર્ય અને પ્રભુતા વગેરે બધું આપે છે.
સમર્પણ
( ૫૭
પ૭