Book Title: Samarpanam
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 49
________________ ગુરુવંદન કરવાથી થતાં લાભો અને ત ' કરવાથી થતાં નુકસાનો ગુરુવંદન કરવાથી છ લાભ થાય છે – (૧) વિનયગુણ ઉત્પન્ન થાય છે. (૨) અભિમાનનો નાશ થાય છે. (૩) અભિમાનરહિત વિનીતપણે વંદન કરવાથી ગુરુની પૂજા (સત્કાર) થાય છે. (૪) જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે, કેમકે “વિનય એ ધર્મનું મૂળ છે” એવી જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે. (૫) વંદન પૂર્વક જ શ્રુત ગ્રહણ કરાય છે. માટે વંદન કરવાથી શ્રુતની આરાધના થાય છે. (૬) ગુરુવંદનથી પરંપરાએ મોક્ષ થાય છે. - ગુરુવંદન ન કરવાથી છ નુકસાન થાય છે - (૧) અભિમાન થાય છે. (૨) અવિનય થાય છે. (૩) ખિસા એટલે નિંદા અથવા લોકનો તિરસ્કાર થાય છે. (૪) નીચગોત્ર કર્મ બંધાય છે. (૫) સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. (૬) સંસારની વૃદ્ધિ થાય છે. ગુરુ ભગવંત સમભાવમાં લીન હોય છે. વંદન કરનારા ઉપર ખુશ થઇને તેઓ તેને લાભ નથી કરતાં અને વંદન નહીં કરનારા ઉપર ગુસ્સે થઇને તેઓ તેને નુકસાન નથી કરતાં. વંદન કરનારને પોતાના શુભ ભાવથી જ ઉપર કહેલા છ લાભો થાય છે અને વંદન નહીં કરનારને પોતાના અશુભ ભાવથી જ ઉપર કહેલા છ નુકસાનો થાય છે. માટે ઉપાશ્રયમાં ગુરુ ભગવંત બિરાજમાન હોય ત્યારે અવશ્ય તેમને વંદન કરવા જવું. વંદન કરવામાં પ્રસાદ ન કરવો. જિનપૂજા ર્યા પછી ગુરુવંદન કરવા અવશ્ય ઉપાશ્રયે જવું. ઉપાશ્રયમાં મહાત્મા બિરાજમાન ન હોય તો છેવટે શ્રીગૌતમસ્વામીજીના ફોટાને પણ ૧ ૩૪ ગુરુ ભક્તિ

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150