Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
આમંત્રણ ને તૈયારીઓ આ પછી સ્વાગત સમિતિની ચુંટણી અંગે જણાવ્યું કે અમદાવાદની દરેક જ્ઞાતિમાં જેટલા લ્હાણાં હોય તેના દશ ટકા માણસોને મોકલવા અને કઈ ખાસ રહી જતું હોય તે તેને મોકલવાને પણ વાંધો નથી!”
સ્વાગત સમિતિની આ પ્રકારની ચુંટણી વીસમી સદી માટે નવાઈ ઉપજાવે તેવી હતી.
ત્યાર બાદ પાટણ અને જામનગરના ઝગડાઓ સંબંધમાં પણ તેમણે ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે “મન મેટાં હશે તે એ ઝગડાનો નિકાલ આવી જશે. હું થોડા સમયમાં પાટણ જવાને; છું. બાકી અમુક જ જાતને આગ્રહ હોય તે કામ થવું મુશ્કેલ છે. હજી જે આચાર્ય મહારાજને મળવા નથી જવાયું તેમને પણ મળવા જવાનો છું.”
આટલા પ્રવચન પછી તેમણે સાધુસમેલનની કાતરી જે બહુ જ ટૂંકામાં, મુદ્દાસર તૈયાર કરવામાં આવી હતી, તે વાંચી સંભળાવી હતી અને અઢી માઈલ સુધીમાં રહેલાં સાધુ-સાધ્વીએને તે સ્વયંસેવકે ભારત પહોંચાડવાની છે; એમ જાહેર કર્યું હતું. ત્યાર બાદ સાધુસંમેલન અંગે જે આચાર્યો અમદાવાદમાં આવે તે દરેકનું પૃથક પૃથક સામૈયું ન કરતાં, ચાર ચાર પાંચ પાંચ દિવસના અંતરે કરવામાં આવશે અને એ વખતે દરેકે શહેર શણગારવું, વગેરે સૂચનાઓ પણ કરી હતી અને સંધની સભા વિસર્જન થઈ હતી. - ત્યાર બાદ ચેડા જ દિવસમાં સુંદર ઢબે છપાયેલી, મુનિ મહારાજાઓ માટે ખાસ આમંત્રણ પત્રિકાઓ નીકળી; જેમાં નીચે મુજબ લખવામાં આવ્યું હતું –
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org